ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 17: Line 17:
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[હ.ત્રિ.]}}
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[હ.ત્રિ.]}}


અખા(ભગત)/અખાજી/અખો [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. જ્ઞાતિએ સોની. કોઈ પરજિયા તો કોઈ શ્રીમાળી સોની હોવાનું કહે છે.
'''અખા(ભગત)/અખાજી/અખો''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. જ્ઞાતિએ સોની. કોઈ પરજિયા તો કોઈ શ્રીમાળી સોની હોવાનું કહે છે.
‘ગુરુશિષ્ય-સંવાદ’ની ઈ.૧૬૪૫માં અને ‘અખે-ગીતા’ની ઈ.૧૬૪૯માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ.૧૬૪૧માં અવસાન - આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ.૧૭મી સદીના પાંચમા દાયકાની આસપાસનો અને જીવનકાળ ઓછામાં ઓછો ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ હોવાનું અનુમાની શકાય.
‘ગુરુશિષ્ય-સંવાદ’ની ઈ.૧૬૪૫માં અને ‘અખે-ગીતા’ની ઈ.૧૬૪૯માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ.૧૬૪૧માં અવસાન - આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ.૧૭મી સદીના પાંચમા દાયકાની આસપાસનો અને જીવનકાળ ઓછામાં ઓછો ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ હોવાનું અનુમાની શકાય.
જનશ્રુતિ અનુસાર આ કવિ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને પિતાની સાથે અમદાવાદમાં આવી વસેલા. અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં એક મકાનના ખંડને અખાના ઓરડા તરીકે ઓળખાવવામાં આવે છે. ઈ.૧૯૨૭ના અરસામાં વિદ્યમાન લલ્લુભાઈ ધોળીદાસે ન. દે. મહેતાને ઉતરાવેલા પેઢીનામા પ્રમાણે આ કવિ લલ્લુભાઈની પાંચમી પેઢીએ થયેલા ગંગારામના ભાઈ હતા અને એમના પિતાનું નામ રહિયાદાસ હતું. અખા-ભગત અને એમના બીજા ભાઈ ધમાસી નિ:સંતાન હતા. અખાએ બાળપણમાં માતા અને જુવાનીમાં પિતા, એકની એક બહેન તથા એક પછી એક ૨ પત્નીઓને ગુમાવ્યાં હતાં. વંશાનુગત સોનીનો વ્યવસાય કરતા આ કવિ કેટલોક સમય ટંકશાળના ઉપરી બન્યા હતા. ધર્મની માનેલી એક બહેને તેમની પાસે કરાવેલી કંઠીની બાબતમાં તેમના પર અવિશ્વાસ મૂક્યો તેમ જ ટંકશાળમાં એમના પર ભેળસેળનો ખોટો આરોપ મુકાયો. એથી નિર્વેદ પામી એ સંસાર છોડી તત્ત્વશોધમાં નીકળી પડ્યા.
જનશ્રુતિ અનુસાર આ કવિ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને પિતાની સાથે અમદાવાદમાં આવી વસેલા. અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં એક મકાનના ખંડને અખાના ઓરડા તરીકે ઓળખાવવામાં આવે છે. ઈ.૧૯૨૭ના અરસામાં વિદ્યમાન લલ્લુભાઈ ધોળીદાસે ન. દે. મહેતાને ઉતરાવેલા પેઢીનામા પ્રમાણે આ કવિ લલ્લુભાઈની પાંચમી પેઢીએ થયેલા ગંગારામના ભાઈ હતા અને એમના પિતાનું નામ રહિયાદાસ હતું. અખા-ભગત અને એમના બીજા ભાઈ ધમાસી નિ:સંતાન હતા. અખાએ બાળપણમાં માતા અને જુવાનીમાં પિતા, એકની એક બહેન તથા એક પછી એક ૨ પત્નીઓને ગુમાવ્યાં હતાં. વંશાનુગત સોનીનો વ્યવસાય કરતા આ કવિ કેટલોક સમય ટંકશાળના ઉપરી બન્યા હતા. ધર્મની માનેલી એક બહેને તેમની પાસે કરાવેલી કંઠીની બાબતમાં તેમના પર અવિશ્વાસ મૂક્યો તેમ જ ટંકશાળમાં એમના પર ભેળસેળનો ખોટો આરોપ મુકાયો. એથી નિર્વેદ પામી એ સંસાર છોડી તત્ત્વશોધમાં નીકળી પડ્યા.
Line 31: Line 31:
અખામાં મુનશીને જીવનના ઉલ્લાસને સ્થાને શુષ્ક વૈરાગ્ય પ્રેરતી પરલોકપરાયણતા જણાઈ છે; પરંતુ વસ્તુત: એમનામાં આ રીતનો ઐહિક જીવનનો સર્વાંશે તિરસ્કાર નથી. એ નિષ્કર્મણ્યતા નહીં, પણ નિષ્કામતા પ્રબોધે છે, અને સંસારી રસને સ્થાને એમણે દિવ્ય ઉલ્લાસ, ‘અક્ષયરસ’ તરફ નજર માંડી છે તથા એ અક્ષયરસની અનુભૂતિનું ઉમંગભેર ગાન પણ  
અખામાં મુનશીને જીવનના ઉલ્લાસને સ્થાને શુષ્ક વૈરાગ્ય પ્રેરતી પરલોકપરાયણતા જણાઈ છે; પરંતુ વસ્તુત: એમનામાં આ રીતનો ઐહિક જીવનનો સર્વાંશે તિરસ્કાર નથી. એ નિષ્કર્મણ્યતા નહીં, પણ નિષ્કામતા પ્રબોધે છે, અને સંસારી રસને સ્થાને એમણે દિવ્ય ઉલ્લાસ, ‘અક્ષયરસ’ તરફ નજર માંડી છે તથા એ અક્ષયરસની અનુભૂતિનું ઉમંગભેર ગાન પણ  
કર્યું છે.
કર્યું છે.
ગુજરાતીમાં તેમ જ સાધુશાઈ હિંદીમાં રચાયેલી અખાની સઘળી કૃતિઓ તત્ત્વવિચારાત્મક છે. રચનાસંવત ૨ કૃતિઓની જ મળે છે એટલે બધી કૃતિઓના કાલક્રમ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. પણ વિચારવિકાસ, શૈલીની પરિપક્વતા, કાવ્યગુણનો ઉત્કર્ષ આદિ ધોરણોથી મહત્ત્વની કૃતિઓના રચનાક્રમ વિશે સહેજસાજ વીગત-ફેરવાળાં અનુમાનો થયાં છે તેમાં ઉમાશંકરે સૂચવેલો રચનાક્રમ આ પ્રમાણે છે : ‘અવસ્થાનિરૂપણ’, ‘પંચીકરણ’, ‘ગુરુશિષ્ય-સંવાદ’ (ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, જેઠ વદ ૯, સોમવાર), ‘સંતપ્રિયા’, ‘ચિત્તવિચાર-સંવાદ’, ‘બ્રહ્મલીલા’, ‘અનુભવબિંદુ’, ‘અખે-ગીતા’ (ર. ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર). છપ્પા જેવા પ્રકારની રચનાઓ લાંબા સમયપટમાં છૂટકછૂટક થઈ હોવાની શક્યતા છે. થોડાંક પદો અને થોડીક સાખીઓ સિવાયનું અખાનું સઘળું સાહિત્ય  
ગુજરાતીમાં તેમ જ સાધુશાઈ હિંદીમાં રચાયેલી અખાની સઘળી કૃતિઓ તત્ત્વવિચારાત્મક છે. રચનાસંવત ૨ કૃતિઓની જ મળે છે એટલે બધી કૃતિઓના કાલક્રમ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. પણ વિચારવિકાસ, શૈલીની પરિપક્વતા, કાવ્યગુણનો ઉત્કર્ષ આદિ ધોરણોથી મહત્ત્વની કૃતિઓના રચનાક્રમ વિશે સહેજસાજ વીગત-ફેરવાળાં અનુમાનો થયાં છે તેમાં ઉમાશંકરે સૂચવેલો રચનાક્રમ આ પ્રમાણે છે : ‘અવસ્થાનિરૂપણ’, ‘પંચીકરણ’, ‘ગુરુશિષ્ય-સંવાદ’ (ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, જેઠ વદ ૯, સોમવાર), ‘સંતપ્રિયા’, ‘ચિત્તવિચાર-સંવાદ’, ‘બ્રહ્મલીલા’, ‘અનુભવબિંદુ’, ‘અખે-ગીતા’ (ર. ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર). છપ્પા જેવા પ્રકારની રચનાઓ લાંબા સમયપટમાં છૂટકછૂટક થઈ હોવાની શક્યતા છે. થોડાંક પદો અને થોડીક સાખીઓ સિવાયનું અખાનું સઘળું સાહિત્ય મુદ્રિત છે.
મુદ્રિત છે.
ગુજરાતી કૃતિઓમાં ચોપાઈની ૧૦-૧૦ કડીના-૪ ખંડમાં વિભક્ત ‘અવસ્થાનિરૂપણ’ ← અને ચોપાઈની ૧૦૨ કડીની ‘પંચીકરણ’ ← અનુક્રમે શરીરાવસ્થા અને બ્રહ્માંડનાં તત્ત્વોનું બહુધા પરંપરાગત અને પારિભાષિક નિરૂપણ કરે છે,પણ ૪ ખંડ અને દોહરા-ચોપાઈની ૩૨૦ કડીની ‘ગુરુશિષ્ય-સંવાદ’ ← અખાની કેવલાદ્વૈત તત્ત્વદર્શનની ભૂમિકા વીગતે સમજાવે છે ને એમાં પારિભાષિકતાનો ભાર ઓછો થતાં વિષયનું મોકળાશથી નિરૂપણ થયેલું જોવા મળે છે. ચોપાઈની ૪૧૩ કડીની અને અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને વ્યાપી વળતી ‘ચિત્તવિચાર-સંવાદ’ ← પિતા ચિત્તને બોધ આપતા પુત્ર વિચારની અભિનવ કલ્પનાથી અને દૃષ્ટાંતકળાના ઉત્કર્ષથી વિશેષ ધ્યાનપાત્ર કૃતિ બને છે. આમ છતાં, આ જાતની સળંગ રચનાબંધવાળી અખાની રચનાઓમાં અભ્યાસીઓમાં વધુ જાણીતી, અલબત્ત, ‘અનુભવબિંદુ’ ← અને ’અખે-ગીતા’ ← છે. “પ્રાકૃત ઉપનિષદ” (કે. હ. ધ્રુવ) તરીકે ઓળખાવાયેલી ૪૦ છપ્પાની ‘અનુભવબિંદુ’ અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને લાઘવથી અને હૃદયંગમ દૃષ્ટાંતોથી રજૂ કરતી રસાત્મક કૃતિ છે; તો ૪૦ કડવાં અને ૧૦ પદોની ‘અખે-ગીતા’ એમના તત્ત્વવિચારને સર્વગ્રાહી રીતે, લાક્ષણિક દૃષ્ટાંતચિત્રો અને દૃષ્ટાંતશ્રેણીઓ તેમ જ બાનીની તાજગીભરી અસરકારક છટાઓથી અભિવ્યક્ત કરતી એમની, અને ગુજરાતી ગીતાકાવ્યોની પરંપરાની, સર્વોત્તમ કૃતિ છે.
ગુજરાતી કૃતિઓમાં ચોપાઈની ૧૦-૧૦ કડીના-૪ ખંડમાં વિભક્ત ‘અવસ્થાનિરૂપણ’ ← અને ચોપાઈની ૧૦૨ કડીની ‘પંચીકરણ’ ← અનુક્રમે શરીરાવસ્થા અને બ્રહ્માંડનાં તત્ત્વોનું બહુધા પરંપરાગત અને પારિભાષિક નિરૂપણ કરે છે,પણ ૪ ખંડ અને દોહરા-ચોપાઈની ૩૨૦ કડીની ‘ગુરુશિષ્ય-સંવાદ’ ← અખાની કેવલાદ્વૈત તત્ત્વદર્શનની ભૂમિકા વીગતે સમજાવે છે ને એમાં પારિભાષિકતાનો ભાર ઓછો થતાં વિષયનું મોકળાશથી નિરૂપણ થયેલું જોવા મળે છે. ચોપાઈની ૪૧૩ કડીની અને અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને વ્યાપી વળતી ‘ચિત્તવિચાર-સંવાદ’ ← પિતા ચિત્તને બોધ આપતા પુત્ર વિચારની અભિનવ કલ્પનાથી અને દૃષ્ટાંતકળાના ઉત્કર્ષથી વિશેષ ધ્યાનપાત્ર કૃતિ બને છે. આમ છતાં, આ જાતની સળંગ રચનાબંધવાળી અખાની રચનાઓમાં અભ્યાસીઓમાં વધુ જાણીતી, અલબત્ત, ‘અનુભવબિંદુ’ ← અને ’અખે-ગીતા’ ← છે. “પ્રાકૃત ઉપનિષદ” (કે. હ. ધ્રુવ) તરીકે ઓળખાવાયેલી ૪૦ છપ્પાની ‘અનુભવબિંદુ’ અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને લાઘવથી અને હૃદયંગમ દૃષ્ટાંતોથી રજૂ કરતી રસાત્મક કૃતિ છે; તો ૪૦ કડવાં અને ૧૦ પદોની ‘અખે-ગીતા’ એમના તત્ત્વવિચારને સર્વગ્રાહી રીતે, લાક્ષણિક દૃષ્ટાંતચિત્રો અને દૃષ્ટાંતશ્રેણીઓ તેમ જ બાનીની તાજગીભરી અસરકારક છટાઓથી અભિવ્યક્ત કરતી એમની, અને ગુજરાતી ગીતાકાવ્યોની પરંપરાની, સર્વોત્તમ કૃતિ છે.
પરબ્રહ્મને સંબોધન રૂપે એનાં સ્વરૂપલક્ષણોનું વિશદ મહિમાગાન કરતી ‘કૈવલ્ય-ગીતા’, કૃષ્ણમુખે સંતનાં લક્ષણ વર્ણવતી ‘સંતનાં લક્ષણ/કૃષ્ણઉદ્ધવ-સંવાદ’ અને આનંદમય મુક્ત દશાનું વર્ણન કરતી ‘જીવનમુક્તિહુલાસ’ અખાની લોકગમ્ય શૈલીની લઘુ રચનાઓ છે.
પરબ્રહ્મને સંબોધન રૂપે એનાં સ્વરૂપલક્ષણોનું વિશદ મહિમાગાન કરતી ‘કૈવલ્ય-ગીતા’, કૃષ્ણમુખે સંતનાં લક્ષણ વર્ણવતી ‘સંતનાં લક્ષણ/કૃષ્ણઉદ્ધવ-સંવાદ’ અને આનંદમય મુક્ત દશાનું વર્ણન કરતી ‘જીવનમુક્તિહુલાસ’ અખાની લોકગમ્ય શૈલીની લઘુ રચનાઓ છે.
Line 42: Line 41:
અખાજી પોતાને ‘કવિ’ ગણાવવા માગતા નથી, ‘જ્ઞાની’ હોવું એ તેમની દૃષ્ટિએ ઊંચી વસ્તુ છે. કવિતાને એ એક સાધન રૂપે જ ઉપયોગમાં લે છે. છંદ જેવાં કાવ્યઓજારોનું પોતાને જ્ઞાન નથી એમ તેઓ કહે છે ખરા; પરંતુ ચોપાઈ, દુહા, ઝૂલણા, સવૈયા, કવિત અને અનેક દેશીબંધો તથા છપ્પા, કડવાં, પદ, સાખી, કુંડળિયા, ચોખરા, જકડી આદિ કાવ્યબંધો પ્રયોજતા તેઓ સમકાલીન કાવ્યરીતિથી પૂરા અભિજ્ઞ જણાય છે. તત્ત્વવિચારને કવિતાની કોટિએ પહોંચાડતા ૩ મોટા કવિગુણો અખામાં છે : ૧. અવારનવાર ગૂંથાતી હાસ્ય, કટાક્ષ, રોષ, આર્દ્રતા, આરત, વિસ્મય, પ્રસન્નતાની ભાવરેખાઓ; ૨. “વિશ્વના પદાર્થો જાણે એની વિચારણા માટે જ સર્જાયા હોય” (વિ. ૨. ત્રિવેદી) એવી અનુરૂપતા અને વિવિધતાથી ભર્યું, ઘણી વાર ગતિશીલ ચિત્રાત્મકતાવાળું ઉપમા-આયોજન; અને ૩. ક્વચિત્ કઠિન ને રુક્ષ લાગતા છતાં મર્મવેધક બનતા શબ્દપ્રયોગો, ઊંડી સૂઝથી ઉપયોગમાં લેવાયેલાં રૂઢિપ્રયોગો-કહેવતો તથા સચોટ સૂત્રાત્મક ઉક્તિઓથી બલિષ્ઠ પ્રતીત થતી કાવ્યબાની.
અખાજી પોતાને ‘કવિ’ ગણાવવા માગતા નથી, ‘જ્ઞાની’ હોવું એ તેમની દૃષ્ટિએ ઊંચી વસ્તુ છે. કવિતાને એ એક સાધન રૂપે જ ઉપયોગમાં લે છે. છંદ જેવાં કાવ્યઓજારોનું પોતાને જ્ઞાન નથી એમ તેઓ કહે છે ખરા; પરંતુ ચોપાઈ, દુહા, ઝૂલણા, સવૈયા, કવિત અને અનેક દેશીબંધો તથા છપ્પા, કડવાં, પદ, સાખી, કુંડળિયા, ચોખરા, જકડી આદિ કાવ્યબંધો પ્રયોજતા તેઓ સમકાલીન કાવ્યરીતિથી પૂરા અભિજ્ઞ જણાય છે. તત્ત્વવિચારને કવિતાની કોટિએ પહોંચાડતા ૩ મોટા કવિગુણો અખામાં છે : ૧. અવારનવાર ગૂંથાતી હાસ્ય, કટાક્ષ, રોષ, આર્દ્રતા, આરત, વિસ્મય, પ્રસન્નતાની ભાવરેખાઓ; ૨. “વિશ્વના પદાર્થો જાણે એની વિચારણા માટે જ સર્જાયા હોય” (વિ. ૨. ત્રિવેદી) એવી અનુરૂપતા અને વિવિધતાથી ભર્યું, ઘણી વાર ગતિશીલ ચિત્રાત્મકતાવાળું ઉપમા-આયોજન; અને ૩. ક્વચિત્ કઠિન ને રુક્ષ લાગતા છતાં મર્મવેધક બનતા શબ્દપ્રયોગો, ઊંડી સૂઝથી ઉપયોગમાં લેવાયેલાં રૂઢિપ્રયોગો-કહેવતો તથા સચોટ સૂત્રાત્મક ઉક્તિઓથી બલિષ્ઠ પ્રતીત થતી કાવ્યબાની.
સમાજચિકિત્સા અને લોકોક્તિઓના વિનિયોગ પરત્વે માંડણ જેવા પુરોગામીઓનું અખા પર ઋણ છે અને સમકાલીન જ્ઞાનમાર્ગી કવિઓની વાણી સાથે અખાની વાણીનું કેટલુંક અનિવાર્ય મળતાપણું છે, તે છતાં સર્વસ્પર્શી સૂક્ષ્મ જીવનવિચાર અને વિશિષ્ટ કાવ્યગુણોએ કરીને અખાજી મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતાધારામાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે.
સમાજચિકિત્સા અને લોકોક્તિઓના વિનિયોગ પરત્વે માંડણ જેવા પુરોગામીઓનું અખા પર ઋણ છે અને સમકાલીન જ્ઞાનમાર્ગી કવિઓની વાણી સાથે અખાની વાણીનું કેટલુંક અનિવાર્ય મળતાપણું છે, તે છતાં સર્વસ્પર્શી સૂક્ષ્મ જીવનવિચાર અને વિશિષ્ટ કાવ્યગુણોએ કરીને અખાજી મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતાધારામાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે.
કૃતિ : ૧. અક્ષયરસ (હિં.), સં. કુંવર ચંદ્રપ્રકાશસિંહ, ઈ.૧૯૬૩ (+સં.); ૨. અખાકૃત કાવ્યોે : ૧. સં. નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૧ (+સં.); ૩. અખાની વાણી, પ્ર. ઓરિયન્ટલ પ્રેસ, ઈ.૧૮૮૪; ૪. એજન, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૧૪, સં. ૨૦૦૦ (સુધારેલી ત્રીજી આ.) (+સં.); ૫. * અખા ભક્તની વાણી, સં. કવિ હીરાચંદ કાનજી, ઈ.૧૮૬૪; ૬. અપ્રસિદ્ધ અક્ષયવાણી (અખાકૃત કાવ્યો : ૨), સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૩૨ (+સં.);   
કૃતિ : ૧. અક્ષયરસ (હિં.), સં. કુંવર ચંદ્રપ્રકાશસિંહ, ઈ.૧૯૬૩ (+સં.); ૨. અખાકૃત કાવ્યોે : ૧. સં. નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૧ (+સં.); ૩. અખાની વાણી, પ્ર. ઓરિયન્ટલ પ્રેસ, ઈ.૧૮૮૪; ૪. એજન, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૧૪, સં. ૨૦૦૦ (સુધારેલી ત્રીજી આ.) (+સં.); ૫. * અખા ભક્તની વાણી, સં. કવિ હીરાચંદ કાનજી, ઈ.૧૮૬૪; ૬. અપ્રસિદ્ધ અક્ષયવાણી (અખાકૃત કાવ્યો : ૨), સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૩૨ (+સં.);  ૭. અખાજીના છપ્પાની ચોપડી, પ્ર. પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળી, ઈ.૧૮૫૨; ૮. અખાજીની સાખીઓ, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૫૨ (+સં.); ૯. અખાના છપ્પા, સં. ઉમાશંકર જોશી, ઈ.૧૯૫૩, ઈ.૧૯૭૭ (ત્રીજી આ.) (+સં.); ૧૦. એજન, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૫૩ (+સં.); ૧૧. અખા ભગતના છપ્પા, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, અનસૂયા ભૂ. ત્રિવેદી, (૧-૨૬૪) - ઈ.૧૯૭૭ (૨૬૫-૫૦૩) - ઈ.૧૯૮૦, (૫૦૪-૭૫૬) - ઈ.૧૯૮૨ (+સં); ૧૨. અખા ભગતના ગુજરાતી પદ, સં. અનસૂયા ભૂ. ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી ઈ.સ. ૧૯૮૦ (+સં.); ૧૩. અખેગીતા, સં. ઉમાશંકર જોશી, રમણલાલ જોશી, ઈ.૧૯૬૭ (+સં.); ૧૪. એજન, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૫૮ (+સં.); ૧૫. એજન, સં. વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૫૭ (+સં.); ૧૬. અનુભવબિંદુ, સં. કેશવલાલ હ. ધ્રુવ, સં. ૧૯૬૨ (+સં.); ૧૭. એજન; સં. રવિશંકર મ. જોશી, ઈ.૧૯૪૪ (+સં.); ૧૮. ચાલીસ છપ્પા અપરનામ અનુભવબિંદુ, સં. અનસૂયા ભૂ. ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૬૪ (+સં.); ૧૯. ચિત્તવિચાર સંવાદ, સં. કીર્તિદા જોશી (શાહ), ઈ.૧૯૯૨ ૨૦. *બ્રહ્મજ્ઞાની અખા ભક્તના છપા, સં. પૂજારા કાનજી ભીમજી, ઈ.૧૮૮૪; ૨૧. સંતપ્રિયા (હિં.) સં. રમણલાલ પાઠક, ઈ.૧૯૭૯ (+સં.);  ૨૨. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬ - ‘તિથિ’, ૨૩. કાન્તમાલા, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા વગેરે, ઈ.૧૯૨૪ - ‘બાર માસ’, સં. અંબાલાલ જાની; ૨૪. પદસંગ્રહ પ્રભાકર, સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૨૫; બૃકાદોહન : ૧, ૨, ૩, (+સં.); ૪, ૫, ૮;  ૨૬ * ચિંતામણિ, નવે. ૧૯૭૧ - ‘અમૃતકલારમેણી’, સં. ઉર્વશી સુરતી; ૨૭. * નાગરી પ્રચારિણી પત્રિકા, સં. ૨૦૨૮ અં. ૩-૪ - ‘અમૃતકલારમેણી’, સં. ઉર્વશી સુરતી; ૨૮. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૫ - ‘અખાના અપ્રસિદ્ધ દુહા-સોરઠા’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૨૯. એજન, જાન્યુ.-માર્ચ ૧૯૮૦ - ‘પંદર તિથિ અખાની’; સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૩૦. એજન, એપ્રિલ-જૂન ૧૯૮૦ - ‘ચતુ:શ્લોકી ભાગવત ઉપર અખાની ગદ્યટીકા’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૩૧. એજન, ઑક્ટો.-ડિસે.- ‘અખાભગતકૃત તિથિ (૨)’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૩૨. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૭૮- - ‘પંદર તિથિ’, સં. વિભૂતિ ભટ્ટ; ૩૩. રિસર્ચ જર્નલ ઑવ્ ધ એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, ઈ.૧૯૭૧ - ‘એકલક્ષરમણી’, સં. ઉર્વશી સુરતી. ૩૪. એજન, ઈ.૧૯૭૩ - ‘કુંડલિયા’, સં. ઉર્વશી સુરતી; ૩૫. એજન. ઈ.૧૯૭૫ - ‘અમૃતકલારમેણી’, સં. ઉર્વશી સુરતી. ૩૬. સ્વાધ્યાય, મે ૧૯૮૪ - અખાજીકૃત ધુઆર્ય-ફાગકાવ્યો, સં. વિભૂતિ વિક્રમ ભટ્ટ.
૭. અખાજીના છપ્પાની ચોપડી, પ્ર. પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળી, ઈ.૧૮૫૨; ૮. અખાજીની સાખીઓ, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૫૨ (+સં.); ૯. અખાના છપ્પા, સં. ઉમાશંકર જોશી, ઈ.૧૯૫૩, ઈ.૧૯૭૭ (ત્રીજી આ.) (+સં.); ૧૦. એજન, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૫૩ (+સં.); ૧૧. અખા ભગતના છપ્પા, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, અનસૂયા ભૂ. ત્રિવેદી, (૧-૨૬૪) - ઈ.૧૯૭૭ (૨૬૫-૫૦૩) - ઈ.૧૯૮૦, (૫૦૪-૭૫૬) - ઈ.૧૯૮૨ (+સં); ૧૨. અખા ભગતના ગુજરાતી પદ, સં. અનસૂયા ભૂ. ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી ઈ.સ. ૧૯૮૦ (+સં.); ૧૩. અખેગીતા, સં. ઉમાશંકર જોશી, રમણલાલ જોશી, ઈ.૧૯૬૭ (+સં.); ૧૪. એજન, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૫૮ (+સં.); ૧૫. એજન, સં. વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૫૭ (+સં.); ૧૬. અનુભવબિંદુ, સં. કેશવલાલ હ. ધ્રુવ, સં. ૧૯૬૨ (+સં.); ૧૭. એજન; સં. રવિશંકર મ. જોશી, ઈ.૧૯૪૪ (+સં.); ૧૮. ચાલીસ છપ્પા અપરનામ અનુભવબિંદુ, સં. અનસૂયા ભૂ. ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૬૪ (+સં.); ૧૯. ચિત્તવિચાર સંવાદ, સં. કીર્તિદા જોશી (શાહ), ઈ.૧૯૯૨ ૨૦. *બ્રહ્મજ્ઞાની અખા ભક્તના છપા, સં. પૂજારા કાનજી ભીમજી, ઈ.૧૮૮૪; ૨૧. સંતપ્રિયા (હિં.) સં. રમણલાલ પાઠક, ઈ.૧૯૭૯ (+સં.);  ૨૨. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬ - ‘તિથિ’, ૨૩. કાન્તમાલા, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા વગેરે, ઈ.૧૯૨૪ - ‘બાર માસ’, સં. અંબાલાલ જાની; ૨૪. પદસંગ્રહ પ્રભાકર, સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૨૫; બૃકાદોહન : ૧, ૨, ૩, (+સં.); ૪, ૫, ૮;  ૨૬ * ચિંતામણિ, નવે. ૧૯૭૧ - ‘અમૃતકલારમેણી’, સં. ઉર્વશી સુરતી; ૨૭. * નાગરી પ્રચારિણી પત્રિકા, સં. ૨૦૨૮ અં. ૩-૪ - ‘અમૃતકલારમેણી’, સં. ઉર્વશી સુરતી; ૨૮. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૫ - ‘અખાના અપ્રસિદ્ધ દુહા-સોરઠા’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૨૯. એજન, જાન્યુ.-માર્ચ ૧૯૮૦ - ‘પંદર તિથિ અખાની’; સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૩૦. એજન, એપ્રિલ-જૂન ૧૯૮૦ - ‘ચતુ:શ્લોકી ભાગવત ઉપર અખાની ગદ્યટીકા’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૩૧. એજન, ઑક્ટો.-ડિસે.- ‘અખાભગતકૃત તિથિ (૨)’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૩૨. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૭૮- - ‘પંદર તિથિ’, સં. વિભૂતિ ભટ્ટ; ૩૩. રિસર્ચ જર્નલ ઑવ્ ધ એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, ઈ.૧૯૭૧ - ‘એકલક્ષરમણી’, સં. ઉર્વશી સુરતી. ૩૪. એજન, ઈ.૧૯૭૩ - ‘કુંડલિયા’, સં. ઉર્વશી સુરતી; ૩૫. એજન. ઈ.૧૯૭૫ - ‘અમૃતકલારમેણી’, સં. ઉર્વશી સુરતી. ૩૬. સ્વાધ્યાય, મે ૧૯૮૪ - અખાજીકૃત ધુઆર્ય-ફાગકાવ્યો, સં. વિભૂતિ વિક્રમ ભટ્ટ.
સંદર્ભ : ૧. અખો, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૨૭; ૨. એજન, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૭૮; ૩. અખો એક અધ્યયન, ઉમાશંકર જોશી, ઈ.૧૯૪૧, ઈ.૧૯૭૩ (સુધારેલી બીજી આ.); ૪. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬; ૫. સાહિત્યકાર અખો, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૪૯;  ૬. અન્વય, હસિત બૂચ, ઇ. ૧૯૬૯ - ‘અખાનાં પદો’; ૭. કવિચરિત : ૧-૨; ૮. કૈવલાદ્વૈત ઇન ગુજરાતી પોએટ્રી, યોગીન્દ્ર ત્રિપાઠી, ઈ.૧૯૫૮; ૯. ગુજરાતી લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર (ઠક્કર વસનજી માધવજી લેક્ચર્સ), એન. બી. દિવેટિયા, ઈ.૧૯૩૨; ૧૦. ગુર્જર સાક્ષર જયન્તીઓ, પ્ર. જીવનલાલ અ. મહેતા, ઈ.૧૯૨૧ - ‘અખો અને તેનું કાવ્ય’, નર્મદાશંકર દે. મહેતા; ૧૧. ગુલિટરેચર; ૧૨. ગુસાઇતિહાસ : ૨; ૧૩. ગુસાપઅહેવાલ : ૩ - ‘અખો ભક્ત અને તેમની કવિતા’, અંબાલાલ બુ. જાની; ૧૪. ગુસામધ્ય; ૧૫. ગુસારૂપરેખા : ૧; ૧૬. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧; ૧૭. નિરીક્ષા, ઉમાશંકર જોશી, ઈ.૧૯૬૦ - ‘અખો પ્રશ્નોત્તરી’; ૧૮. સાહિત્યિક લેખો અને વ્યાખ્યાનો, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૬૯ - ‘અખાનું ક્ષરજીવન’, ‘અખેગીતા’, ‘અખાના બે સંવાદો’, ‘અખાનું ‘પંચીકરણ’, ‘અખો અને તેનું કાવ્ય’;  ૧૯.* ચિંતામણિ, ફેબ્રુ. ૧૯૭૬ - ‘બ્રહ્મલીલા’, ઉર્વશી સુરતી; ૨૦. બુલેટિન ઑવ્ ધ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, ઑગસ્ટ ૧૯૮૦ - ‘અખા ભગતની રચનાઓમાં ઉલ્લેખ પામેલાં ભૂચર, ખેચર, જળચર’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી; ૨૧. સંસ્કૃતિ, સપ્ટે. ૧૯૬૫ - ‘બ્રહ્માનંદની નહીં પણ બ્રહ્મનંદની’, ઉમાશંકર જોશી;  ૨૨. ગૂહાયાદી.
સંદર્ભ : ૧. અખો, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૨૭; ૨. એજન, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૭૮; ૩. અખો એક અધ્યયન, ઉમાશંકર જોશી, ઈ.૧૯૪૧, ઈ.૧૯૭૩ (સુધારેલી બીજી આ.); ૪. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬; ૫. સાહિત્યકાર અખો, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૪૯;  ૬. અન્વય, હસિત બૂચ, ઇ. ૧૯૬૯ - ‘અખાનાં પદો’; ૭. કવિચરિત : ૧-૨; ૮. કૈવલાદ્વૈત ઇન ગુજરાતી પોએટ્રી, યોગીન્દ્ર ત્રિપાઠી, ઈ.૧૯૫૮; ૯. ગુજરાતી લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર (ઠક્કર વસનજી માધવજી લેક્ચર્સ), એન. બી. દિવેટિયા, ઈ.૧૯૩૨; ૧૦. ગુર્જર સાક્ષર જયન્તીઓ, પ્ર. જીવનલાલ અ. મહેતા, ઈ.૧૯૨૧ - ‘અખો અને તેનું કાવ્ય’, નર્મદાશંકર દે. મહેતા; ૧૧. ગુલિટરેચર; ૧૨. ગુસાઇતિહાસ : ૨; ૧૩. ગુસાપઅહેવાલ : ૩ - ‘અખો ભક્ત અને તેમની કવિતા’, અંબાલાલ બુ. જાની; ૧૪. ગુસામધ્ય; ૧૫. ગુસારૂપરેખા : ૧; ૧૬. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧; ૧૭. નિરીક્ષા, ઉમાશંકર જોશી, ઈ.૧૯૬૦ - ‘અખો પ્રશ્નોત્તરી’; ૧૮. સાહિત્યિક લેખો અને વ્યાખ્યાનો, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૬૯ - ‘અખાનું ક્ષરજીવન’, ‘અખેગીતા’, ‘અખાના બે સંવાદો’, ‘અખાનું ‘પંચીકરણ’, ‘અખો અને તેનું કાવ્ય’;  ૧૯.* ચિંતામણિ, ફેબ્રુ. ૧૯૭૬ - ‘બ્રહ્મલીલા’, ઉર્વશી સુરતી; ૨૦. બુલેટિન ઑવ્ ધ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, ઑગસ્ટ ૧૯૮૦ - ‘અખા ભગતની રચનાઓમાં ઉલ્લેખ પામેલાં ભૂચર, ખેચર, જળચર’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી; ૨૧. સંસ્કૃતિ, સપ્ટે. ૧૯૬૫ - ‘બ્રહ્માનંદની નહીં પણ બ્રહ્મનંદની’, ઉમાશંકર જોશી;  ૨૨. ગૂહાયાદી.
સંદર્ભ : ૧. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬;  ૨. ગ્રંથ, ઑગસ્ટ ૧૯૬૭ - ‘અખાને લગતા સંદર્ભગ્રંથો’, પ્રકાશ મહેતા; ૩. ગ્રંથ નવે. ૧૯૬૭ - ‘અખાને લગતા સંદર્ભગ્રંથો’, ગંભીરસિંહ ગોહિલ. [જ.કો.]
સંદર્ભ : ૧. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬;  ૨. ગ્રંથ, ઑગસ્ટ ૧૯૬૭ - ‘અખાને લગતા સંદર્ભગ્રંથો’, પ્રકાશ મહેતા; ૩. ગ્રંથ નવે. ૧૯૬૭ - ‘અખાને લગતા સંદર્ભગ્રંથો’, ગંભીરસિંહ ગોહિલ. {{Right|[જ.કો.]}}


