અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/મધુ રાયની વારતા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મધુ રાયની વારતા|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> દંતશૂળ ડંખ કે ન્હો...") |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 26: | Line 26: | ||
{{Right|(સપ્ટેમ્બર, ૧૯૯૭)}} | {{Right|(સપ્ટેમ્બર, ૧૯૯૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =લાભશંકર ઠાકરની કવિતા | |||
|next = વખાર | |||
}} | |||
Latest revision as of 10:49, 17 May 2022
મધુ રાયની વારતા
સિતાંશુ યશશ્ચંદ્ર
દંતશૂળ ડંખ કે ન્હોર વિનાનાં, ત્હોય,
હવામાં સ્હેજ હૂંફ થાય છે ને ફૂલો બેધડક ખૂલી જાય છે.
એ ફૂલોના ગુચ્છા વચ્ચેની ડાળીઓ વચ્ચેના માળાની અંદરના ઈંડાની
અંદર
કંઈક સળવળે છે.
ધ્યાનથી જુઓ નહીં તો જણાયે નહીં.
પણ જોનારા તો આંખ માંડીને ઊભા છેઃ
સામો સરપ છે, ઉપર સીંચાણો છે, નીચે પારધી છે.
વારતામાં ગણો તો ફૂલો છે,
જે ગણ્યાં નથી.
આ બધાથી અજાણ્યું એવું બચ્ચું તો
અંદરથી ઈંડું ફોડે છે,
છાતીમાં શ્વાસ ભરે છે,
પીઠ થરથર કોરી કરે છે,
ને બેઉ આંખો ખોલે છે.
આંખો ખોલીને જુએ છે તો બચ્ચું શું દેખે છે?
— કે કોઈ પણ એક ફૂલનું નામ લઈ મધુ રાય વારતા લખે છે.
(સપ્ટેમ્બર, ૧૯૯૭)