કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/કોણ લઈ ગયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(Footer change)
 
(One intermediate revision by the same user not shown)
Line 20: Line 20:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સેહરા મને
|previous = જીવન-મરણ
|next = જિંદગી લીધી
|next = જિંદગી લીધી
}}
}}

Latest revision as of 13:14, 17 October 2024

૪૮. કોણ લઈ ગયું

મરવાનો છે પ્રસંગ અને જીવી રહ્યો છું હું,
મારા નસીબમાંથી કઝા કોણ લઈ ગયું?

આંસુ ને શ્વાસ એક હતા – સંકલિત હતા,
વ્યાપક હતી તે આબોહવા કોણ લઈ ગયું?

સુખમાં હવે તો થાય છે ઈર્ષા અરસ પરસ,
દુઃખમાં થતી હતી તે વ્યથા કોણ લઈ ગયું?

જે જે હતા પ્રવાસ રઝળપાટ થઈ ગયા,
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઈ ગયું?

જા જઈ ‘મરીઝ’ પૂછ ‘ઝફર’ ના મઝારને,
કહેશે તને બધું કે ભલા કોણ લઈ ગયું!

(નકશા, પૃ. ૫૦)