અખાના છપ્પા : (૧) અખાજીકૃત છપ્પા (મુ.) છ-ચરણી (ક્વચિત્ ૮ ચરણ સુધી ખેંચાતી) ચોપાઈના બંધને કારણે ‘છપ્પા’ નામથી ઓળખાયેલ છે. આ કૃતિસમૂહની કોઈ પણ હસ્તપ્રત ૬૫૭થી વધારે છપ્પા આપતી નથી, પરંતુ અત્યાર સુધીમાં કુલ ૭૫૫ છપ્પા મુદ્રિત થયા છે. છપ્પા ‘વેશનિંદા અંગ’ ‘ગુરુ અંગ’ એવાં નામો ધરાવતાં ૪૫ અંગોમાં વહેંચાયેલા મળે છે, પણ અંગવિભાગોમાં નજરે પડતી શિથિલતા અને યાદૃચ્છિકતા પરથી એવો તર્ક થાય છે કે છપ્પા છૂટકછૂટક સમયાંતરે લખાયા હશે અને પછી અંગોમાં ગોઠવી દેવાયા હશે.
'''અખાના છપ્પા :''' (૧) અખાજીકૃત છપ્પા (મુ.) છ-ચરણી (ક્વચિત્ ૮ ચરણ સુધી ખેંચાતી) ચોપાઈના બંધને કારણે ‘છપ્પા’ નામથી ઓળખાયેલ છે. આ કૃતિસમૂહની કોઈ પણ હસ્તપ્રત ૬૫૭થી વધારે છપ્પા આપતી નથી, પરંતુ અત્યાર સુધીમાં કુલ ૭૫૫ છપ્પા મુદ્રિત થયા છે. છપ્પા ‘વેશનિંદા અંગ’ ‘ગુરુ અંગ’ એવાં નામો ધરાવતાં ૪૫ અંગોમાં વહેંચાયેલા મળે છે, પણ અંગવિભાગોમાં નજરે પડતી શિથિલતા અને યાદૃચ્છિકતા પરથી એવો તર્ક થાય છે કે છપ્પા છૂટકછૂટક સમયાંતરે લખાયા હશે અને પછી અંગોમાં ગોઠવી દેવાયા હશે.
છપ્પામાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે - અનેક બારીક વિચારો વેધક રીતે આલેખાયા છે, છતાં આ કૃતિની લોકપ્રિયતા વિશેષપણે એમાંના નિષેધાત્મક ભાગ - એમાં ધાર્મિક-સાંસારિક આચારવિચારોનાં દૂષણોનું જે તાદૃશ ચિત્રણ અને ઉગ્ર ચિકિત્સા મળે છે તેને કારણે છે. આ ચિત્રણ અને ચિકિત્સાએ અખાજીનો વ્યવહારજગતનો ગાઢ અનુભવ પ્રગટ કરી આપ્યો છે તેમ એમને હાસ્ય અને કટાક્ષની ભરપૂર સામગ્રી પૂરી પાડી છે.
છપ્પામાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે - અનેક બારીક વિચારો વેધક રીતે આલેખાયા છે, છતાં આ કૃતિની લોકપ્રિયતા વિશેષપણે એમાંના નિષેધાત્મક ભાગ - એમાં ધાર્મિક-સાંસારિક આચારવિચારોનાં દૂષણોનું જે તાદૃશ ચિત્રણ અને ઉગ્ર ચિકિત્સા મળે છે તેને કારણે છે. આ ચિત્રણ અને ચિકિત્સાએ અખાજીનો વ્યવહારજગતનો ગાઢ અનુભવ પ્રગટ કરી આપ્યો છે તેમ એમને હાસ્ય અને કટાક્ષની ભરપૂર સામગ્રી પૂરી પાડી છે.
સમયાંતરે લખાયેલા હોઈ છપ્પામાં અખાજીની વિકસતી ગયેલી વિચારભૂમિકાનાં ચિહ્નો અહીંતહીં જોઈ શકાય છે તેમ છતાં એમની મૂળભૂત દાર્શનિક ભૂમિકા તો નિશ્ચિત અને સ્થિર છે. એ દાર્શનિક ભૂમિકાના કેન્દ્રમાં છે બ્રહ્મ - જેને તેઓ ‘વસ્તુ’ ‘આત્મા’ ‘ચૈતન્ય’ ‘સ્વામી’ એવાં નામથી પણ ઉલ્લેખે છે - તેનું જ્ઞાન. અખાજી અવારનવાર આકાશનું ઉપનામ વિવિધ રીતે પ્રયોજે છે અને આ બ્રહ્મતત્ત્વની સર્વવ્યાપિતા, અખંડતા, અવિકાર્યતા સમજાવે છે. જીવ, ઈશ્વર અને જગતના તેમ જ નામ રૂપ ગુણ અને કર્મના ભેદો નિપજાવતી માયાનું સ્વરૂપ અખાજી અનેક દૃષ્ટાંતોથી સ્ફુટ કરે છે, પણ કહે છે કે માયાથી નાસવાથી કંઈ માયા નષ્ટ થતી નથી, જેમ ‘’અંધારુ નાઠે ક્યમ જાય ?” ખરો જ્ઞાની તો એ જે માયાનો ભક્ષ કરી જાય - એનું મિથ્યાત્વ પ્રમાણી લે.
સમયાંતરે લખાયેલા હોઈ છપ્પામાં અખાજીની વિકસતી ગયેલી વિચારભૂમિકાનાં ચિહ્નો અહીંતહીં જોઈ શકાય છે તેમ છતાં એમની મૂળભૂત દાર્શનિક ભૂમિકા તો નિશ્ચિત અને સ્થિર છે. એ દાર્શનિક ભૂમિકાના કેન્દ્રમાં છે બ્રહ્મ - જેને તેઓ ‘વસ્તુ’ ‘આત્મા’ ‘ચૈતન્ય’ ‘સ્વામી’ એવાં નામથી પણ ઉલ્લેખે છે - તેનું જ્ઞાન. અખાજી અવારનવાર આકાશનું ઉપનામ વિવિધ રીતે પ્રયોજે છે અને આ બ્રહ્મતત્ત્વની સર્વવ્યાપિતા, અખંડતા, અવિકાર્યતા સમજાવે છે. જીવ, ઈશ્વર અને જગતના તેમ જ નામ રૂપ ગુણ અને કર્મના ભેદો નિપજાવતી માયાનું સ્વરૂપ અખાજી અનેક દૃષ્ટાંતોથી સ્ફુટ કરે છે, પણ કહે છે કે માયાથી નાસવાથી કંઈ માયા નષ્ટ થતી નથી, જેમ ‘’અંધારુ નાઠે ક્યમ જાય ?” ખરો જ્ઞાની તો એ જે માયાનો ભક્ષ કરી જાય - એનું મિથ્યાત્વ પ્રમાણી લે.
Line 59: Line 57:
છપ્પામાં અખાજીનું કેટલુંક આત્મકથન પણ નોંધાયું છે. - “જન્મોજન્મનો ક્યાં છે સખા ?” એમ પરમતત્ત્વની આરત અને “છીંડું ખોળતાં લાધી પોળ” એમ અનાયાસ પ્રાપ્તિનો આનંદ પ્રાપ્ત કરતું તત્ત્વચિંતન, સંસારનિરીક્ષણ ને ચિકિત્સા, આત્મકથન વગેરેને લીધે છપ્પામાં શમ, નિર્વેદ, આરત, પ્રસન્નતા, વિનોદ, ઉપહાસકટાક્ષ આદિ અનેકવિધ ભાવમુદ્રાઓ ઊઠતી રહી છે.પણ એમાં અખાજીની સૌથી વધુ સબળ ભાવમુદ્રા હાસ્યકટાક્ષની છે, જેને કારણે ઉમાશંકર જોશી એમને ‘હાસ્યકવિ’ કહેવા પ્રેરાયા છે અને બળવંતરાય ઠાકોરને એમના કવિત્વના ‘અલૌકિક અગ્નિ’ની પ્રતીતિ કરાવતા કેટલાક ‘પયગંબરી કટાક્ષ’ની નોંધ લેવાની થઈ છે. છપ્પાના મુક્ત પ્રકારને લઈને અહીં ઉપમેય-ઉપમાનરચનાની કેટલીક વિલક્ષણ ભંગિને અવકાશ મળ્યો છે - “વ્યાસ-વેશ્યાની એક જ પેર, વિદ્યા-બેટી ઉછેરી ઘેર”, “વેષ, ટેક ને આડી ગલી, પેઠો તે ન શકે નીકળી”, “એક અફીણ, બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આપે કસ”, - તથા સદાય સ્મરણીય બની રહે તેવા સૂત્રાત્મક ઉદ્ગારો માટેની ભૂમિકા ઊભી થઈ છે. ઉપમા અને લોકોક્તિ એ ૨ અભિવ્યક્તિ-માધ્યમોના બહોળા અને અસરકારક વિનિયોગથી અખાજીએ સાધેલી ચિત્રાત્મકતા અને વેધકતા એવી છે કે છપ્પામાં તત્ત્વજ્ઞાન અને કવિતાનો મેળ વધુમાં વધુ બેઠો હોવાનું પ્રતીત થાય છે.
છપ્પામાં અખાજીનું કેટલુંક આત્મકથન પણ નોંધાયું છે. - “જન્મોજન્મનો ક્યાં છે સખા ?” એમ પરમતત્ત્વની આરત અને “છીંડું ખોળતાં લાધી પોળ” એમ અનાયાસ પ્રાપ્તિનો આનંદ પ્રાપ્ત કરતું તત્ત્વચિંતન, સંસારનિરીક્ષણ ને ચિકિત્સા, આત્મકથન વગેરેને લીધે છપ્પામાં શમ, નિર્વેદ, આરત, પ્રસન્નતા, વિનોદ, ઉપહાસકટાક્ષ આદિ અનેકવિધ ભાવમુદ્રાઓ ઊઠતી રહી છે.પણ એમાં અખાજીની સૌથી વધુ સબળ ભાવમુદ્રા હાસ્યકટાક્ષની છે, જેને કારણે ઉમાશંકર જોશી એમને ‘હાસ્યકવિ’ કહેવા પ્રેરાયા છે અને બળવંતરાય ઠાકોરને એમના કવિત્વના ‘અલૌકિક અગ્નિ’ની પ્રતીતિ કરાવતા કેટલાક ‘પયગંબરી કટાક્ષ’ની નોંધ લેવાની થઈ છે. છપ્પાના મુક્ત પ્રકારને લઈને અહીં ઉપમેય-ઉપમાનરચનાની કેટલીક વિલક્ષણ ભંગિને અવકાશ મળ્યો છે - “વ્યાસ-વેશ્યાની એક જ પેર, વિદ્યા-બેટી ઉછેરી ઘેર”, “વેષ, ટેક ને આડી ગલી, પેઠો તે ન શકે નીકળી”, “એક અફીણ, બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આપે કસ”, - તથા સદાય સ્મરણીય બની રહે તેવા સૂત્રાત્મક ઉદ્ગારો માટેની ભૂમિકા ઊભી થઈ છે. ઉપમા અને લોકોક્તિ એ ૨ અભિવ્યક્તિ-માધ્યમોના બહોળા અને અસરકારક વિનિયોગથી અખાજીએ સાધેલી ચિત્રાત્મકતા અને વેધકતા એવી છે કે છપ્પામાં તત્ત્વજ્ઞાન અને કવિતાનો મેળ વધુમાં વધુ બેઠો હોવાનું પ્રતીત થાય છે.
છ-ચરણી ચોપાઈનો બંધ, વિવિધ અંગોમાં છપ્પાની, ગોઠવણી, લોકોક્તિઓનો બહોળો ઉપયોગ, સમાજચિકિત્સા, કટાક્ષશૈલી, કેટલાંક વિચારવલણો ને કેટલાક ઉદ્ગારો પરત્વે છપ્પા પર માંડણની ‘પ્રબોધ-બત્રીશી’નું ઋણ સ્પષ્ટ હોવા છતાં અખાજી એમના પ્રખર બુદ્ધિતેજ, દાર્શનિક ભૂમિકા, અનુભવનો આવેશ તથા ઉપમા-ભાષાબળથી પોતાની મૌલિકતા સ્થાપી  
છ-ચરણી ચોપાઈનો બંધ, વિવિધ અંગોમાં છપ્પાની, ગોઠવણી, લોકોક્તિઓનો બહોળો ઉપયોગ, સમાજચિકિત્સા, કટાક્ષશૈલી, કેટલાંક વિચારવલણો ને કેટલાક ઉદ્ગારો પરત્વે છપ્પા પર માંડણની ‘પ્રબોધ-બત્રીશી’નું ઋણ સ્પષ્ટ હોવા છતાં અખાજી એમના પ્રખર બુદ્ધિતેજ, દાર્શનિક ભૂમિકા, અનુભવનો આવેશ તથા ઉપમા-ભાષાબળથી પોતાની મૌલિકતા સ્થાપી  
આપે છે. [જ.કો.]
આપે છે. {{Right|[જ.કો.]}}


