સાફલ્યટાણું/૧૭. વિદ્યાપીઠ અને આપણું લોકજીવન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૭. વિદ્યાપીઠ અને આપણું લોકજીવન | }} {{Poem2Open}} વિદ્યાપીઠમાં આવેલા વિદ્યાર્થીઓ જીવનની ઉદાત્ત ભાવનાઓથી પ્રેરાયેલા હોઈ વિદ્યાપીઠના વાતાવરણમાં હંમેશાં એક પ્રકારની બૌદ્ધિક તેજસ...")
 
No edit summary
 
Line 24: Line 24:
એ વખતે યુવક પ્રવૃત્તિ પણ પૂરા ઉત્સાહ સાથે શરૂ થઈ હતી અને એમાં રાજકીય મતમતાંતરોના કોઈ પણ ભેદ વિના અસહકારી વિદ્યાર્થીઓ કે સરકારી સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચેના કોઈ પણ અંતરાય વિનાના, પાંત્રીસ કે એથી નીચેની વયના સહુ કોઈ યુવક પ્રવૃત્તિમાં જોડાઈ શકે એવી ‘અમદાવાદ યુવક સંઘ' નામની એક સંસ્થાની સ્થાપના થઈ. શ્રીમતી સરલાદેવી સારાભાઈ એના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયાં. વિદ્યાપીઠમાંથી ઘણાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ આની સ્થાપનામાં મહત્ત્વનો ફાળો આપ્યો. એ પૈકી વિદ્યાર્થીઓમાં કીકુભાઈ દેસાઈ અને અધ્યાપકોમાં મલકાનીજી મુખ્ય હતા. બીજા સભ્યોમાં ગુજરાત કૉલેજમાંથી શ્રી સત્યેન્દ્ર દીવાન અને નાગરિકોમાંથી શ્રી સમર્થલાલ વૈદ્યનાં નામ મને અત્યારે યાદ આવે છે. પાછળથી શ્રી રોહિત મહેતાએ એમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ સંઘની પ્રવૃત્તિએ યુવકોમાં ભાવના અને આદર્શની હવા ઉભી કરી. દેશની સાચી પરિસ્થિતિ અંગે યુવકોમાં સભાનતા કેળવવાની દિશામાં એ હતી. આને લઈને અસહકારી વિદ્યાર્થીઓ અને બીજા વિદ્યાર્થીઓ વચ્ચે સમભાવ અને બિરાદરીની સારી એવી હવા ઊભી થઈ. પરિણામે ખાદી, સ્વદેશી વગેરે રચનાત્મક કાર્યક્રમના અંગરૂપ લેખાતી પ્રવૃત્તિઓ માત્ર અસહકારીઓમાં સીમિત નહિ રહેતાં વધુ વ્યાપક બની. એને પરિણામે વિદેશી કાપડના બહિષ્કારના કાર્યક્રમમાં અને મઘનિષેધના કાર્યક્રમમાં સારી એવી સંખ્યા જોડાઈ. આમ વિદ્યાપીઠના સા વિદ્યા યા વિમુયે ધ્યાનમંત્રને સાર્થ કરે એવી પ્રાણવાન આબોહવા એ વખતના અસહકારી તેમ જ સરકારી સંસ્થાના વિદ્યાર્થીઓએ હાથમાં હાથ મિલાવી ગુજરાતમાં ફેલાવી અને એની અસર દૂર દૂર સુધી દેશના ઘણા ભાગોમાં પહોંચી.
એ વખતે યુવક પ્રવૃત્તિ પણ પૂરા ઉત્સાહ સાથે શરૂ થઈ હતી અને એમાં રાજકીય મતમતાંતરોના કોઈ પણ ભેદ વિના અસહકારી વિદ્યાર્થીઓ કે સરકારી સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચેના કોઈ પણ અંતરાય વિનાના, પાંત્રીસ કે એથી નીચેની વયના સહુ કોઈ યુવક પ્રવૃત્તિમાં જોડાઈ શકે એવી ‘અમદાવાદ યુવક સંઘ' નામની એક સંસ્થાની સ્થાપના થઈ. શ્રીમતી સરલાદેવી સારાભાઈ એના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયાં. વિદ્યાપીઠમાંથી ઘણાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ આની સ્થાપનામાં મહત્ત્વનો ફાળો આપ્યો. એ પૈકી વિદ્યાર્થીઓમાં કીકુભાઈ દેસાઈ અને અધ્યાપકોમાં મલકાનીજી મુખ્ય હતા. બીજા સભ્યોમાં ગુજરાત કૉલેજમાંથી શ્રી સત્યેન્દ્ર દીવાન અને નાગરિકોમાંથી શ્રી સમર્થલાલ વૈદ્યનાં નામ મને અત્યારે યાદ આવે છે. પાછળથી શ્રી રોહિત મહેતાએ એમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ સંઘની પ્રવૃત્તિએ યુવકોમાં ભાવના અને આદર્શની હવા ઉભી કરી. દેશની સાચી પરિસ્થિતિ અંગે યુવકોમાં સભાનતા કેળવવાની દિશામાં એ હતી. આને લઈને અસહકારી વિદ્યાર્થીઓ અને બીજા વિદ્યાર્થીઓ વચ્ચે સમભાવ અને બિરાદરીની સારી એવી હવા ઊભી થઈ. પરિણામે ખાદી, સ્વદેશી વગેરે રચનાત્મક કાર્યક્રમના અંગરૂપ લેખાતી પ્રવૃત્તિઓ માત્ર અસહકારીઓમાં સીમિત નહિ રહેતાં વધુ વ્યાપક બની. એને પરિણામે વિદેશી કાપડના બહિષ્કારના કાર્યક્રમમાં અને મઘનિષેધના કાર્યક્રમમાં સારી એવી સંખ્યા જોડાઈ. આમ વિદ્યાપીઠના સા વિદ્યા યા વિમુયે ધ્યાનમંત્રને સાર્થ કરે એવી પ્રાણવાન આબોહવા એ વખતના અસહકારી તેમ જ સરકારી સંસ્થાના વિદ્યાર્થીઓએ હાથમાં હાથ મિલાવી ગુજરાતમાં ફેલાવી અને એની અસર દૂર દૂર સુધી દેશના ઘણા ભાગોમાં પહોંચી.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૧૬. ગુજરાત મહાવિદ્યાલય
|next = ૧૮. સ્વાવલંબન અને વિદ્યાભ્યાસ
}}
<br>
1,149

edits