કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/કોણ લઈ ગયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
 
(Footer change)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪૮. જિંદગી લીધી}}
{{Heading|૪૮. કોણ લઈ ગયું}}
{{Block center|<poem>
{{Block center|<poem>
કહેવાને કાજ આમ અમે જિંદગી લીધી,
મરવાનો છે પ્રસંગ અને જીવી રહ્યો છું હું,
એમાંથી જીવવાની ઘડી બે ઘડી લીધી.
મારા નસીબમાંથી કઝા કોણ લઈ ગયું?


અલ્લાહની સામે છે એ સુલેહ શાંતિનો ધ્વજ,
આંસુ ને શ્વાસ એક હતા સંકલિત હતા,
તેથી અમે કફનમાં સફેદી લઈ લીધી.
વ્યાપક હતી તે આબોહવા કોણ લઈ ગયું?


હે કૃષ્ણ, દે ખબર કે જઈ બેસું છાંયમાં,
સુખમાં હવે તો થાય છે ઈર્ષા અરસ પરસ,
જે ઝાડની શાખામાંથી તે વાંસળી લીધી.
દુઃખમાં થતી હતી તે વ્યથા કોણ લઈ ગયું?


પૂછો આ પ્રશ્ન કોઈ જવાબ આપશે નહીં,
જે જે હતા પ્રવાસ રઝળપાટ થઈ ગયા,
કે આ જગતમાં ક્યાં ક્યાં મજા – ક્યાં સુધી લીધી.
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઈ ગયું?


જો જો જરાકે ચેતો, હવે હાલ શું થશે?
જા જઈ ‘મરીઝ’ પૂછ ‘ઝફર’ ના મઝારને,
એક પ્યાલાના પ્યાસાએ – સુરાહી ભરી લીધી.
કહેશે તને બધું કે ભલા કોણ લઈ ગયું!


દુઃખ થાય છે હવે મને એની ન યાદ આપ,
{{right|'''(નકશા, પૃ. ૫૦)'''}}</poem>}}
જુઠ્ઠી હતી મજા જે લીધી બસ લીધી લીધી.
 
નબળી ક્ષણોને તારી સમજતો હતો છતાં,
નબળી ક્ષણોને તારી, કોઈ તક કદી લીધી?
 
બાકી બીજું તો એમાં સમજવાનું શું હતું?
શ્રદ્ધાના નામે ધર્મની ઈઝ્ઝત કરી લીધી.
 
મહેનત વગર ‘મરીઝ’ કલાકાર થઈ ગયો,
મૂર્તિ તમારી ખુદ દિલે કોતરી લીધી.
{{right|'''(નકશા, પૃ. ૫૩)'''}}</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કોણ લઈ ગયું
|previous = જીવન-મરણ
|next = પેગમ્બરી મને
|next = જિંદગી લીધી
}}
}}

Latest revision as of 13:14, 17 October 2024

૪૮. કોણ લઈ ગયું

મરવાનો છે પ્રસંગ અને જીવી રહ્યો છું હું,
મારા નસીબમાંથી કઝા કોણ લઈ ગયું?

આંસુ ને શ્વાસ એક હતા – સંકલિત હતા,
વ્યાપક હતી તે આબોહવા કોણ લઈ ગયું?

સુખમાં હવે તો થાય છે ઈર્ષા અરસ પરસ,
દુઃખમાં થતી હતી તે વ્યથા કોણ લઈ ગયું?

જે જે હતા પ્રવાસ રઝળપાટ થઈ ગયા,
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઈ ગયું?

જા જઈ ‘મરીઝ’ પૂછ ‘ઝફર’ ના મઝારને,
કહેશે તને બધું કે ભલા કોણ લઈ ગયું!

(નકશા, પૃ. ૫૦)