‘અખે-ગીતા’ [૨. ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર] : ૪ કડવાં અને ૧ પદ એવા ૧૦ એકમો ને દરેક કડવા તેમ જ પદમાં લગભગ નિયત કડીસંખ્યા - એવો સુઘડ રચનાબંધ ધરાવતી, કુલ ૪૦ કડવાં અને ૧૦ પદની, ચોપાઈ અને પૂર્વછાયા (= દુહાની દેશી)માં રચાયેલી અખાની આ કૃતિ (મુ.) એના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશોને મનોરમ કાવ્યમયતાથી આલેખતી હોઈ એની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાવાયેલી છે. સરહદો ક્યાંક-ક્યાંક લોપાયેલી છે તેમ છતાં એકમોમાં ચોક્કસ વિષયવિભાગો જોઈ શકાય છે. જેમ કે, એકમ ૨ : માયાનું સ્વરૂપ અને કાર્ય; એકમ ૩ : માયામાંથી મુક્ત થવા માટેની સાધનત્રયી - વિરહવૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન; એકમ ૪ : અણલિંગી તત્ત્વજ્ઞાનીનાં લક્ષણો; એકમ ૫ અને ૬ : બ્રહ્મતત્ત્વનું સ્વરૂપ તથા એનું ઈશ્વર, જીવ અને જગત રૂપે પરિણમન; એકમ ૭ : બ્રહ્મવાદ અને શૂન્યવાદનો ભેદ; એકમ ૮ : સંતસંગનો મહિમા. એકમના સમાપન રૂપે આવતાં પદો, ધ્રુવપંક્તિની પેઠે, ‘અખે-ગીતા’ના કેન્દ્રવર્તી વિષય પર આવી ઠરે છે − એ પરબ્રહ્મના સ્વરૂપનું કે એના સાક્ષાત્કારનું ગાન કરે છે અથવા હરિ-ગુરુ-સંતની એકતા પ્રબોધી એમનું શરણ લઈ મહાપદ પ્રાપ્ત કરવાનો બોધ આપે છે. ૪ પદોમાં હિંદી ભાષા પ્રયોજાયેલી છે એ એક નોંધપાત્ર હકીકત છે.
'''‘અખે-ગીતા’''' [૨. ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર] : ૪ કડવાં અને ૧ પદ એવા ૧૦ એકમો ને દરેક કડવા તેમ જ પદમાં લગભગ નિયત કડીસંખ્યા - એવો સુઘડ રચનાબંધ ધરાવતી, કુલ ૪૦ કડવાં અને ૧૦ પદની, ચોપાઈ અને પૂર્વછાયા (= દુહાની દેશી)માં રચાયેલી અખાની આ કૃતિ (મુ.) એના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશોને મનોરમ કાવ્યમયતાથી આલેખતી હોઈ એની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાવાયેલી છે. સરહદો ક્યાંક-ક્યાંક લોપાયેલી છે તેમ છતાં એકમોમાં ચોક્કસ વિષયવિભાગો જોઈ શકાય છે. જેમ કે, એકમ ૨ : માયાનું સ્વરૂપ અને કાર્ય; એકમ ૩ : માયામાંથી મુક્ત થવા માટેની સાધનત્રયી - વિરહવૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન; એકમ ૪ : અણલિંગી તત્ત્વજ્ઞાનીનાં લક્ષણો; એકમ ૫ અને ૬ : બ્રહ્મતત્ત્વનું સ્વરૂપ તથા એનું ઈશ્વર, જીવ અને જગત રૂપે પરિણમન; એકમ ૭ : બ્રહ્મવાદ અને શૂન્યવાદનો ભેદ; એકમ ૮ : સંતસંગનો મહિમા. એકમના સમાપન રૂપે આવતાં પદો, ધ્રુવપંક્તિની પેઠે, ‘અખે-ગીતા’ના કેન્દ્રવર્તી વિષય પર આવી ઠરે છે − એ પરબ્રહ્મના સ્વરૂપનું કે એના સાક્ષાત્કારનું ગાન કરે છે અથવા હરિ-ગુરુ-સંતની એકતા પ્રબોધી એમનું શરણ લઈ મહાપદ પ્રાપ્ત કરવાનો બોધ આપે છે. ૪ પદોમાં હિંદી ભાષા પ્રયોજાયેલી છે એ એક નોંધપાત્ર હકીકત છે.
‘અખે-ગીતા’ને અખો સંસારરૂપી મોહ-નિશાને નષ્ટ કરનારા દિનમણિ તરીકે ઓળખાવે છે અને તેનું કર્તૃત્વ નાથ નિરંજન પર આરોપે છે, પોતે છે નિમિત્ત માત્ર - “જેમ વાજું દીસે વાજતું, વજાડે ગુણપાત્ર”, સંસારરૂપી મોહનિશાનું કારણ છે માયા. માયાના અદ્ભુત પ્રપંચનું અખાએ અત્યંત મર્મવેધક ચિત્ર આલેખ્યું છે. માયા છે તો બ્રહ્મતત્ત્વની ચિત્શક્તિનું એક સામર્થ્ય, પણ એનાથી છૂટી પડી એ ૩ ગુણોને જન્મ આપે છે, ને “પછે જનની થઈ જોષિતા”. ૩ ગુણો સાથેના સંયોગથી એ પંચાભૂતાદિ ૨૪ તત્ત્વોને પેદા કરે છે. આ ૨૪ તત્ત્વો અને ૨૫મી પ્રકૃતિ માયાનો પરિવાર છે. પણ માયાના સ્વભાવની આ વિલક્ષણતા છે કે પોતે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો એ ભક્ષ કરે છે. ભ્રમદશામાં પડેલો જીવ આ સમજતો નથી એટલે માયાએ બતાવેલી વિષયભોગની ઇન્દ્રજાલમાં ફસાય છે. કામ-દામ, માતા-પિતા-પત્ની, વર્ણ-વેષ, વિદ્યા - ચાતુરી આ સર્વને માટે મથવું અને પંડિત,  
‘અખે-ગીતા’ને અખો સંસારરૂપી મોહ-નિશાને નષ્ટ કરનારા દિનમણિ તરીકે ઓળખાવે છે અને તેનું કર્તૃત્વ નાથ નિરંજન પર આરોપે છે, પોતે છે નિમિત્ત માત્ર - “જેમ વાજું દીસે વાજતું, વજાડે ગુણપાત્ર”, સંસારરૂપી મોહનિશાનું કારણ છે માયા. માયાના અદ્ભુત પ્રપંચનું અખાએ અત્યંત મર્મવેધક ચિત્ર આલેખ્યું છે. માયા છે તો બ્રહ્મતત્ત્વની ચિત્શક્તિનું એક સામર્થ્ય, પણ એનાથી છૂટી પડી એ ૩ ગુણોને જન્મ આપે છે, ને “પછે જનની થઈ જોષિતા”. ૩ ગુણો સાથેના સંયોગથી એ પંચાભૂતાદિ ૨૪ તત્ત્વોને પેદા કરે છે. આ ૨૪ તત્ત્વો અને ૨૫મી પ્રકૃતિ માયાનો પરિવાર છે. પણ માયાના સ્વભાવની આ વિલક્ષણતા છે કે પોતે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો એ ભક્ષ કરે છે. ભ્રમદશામાં પડેલો જીવ આ સમજતો નથી એટલે માયાએ બતાવેલી વિષયભોગની ઇન્દ્રજાલમાં ફસાય છે. કામ-દામ, માતા-પિતા-પત્ની, વર્ણ-વેષ, વિદ્યા - ચાતુરી આ સર્વને માટે મથવું અને પંડિત, ગુણી, કવિ, દાતા થવું એ પણ, અખાની દૃષ્ટિએ, માયાની જ આરાધના છે.
ગુણી, કવિ, દાતા થવું એ પણ, અખાની દૃષ્ટિએ, માયાની જ આરાધના છે.
માયાએ નિપજાવેલાં ૨૫ તત્ત્વો ઉપરાંતનું ૨૬મું તત્ત્વ - બ્રહ્મતત્ત્વ તો સ્વતંત્ર છે, સર્વ દ્વન્દ્વોથી પર છે અને વાણીથી, ઇન્દ્રિયોથી તેમ બુદ્ધિથી એને પામી શકાતું નથી. “જેમ મૃતકની ગત જાણે મૃતક” તેમ પરબ્રહ્મનો અનુભવી જ એ અનુભવને સમજી શકે. સામસામાં મુકાયેલાં દર્પણોથી રચાતી પ્રતિબિંબોની અનંત સૃષ્ટિનાં અને આકાશમાં ઊપજતાં અને લય પામતાં જાતભાતનાં વાદળોના દૃષ્ટાંતથી અખાજી બ્રહ્મતત્ત્વની નિર્લેપતા, અવિકાર્યતા અને માયા વડે થતી અનંત રૂપમય સંસારની ઉત્પત્તિ સમજાવે છે. પરબ્રહ્મની દૃષ્ટિએ તો આ માયા પણ અજા − ન જન્મેલી છે : એણે નિપજાવેલો સંસાર પણ વંધ્યાસુતની પેઠે અવિદ્યમાન છે.
માયાએ નિપજાવેલાં ૨૫ તત્ત્વો ઉપરાંતનું ૨૬મું તત્ત્વ - બ્રહ્મતત્ત્વ તો સ્વતંત્ર છે, સર્વ દ્વન્દ્વોથી પર છે અને વાણીથી, ઇન્દ્રિયોથી તેમ બુદ્ધિથી એને પામી શકાતું નથી. “જેમ મૃતકની ગત જાણે મૃતક” તેમ પરબ્રહ્મનો અનુભવી જ એ અનુભવને સમજી શકે. સામસામાં મુકાયેલાં દર્પણોથી રચાતી પ્રતિબિંબોની અનંત સૃષ્ટિનાં અને આકાશમાં ઊપજતાં અને લય પામતાં જાતભાતનાં વાદળોના દૃષ્ટાંતથી અખાજી બ્રહ્મતત્ત્વની નિર્લેપતા, અવિકાર્યતા અને માયા વડે થતી અનંત રૂપમય સંસારની ઉત્પત્તિ સમજાવે છે. પરબ્રહ્મની દૃષ્ટિએ તો આ માયા પણ અજા − ન જન્મેલી છે : એણે નિપજાવેલો સંસાર પણ વંધ્યાસુતની પેઠે અવિદ્યમાન છે.
આ બ્રહ્મવાદ શૂન્યવાદથી ક્યાં જુદો પડે છે તથા દર્શનો તેમ જ ઉપદર્શનો પણ બ્રહ્મતત્ત્વને સમજાવવામાં ક્યાં પાછાં પડ્યાં છે તે અખાજી દલીલપૂર્વક બતાવે છે અને એકબીજા સાથે આખડતા તથા ઘણી વાર તો બાહ્ય ચિહ્નો - જેવાં કે જટા રાખવી, મુંડન કરાવવું, માળા પહેરવી વગેરેમાં સમાઈ જતા વિવિધ મતોમાં એ માયાનું જ પોષણ જુએ છે. માયાનો પાશ છૂટે, “પરબ્રહ્મ રહે ને પોતે ખપે” તે માટે એ ૩ સાધન બતાવે છે - વિરહવૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન. વૈરાગ્યની તીવ્રતા અને ભક્તિની આર્દ્રતા-મધુરતા અનુભવતા નરનાં એવાં કાવ્યમય ચિત્રો કવિ આપે છે કે એ, એમના વૈષ્ણવી સંસ્કારોનો સંકેત કરવા ઉપરાંત, એમની પ્રધાનપણે જ્ઞાનમાર્ગી સાધનાપ્રણાલીમાં વૈરાગ્ય અને ભક્તિનું પણ કેવું મહત્ત્વનું સ્થાન છે તે બતાવે છે. ઊધઈથી ખવાયેલું લાકડું જેમ કૃષ્ણાગુરુ થઈ જાય તેમ વિરહવૈરાગ્યથી ખવાયેલો નર હરિરૂપ થઈ જાય છે અને હરિભક્ત “નિત્ય રાસ નારાયણ કેરો” દેખે છે. આમ થતાં,  
આ બ્રહ્મવાદ શૂન્યવાદથી ક્યાં જુદો પડે છે તથા દર્શનો તેમ જ ઉપદર્શનો પણ બ્રહ્મતત્ત્વને સમજાવવામાં ક્યાં પાછાં પડ્યાં છે તે અખાજી દલીલપૂર્વક બતાવે છે અને એકબીજા સાથે આખડતા તથા ઘણી વાર તો બાહ્ય ચિહ્નો - જેવાં કે જટા રાખવી, મુંડન કરાવવું, માળા પહેરવી વગેરેમાં સમાઈ જતા વિવિધ મતોમાં એ માયાનું જ પોષણ જુએ છે. માયાનો પાશ છૂટે, “પરબ્રહ્મ રહે ને પોતે ખપે” તે માટે એ ૩ સાધન બતાવે છે - વિરહવૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન. વૈરાગ્યની તીવ્રતા અને ભક્તિની આર્દ્રતા-મધુરતા અનુભવતા નરનાં એવાં કાવ્યમય ચિત્રો કવિ આપે છે કે એ, એમના વૈષ્ણવી સંસ્કારોનો સંકેત કરવા ઉપરાંત, એમની પ્રધાનપણે જ્ઞાનમાર્ગી સાધનાપ્રણાલીમાં વૈરાગ્ય અને ભક્તિનું પણ કેવું મહત્ત્વનું સ્થાન છે તે બતાવે છે. ઊધઈથી ખવાયેલું લાકડું જેમ કૃષ્ણાગુરુ થઈ જાય તેમ વિરહવૈરાગ્યથી ખવાયેલો નર હરિરૂપ થઈ જાય છે અને હરિભક્ત “નિત્ય રાસ નારાયણ કેરો” દેખે છે. આમ થતાં,  
એનો સંસારભાવ, જીવભાવ સરી જાય છે અને આત્મભાવ પ્રગટે છે. અખા-ભગત માર્મિક રીતે કહે છે કે “ચિત્ત ચમક્યું, હું તું તે ટળ્યું.”
એનો સંસારભાવ, જીવભાવ સરી જાય છે અને આત્મભાવ પ્રગટે છે. અખા-ભગત માર્મિક રીતે કહે છે કે “ચિત્ત ચમક્યું, હું તું તે ટળ્યું.”
આવા જીવન્મુક્ત વિદેહી દશાને પામેલા તત્ત્વદર્શીને ભૌતિક જગતના કોઈ અવરોધ નડતા નથી. અખાજી તો આગળ વધીને એમ પણ કહે છે કે ચશ્માંના કાચથી જેમ આંખની દૃષ્ટિ રૂંધાતી નથી પણ એનું તેજ વધે છે તેમ સંસારવ્યવહાર તત્ત્વદર્શીને બાધક નીવડવાને બદલે એની તત્ત્વદૃષ્ટિને સતેજ કરે છે. આવા તત્ત્વદર્શી સંતના પરોપકારપરાયણ સ્વભાવ અને એમની સંગતિના પ્રભાવનું અખાએ ભાવાર્દ્રતાથી ગાન કર્યું છે, કેમ કે, અખાની દૃષ્ટિએ, જેમ જીભ વિના સ્વાદ ન હોય, બહેરાને નાદસુખ ન હોય તેમ ગુરુ વિના હરિદર્શન ન થાય અને ગુરુ તો તત્ત્વદર્શી સંત જ હોય. બીજી બાજુથી, સગુણ સંત તે નિર્ગુણ બ્રહ્મની જ પ્રત્યક્ષ મૂર્તિ. આમ અખાના તત્ત્વવિચારમાં હરિ-ગુરુ-સંતનું એકત્વ રચાય છે.
આવા જીવન્મુક્ત વિદેહી દશાને પામેલા તત્ત્વદર્શીને ભૌતિક જગતના કોઈ અવરોધ નડતા નથી. અખાજી તો આગળ વધીને એમ પણ કહે છે કે ચશ્માંના કાચથી જેમ આંખની દૃષ્ટિ રૂંધાતી નથી પણ એનું તેજ વધે છે તેમ સંસારવ્યવહાર તત્ત્વદર્શીને બાધક નીવડવાને બદલે એની તત્ત્વદૃષ્ટિને સતેજ કરે છે. આવા તત્ત્વદર્શી સંતના પરોપકારપરાયણ સ્વભાવ અને એમની સંગતિના પ્રભાવનું અખાએ ભાવાર્દ્રતાથી ગાન કર્યું છે, કેમ કે, અખાની દૃષ્ટિએ, જેમ જીભ વિના સ્વાદ ન હોય, બહેરાને નાદસુખ ન હોય તેમ ગુરુ વિના હરિદર્શન ન થાય અને ગુરુ તો તત્ત્વદર્શી સંત જ હોય. બીજી બાજુથી, સગુણ સંત તે નિર્ગુણ બ્રહ્મની જ પ્રત્યક્ષ મૂર્તિ. આમ અખાના તત્ત્વવિચારમાં હરિ-ગુરુ-સંતનું એકત્વ રચાય છે.
ત્રિગુણાતીત પરબ્રહ્મ માટેના ‘ત્રિગુણપતિ’ શબ્દમાં ગણપતિનો સમાવેશ કરી લેતું વિશિષ્ટ મંગલાચરણ યોજતી ‘અખે-ગીતા’માં વેદાંતી તત્ત્વવિચાર આત્મસાત્ થઈને રજૂ થયો છે. એમાં શાસ્ત્રીય કઠિનતા નહીંવત્ છે અને અખાની વાણી વીગતભર્યાં ચિત્રો સર્જતી, દૃષ્ટાંતોનું પૂર વહાવતી,અનેક વાક્છટાઓ પ્રયોજતી, માર્મિક શબ્દપ્રયોગો વણી લેતી અને પ્રસંગે ભાવવિભોર થતી, નિરંતરાય ગતિ કરે છે. કેટલાંક વિચારવલણો, ઉદ્ગારો અને દૃષ્ટાંતો પરત્વે અખાના પુરોગામી નરહરિની ‘જ્ઞાન-ગીતા’ ← અને ‘વસિષ્ઠસાર-ગીતા’ની છાયા ‘અખે-ગીતા’માં જોવી મુશ્કેલ નથી, તેમ છતાં, ઉમાશંકર જોશી કહે છે તેમ, “કોઈ ગુજરાતી કૃતિ અનુભવની ઉત્કટતા અને સ્પષ્ટતા - અને એને લીધે પ્રતીત થતી મૌલિકતા - વડે મંડિત હોઈ ભગવદ્ગીતાના કુળની એક સ્વતંત્ર ગીતા-રચના તરીકે સ્વીકારવાને પાત્ર હોય તો તે નિ:સંશય ‘અખે-ગીતા’ છે... ‘અખે-ગીતા’ એ ગુજરાતી તત્ત્વકવિતાનું એક ઉચ્ચ શિખર છે.” [જ.કો.]
ત્રિગુણાતીત પરબ્રહ્મ માટેના ‘ત્રિગુણપતિ’ શબ્દમાં ગણપતિનો સમાવેશ કરી લેતું વિશિષ્ટ મંગલાચરણ યોજતી ‘અખે-ગીતા’માં વેદાંતી તત્ત્વવિચાર આત્મસાત્ થઈને રજૂ થયો છે. એમાં શાસ્ત્રીય કઠિનતા નહીંવત્ છે અને અખાની વાણી વીગતભર્યાં ચિત્રો સર્જતી, દૃષ્ટાંતોનું પૂર વહાવતી,અનેક વાક્છટાઓ પ્રયોજતી, માર્મિક શબ્દપ્રયોગો વણી લેતી અને પ્રસંગે ભાવવિભોર થતી, નિરંતરાય ગતિ કરે છે. કેટલાંક વિચારવલણો, ઉદ્ગારો અને દૃષ્ટાંતો પરત્વે અખાના પુરોગામી નરહરિની ‘જ્ઞાન-ગીતા’ ← અને ‘વસિષ્ઠસાર-ગીતા’ની છાયા ‘અખે-ગીતા’માં જોવી મુશ્કેલ નથી, તેમ છતાં, ઉમાશંકર જોશી કહે છે તેમ, “કોઈ ગુજરાતી કૃતિ અનુભવની ઉત્કટતા અને સ્પષ્ટતા - અને એને લીધે પ્રતીત થતી મૌલિકતા - વડે મંડિત હોઈ ભગવદ્ગીતાના કુળની એક સ્વતંત્ર ગીતા-રચના તરીકે સ્વીકારવાને પાત્ર હોય તો તે નિ:સંશય ‘અખે-ગીતા’ છે... ‘અખે-ગીતા’ એ ગુજરાતી તત્ત્વકવિતાનું એક ઉચ્ચ શિખર છે.” {{Right|[જ.કો.]}}


અખેરાજ [ઈ.૧૭૯૨ સુધીમાં] : જૈન. માનતુંગસૂરિની મૂળ સંસ્કૃત રચના ‘ભક્તામરસ્તવન-વૃત્તિ’ પરના ૭૨૬ ગ્રંથાગ્રના બાલાવબોધકવિત(લે. ઈ.૧૭૯૨)ના કર્તા.
'''અખેરાજ''' [ઈ.૧૭૯૨ સુધીમાં] : જૈન. માનતુંગસૂરિની મૂળ સંસ્કૃત રચના ‘ભક્તામરસ્તવન-વૃત્તિ’ પરના ૭૨૬ ગ્રંથાગ્રના બાલાવબોધકવિત(લે. ઈ.૧૭૯૨)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
અખેરામ [ઈ.૧૭૯૪માં હયાત] : ૧૦૦ કડીની ‘કલિયુગની ચોપાઈ’- (ર. ઈ.૧૭૯૪)ના કર્તા.
અખેરામ [ઈ.૧૭૯૪માં હયાત] : ૧૦૦ કડીની ‘કલિયુગની ચોપાઈ’- (ર. ઈ.૧૭૯૪)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}


અખૈયો : જુઓ અખઈદાસ.
'''અખૈયો :''' જુઓ અખઈદાસ.
   
   
અગરચંદ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હરખચંદના શિષ્ય સરૂપચંદના શિષ્ય. ‘રામદેવજીરો સલોકો’ (ર.ઈ. ૧૭૫૪) હિન્દી-રાજસ્થાનીમિશ્ર ભાષામાં ૧૦ ઢાલની ‘બ્રહ્મચર્યની નવ વાડ’ (ર. ઈ.૧૭૬૩/સં. ૧૮૧૯, ભાદરવા સુદ ૧૦; મુ.) અને ૨૩ કડીની ‘જંબુદ્વીપવર્ણનગર્ભિતસીમંધરજિન-સ્તવન’ (ર. ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, પોષ વદ ૨, બુધવાર; મુ.) એ કૃતિઓના  
'''અગરચંદ''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હરખચંદના શિષ્ય સરૂપચંદના શિષ્ય. ‘રામદેવજીરો સલોકો’ (ર.ઈ. ૧૭૫૪) હિન્દી-રાજસ્થાનીમિશ્ર ભાષામાં ૧૦ ઢાલની ‘બ્રહ્મચર્યની નવ વાડ’ (ર. ઈ.૧૭૬૩/સં. ૧૮૧૯, ભાદરવા સુદ ૧૦; મુ.) અને ૨૩ કડીની ‘જંબુદ્વીપવર્ણનગર્ભિતસીમંધરજિન-સ્તવન’ (ર. ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, પોષ વદ ૨, બુધવાર; મુ.) એ કૃતિઓના  
કર્તા.
કર્તા.
કૃતિ : ૧ . જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. પ્રવિસ્તસંગ્રહ. [કી.જો., શ્ર.ત્રિ.]
કૃતિ : ૧ . જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. પ્રવિસ્તસંગ્રહ. {{Right|[કી.જો., શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : પ્રાકારૂપરંપરા.
સંદર્ભ : પ્રાકારૂપરંપરા.
   
   
અચલ [ ] : ૧૦ કડીના ‘ગણપતિ પહાડગતિછંદ’ના કર્તા.  
'''અચલ''' [ ] : ૧૦ કડીના ‘ગણપતિ પહાડગતિછંદ’ના કર્તા.  
સંદર્ભ : ડિકૅટલૉગભાઇ : ૧૯(૧). [કી.જો.]
સંદર્ભ : ડિકૅટલૉગભાઇ : ૧૯(૧). {{Right|[કી.જો.]}}


અચલકીર્તિ[ઈ.૧૮૧૫ સુધીમાં] : જૈન સાધુ. ‘વિષાપહાર-સ્તોત્ર’ (લે. ઈ.૧૮૧૫)ના કર્તા.
અચલકીર્તિ[ઈ.૧૮૧૫ સુધીમાં] : જૈન સાધુ. ‘વિષાપહાર-સ્તોત્ર’ (લે. ઈ.૧૮૧૫)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચી : ૧.
સંદર્ભ : રાહસૂચી : ૧.
અચિંત્યાનંદ : જુઓ કૃષ્ણાનંદ. [શ્ર. ત્રિ.]
'''અચિંત્યાનંદ''' : જુઓ કૃષ્ણાનંદ. {{Right|[શ્ર. ત્રિ.]}}
   
   
અજબકુંવરબાઈ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીકવિ. ઈ. ૧૬૭૦ પછી ઔરંગઝેબના વ્રજ પર થયેલા આક્રમણને લીધે શ્રીનાથજી મેવાડ પધાર્યા તે પ્રસંગને અનુરૂપ કેટલાંક કાવ્યોનું સર્જન કરનારા કવિઓમાં તેઓ પણ એક હતાં.
'''અજબકુંવરબાઈ''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીકવિ. ઈ. ૧૬૭૦ પછી ઔરંગઝેબના વ્રજ પર થયેલા આક્રમણને લીધે શ્રીનાથજી મેવાડ પધાર્યા તે પ્રસંગને અનુરૂપ કેટલાંક કાવ્યોનું સર્જન કરનારા કવિઓમાં તેઓ પણ એક હતાં.
સંદર્ભ: પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ: પુગુસાહિત્યકારો. {{Right|[શ્ર.ત્રિ.]}}


અજરામર [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : પદકવિ. મિયાગામ પાસેના કારવણના વતની. જ્ઞાતિએ રજપૂત. તે ઈ.૧૮૪૪માં કે ઈ.૧૮૬૦ આસપાસ હયાત હોવાનું જણાવાયું છે અને તે કલગી-તોરાવાળાના કુળના મનાયા છે. તેમના ૨૨ કડીના ‘મહાદેવજીનો છંદ/શંકર અને ભીલડીનું પદ’ (લે. ઈ.૧૭૯૦ પછીના અરસામાં; મુ.)માં ભીલડી વેશે પાર્વતીએ કરેલા મહાદેવના સમાધિભંગનું અને મહાદેવે કરેલા કામદહનનું વૃત્તાંત પ્રસાદિક શૈલીમાં નિરૂપાયું છે.
'''અજરામર''' [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : પદકવિ. મિયાગામ પાસેના કારવણના વતની. જ્ઞાતિએ રજપૂત. તે ઈ.૧૮૪૪માં કે ઈ.૧૮૬૦ આસપાસ હયાત હોવાનું જણાવાયું છે અને તે કલગી-તોરાવાળાના કુળના મનાયા છે. તેમના ૨૨ કડીના ‘મહાદેવજીનો છંદ/શંકર અને ભીલડીનું પદ’ (લે. ઈ.૧૭૯૦ પછીના અરસામાં; મુ.)માં ભીલડી વેશે પાર્વતીએ કરેલા મહાદેવના સમાધિભંગનું અને મહાદેવે કરેલા કામદહનનું વૃત્તાંત પ્રસાદિક શૈલીમાં નિરૂપાયું છે.
કૃતિ : બૃકાદોહન : ૭ (+સં).
કૃતિ : બૃકાદોહન : ૭ (+સં).
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ચ. શે.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[ચ. શે.]}}
‘અજામિલાખ્યાન’ [૨. ઈ.૧૮૦૭/સં. ૧૮૬૩, ભાદરવા સુદ ૧૫, બુધવાર] : કાન્યકુબ્જનો મહાપાપી બ્રાહ્મણ અજામિલ અંતકાળે પોતાના પુત્ર નારાયણનું નામસ્મરણ કરીને અને એ રીતે ભગવતસ્મરણ થતાં ઈશ્વરકૃપાના ફળ રૂપે સ્વર્ગ પામ્યાનું કહેવાય છે. શ્રીમદ્ભાગવતમાંની આ આખ્યાયિકાનો આધાર લઈને દયારામે રામગ્રી, મેવાડો, દેશાખ, સિન્ધુ, ભીલડી, સોરઠો અને માલકૌંસ જેવા રાગો અને દેશીબંધોમાં ૯ કડવાંનું ‘અજામિલાખ્યાન’ (મુ.)રચ્યું છે. કથાનિરૂપણમાં રસદૃષ્ટિનો આશ્રય નહીંવત્ લેવાયો છે, પરંતુ ભાગવત ઉપરાંત ગીતા, પદ્મપુરાણ, પાંડવગીતા, વિષ્ણુપુરાણ વગેરેનાં સૂત્રોને ઉદ્ધૃત કરીને અપાયેલો વિસ્તૃત ભક્તિબોધ ધ્યાન ખેંચે એવો છે. [સુ. દ.]
'''‘અજામિલાખ્યાન’''' [૨. ઈ.૧૮૦૭/સં. ૧૮૬૩, ભાદરવા સુદ ૧૫, બુધવાર] : કાન્યકુબ્જનો મહાપાપી બ્રાહ્મણ અજામિલ અંતકાળે પોતાના પુત્ર નારાયણનું નામસ્મરણ કરીને અને એ રીતે ભગવતસ્મરણ થતાં ઈશ્વરકૃપાના ફળ રૂપે સ્વર્ગ પામ્યાનું કહેવાય છે. શ્રીમદ્ભાગવતમાંની આ આખ્યાયિકાનો આધાર લઈને દયારામે રામગ્રી, મેવાડો, દેશાખ, સિન્ધુ, ભીલડી, સોરઠો અને માલકૌંસ જેવા રાગો અને દેશીબંધોમાં ૯ કડવાંનું ‘અજામિલાખ્યાન’ (મુ.)રચ્યું છે. કથાનિરૂપણમાં રસદૃષ્ટિનો આશ્રય નહીંવત્ લેવાયો છે, પરંતુ ભાગવત ઉપરાંત ગીતા, પદ્મપુરાણ, પાંડવગીતા, વિષ્ણુપુરાણ વગેરેનાં સૂત્રોને ઉદ્ધૃત કરીને અપાયેલો વિસ્તૃત ભક્તિબોધ ધ્યાન ખેંચે એવો છે. {{Right|[સુ. દ.]}}
   
   
અજિતચંદ[ઈ.૧૬૮૦માં હયાત] : તપ-ઉપકેશગચ્છના જૈન સાધુ. અમીચંદના શિષ્ય. ‘ચંદનમલયાગિરિ-રાસ’ (૨. ઈ.૧૬૮૦/સં. ૧૭૩૬, આસો સુદ ૧૦)ના કર્તા. કવિએ આ વિષય પર ૨ વખત કાવ્યરચના કર્યાનો પણ ઉલ્લેખ મળે છે.
'''અજિતચંદ'''[ઈ.૧૬૮૦માં હયાત] : તપ-ઉપકેશગચ્છના જૈન સાધુ. અમીચંદના શિષ્ય. ‘ચંદનમલયાગિરિ-રાસ’ (૨. ઈ.૧૬૮૦/સં. ૧૭૩૬, આસો સુદ ૧૦)ના કર્તા. કવિએ આ વિષય પર ૨ વખત કાવ્યરચના કર્યાનો પણ ઉલ્લેખ મળે છે.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨. [શ્ર. ત્રિ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨. {{Right|[શ્ર. ત્રિ.]}}
   
   
અજિતદેવસૂરિ[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ચંદ્રગચ્છ-પલ્લીવાલગચ્છના જૈન સાધુ. મહેશ્વરસૂરિના પટ્ટધર. ‘સમકિતશીલસંવાદરાસ’ (૨. ઈ.૧૫૫૪), ‘ચંદનબાલા-વેલી’ અને ૧૬૮ કડીના ‘સુંદરરાજ-રાસ’ (૨.ઈ.૧૫૫૩/સં. ૧૬૦૯? - “નિધિઅંબરમિતવાસસંગાર”)ના કર્તા. રાજસ્થાની ભાષામાં ૧૨ કડીનું ‘શીલ-ગીત’ મળે છે. ‘સમકિતશીલસંવાદ-રાસ’ એ ‘શીલ-ગીત’નું જ વિસ્તૃત રૂપ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ કવિની ‘કલ્પસૂત્ર-દીપિકા’ (૨. ઈ.૧૫૬૬), ‘પિંડવિશુદ્ધિ-દીપિકા’ (ર.ઈ.૧૫૭૧), ‘ઉત્તરાધ્યયન-ટીકા’ (ર.ઈ.૧૫૭૩),‘આચારાંગ-દીપિકા’ તથા ‘આરાધના’ એ સંસ્કૃત કૃતિઓ પણ મળે છે.  
'''અજિતદેવસૂરિ'''[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ચંદ્રગચ્છ-પલ્લીવાલગચ્છના જૈન સાધુ. મહેશ્વરસૂરિના પટ્ટધર. ‘સમકિતશીલસંવાદરાસ’ (૨. ઈ.૧૫૫૪), ‘ચંદનબાલા-વેલી’ અને ૧૬૮ કડીના ‘સુંદરરાજ-રાસ’ (૨.ઈ.૧૫૫૩/સં. ૧૬૦૯? - “નિધિઅંબરમિતવાસસંગાર”)ના કર્તા. રાજસ્થાની ભાષામાં ૧૨ કડીનું ‘શીલ-ગીત’ મળે છે. ‘સમકિતશીલસંવાદ-રાસ’ એ ‘શીલ-ગીત’નું જ વિસ્તૃત રૂપ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ કવિની ‘કલ્પસૂત્ર-દીપિકા’ (૨. ઈ.૧૫૬૬), ‘પિંડવિશુદ્ધિ-દીપિકા’ (ર.ઈ.૧૫૭૧), ‘ઉત્તરાધ્યયન-ટીકા’ (ર.ઈ.૧૫૭૩),‘આચારાંગ-દીપિકા’ તથા ‘આરાધના’ એ સંસ્કૃત કૃતિઓ પણ મળે છે.  
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [શ્ર. ત્રિ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર. ત્રિ.]}}
   
   
અજિતપ્રભ[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ચારિત્રસાગરના શિષ્ય. વિજયપ્રભસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૫૪ - ઈ.૧૬૯૩)માં રચાયેલ ૯ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.) તથા ૭ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.
'''અજિતપ્રભ'''[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ચારિત્રસાગરના શિષ્ય. વિજયપ્રભસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૫૪ - ઈ.૧૬૯૩)માં રચાયેલ ૯ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.) તથા ૭ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાલા : ૧ (+સં.) [શ્ર. ત્રિ.]
કૃતિ : ઐસમાલા : ૧ (+સં.) {{Right|[શ્ર. ત્રિ.]}}
   
   
અજિતસાગર[   ] જૈન સાધુ. ‘નેમિનાથ-ગીત’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''અજિતસાગર'''[     ] જૈન સાધુ. ‘નેમિનાથ-ગીત’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચી : ૨. [શ્ર. ત્રિ.]
સંદર્ભ : રાહસૂચી : ૨. {{Right|[શ્ર. ત્રિ.]}}
‘અડવા વાણિયાનો વેશ’ : જુઓ ‘ઝંદા-ઝૂલણનો વેશ’.
‘અડવા વાણિયાનો વેશ’ : જુઓ ‘ઝંદા-ઝૂલણનો વેશ’.
   
   
અત્તરશાહ[   ] : યોગમાર્ગી મુસ્લિમ કવિ. સૂરજગરશિષ્ય. એમનાં મુદ્રિત ૨ ભજનોમાંથી ૧માં શરીરનું જંતરી તરીકે રૂપકાત્મક વર્ણન કર્યું છે અને યોગની પરિભાષામાં અલખનો અનુભવ આલેખ્યો છે.  
'''અત્તરશાહ'''[     ] : યોગમાર્ગી મુસ્લિમ કવિ. સૂરજગરશિષ્ય. એમનાં મુદ્રિત ૨ ભજનોમાંથી ૧માં શરીરનું જંતરી તરીકે રૂપકાત્મક વર્ણન કર્યું છે અને યોગની પરિભાષામાં અલખનો અનુભવ આલેખ્યો છે.  
કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય. સં. ૨૦૦૨ (ત્રીજી આ.). [ર.ર.દ.]
કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય. સં. ૨૦૦૨ (ત્રીજી આ.). {{Right|[ર.ર.દ.]}}
   
   
અદેસંગ[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહારાજના સમકાલીન અને અનુયાયી. જ્ઞાનજિજ્ઞાસા અને ગુરુભક્તિવિષયક ૨ પદો(મુ.)ના કર્તા.  
'''અદેસંગ'''[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહારાજના સમકાલીન અને અનુયાયી. જ્ઞાનજિજ્ઞાસા અને ગુરુભક્તિવિષયક ૨ પદો(મુ.)ના કર્તા.  
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિ સ્થાન, સં. ૧૯૯૩, સં. ૨૦૩૩ (ચોથી આ.)
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિ સ્થાન, સં. ૧૯૯૩, સં. ૨૦૩૩ (ચોથી આ.)
સંદર્ભ : પ્રાકકૃતિઓ. [ર.સો.]
સંદર્ભ : પ્રાકકૃતિઓ. {{Right|[ર.સો.]}}
   
   
અદ્ભુતાનંદ[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ - અવ. ઈ.૧૮૭૩] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. ઝાલાવાડમાં કડવા પાટીદાર દશલાણિયા કુટુંબમાં જન્મ. મૂળ નામ કલ્યાણદાસ. પિતા સંધા પટેલ. માતા દેવુબાઈ.ઈ.૧૮૦૫માં સહજાનંદ સ્વામીને મળ્યા પછી, લગ્ન બાદ તુરત જ પોતાના મામા અજા પટેલ (પૂર્ણાનંદ) સાથે સહજાનંદ સ્વામી પાસે જ દીક્ષા. એમણે કહેલી ૨૨૩ વાતો (મુ.)માં સહજાનંદના જીવનપ્રસંગોનું અને એમની ચમત્કારપૂર્ણ લીલાઓનું આલેખન છે. અદ્ભુતાનંદને નામે ‘લીલા-ચરિત્ર’ નામની કૃતિનો ઉલ્લેખ મળે છે, જે ઉપર્યુક્ત કૃતિ જ હોવાની સંભાવના છે.  
'''અદ્ભુતાનંદ'''[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ - અવ. ઈ.૧૮૭૩] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. ઝાલાવાડમાં કડવા પાટીદાર દશલાણિયા કુટુંબમાં જન્મ. મૂળ નામ કલ્યાણદાસ. પિતા સંધા પટેલ. માતા દેવુબાઈ.ઈ.૧૮૦૫માં સહજાનંદ સ્વામીને મળ્યા પછી, લગ્ન બાદ તુરત જ પોતાના મામા અજા પટેલ (પૂર્ણાનંદ) સાથે સહજાનંદ સ્વામી પાસે જ દીક્ષા. એમણે કહેલી ૨૨૩ વાતો (મુ.)માં સહજાનંદના જીવનપ્રસંગોનું અને એમની ચમત્કારપૂર્ણ લીલાઓનું આલેખન છે. અદ્ભુતાનંદને નામે ‘લીલા-ચરિત્ર’ નામની કૃતિનો ઉલ્લેખ મળે છે, જે ઉપર્યુક્ત કૃતિ જ હોવાની સંભાવના છે.  
કૃતિ : શ્રીહરિની અદ્ભુત વાતો (+સં.) સં. શાસ્ત્રી હરજીવનદાસ, ઈ.૧૯૭૩
કૃતિ : શ્રીહરિની અદ્ભુત વાતો (+સં.) સં. શાસ્ત્રી હરજીવનદાસ, ઈ.૧૯૭૩
સંદર્ભ : સદ્વિદ્યા, જાન્યુ. ૧૯૫૪ - ‘સત્સંગના સંતો’, રમણલાલ અં. ભટ્ટ. [હ.ત્રિ.]
સંદર્ભ : સદ્વિદ્યા, જાન્યુ. ૧૯૫૪ - ‘સત્સંગના સંતો’, રમણલાલ અં. ભટ્ટ. {{Right|[હ.ત્રિ.]}}
   
   
અનંતકીર્તિ[ઈ.૧૬૦૭માં હયાત] : દિગંબર-મૂલસંઘના જૈન સાધુ. ‘ભવિષ્યદત્ત-ચોપાઈ’ (૨. ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, કારતક સુદ ૧૪)ના કર્તા.
'''અનંતકીર્તિ'''[ઈ.૧૬૦૭માં હયાત] : દિગંબર-મૂલસંઘના જૈન સાધુ. ‘ભવિષ્યદત્ત-ચોપાઈ’ (૨. ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, કારતક સુદ ૧૪)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧) [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧) {{Right|[શ્ર.ત્રિ.]}}
   
   
અનંતસાગર[   ] : જૈન. ૧૧ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.  
'''અનંતસાગર'''[   ] : જૈન. ૧૧ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.  
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}


અનંતસુત : જુઓ ‘બાર માસ.’
'''અનંતસુત :''' જુઓ ‘બાર માસ.’
   
   
અનંતહંસ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૬મી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં જિનમાણિક્યગણિના શિષ્ય. ઈ.૧૪૭૭માં વાચક-પદ. એમની ઈડર સંબંધી ૪૬ કડીની ‘ઇલાપ્રાકારચૈત્યપરિપાટી’ (૨. ઈ.૧૫૧૪ લગભગ; *મુ.), ‘બારવ્રત-સઝાય’ અને ૩૪ કડીની ‘શત્રુંજયચૈત્યપરિપાટી’ એ કૃતિઓ મળે છે. તેમણે સંસ્કૃતમાં ‘દશદૃષ્ટાંત-ચરિત્ર (૨. ઈ.૧૫૧૫) અને અપભ્રંશમાં ‘અષ્ટાહ્નિકા-ચરિત્ર’ રચેલાં છે.
'''અનંતહંસ''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૬મી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં જિનમાણિક્યગણિના શિષ્ય. ઈ.૧૪૭૭માં વાચક-પદ. એમની ઈડર સંબંધી ૪૬ કડીની ‘ઇલાપ્રાકારચૈત્યપરિપાટી’ (૨. ઈ.૧૫૧૪ લગભગ; *મુ.), ‘બારવ્રત-સઝાય’ અને ૩૪ કડીની ‘શત્રુંજયચૈત્યપરિપાટી’ એ કૃતિઓ મળે છે. તેમણે સંસ્કૃતમાં ‘દશદૃષ્ટાંત-ચરિત્ર (૨. ઈ.૧૫૧૫) અને અપભ્રંશમાં ‘અષ્ટાહ્નિકા-ચરિત્ર’ રચેલાં છે.
કૃતિ : *જૈન કૉન્ફરન્સ હેરેલ્ડ, જાન્યુ. ૧૯૧૯.
કૃતિ : *જૈન કૉન્ફરન્સ હેરેલ્ડ, જાન્યુ. ૧૯૧૯.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩ (૧, ૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩ (૧, ૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
   
   
અનંતહંસશિષ્ય : આ નામે ૧૧ કડીની ‘પ્રતિલેખના-કુલક’ (લે. ઈ.૧૫૪૬), ‘એકાદશગણધર-સ્તવન’ (લે.ઈ.૧૬૮૪) અને ૨૪ કડીની ‘મહાવીર-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ બધી કૃતિઓના કર્તા ઈ.૧૫૧૪માં થયેલા તપગચ્છના જૈન સાધુ અનંતહંસના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૬મી સદીનો ગણી શકાય.  
'''અનંતહંસશિષ્ય :''' આ નામે ૧૧ કડીની ‘પ્રતિલેખના-કુલક’ (લે. ઈ.૧૫૪૬), ‘એકાદશગણધર-સ્તવન’ (લે.ઈ.૧૬૮૪) અને ૨૪ કડીની ‘મહાવીર-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ બધી કૃતિઓના કર્તા ઈ.૧૫૧૪માં થયેલા તપગચ્છના જૈન સાધુ અનંતહંસના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૬મી સદીનો ગણી શકાય.  
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}
   
   
‘અનુભવબિંદુ’ : આ નામે જાણીતી થયેલી ૪૦ છપ્પાની અખાની રચના હસ્તપ્રતોમાં ‘છપ્પા’ તરીકે જ ઓળખાવાયેલી છે, પણ મહાઅનુભવ-પરબ્રહ્મના અનુભવના લગભગ એક જ તાર પર ચાલતી હોવાથી આ પ્રચલિત નામ પામી જણાય છે. ૪ ચરણ રોળાનાં (માત્ર પહેલા છપ્પામાં દુહાનાં) અને ૨ ચરણ ઉલ્લાલાનાં - એ જાતની છપ્પાની રૂઢ આકૃતિને આ છપ્પાઓ અનુસરે છે અને રોળાનાં ૪ ચરણમાં સામાન્ય રીતે આંતરપ્રાસને યોજે છે. “નિર્ગુણ ગુણપતિ” પરબ્રહ્મની સ્તુતિમાં ગણપતિનો નામનિર્દેશ કરી લેતું આ કૃતિનું મંગલાચરણ ‘અખે-ગીતા’ની જેમ અનોખું છે. કૃતિનો મુખ્ય વિષય છે પરબ્રહ્મસ્વરૂપવર્ણન. પંચમહાભૂતો, ૩ ગુણો, પુણ્યપાપ વગેરે સર્વ ભેદોથી પર પરબ્રહ્મને અખાજી ‘મહાશૂન્ય’ કહી આકાશ સાથે તેમ સૃષ્ટિથી અલગ અને નિરાલંબ રહેતા આકાશમાંના ચંદ્ર સાથે સરખાવે છે. પરબ્રહ્મના અનુભવને પારસના જેવો અક્ષય્ય અને અનળપંખીના જેવો અનન્ય દર્શાવે છે તેમ જ એ અનુભવદશાની રમણીયતા દર્શાવવા શરદઋતુનું કાવ્યમય વર્ણન યોજે છે. પરબ્રહ્મ અને જીવની ભિન્નતાનું મિથ્યાત્વ દર્શાવવા એ એક નવીન દૃષ્ટાંત આપે છે : સાગરનું પાણી પૃથ્વી પર વરસીને નદી નામ ધારણ કરે છે અને અંતે સાગરમાં ભળે છે તેમ જીવ એ મધ્યદશા છે, આદિમાં ને અંતે પરબ્રહ્મ જ છે. પરબ્રહ્મ માયાના કારણે જગતતત્ત્વ રૂપે ભાસે છે પણ તત્ત્વત: તે એક છે તે સમજાવવા કામમંદિર, નારીકુંજર અને પ્રૌઢ પર્વતનાં વિશિષ્ટ દૃષ્ટાંતચિત્રો યોજાયાં છે. ષડ્દર્શનજ્ઞાન, દાનવીરપણું, કીર્તિ, ત્રિકાલવેત્તાપણું વગેરે સિદ્ધિઓ દ્વારા માયા માણસોને મર્કટ બનાવે છે એમ કહી આખા-ભગત એ બધાની તેમ જ ગાનતાન, વર્ણાશ્રમધર્મ, યોગ, દેવપૂજા, કાયાકલેશ આદિની સાધનાને છાશ પીને પેટ ભરવા જેવી તુચ્છ અને બકરીના દુઝાણા, બોરના વેપાર, ધાણીના આહાર તથા ઝાકળની વૃષ્ટિ જેવી નિરર્થક ગણાવે છે. આધ્યાત્મજ્ઞાન એટલે કે લિંગભંગ એ પરબ્રહ્માપ્રાપ્તિનું આવશ્યક સાધન છે અને એ માટે સદ્ગુરુનું શરણ લેવાનું તેમ જ પોતે પોતાના ગુરુ થવાનું સૂચવે છે. થોડી કૂટ લાગતી આ કૃતિ અનુભવના સંક્ષિપ્ત સઘન ઉદ્ગાર, વિષયની ઊર્જિતતાને પ્રગટ કરતાં પ્રૌઢિયુક્ત દૃષ્ટાંતચિત્રો તેમ જ કેટલીક અસરકારક વાક્છટાઓને લીધે “ચિંતનરસનું ઘૂંટેલું એક મૌક્તિકબિંદુ” (ઉમાશંકર જોશી) બની રહે છે. [જ.કો.]
'''‘અનુભવબિંદુ’ :''' આ નામે જાણીતી થયેલી ૪૦ છપ્પાની અખાની રચના હસ્તપ્રતોમાં ‘છપ્પા’ તરીકે જ ઓળખાવાયેલી છે, પણ મહાઅનુભવ-પરબ્રહ્મના અનુભવના લગભગ એક જ તાર પર ચાલતી હોવાથી આ પ્રચલિત નામ પામી જણાય છે. ૪ ચરણ રોળાનાં (માત્ર પહેલા છપ્પામાં દુહાનાં) અને ૨ ચરણ ઉલ્લાલાનાં - એ જાતની છપ્પાની રૂઢ આકૃતિને આ છપ્પાઓ અનુસરે છે અને રોળાનાં ૪ ચરણમાં સામાન્ય રીતે આંતરપ્રાસને યોજે છે. “નિર્ગુણ ગુણપતિ” પરબ્રહ્મની સ્તુતિમાં ગણપતિનો નામનિર્દેશ કરી લેતું આ કૃતિનું મંગલાચરણ ‘અખે-ગીતા’ની જેમ અનોખું છે. કૃતિનો મુખ્ય વિષય છે પરબ્રહ્મસ્વરૂપવર્ણન. પંચમહાભૂતો, ૩ ગુણો, પુણ્યપાપ વગેરે સર્વ ભેદોથી પર પરબ્રહ્મને અખાજી ‘મહાશૂન્ય’ કહી આકાશ સાથે તેમ સૃષ્ટિથી અલગ અને નિરાલંબ રહેતા આકાશમાંના ચંદ્ર સાથે સરખાવે છે. પરબ્રહ્મના અનુભવને પારસના જેવો અક્ષય્ય અને અનળપંખીના જેવો અનન્ય દર્શાવે છે તેમ જ એ અનુભવદશાની રમણીયતા દર્શાવવા શરદઋતુનું કાવ્યમય વર્ણન યોજે છે. પરબ્રહ્મ અને જીવની ભિન્નતાનું મિથ્યાત્વ દર્શાવવા એ એક નવીન દૃષ્ટાંત આપે છે : સાગરનું પાણી પૃથ્વી પર વરસીને નદી નામ ધારણ કરે છે અને અંતે સાગરમાં ભળે છે તેમ જીવ એ મધ્યદશા છે, આદિમાં ને અંતે પરબ્રહ્મ જ છે. પરબ્રહ્મ માયાના કારણે જગતતત્ત્વ રૂપે ભાસે છે પણ તત્ત્વત: તે એક છે તે સમજાવવા કામમંદિર, નારીકુંજર અને પ્રૌઢ પર્વતનાં વિશિષ્ટ દૃષ્ટાંતચિત્રો યોજાયાં છે. ષડ્દર્શનજ્ઞાન, દાનવીરપણું, કીર્તિ, ત્રિકાલવેત્તાપણું વગેરે સિદ્ધિઓ દ્વારા માયા માણસોને મર્કટ બનાવે છે એમ કહી આખા-ભગત એ બધાની તેમ જ ગાનતાન, વર્ણાશ્રમધર્મ, યોગ, દેવપૂજા, કાયાકલેશ આદિની સાધનાને છાશ પીને પેટ ભરવા જેવી તુચ્છ અને બકરીના દુઝાણા, બોરના વેપાર, ધાણીના આહાર તથા ઝાકળની વૃષ્ટિ જેવી નિરર્થક ગણાવે છે. આધ્યાત્મજ્ઞાન એટલે કે લિંગભંગ એ પરબ્રહ્માપ્રાપ્તિનું આવશ્યક સાધન છે અને એ માટે સદ્ગુરુનું શરણ લેવાનું તેમ જ પોતે પોતાના ગુરુ થવાનું સૂચવે છે. થોડી કૂટ લાગતી આ કૃતિ અનુભવના સંક્ષિપ્ત સઘન ઉદ્ગાર, વિષયની ઊર્જિતતાને પ્રગટ કરતાં પ્રૌઢિયુક્ત દૃષ્ટાંતચિત્રો તેમ જ કેટલીક અસરકારક વાક્છટાઓને લીધે “ચિંતનરસનું ઘૂંટેલું એક મૌક્તિકબિંદુ” (ઉમાશંકર જોશી) બની રહે છે. {{Right|[જ.કો.]}}
   
   
અનુભવાનંદ[ઈ.૧૭મી. સદી ઉત્તરાર્ધ - ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. એમની કૃતિઓમાં મળતી વીગતો મુજબ જૂનાગઢના નાગર. પૂર્વાશ્રમનું નામ ભવાનીદાસ. એ પછી નાથ-ભવાન નામ ધારણ કર્યું. સંન્યસ્ત પછી અનુભવાનંદ. અન્ય ચરિત્રાત્મક-વિવેચનાત્મક સંદર્ભો એમને વડનગરા નાગર ગૃહસ્થ અને સુંદરજી ઘોડા (ઘોડાદ્રા-ઘોડાદરના વતની)ના પુત્ર પણ ગણાવે છે.  
'''અનુભવાનંદ'''[ઈ.૧૭મી. સદી ઉત્તરાર્ધ - ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. એમની કૃતિઓમાં મળતી વીગતો મુજબ જૂનાગઢના નાગર. પૂર્વાશ્રમનું નામ ભવાનીદાસ. એ પછી નાથ-ભવાન નામ ધારણ કર્યું. સંન્યસ્ત પછી અનુભવાનંદ. અન્ય ચરિત્રાત્મક-વિવેચનાત્મક સંદર્ભો એમને વડનગરા નાગર ગૃહસ્થ અને સુંદરજી ઘોડા (ઘોડાદ્રા-ઘોડાદરના વતની)ના પુત્ર પણ ગણાવે છે.  
આ કવિની કૃતિઓ ઈ.૧૭૧૪થી ઈ.૧૭૩૩ સુધીનાં રચનાવર્ષો દેખાડે છે. એ મુજબ એમનો કવનકાળ ૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. પણ રચનાવર્ષોના નિર્દેશવાળી એમની મોટા ભાગની કૃતિઓ સંન્યસ્ત પછીની હોવાથી એમનો જીવનકાળ ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં ખેંચી જઈ શકાય.  
આ કવિની કૃતિઓ ઈ.૧૭૧૪થી ઈ.૧૭૩૩ સુધીનાં રચનાવર્ષો દેખાડે છે. એ મુજબ એમનો કવનકાળ ૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. પણ રચનાવર્ષોના નિર્દેશવાળી એમની મોટા ભાગની કૃતિઓ સંન્યસ્ત પછીની હોવાથી એમનો જીવનકાળ ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં ખેંચી જઈ શકાય.  
પૂર્વાવસ્થામાં કવિ નાથ ભવાન શક્તિભક્ત પણ હતા. તે વખતે એમણે, “અંબાઆનનકમળ સોહામણું..” એ શબ્દોથી શરૂ થતો, ખૂબ જાણીતો થયેલો, અંબાનું ચિત્રાત્મક વર્ણન આપતો ને શક્તતંત્ર અનુસાર વિશ્વવ્યાપી ચિન્મયી શક્તિ તરીકે અંબાનું મહિમાગાન કરતો ૪૧ કડીનો ગરબો (મુ.) તથા અન્ય ગરબા, ગરબી અને પદો રચ્યાં છે. આ પૂર્વકાલીન કૃતિઓમાં પણ અધ્યાત્મભાવ ને વૈરાગ્યબોધનું નિરૂપણ તો કવિએ કરેલું જ છે. એમનાં અધ્યાત્મનાં કેટલાંક પદો તથા જ્ઞાનવૈરાગ્યબોધક ૮૭ કડીની કૃતિ ‘બ્રહ્મવિલાસ’ (૨. ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, ફાગણ વદ ૭, ગુરુવાર; મુ.) ‘નાથ-ભવાન’ છાપ દર્શાવે છે. એથી એ કૃતિઓ સંન્યસ્ત પૂર્વેની હોવાનું અનુમાન થઈ શકે. ઉત્તરોત્તર કવિ અદ્વૈતવિચાર અને વેદાંત-અભ્યાસ તરફ ઢળતા ગયા જણાય છે. સંન્યસ્ત પછીની, ‘અનુભવાનંદ’ છાપ દેખાડતી પદાદિ લઘુકૃતિઓ તેમ જ અનુવાદ કે સારરૂપ લાંબી કૃતિઓ જ્ઞાનમાર્ગી કવિતાનાં લક્ષણો ધરાવે છે.  
પૂર્વાવસ્થામાં કવિ નાથ ભવાન શક્તિભક્ત પણ હતા. તે વખતે એમણે, “અંબાઆનનકમળ સોહામણું..” એ શબ્દોથી શરૂ થતો, ખૂબ જાણીતો થયેલો, અંબાનું ચિત્રાત્મક વર્ણન આપતો ને શક્તતંત્ર અનુસાર વિશ્વવ્યાપી ચિન્મયી શક્તિ તરીકે અંબાનું મહિમાગાન કરતો ૪૧ કડીનો ગરબો (મુ.) તથા અન્ય ગરબા, ગરબી અને પદો રચ્યાં છે. આ પૂર્વકાલીન કૃતિઓમાં પણ અધ્યાત્મભાવ ને વૈરાગ્યબોધનું નિરૂપણ તો કવિએ કરેલું જ છે. એમનાં અધ્યાત્મનાં કેટલાંક પદો તથા જ્ઞાનવૈરાગ્યબોધક ૮૭ કડીની કૃતિ ‘બ્રહ્મવિલાસ’ (૨. ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, ફાગણ વદ ૭, ગુરુવાર; મુ.) ‘નાથ-ભવાન’ છાપ દર્શાવે છે. એથી એ કૃતિઓ સંન્યસ્ત પૂર્વેની હોવાનું અનુમાન થઈ શકે. ઉત્તરોત્તર કવિ અદ્વૈતવિચાર અને વેદાંત-અભ્યાસ તરફ ઢળતા ગયા જણાય છે. સંન્યસ્ત પછીની, ‘અનુભવાનંદ’ છાપ દેખાડતી પદાદિ લઘુકૃતિઓ તેમ જ અનુવાદ કે સારરૂપ લાંબી કૃતિઓ જ્ઞાનમાર્ગી કવિતાનાં લક્ષણો ધરાવે છે.  
Line 144: Line 141:
આ ઉપરાંત અદ્વૈતવિષયક ‘વિવેકશિરોમણિ’ (૨. ઈ.૧૭૩૧), ૧૬૨ કડીનો ‘આત્મસ્તવન-છંદ’ (૨. ઈ.૧૭૩૨), ૭૭ કડીનું ‘આત્મ-સ્તવન’ (૨. ઈ.૧૭૩૩), ‘ચાતુરીઓ’ (૨. ઈ.૧૭૩૩/સં. ૧૭૮૯, શ્રાવણ વદ ૧૦, ગુરુવાર), રાધાજીનો, વિમલનો, હવ્યકવ્યનો આદિ ગરબા, ‘બ્રહ્મ-સંહિતા’નો અનુવાદ, ૫૦૪ કડીની કૃષ્ણલીલાવિષયક કૃતિ ‘ભાગવતસાર’, ૪૧ કડીની ‘વિષ્ણુવિચાર’ તથા ‘શ્રીધરી-ગીતા’ એ કૃતિઓ પણ અનુભવાનંદને નામે નોંધાયેલી છે. અનુભવાનંદને નામે નોંધાયેલી ૪૧ કડીની ‘અંબાજીની સ્તુતિ/ચિદ્શક્તિવિલાસ’ (૨. ઈ.૧૭૨૫) એ પૂર્વનિર્દિષ્ટ અંબાજીનો ગરબો હોવા સંભવ છે. અલબત્ત મુદ્રિત કૃતિ રચનાવર્ષ દર્શાવતી નથી. ‘નાથ ભવાન’ને નામે નોંધાયેલી આ કવિની ‘આધ્યાત્મિક-રામાયણ’ (ર.ઈ. ૧૭૪૪/સં. ૧૮૦૦, શ્રાવણ વદ ૧૪, શનિવાર) તથા ૨૮ કડીની ‘રામગીતા’ એ કૃતિઓ પણ મળે છે. આ સિવાયની, નાથ ભાવન/અનુભવાનંદને નામે કેટલાક સંદર્ભોએ દર્શાવેલી, પદાદિ થોડીક મુદ્રિત કૃતિઓ અન્ય કવિઓની છે. જુઓ ‘ભવાન’, ‘નાથજી.’
આ ઉપરાંત અદ્વૈતવિષયક ‘વિવેકશિરોમણિ’ (૨. ઈ.૧૭૩૧), ૧૬૨ કડીનો ‘આત્મસ્તવન-છંદ’ (૨. ઈ.૧૭૩૨), ૭૭ કડીનું ‘આત્મ-સ્તવન’ (૨. ઈ.૧૭૩૩), ‘ચાતુરીઓ’ (૨. ઈ.૧૭૩૩/સં. ૧૭૮૯, શ્રાવણ વદ ૧૦, ગુરુવાર), રાધાજીનો, વિમલનો, હવ્યકવ્યનો આદિ ગરબા, ‘બ્રહ્મ-સંહિતા’નો અનુવાદ, ૫૦૪ કડીની કૃષ્ણલીલાવિષયક કૃતિ ‘ભાગવતસાર’, ૪૧ કડીની ‘વિષ્ણુવિચાર’ તથા ‘શ્રીધરી-ગીતા’ એ કૃતિઓ પણ અનુભવાનંદને નામે નોંધાયેલી છે. અનુભવાનંદને નામે નોંધાયેલી ૪૧ કડીની ‘અંબાજીની સ્તુતિ/ચિદ્શક્તિવિલાસ’ (૨. ઈ.૧૭૨૫) એ પૂર્વનિર્દિષ્ટ અંબાજીનો ગરબો હોવા સંભવ છે. અલબત્ત મુદ્રિત કૃતિ રચનાવર્ષ દર્શાવતી નથી. ‘નાથ ભવાન’ને નામે નોંધાયેલી આ કવિની ‘આધ્યાત્મિક-રામાયણ’ (ર.ઈ. ૧૭૪૪/સં. ૧૮૦૦, શ્રાવણ વદ ૧૪, શનિવાર) તથા ૨૮ કડીની ‘રામગીતા’ એ કૃતિઓ પણ મળે છે. આ સિવાયની, નાથ ભાવન/અનુભવાનંદને નામે કેટલાક સંદર્ભોએ દર્શાવેલી, પદાદિ થોડીક મુદ્રિત કૃતિઓ અન્ય કવિઓની છે. જુઓ ‘ભવાન’, ‘નાથજી.’
કૃતિ : ૧. જ્ઞાનગંગોદક અનુભવાનંદનાં પદો, સં. સુરેશ જોષી, ઈ.૧૯૭૭ (+સં); ૨. બ્રહ્મગીતા, પ્ર. આદિતરામ સ. પારધી, ઈ.૧૯૦૬;  ૩. પ્રાકાસુધા : ૨;  ૪. પ્રાકાત્રૈમાસિક, અં. ૨ ઈ.૧૮૯૨ - ‘શિવગીતા’; ૫. સાહિત્ય, એપ્રિલ-ઑક્ટો. ૧૯૧૬ - ‘અંબાઆનનનો ગરબો,’ સં. મોતીલાલ ૨. ઘોડા; ૬. સત્સંદેશ, ડિસે. ૧૯૫૨ - ‘અંબામાતાજીનો ગરબો.’
કૃતિ : ૧. જ્ઞાનગંગોદક અનુભવાનંદનાં પદો, સં. સુરેશ જોષી, ઈ.૧૯૭૭ (+સં); ૨. બ્રહ્મગીતા, પ્ર. આદિતરામ સ. પારધી, ઈ.૧૯૦૬;  ૩. પ્રાકાસુધા : ૨;  ૪. પ્રાકાત્રૈમાસિક, અં. ૨ ઈ.૧૮૯૨ - ‘શિવગીતા’; ૫. સાહિત્ય, એપ્રિલ-ઑક્ટો. ૧૯૧૬ - ‘અંબાઆનનનો ગરબો,’ સં. મોતીલાલ ૨. ઘોડા; ૬. સત્સંદેશ, ડિસે. ૧૯૫૨ - ‘અંબામાતાજીનો ગરબો.’
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વરૂપો; ૬. ગૂહાયાદી; ૭. ગુહિવાણી; ૮. ડિકૅટલા(૧૧૨)ગબીજે; ૯. નચિકેતા-, દેવત્ત જોશી; ૧૦. પ્રાકકૃતિઓ, ૧૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮; ૧૨. શાક્ત સંપ્રદાય, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૨;  ૧૩. બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૩૦ - ‘જૂનાગઢના ભક્ત કવિ શ્રી નાથ ભવાન (ઉર્ફે) અનુભવાનંદ સ્વામી’, મોતીલાલ ૨. ઘોડા.  ૧૪. ફૉહનામાવલિ. [ર.સો. શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વરૂપો; ૬. ગૂહાયાદી; ૭. ગુહિવાણી; ૮. ડિકૅટલા(૧૧૨)ગબીજે; ૯. નચિકેતા-, દેવત્ત જોશી; ૧૦. પ્રાકકૃતિઓ, ૧૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮; ૧૨. શાક્ત સંપ્રદાય, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૨;  ૧૩. બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૩૦ - ‘જૂનાગઢના ભક્ત કવિ શ્રી નાથ ભવાન (ઉર્ફે) અનુભવાનંદ સ્વામી’, મોતીલાલ ૨. ઘોડા.  ૧૪. ફૉહનામાવલિ. {{Right|[ર.સો. શ્ર.ત્રિ.]}}
   
   
અનોપચંદ[ઈ.૧૭૬૯માં હયાત] : ખરતગચ્છના જૈન સાધુ. ક્ષમાપ્રમોદના શિષ્ય. હિન્દી-રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ‘ગોડીપાર્શ્વબૃહત્-સ્તવન/ગૌડીપાર્શ્વજન-અષ્ટઢાલો’ (૨. ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, ચૌત્ર સુદ ૫; મુ.)ના કર્તા.  
'''અનોપચંદ'''[ઈ.૧૭૬૯માં હયાત] : ખરતગચ્છના જૈન સાધુ. ક્ષમાપ્રમોદના શિષ્ય. હિન્દી-રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ‘ગોડીપાર્શ્વબૃહત્-સ્તવન/ગૌડીપાર્શ્વજન-અષ્ટઢાલો’ (૨. ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, ચૌત્ર સુદ ૫; મુ.)ના કર્તા.  
કૃતિ : આદિનાથ વિવાહલો, પ્ર. શેઠ જવાહરલાલજી જૈન, ઈ.૧૯૧૯.
કૃતિ : આદિનાથ વિવાહલો, પ્ર. શેઠ જવાહરલાલજી જૈન, ઈ.૧૯૧૯.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}
   
   
અનોપચંદશિષ્ય[ઈ.૧૮૧૬માં હયાત] : જૈન. ‘માનતુંગમાનવતીસંબંધ-ચોપાઈ’ (૨. ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, માગશર સુદ ૧૩)ના કર્તા. ઈ.૧૭૬૯માં થયેલા ખરતરગચ્છના અનોપચંદના શિષ્ય હોવાનું વિચારણીય.
'''અનોપચંદશિષ્ય'''[ઈ.૧૮૧૬માં હયાત] : જૈન. ‘માનતુંગમાનવતીસંબંધ-ચોપાઈ’ (૨. ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, માગશર સુદ ૧૩)ના કર્તા. ઈ.૧૭૬૯માં થયેલા ખરતરગચ્છના અનોપચંદના શિષ્ય હોવાનું વિચારણીય.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}


અનોપમચંદ[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભ (રાજ્યકાળ ઈ.૧૭૪૮ - ઈ.૧૭૭૮)ના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.)ના કર્તા.
'''અનોપમચંદ'''[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભ (રાજ્યકાળ ઈ.૧૭૪૮ - ઈ.૧૭૭૮)ના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.)ના કર્તા.
કૃતિ : અરત્નસાર. [શ્ર.ત્રિ.]
કૃતિ : અરત્નસાર. {{Right|[શ્ર.ત્રિ.]}}
   
   
અનોપસિંહ[ઈ.૧૮૫૯ સુધીમાં] : જૈન સાધુ. ‘માનતુંગમાનવતીરાસ’ (લે. ઈ.૧૮૫૯)ના કર્તા.  
'''અનોપસિંહ'''[ઈ.૧૮૫૯ સુધીમાં] : જૈન સાધુ. ‘માનતુંગમાનવતીરાસ’ (લે. ઈ.૧૮૫૯)ના કર્તા.  
સંદર્ભ : રાહસૂચી : ૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : રાહસૂચી : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}}


અબ્દુલનબી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી શાખાના ૪૦મા ઇમામ નિઝાર (ઈ.૧૫૮૫-ઈ.૧૬૨૮)ના સમકાલીન. સુરત પાસે કાકરખાડીમાં એમની મઝાર આવેલ છે. એમનાં ૯ અને ૧૦ કડીનાં ૨ ‘ગિનાન’ (મુ.)મળે છે.
'''અબ્દુલનબી''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી શાખાના ૪૦મા ઇમામ નિઝાર (ઈ.૧૫૮૫-ઈ.૧૬૨૮)ના સમકાલીન. સુરત પાસે કાકરખાડીમાં એમની મઝાર આવેલ છે. એમનાં ૯ અને ૧૦ કડીનાં ૨ ‘ગિનાન’ (મુ.)મળે છે.
કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪.
કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪.
સંદર્ભ : નૂરમ મુવિન, જાફરઅલી મોહમદ સૂફી દ્વારા સંશોધિત ત્રીજી આ; ઈ.૧૯૫૧. [પ્યા.કે.]
સંદર્ભ : નૂરમ મુવિન, જાફરઅલી મોહમદ સૂફી દ્વારા સંશોધિત ત્રીજી આ; ઈ.૧૯૫૧. {{Right|[પ્યા.કે.]}}
   
   
અભય : આ નામે ૩ કડીનું કેદારા રાગનું સ્તવન (મુ.) મળે છે તેના કર્તા કયા અભય છે તે સ્પષ્ટ થતું નથી.
'''અભય''' : આ નામે ૩ કડીનું કેદારા રાગનું સ્તવન (મુ.) મળે છે તેના કર્તા કયા અભય છે તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [વ.દ.]
કૃતિ : જૈકાપ્રકાશ : ૧. {{Right|[વ.દ.]}}
   
   
અભયકુશલ[ઈ.૧૬૮૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં પુણ્યહર્ષના શિષ્ય, ૨૭ ઢાળની ‘ઋષભદત્તરૂપવતી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, ફાગણ સુદ ૧૦), પુણ્યહર્ષના અનશનપૂર્વક સ્વર્ગગમન પછી રચાયેલા સ્તૂપ અને થયેલ પ્રતિષ્ઠા-ઉત્સવની માહિતી આપતી ૮ કડીની ‘પુણ્યહર્ષ-ગીત’ અને હિન્દી-રાજસ્થાનીમાં ૫૬ કડીની ‘વિવાહપટલભાષા/વિવાહવિધિવાદ-ચોપાઈ’ એ કૃતિઓના કર્તા.  
'''અભયકુશલ'''[ઈ.૧૬૮૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં પુણ્યહર્ષના શિષ્ય, ૨૭ ઢાળની ‘ઋષભદત્તરૂપવતી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, ફાગણ સુદ ૧૦), પુણ્યહર્ષના અનશનપૂર્વક સ્વર્ગગમન પછી રચાયેલા સ્તૂપ અને થયેલ પ્રતિષ્ઠા-ઉત્સવની માહિતી આપતી ૮ કડીની ‘પુણ્યહર્ષ-ગીત’ અને હિન્દી-રાજસ્થાનીમાં ૫૬ કડીની ‘વિવાહપટલભાષા/વિવાહવિધિવાદ-ચોપાઈ’ એ કૃતિઓના કર્તા.  
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૨); ૩. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]
   
   
અભયતિલક[ઈ.૧૩મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનપતિસૂરિના પટ્ટધર જિનેશ્વરસૂરિના શિષ્ય. ઈ.૧૨૩૫માં દીક્ષા, ઈ.૧૨૬૩માં ઉપાધ્યાયપદ. અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલ ૨૧ કડીના ‘મહાવીર-રાસ/વીર-રાસ’ (મુ.)ના કર્તા. આ કાવ્ય ઈ.૧૨૫૧/૧૨૬૧માં જિનેશ્વરસૂરિએ ભીમપલ્લીના મંડલિકવિહારમાં વીરપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી એના મહોત્સવને વર્ણવે છે એ તે અરસાની જ રચના જણાય છે. આ કવિએ સંસ્કૃતમાં ‘દ્વયાશ્રયકાવ્ય-વૃત્તિ’ પર ટીકા (૨. ઈ.૧૨૫૬), ‘ન્યાયાલંકારટિપ્પન’ અને ‘વાદસ્થલ’ એ કૃતિઓ પણ રચી છે.  
'''અભયતિલક'''[ઈ.૧૩મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનપતિસૂરિના પટ્ટધર જિનેશ્વરસૂરિના શિષ્ય. ઈ.૧૨૩૫માં દીક્ષા, ઈ.૧૨૬૩માં ઉપાધ્યાયપદ. અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલ ૨૧ કડીના ‘મહાવીર-રાસ/વીર-રાસ’ (મુ.)ના કર્તા. આ કાવ્ય ઈ.૧૨૫૧/૧૨૬૧માં જિનેશ્વરસૂરિએ ભીમપલ્લીના મંડલિકવિહારમાં વીરપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી એના મહોત્સવને વર્ણવે છે એ તે અરસાની જ રચના જણાય છે. આ કવિએ સંસ્કૃતમાં ‘દ્વયાશ્રયકાવ્ય-વૃત્તિ’ પર ટીકા (૨. ઈ.૧૨૫૬), ‘ન્યાયાલંકારટિપ્પન’ અને ‘વાદસ્થલ’ એ કૃતિઓ પણ રચી છે.  
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં); ૨. પ્રાગુકાસંચય (+સં); ૩. જૈનયુગ, કાર્તિક અને માગશર ૧૯૮૩ - ‘વીરરાસ’, સં. લાલચંદ્ર ભ. ગાંધી.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં); ૨. પ્રાગુકાસંચય (+સં); ૩. જૈનયુગ, કાર્તિક અને માગશર ૧૯૮૩ - ‘વીરરાસ’, સં. લાલચંદ્ર ભ. ગાંધી.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]
   
   
અભયધર્મ[ઈ.૧૫૨૩માં હયાત] : જૈન સાધુ. ‘દશદૃષ્ટાંતવિસ્તર’ - (૨. ઈ.૧૫૨૩)ના કર્તા.  
'''અભયધર્મ'''[ઈ.૧૫૨૩માં હયાત] : જૈન સાધુ. ‘દશદૃષ્ટાંતવિસ્તર’ - (૨. ઈ.૧૫૨૩)ના કર્તા.  
સંદર્ભ : રાહસૂચી : ૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : રાહસૂચી : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}}
   
   
અભયરાજ/અભેરાજ[       ] : સંભવત: લોેંકાગચ્છ જૈન સાધુ. ૧૬ કડીની ‘પંચવર્ણા ચોવીસ જિનવરોનું સ્તવન’, ૧૩ કડીની લોકભોગ્ય દૃષ્ટાંતોથી ધ્યાન ખેંચતી ઉપદેશાત્મક ‘નરભવરત્નચિંતામણિની સઝાય’ અને ૪ ભાસના ‘સંભવનાથસ્તવન’ (બધી મુ.)ના કર્તા.
'''અભયરાજ/અભેરાજ'''[       ] : સંભવત: લોકાગચ્છ જૈન સાધુ. ૧૬ કડીની ‘પંચવર્ણા ચોવીસ જિનવરોનું સ્તવન’, ૧૩ કડીની લોકભોગ્ય દૃષ્ટાંતોથી ધ્યાન ખેંચતી ઉપદેશાત્મક ‘નરભવરત્નચિંતામણિની સઝાય’ અને ૪ ભાસના ‘સંભવનાથસ્તવન’ (બધી મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસસંગ્રહ (જૈ); ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧. સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૩. લોંપ્રપ્રકરણ; ૪. સઝાયમાલા : ૧-૨ (જા). [વ.દ.]
કૃતિ : ૧. જૈસસંગ્રહ (જૈ); ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧. સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૩. લોંપ્રપ્રકરણ; ૪. સઝાયમાલા : ૧-૨ (જા). {{Right|[વ.દ.]}}
   
   
અભયસોમ[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાતમા જિનચંદ્રસૂરિના શિષ્ય સોમસુંદરસૂરિના શિષ્ય. ‘વૈદર્ભીચોપાઈ’ (૨. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, ચૈત્ર સુદ ૧૫), ‘જયન્તીસંધિ’ (૨. ઈ.૧૬૬૫), ૨૮૮ કડીની રચના ‘વિક્રમચરિત્રખાપરા-ચોપાઈ’ (૨. ઈ.૧૬૬૭/સં. ૧૭૨૩, જેઠ -), ૩૧૯ કડીની રચના ‘ચોબોલીલીલાવતી-ચોપાઈ/વિક્રમચરિત-લીલાવતી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, પ્રથમ અસાડ વદ ૧૦), દુહા-દેશીબદ્ધ ૧૪ ઢાળ અને ૩૦૦ કડીની, પોતાનું પાદપ્રક્ષાલન કરે તેને પોતે પરણશે એવું કહેતી અને માનતુંગરાજાને પરણી પોતાના ચાતુર્યથી એ વચન સિદ્ધ કરી બતાવતી માનવતીનું વૃત્તાંત વર્ણવતી, ‘માનતુંગમાનવતીચોપાઈ/રાસ’ (૨. ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ સુદ ૨, ગુરુવાર; મુ.) ‘વસ્તુપાલતેજપાલ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૭૩/સં. ૧૭૨૯, શ્રાવણ-)તથા ૭ કડીના ‘(ફલવર્ધી) પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. અભયસોમને નામે ‘કર-સંવાદ’ (૨. ઈ.૧૬૯૧/સં. ૧૭૪૭, વૈશાખ સુદ ૩) નોંધાયેલી છે તે આ કવિની જ કૃતિ હોવાનો સંભવ છે.  
'''અભયસોમ'''[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાતમા જિનચંદ્રસૂરિના શિષ્ય સોમસુંદરસૂરિના શિષ્ય. ‘વૈદર્ભીચોપાઈ’ (૨. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, ચૈત્ર સુદ ૧૫), ‘જયન્તીસંધિ’ (૨. ઈ.૧૬૬૫), ૨૮૮ કડીની રચના ‘વિક્રમચરિત્રખાપરા-ચોપાઈ’ (૨. ઈ.૧૬૬૭/સં. ૧૭૨૩, જેઠ -), ૩૧૯ કડીની રચના ‘ચોબોલીલીલાવતી-ચોપાઈ/વિક્રમચરિત-લીલાવતી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, પ્રથમ અસાડ વદ ૧૦), દુહા-દેશીબદ્ધ ૧૪ ઢાળ અને ૩૦૦ કડીની, પોતાનું પાદપ્રક્ષાલન કરે તેને પોતે પરણશે એવું કહેતી અને માનતુંગરાજાને પરણી પોતાના ચાતુર્યથી એ વચન સિદ્ધ કરી બતાવતી માનવતીનું વૃત્તાંત વર્ણવતી, ‘માનતુંગમાનવતીચોપાઈ/રાસ’ (૨. ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ સુદ ૨, ગુરુવાર; મુ.) ‘વસ્તુપાલતેજપાલ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૭૩/સં. ૧૭૨૯, શ્રાવણ-)તથા ૭ કડીના ‘(ફલવર્ધી) પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. અભયસોમને નામે ‘કર-સંવાદ’ (૨. ઈ.૧૬૯૧/સં. ૧૭૪૭, વૈશાખ સુદ ૩) નોંધાયેલી છે તે આ કવિની જ કૃતિ હોવાનો સંભવ છે.  
કૃતિ : રાજસ્થાનભારતી, ભા. ૧૨ અં. ૧ - ‘કવિ અભયસોમ વિરચિત માનતુંગ માનવતી ચોપાઈ’, સં. કનુભાઈ વ્ર. શેઠ.
કૃતિ : રાજસ્થાનભારતી, ભા. ૧૨ અં. ૧ - ‘કવિ અભયસોમ વિરચિત માનતુંગ માનવતી ચોપાઈ’, સં. કનુભાઈ વ્ર. શેઠ.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬ -  
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬ -  
‘જૈન કવિયોંકી ‘સંવાદ’ સંજ્ઞક રચનાએં’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]
‘જૈન કવિયોંકી ‘સંવાદ’ સંજ્ઞક રચનાએં’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}
   
   
અભરામ(બાવા)[ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : મુસ્લિમ કવિ. પરિયેજ(તા. ભરૂચ)ના રહેવાસી. પીર કાયમુદ્દીનના (અવ. ઈ.સ. ૧૭૭૩) શિષ્ય. એમણે ગુજરાતી, હિન્દી તેમ જ ઉર્દૂમાં રચનાઓ કરી હોવાની માહિતી મળે છે. એમની, ‘કલામ’ને નામે ઓળખાતાં ભજન, ગરબો અને સાખી જેવા કાવ્યપ્રકારોમાંની, મુખ્યત્વે ગુજરાતી અને થોડી હિંદી રચનાઓ છપાયેલી જોવા મળે છે, જેમાં યોગ, અદ્વૈતવાદ, પ્રેમલક્ષણાભક્તિ વગેરે હિન્દુ પરંપરાનાં તત્ત્વો મિશ્ર રૂપે ઝિલાયાં છે. ગુરુભક્તિ, પ્રભુપ્રેમ અને સાધુ-આચાર જેવા વિષયો આ કૃતિઓમાં કેટલી વાર રૂપકોની તો કેટલીક વાર લોકબાનીની મદદથી અસરકારક રીતે નિરૂપાયા છે. આ કૃતિઓ પરત્વે થયેલા રાગોના ઉલ્લેખો એમની સંગીતક્ષમતાનો પણ નિર્દેશ કરે છે.  
'''અભરામ(બાવા)'''[ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : મુસ્લિમ કવિ. પરિયેજ(તા. ભરૂચ)ના રહેવાસી. પીર કાયમુદ્દીનના (અવ. ઈ.સ. ૧૭૭૩) શિષ્ય. એમણે ગુજરાતી, હિન્દી તેમ જ ઉર્દૂમાં રચનાઓ કરી હોવાની માહિતી મળે છે. એમની, ‘કલામ’ને નામે ઓળખાતાં ભજન, ગરબો અને સાખી જેવા કાવ્યપ્રકારોમાંની, મુખ્યત્વે ગુજરાતી અને થોડી હિંદી રચનાઓ છપાયેલી જોવા મળે છે, જેમાં યોગ, અદ્વૈતવાદ, પ્રેમલક્ષણાભક્તિ વગેરે હિન્દુ પરંપરાનાં તત્ત્વો મિશ્ર રૂપે ઝિલાયાં છે. ગુરુભક્તિ, પ્રભુપ્રેમ અને સાધુ-આચાર જેવા વિષયો આ કૃતિઓમાં કેટલી વાર રૂપકોની તો કેટલીક વાર લોકબાનીની મદદથી અસરકારક રીતે નિરૂપાયા છે. આ કૃતિઓ પરત્વે થયેલા રાગોના ઉલ્લેખો એમની સંગીતક્ષમતાનો પણ નિર્દેશ કરે છે.  
કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ., કી.જો.]
કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). {{Right|[ર.ર.દ., કી.જો.]}}
‘અભિમન્યુ-આખ્યાન’ [ર. ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, શ્રાવણ સુદ ૨] : અભિમન્યુવિષયક ગુજરાતી આખ્યાન-પરંપરામાં પ્રેમાનંદનું ‘અભિમન્યુઆખ્યાન’ (મુ.) એના કાવ્યગુણથી સૌથી વધુ નોેંધપાત્ર બને છે.
 
'''‘અભિમન્યુ-આખ્યાન’''' [ર. ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, શ્રાવણ સુદ ૨] : અભિમન્યુવિષયક ગુજરાતી આખ્યાન-પરંપરામાં પ્રેમાનંદનું ‘અભિમન્યુઆખ્યાન’ (મુ.) એના કાવ્યગુણથી સૌથી વધુ નોંધપાત્ર બને છે.
૧૦૩૫ ચોપાઈ, ૧૭ રાગ અને ૩૬ ચાલનો નિર્દેશ ધરાવતી, ૫૧ કડવાંની આ કૃતિમાં અભિમન્યુના અહિલોચન અસુર તરીકેના પૂર્વભવનું વૃત્તાંત ગુજરાતી આખ્યાનોમાં સૌથી વધારે વિસ્તારથી ૨૦ કડવાં સુધી, વર્ણવાયું છે અને એમાં કવિએ અહિલોચનની માતાના વાત્સલ્યભાવ જેવા કૌટુંબિક અને અન્ય તળપદા ભાવો ગૂંથવાની તક લીધી છે. કૃષ્ણના અભિમન્યુ પ્રત્યેના વેરનો તંતુ અહીં અનેક પ્રસંગોથી બહેલાવીને રજૂ થયો છે. એમાં કૃષ્ણનું ચરિત્ર એના કપટ-ચાતુર્યને કારણે હીણું લાગે અને અભિમન્યુનું ચરિત્ર એના નિર્વ્યાજ વીરત્વને કારણે ગૌરવવંતું લાગે એવી સ્થિતિ થઈ છે. કૃષ્ણના આ પ્રકારના ચરિત્રના આલેખનમાં તેમ જ ભીમ, દ્રૌપદી વગેરેનાં કેટલાંક પ્રાકૃત લોકાનુસારી વર્તનોમાં પ્રેમાનંદની જનમનરંજનની દૃષ્ટિ દેખાઈ આવે છે.
૧૦૩૫ ચોપાઈ, ૧૭ રાગ અને ૩૬ ચાલનો નિર્દેશ ધરાવતી, ૫૧ કડવાંની આ કૃતિમાં અભિમન્યુના અહિલોચન અસુર તરીકેના પૂર્વભવનું વૃત્તાંત ગુજરાતી આખ્યાનોમાં સૌથી વધારે વિસ્તારથી ૨૦ કડવાં સુધી, વર્ણવાયું છે અને એમાં કવિએ અહિલોચનની માતાના વાત્સલ્યભાવ જેવા કૌટુંબિક અને અન્ય તળપદા ભાવો ગૂંથવાની તક લીધી છે. કૃષ્ણના અભિમન્યુ પ્રત્યેના વેરનો તંતુ અહીં અનેક પ્રસંગોથી બહેલાવીને રજૂ થયો છે. એમાં કૃષ્ણનું ચરિત્ર એના કપટ-ચાતુર્યને કારણે હીણું લાગે અને અભિમન્યુનું ચરિત્ર એના નિર્વ્યાજ વીરત્વને કારણે ગૌરવવંતું લાગે એવી સ્થિતિ થઈ છે. કૃષ્ણના આ પ્રકારના ચરિત્રના આલેખનમાં તેમ જ ભીમ, દ્રૌપદી વગેરેનાં કેટલાંક પ્રાકૃત લોકાનુસારી વર્તનોમાં પ્રેમાનંદની જનમનરંજનની દૃષ્ટિ દેખાઈ આવે છે.
અભિમન્યુના ગર્ભપ્રવેશથી લગ્ન સુધીનો કથાભાગ પણ અહીં વિસ્તારપૂર્વક નિરૂપાયો છે, અને એમાં પ્રસૂતિ, મોસાળું, સામૈયું વગેરે પ્રસંગોના ગુજરાતી વ્યવહારોના ચિત્રણને પણ મોકળાશથી અવકાશ મળ્યો છે.
અભિમન્યુના ગર્ભપ્રવેશથી લગ્ન સુધીનો કથાભાગ પણ અહીં વિસ્તારપૂર્વક નિરૂપાયો છે, અને એમાં પ્રસૂતિ, મોસાળું, સામૈયું વગેરે પ્રસંગોના ગુજરાતી વ્યવહારોના ચિત્રણને પણ મોકળાશથી અવકાશ મળ્યો છે.
અહિલોચન અને શુક્રાચાર્યવેષી કૃષ્ણના મિલનપ્રસંગને પ્રેમાનંદે અસાધારણ નાટ્યાત્મકતાથી ખીલવીને મૂક્યો છે તો કૃષ્ણે સુભદ્રાને સાચવવા આપેલી પેટીમાં શું છે તે જાણવા ઉત્સુક ભાભીઓનાં વિચાર-વર્તનના નર્મમર્મપૂર્ણ આલેખનમાં એમની જનસ્વભાવની ઊંડી સૂઝ પ્રગટ થાય છે. પ્રતાપી અહિલોચન અને દીન શુક્રાચાર્યની સાવ ભિન્ન પ્રકારની છબીઓ પણ કવિ એકસરખી ક્ષમતાથી તાદૃશ કરી આપે છે. યુદ્ધપ્રસંગો રૂઢ શૈલીએ વર્ણવાયા છે, પરંતુ કૌરવ સૈન્ય વચ્ચે ફસાયેલા એ છેવટે મૃત્યુને વરતા કિશોરવીર અભિમન્યુનું “બહુ પારધીએ પોપટ વીંટ્યો” અને “ભાંગ્યો ચંપાનો છોડ” વગેરે ઉપમાદિ અલંકારોથી લાક્ષણિક ચિત્રણ કરી આપવામાં પ્રેમાનંદને મળેલી સફળતા ધ્યાન ખેંચે એવી છે. આમ છતાં આ આખ્યાનમાં વસ્તુપ્રવાહ મંદ બન્યો છે અને આખ્યાનની આકૃતિ સંપૂર્ણત: સિદ્ધ થઈ નથી.  
અહિલોચન અને શુક્રાચાર્યવેષી કૃષ્ણના મિલનપ્રસંગને પ્રેમાનંદે અસાધારણ નાટ્યાત્મકતાથી ખીલવીને મૂક્યો છે તો કૃષ્ણે સુભદ્રાને સાચવવા આપેલી પેટીમાં શું છે તે જાણવા ઉત્સુક ભાભીઓનાં વિચાર-વર્તનના નર્મમર્મપૂર્ણ આલેખનમાં એમની જનસ્વભાવની ઊંડી સૂઝ પ્રગટ થાય છે. પ્રતાપી અહિલોચન અને દીન શુક્રાચાર્યની સાવ ભિન્ન પ્રકારની છબીઓ પણ કવિ એકસરખી ક્ષમતાથી તાદૃશ કરી આપે છે. યુદ્ધપ્રસંગો રૂઢ શૈલીએ વર્ણવાયા છે, પરંતુ કૌરવ સૈન્ય વચ્ચે ફસાયેલા એ છેવટે મૃત્યુને વરતા કિશોરવીર અભિમન્યુનું “બહુ પારધીએ પોપટ વીંટ્યો” અને “ભાંગ્યો ચંપાનો છોડ” વગેરે ઉપમાદિ અલંકારોથી લાક્ષણિક ચિત્રણ કરી આપવામાં પ્રેમાનંદને મળેલી સફળતા ધ્યાન ખેંચે એવી છે. આમ છતાં આ આખ્યાનમાં વસ્તુપ્રવાહ મંદ બન્યો છે અને આખ્યાનની આકૃતિ સંપૂર્ણત: સિદ્ધ થઈ નથી.  
આ આખ્યાનની ૨. સં. ૧૭૨૭ અને ૧૭૨૮ બંને મળે છે, પરંતુ ૧૭૨૭ને વધારે હસ્તપ્રતોનો ટેકો છે. [ર.ર.દ.]
આ આખ્યાનની ૨. સં. ૧૭૨૭ અને ૧૭૨૮ બંને મળે છે, પરંતુ ૧૭૨૭ને વધારે હસ્તપ્રતોનો ટેકો છે. {{Right|[ર.ર.દ.]}}
   
   
‘અભિમન્યુનો રાસડો’ : કંઠસ્થ લોકસાહિત્યમાં મળતી આ કથનાત્મક કૃતિ (મુ.) ૫૦ જેટલી કડીએ અધૂરી રહી કથાપ્રસંગો પરત્વે ગુજરાતી આખ્યાન-પરંપરાનું અનુસંધાન જાળવે છે. કૃતિ સુગેય ઢાળોના વૈવિધ્યથી તેમ જ મહત્ત્વના પ્રસંગબિંદુઓને માર્મિક સંવાદો ને પાત્રોદ્ગારોથી બહેલાવી કથાને વેગપૂર્વક આગળ લઈ જવાની લોકકાવ્યની લાક્ષણિક શૈલીથી ધ્યાન  
'''‘અભિમન્યુનો રાસડો’ :''' કંઠસ્થ લોકસાહિત્યમાં મળતી આ કથનાત્મક કૃતિ (મુ.) ૫૦ જેટલી કડીએ અધૂરી રહી કથાપ્રસંગો પરત્વે ગુજરાતી આખ્યાન-પરંપરાનું અનુસંધાન જાળવે છે. કૃતિ સુગેય ઢાળોના વૈવિધ્યથી તેમ જ મહત્ત્વના પ્રસંગબિંદુઓને માર્મિક સંવાદો ને પાત્રોદ્ગારોથી બહેલાવી કથાને વેગપૂર્વક આગળ લઈ જવાની લોકકાવ્યની લાક્ષણિક શૈલીથી ધ્યાન  
ખેંચે છે.
ખેંચે છે.
કૃતિ : ૧. (કવિ તાપીદાસકૃત) અભિમન્યુ-આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ.૧૯૨૫; ૨. (કવિ પ્રેમાનંદકૃત) અભિમન્યુ-આખ્યાન, સં. ચિમનલાલ શિ. ત્રિવેદી, રતિલાલ સાં. નાયક, ઈ.૧૯૬૭ (બીજી આ.); ૩. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૩, સં. મંજુલાલ ૨. મજમુદાર તથા અન્ય, ઈ.૧૯૬૩. [ર.સો.]
કૃતિ : ૧. (કવિ તાપીદાસકૃત) અભિમન્યુ-આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ.૧૯૨૫; ૨. (કવિ પ્રેમાનંદકૃત) અભિમન્યુ-આખ્યાન, સં. ચિમનલાલ શિ. ત્રિવેદી, રતિલાલ સાં. નાયક, ઈ.૧૯૬૭ (બીજી આ.); ૩. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૩, સં. મંજુલાલ ૨. મજમુદાર તથા અન્ય, ઈ.૧૯૬૩. {{Right|[ર.સો.]}}
   
   
‘અભિવન-ઊઝણું’ : દેહલની આ કૃતિ (મુ.) કડવાબંધના અભાવને કારણે તથા એના ભાષાસ્વરૂપને આધારે ગુજરાતીનાં અભિમન્યુવિષયક કાવ્યોમાં નાકર પૂર્વેનું અને સંભવત: સૌથી જૂનું આખ્યાન મનાયું છે. મહાભારતના મૂળ વૃત્તાંતમાં ગુજરાતી આખ્યાન-પરંપરા જે કેટલોક મહત્ત્વનો કથાભેદ બતાવે છે - અભિમન્યુનો અસુર અહિલોચન તરીકેનો પૂર્વાવતાર, અભિમન્યુ અસુરનો અવતાર હોવાથી એને ઉત્તરાથી વિમુખ કરવાની અને મરાવી નાખવાની કૃષ્ણની યુક્તિઓ વગેરે - તે દેહલમાંથી જ આપણને જોવા મળે છે. એથી આ લોકપ્રચલિત કથાઘટકો હોવાનું સમજાય છે. ચોપાઈ, ચરણાકુળ અને દોહરાની દેશીના પદબંધવાળા ૪૦૬ કડીના આ આખ્યાનમાં ઉત્તરાના આણા (‘ઊઝણું’)નો પ્રસંગ, કૃતિનામને સાર્થક કરે એવા વિસ્તારથી, ૨૦૦ ઉપરાંત કડીમાં આલેખાયો છે. એમાં કેટલાક રસપ્રદ અંશો છે તે ઉપરાંત, આ સઘળા ઉમેરા ને ફેરફારોથી મહાભારતની વીરસપ્રધાન અભિમન્યુકથા કરુણરસપ્રધાન બને છે. કેટલાંક પ્રસંગવર્ણનો ને પાત્રસંવાદોમાં કવિના કૌશલનો પરિચય થાય છે તેમ જ કર્મફળ, જ્યોતિષ, સ્વપ્ન, અપશુકન, પૂર્વજન્મ જેવી માન્યતાઓ અને ચમત્કારોના તથા સમકાલીન લોકાચારોના નિરૂપણે કૃતિને મનોરંજક બનાવી છે. પ્રસંગાલેખન પરત્વે પાછળની આખ્યાનકૃતિઓ પર આ કૃતિનો ઠીકઠીક પ્રભાવ પડેલો જણાય છે. [ર.સો.]
'''‘અભિવન-ઊઝણું’ :''' દેહલની આ કૃતિ (મુ.) કડવાબંધના અભાવને કારણે તથા એના ભાષાસ્વરૂપને આધારે ગુજરાતીનાં અભિમન્યુવિષયક કાવ્યોમાં નાકર પૂર્વેનું અને સંભવત: સૌથી જૂનું આખ્યાન મનાયું છે. મહાભારતના મૂળ વૃત્તાંતમાં ગુજરાતી આખ્યાન-પરંપરા જે કેટલોક મહત્ત્વનો કથાભેદ બતાવે છે - અભિમન્યુનો અસુર અહિલોચન તરીકેનો પૂર્વાવતાર, અભિમન્યુ અસુરનો અવતાર હોવાથી એને ઉત્તરાથી વિમુખ કરવાની અને મરાવી નાખવાની કૃષ્ણની યુક્તિઓ વગેરે - તે દેહલમાંથી જ આપણને જોવા મળે છે. એથી આ લોકપ્રચલિત કથાઘટકો હોવાનું સમજાય છે. ચોપાઈ, ચરણાકુળ અને દોહરાની દેશીના પદબંધવાળા ૪૦૬ કડીના આ આખ્યાનમાં ઉત્તરાના આણા (‘ઊઝણું’)નો પ્રસંગ, કૃતિનામને સાર્થક કરે એવા વિસ્તારથી, ૨૦૦ ઉપરાંત કડીમાં આલેખાયો છે. એમાં કેટલાક રસપ્રદ અંશો છે તે ઉપરાંત, આ સઘળા ઉમેરા ને ફેરફારોથી મહાભારતની વીરસપ્રધાન અભિમન્યુકથા કરુણરસપ્રધાન બને છે. કેટલાંક પ્રસંગવર્ણનો ને પાત્રસંવાદોમાં કવિના કૌશલનો પરિચય થાય છે તેમ જ કર્મફળ, જ્યોતિષ, સ્વપ્ન, અપશુકન, પૂર્વજન્મ જેવી માન્યતાઓ અને ચમત્કારોના તથા સમકાલીન લોકાચારોના નિરૂપણે કૃતિને મનોરંજક બનાવી છે. પ્રસંગાલેખન પરત્વે પાછળની આખ્યાનકૃતિઓ પર આ કૃતિનો ઠીકઠીક પ્રભાવ પડેલો જણાય છે. {{Right|[ર.સો.]}}
   
   
અભેરાજ : જુઓ અભયરાજ.
'''અભેરાજ :''' જુઓ અભયરાજ.
અમથારામ[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સુરતના વતની. રાણા હોવાનું કહેવાય છે. તત્ત્વજ્ઞાનથી ભરપૂર ગરબીઓ અને પદો-(અંશત: મુ.)ના કર્તા. કેટલાંક પદોમાં તેમણે કાશીરામ પ્રત્યે જ્ઞાનાલાપ કર્યો છે. દેવીના ઉપાસક હોવાને કારણે ક્યારેક ‘અમથાભવાની’ નામ પણ મળે છે.
અમથારામ[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સુરતના વતની. રાણા હોવાનું કહેવાય છે. તત્ત્વજ્ઞાનથી ભરપૂર ગરબીઓ અને પદો-(અંશત: મુ.)ના કર્તા. કેટલાંક પદોમાં તેમણે કાશીરામ પ્રત્યે જ્ઞાનાલાપ કર્યો છે. દેવીના ઉપાસક હોવાને કારણે ક્યારેક ‘અમથાભવાની’ નામ પણ મળે છે.
સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯, ‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા; ૨. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો.-ડિસે. ૧૯૩૯ − ‘કવિ અમથારામ અને તેનાં સુપ્રસિદ્ધ પદો’, માણેકલાલ શં. રાણા. [પા.માં.]
સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯, ‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા; ૨. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો.-ડિસે. ૧૯૩૯ − ‘કવિ અમથારામ અને તેનાં સુપ્રસિદ્ધ પદો’, માણેકલાલ શં. રાણા. [પા.માં.]
Line 204: Line 202:
અમરને નામે કેટલાંક પદ નોંધાયેલાં છે તે કોઈ જૈનેતર કવિ જણાય છે.
અમરને નામે કેટલાંક પદ નોંધાયેલાં છે તે કોઈ જૈનેતર કવિ જણાય છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સસંપમાહાત્મ્ય.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સસંપમાહાત્મ્ય.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. {{Right|[કા.શા.]}}
[કા.શા.]
   
   
અમરકીર્તિ(સૂરિ)[ઈ.૧૬૨૧માં હયાત] : જૈન સાધુ. ભૂલથી અમિતગતિ દિગંબર જૈનાચાર્યના પ્રશિષ્ય ગણાવાયેલા આ કર્તા હકીકતે નાગોરી તપગચ્છના રત્નેશખરસૂરિની પરંપરાના હર્ષકીર્તિના ગુરુબંધુ માનકીર્તિસૂરિના શિષ્ય છે. ઈ.૧૬૨૧માં તેમણે ‘સૌંદર્યલહરીસટીક’ની પ્રત લખી હતી. એમણે હર્ષકીર્તિસૂરિના સંસ્કૃત ગ્રંથ ‘યોગચિંતામણિ’ પર તથા રત્નશેખરસૂરિના પ્રાકૃત ગ્રંથ ‘છંદકોશ’ પર (બંનેની લે. સં. ૧૮મી સદી અનુ.) બાલાવબોધ રચ્યો છે. તેમણે સંસ્કૃતમાં ‘સંબોધસિત્તરી’ પર ટીકા કરેલી છે.
'''અમરકીર્તિ(સૂરિ)'''[ઈ.૧૬૨૧માં હયાત] : જૈન સાધુ. ભૂલથી અમિતગતિ દિગંબર જૈનાચાર્યના પ્રશિષ્ય ગણાવાયેલા આ કર્તા હકીકતે નાગોરી તપગચ્છના રત્નેશખરસૂરિની પરંપરાના હર્ષકીર્તિના ગુરુબંધુ માનકીર્તિસૂરિના શિષ્ય છે. ઈ.૧૬૨૧માં તેમણે ‘સૌંદર્યલહરીસટીક’ની પ્રત લખી હતી. એમણે હર્ષકીર્તિસૂરિના સંસ્કૃત ગ્રંથ ‘યોગચિંતામણિ’ પર તથા રત્નશેખરસૂરિના પ્રાકૃત ગ્રંથ ‘છંદકોશ’ પર (બંનેની લે. સં. ૧૮મી સદી અનુ.) બાલાવબોધ રચ્યો છે. તેમણે સંસ્કૃતમાં ‘સંબોધસિત્તરી’ પર ટીકા કરેલી છે.
અમરકીર્તિને નામે મળતી ૩૮ કડીની ‘ખેમઋષિપારણું-સઝાય’ (લે. ઈ.૧૭૨૯)ના કર્તા પણ કદાચ આ કવિ હોય.  
અમરકીર્તિને નામે મળતી ૩૮ કડીની ‘ખેમઋષિપારણું-સઝાય’ (લે. ઈ.૧૭૨૯)ના કર્તા પણ કદાચ આ કવિ હોય.  
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}
   
   
અમરચંદ/અમરચંદ્ર/અમરચંદ્ર(સૂરિ) : અમરચંદ્રને નામે ૩ પાર્શ્વનાથાદિ સ્તુતિઓ, ૧૬ કડીની ‘સીમંધરસ્વામીવિનંતી’ અને ૫ કડીની ‘નેમિ-ગીત’ અને અમરચંદ્રસૂરિને નામે ૭૦૦૦ ગ્રંથાગ્રની ‘રાજપ્રશ્નીયોપાંગસૂત્ર-સ્તબક’ (લે. ઈ.૧૮૨૯) એ કૃતિઓ મળે છે. આ અમરચંદ્ર કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''અમરચંદ/અમરચંદ્ર/અમરચંદ્ર(સૂરિ)''' : અમરચંદ્રને નામે ૩ પાર્શ્વનાથાદિ સ્તુતિઓ, ૧૬ કડીની ‘સીમંધરસ્વામીવિનંતી’ અને ૫ કડીની ‘નેમિ-ગીત’ અને અમરચંદ્રસૂરિને નામે ૭૦૦૦ ગ્રંથાગ્રની ‘રાજપ્રશ્નીયોપાંગસૂત્ર-સ્તબક’ (લે. ઈ.૧૮૨૯) એ કૃતિઓ મળે છે. આ અમરચંદ્ર કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
અમરચંદને નામે એક હિંદી સ્તુતિ (મુ.) મળે છે, તે કોઈ અર્વાચીન કવિ પણ હોય.
અમરચંદને નામે એક હિંદી સ્તુતિ (મુ.) મળે છે, તે કોઈ અર્વાચીન કવિ પણ હોય.
કૃતિ : જૈકાસંગ્રહ.
કૃતિ : જૈકાસંગ્રહ.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}


અમરચંદ્ર-૧/અમર(મુનિ)[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનના ગુરુબંધુ સહજકુશલની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. ૨૮૦ કડીની ‘કુલધ્વજકુમાર-રાસ’ (૨. ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, મહા સુદ ૧૫, રવિવાર), ૬૧ કડીની ‘રામસીતા-લેખ/ સીતાવિરહ’ (૨. ઈ.૧૬૨૩/સં. ૧૬૭૯, અધિક અસાડ સુદ ૧૫), ૮ કડીની ‘ગુરુ-સઝાય’, ૯ કડીની ‘નારીપરિહારશિખામણ-સઝાય/સ્ત્રીરાગત્યજન-સઝાય’, ૭ કડીની ‘(ભટેવાચાણસ્મામંડન) પાર્શ્વનાથ-સ્તવન’ તથા ૧૬ કડીની ‘યુગપ્રધાનસંખ્યા-સઝાય’(મુ.) એ કૃતિઓના કર્તા.  
'''અમરચંદ્ર-૧/અમર(મુનિ)'''[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનના ગુરુબંધુ સહજકુશલની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. ૨૮૦ કડીની ‘કુલધ્વજકુમાર-રાસ’ (૨. ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, મહા સુદ ૧૫, રવિવાર), ૬૧ કડીની ‘રામસીતા-લેખ/ સીતાવિરહ’ (૨. ઈ.૧૬૨૩/સં. ૧૬૭૯, અધિક અસાડ સુદ ૧૫), ૮ કડીની ‘ગુરુ-સઝાય’, ૯ કડીની ‘નારીપરિહારશિખામણ-સઝાય/સ્ત્રીરાગત્યજન-સઝાય’, ૭ કડીની ‘(ભટેવાચાણસ્મામંડન) પાર્શ્વનાથ-સ્તવન’ તથા ૧૬ કડીની ‘યુગપ્રધાનસંખ્યા-સઝાય’(મુ.) એ કૃતિઓના કર્તા.  
કૃતિ : પસમુચ્ચય : ૨.
કૃતિ : પસમુચ્ચય : ૨.
સંદર્ભ : ૧. જૈગકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈગકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. {{Right|[કા.શા.]}}


અમરચંદ-૨[ઈ.૧૬૮૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગરસૂરિની પરંપરામાં મુનિચંદના શિષ્ય. વિદ્યાવિલાસનું જાણીતું કથાનક ઝડપી ગતિએ રજૂ કરતી ૩ ખંડની દુહા-દેશીબદ્ધ પદ્યવાર્તા ‘વિદ્યાવિલાસ-ચારિત્ર/પવાડો’ (૨. ઈ.૧૬૮૯/સં. ૧૭૪૫, ભાદરવા સુદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા.  
'''અમરચંદ-૨[ઈ.૧૬૮૯માં હયાત] :''' અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગરસૂરિની પરંપરામાં મુનિચંદના શિષ્ય. વિદ્યાવિલાસનું જાણીતું કથાનક ઝડપી ગતિએ રજૂ કરતી ૩ ખંડની દુહા-દેશીબદ્ધ પદ્યવાર્તા ‘વિદ્યાવિલાસ-ચારિત્ર/પવાડો’ (૨. ઈ.૧૬૮૯/સં. ૧૭૪૫, ભાદરવા સુદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા.  
કૃતિ : વિદ્યાવિલાસ, પ્ર. ખીઅસિંહ પ્રે. શાહ, ઈ.૧૯૧૫.
કૃતિ : વિદ્યાવિલાસ, પ્ર. ખીઅસિંહ પ્રે. શાહ, ઈ.૧૯૧૫.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [કા.શા.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨). {{Right|[કા.શા.]}}


અમરચંદ-૩ [ઈ.૧૯મી સદી] : વહતડી(ઝાલાવાડ)ના દશા શ્રીમાળી વણિક. સ્વામિનારાયણસંપ્રદાયના અનુયાયી. હોકો વગેરે કલિયુગનાં વ્યસનો વિશેના ૧૮ કુંડળિયા(મુ.)ના કર્તા.
'''અમરચંદ-૩ [ઈ.૧૯મી સદી] :''' વહતડી(ઝાલાવાડ)ના દશા શ્રીમાળી વણિક. સ્વામિનારાયણસંપ્રદાયના અનુયાયી. હોકો વગેરે કલિયુગનાં વ્યસનો વિશેના ૧૮ કુંડળિયા(મુ.)ના કર્તા.
કૃતિ : છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧ (+સં.). [હ.ત્રિ.]
કૃતિ : છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧ (+સં.). {{Right|[હ.ત્રિ.]}}


અમરબાઈ[ઈ.૧૮મી સદી] : જ્ઞાતિએ આહીર. પીઠડિયા કે મૂંજિયાસરનાં રહીશ ગણાવાયાં છે. તેઓ યુવાવસ્થામાં જ પરબવાવડીના સંત દેવીદાસથી પ્રભાવિત થઈ તેમનાં શિષ્યા બનેલાં, અને રક્તપિત્તિયાંની સેવાનો ધર્મ સ્વીકારેલો. એમનાં ગુરુભક્તિનાં ૫ પદો મુદ્રિત મળે છે.
'''અમરબાઈ[ઈ.૧૮મી સદી] :''' જ્ઞાતિએ આહીર. પીઠડિયા કે મૂંજિયાસરનાં રહીશ ગણાવાયાં છે. તેઓ યુવાવસ્થામાં જ પરબવાવડીના સંત દેવીદાસથી પ્રભાવિત થઈ તેમનાં શિષ્યા બનેલાં, અને રક્તપિત્તિયાંની સેવાનો ધર્મ સ્વીકારેલો. એમનાં ગુરુભક્તિનાં ૫ પદો મુદ્રિત મળે છે.
કૃતિ : પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૩૮, ઈ.૧૯૭૫(+સં.). [કી.જો.]
કૃતિ : પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૩૮, ઈ.૧૯૭૫(+સં.). {{Right|[કી.જો.]}}


અમરરત્ન(સૂરિ)[  ] : ૬૮ કડીના ‘ચતુ:પર્વીકુલક’ (લે. સં. ૧૭મી સદી)ના કર્તા.
'''અમરરત્ન(સૂરિ)'''[  ] : ૬૮ કડીના ‘ચતુ:પર્વીકુલક’ (લે. સં. ૧૭મી સદી)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}


અમરરત્ન(સૂરિ)શિષ્ય[ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : આગમગચ્છના જૈન સાધુ. આંતરયમકવાળા દુહામાં રચાયેલા ‘અમરરત્નસૂરિ-ફાગુ’(મુ.)ના કર્તા. આચાર્ય અમરરત્નસૂરિને ઈ.૧૪૫૭માં સૂરિપદ આપવામાં આવ્યું ત્યારે કે પછી તેમની હયાતીમાં રચાયેલું આ કાવ્ય એ સૂરિનો મહિમા અને પ્રભાવ વર્ણવે છે.અમરરત્નસૂરિના ગુરુ હેમરત્નસૂરિ વિશેનું ૧ ફાગુકાવ્ય મળે છે. તેનાં પદબંધ અને શૈલી આ કાવ્યનાં જેવાં જ છે; તેથી બન્નેના કર્તા એક હોવાની સંભાવના ઊભી થાય છે. જુઓ હેમરત્નસૂરિશિષ્ય.
'''અમરરત્ન(સૂરિ)શિષ્ય[ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] :''' આગમગચ્છના જૈન સાધુ. આંતરયમકવાળા દુહામાં રચાયેલા ‘અમરરત્નસૂરિ-ફાગુ’(મુ.)ના કર્તા. આચાર્ય અમરરત્નસૂરિને ઈ.૧૪૫૭માં સૂરિપદ આપવામાં આવ્યું ત્યારે કે પછી તેમની હયાતીમાં રચાયેલું આ કાવ્ય એ સૂરિનો મહિમા અને પ્રભાવ વર્ણવે છે.અમરરત્નસૂરિના ગુરુ હેમરત્નસૂરિ વિશેનું ૧ ફાગુકાવ્ય મળે છે. તેનાં પદબંધ અને શૈલી આ કાવ્યનાં જેવાં જ છે; તેથી બન્નેના કર્તા એક હોવાની સંભાવના ઊભી થાય છે. જુઓ હેમરત્નસૂરિશિષ્ય.
કૃતિ : ૧ પંદરમા શતકનાં ચાર ફાગુકાવયો, સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૫૫; ૨. પ્રાફાગુસંગ્રહ. [કી.જો.]
કૃતિ : ૧ પંદરમા શતકનાં ચાર ફાગુકાવયો, સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૫૫; ૨. પ્રાફાગુસંગ્રહ. {{Right|[કી.જો.]}}
અમરવિજય : આ નામે મળતી કૃતિઓમાંથી ૭ કડીની ‘ઋષભજિન-સ્તવન’, ‘રત્નપાળ-રાસ’ (લે. ઈ.૧૭૦૬;) અને ‘દશાર્ણભદ્ર-સઝાય’ (લે. ઈ.૧૮૦૨)ના કર્તા કયા અમરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૧૧ કડીની ‘સીમંધરસ્વામી-સ્તવન’(ર. ઈ.૧૭૫૮)ના કર્તા અમરવિજય-૫ હોવાની શક્યતા   છે.
'''અમરવિજય :''' આ નામે મળતી કૃતિઓમાંથી ૭ કડીની ‘ઋષભજિન-સ્તવન’, ‘રત્નપાળ-રાસ’ (લે. ઈ.૧૭૦૬;) અને ‘દશાર્ણભદ્ર-સઝાય’ (લે. ઈ.૧૮૦૨)ના કર્તા કયા અમરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૧૧ કડીની ‘સીમંધરસ્વામી-સ્તવન’(ર. ઈ.૧૭૫૮)ના કર્તા અમરવિજય-૫ હોવાની શક્યતા   છે.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦ - ‘બાલાપુર ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, કાંતિસાગરજી;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦ - ‘બાલાપુર ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, કાંતિસાગરજી;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}
   
   
અમરવિજય-૧ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિ-વિજયરાજસૂરિના શિષ્ય. ‘શ્રેયાંસજિન-સ્તવન’ (૨. ઈ.૧૬૫૮) અને ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા.
'''અમરવિજય-૧ [ઈ.૧૬૫૮માં હયાત] :''' તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિ-વિજયરાજસૂરિના શિષ્ય. ‘શ્રેયાંસજિન-સ્તવન’ (૨. ઈ.૧૬૫૮) અને ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૨. મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૨. મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}
   
   
અમરવજિય-૨[ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : રાસકવિ. ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉદયતિલકના શિષ્ય. આ કવિની નાનીમોટી કુલ ૧૫ કૃતિઓના નિર્દેશો મળે છે, જેમાંની ઘણીખરી તો રાસાત્મક છે : ‘ભાવ-પચીસી’ (૨. ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, પોષ વદ ૧૦), ‘સિદ્ધાચલ-સ્તવન’ (૨. ઈ.૧૭૧૩), ‘સુમંગલ-રાસ’ (૨. ઈ.૧૭૧૫), ‘મુચ્છમાખડ-કથા’ (ર. ઈ.૧૭૧૯), ‘મેતાર્ય-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, શ્રાવણ સુદ ૧૩), ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, અધિક ભાદરવા સુદ ૧, બુધવાર), ‘સુકોશલ-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૪ ? / સં. ૧૭૯૦ ?, પોષ સુદ ૧૩), ‘સુપ્રતિષ્ઠા-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૮/સં. ૧૭૯૪, માગશર-, રવિવાર), ‘અરિહંતદ્વાદશગુણ-સતવન’ (ર. ઈ.૧૭૩૯), ‘કાલાશબેસી/કાલાસવેલી-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, વૈશાખ સુદ ૩), ૮ સર્ગની ‘સુદર્શન-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, ભાદરવા સુદ ૫), ‘પૂજા-બત્તીસી’ (ર. ઈ.૧૭૪૩), ‘સમ્યક્ત્વસડસઠબોલ-સઝાય’ (ર. ઈ.૧૭૪૪), ‘ધર્મદત્ત-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૭/સં. ૧૮૦૩, કારતક વદ ૧૩, ધનતેરસ), ૧૫૪૦ કડીની ‘કેશી-ચોપાઈ’ (ર. ઈ.૧૭૫૦/સં. ૧૮૦૬, આસો સુદ ૧૦). કવિની કેટલીક કૃતિઓ હિંદીમાં હોવાનું જણાય છે.
'''અમરવજિય-૨[ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] :''' રાસકવિ. ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉદયતિલકના શિષ્ય. આ કવિની નાનીમોટી કુલ ૧૫ કૃતિઓના નિર્દેશો મળે છે, જેમાંની ઘણીખરી તો રાસાત્મક છે : ‘ભાવ-પચીસી’ (૨. ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, પોષ વદ ૧૦), ‘સિદ્ધાચલ-સ્તવન’ (૨. ઈ.૧૭૧૩), ‘સુમંગલ-રાસ’ (૨. ઈ.૧૭૧૫), ‘મુચ્છમાખડ-કથા’ (ર. ઈ.૧૭૧૯), ‘મેતાર્ય-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, શ્રાવણ સુદ ૧૩), ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, અધિક ભાદરવા સુદ ૧, બુધવાર), ‘સુકોશલ-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૪ ? / સં. ૧૭૯૦ ?, પોષ સુદ ૧૩), ‘સુપ્રતિષ્ઠા-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૮/સં. ૧૭૯૪, માગશર-, રવિવાર), ‘અરિહંતદ્વાદશગુણ-સતવન’ (ર. ઈ.૧૭૩૯), ‘કાલાશબેસી/કાલાસવેલી-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, વૈશાખ સુદ ૩), ૮ સર્ગની ‘સુદર્શન-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, ભાદરવા સુદ ૫), ‘પૂજા-બત્તીસી’ (ર. ઈ.૧૭૪૩), ‘સમ્યક્ત્વસડસઠબોલ-સઝાય’ (ર. ઈ.૧૭૪૪), ‘ધર્મદત્ત-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૭/સં. ૧૮૦૩, કારતક વદ ૧૩, ધનતેરસ), ૧૫૪૦ કડીની ‘કેશી-ચોપાઈ’ (ર. ઈ.૧૭૫૦/સં. ૧૮૦૬, આસો સુદ ૧૦). કવિની કેટલીક કૃતિઓ હિંદીમાં હોવાનું જણાય છે.
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ગુસાઇતિહાસ : ૨,  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [કા.શા.]
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ગુસાઇતિહાસ : ૨,  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). {{Right|[કા.શા.]}}
   
   
અમરવિજય-૩[ઈ.૧૭૧૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાવણ્યવિજયની પંરપરામાં નિત્યવિજયના શિષ્ય. ૨૩ કડીના ‘(સિયાણીગામમંડન) શાંતિનાથ-સ્તવન’ (ર. ઈ.૧૭૧૦)ના કર્તા.
'''અમરવિજય-૩[ઈ.૧૭૧૦માં હયાત] :''' તપગચ્છના જૈન સાધુ. લાવણ્યવિજયની પંરપરામાં નિત્યવિજયના શિષ્ય. ૨૩ કડીના ‘(સિયાણીગામમંડન) શાંતિનાથ-સ્તવન’ (ર. ઈ.૧૭૧૦)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}
   
   
અમરવિજય-૪[ઈ.૧૭૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પંડિત લક્ષ્મીવિજયના શિષ્ય. ૧૬૧ કડીની ચોપાઈની દેશીમાં રચાયેલી ‘સિદ્ધાચલજી/શત્રુંજયના સંઘનો સલોકો’ (ર. ઈ.૧૭૧૪; મુ.) એ કૃતિના કર્તા. સુરતના શ્રાવક પ્રેમજી પારેખે ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦ના ચૈત્ર સુદ ૧૦ને દિવસે સુરતથી પાલિતાણાનો છ ‘રી’ (= ૬ પ્રકારના નિયમો) પાળતો સંઘ કાઢેલો તેનું વર્ણન તે જ વર્ષે આ કૃતિમાં કવિએ આપ્યું છે.
'''અમરવિજય-૪[ઈ.૧૭૪૧માં હયાત] :''' તપગચ્છના જૈન સાધુ. પંડિત લક્ષ્મીવિજયના શિષ્ય. ૧૬૧ કડીની ચોપાઈની દેશીમાં રચાયેલી ‘સિદ્ધાચલજી/શત્રુંજયના સંઘનો સલોકો’ (ર. ઈ.૧૭૧૪; મુ.) એ કૃતિના કર્તા. સુરતના શ્રાવક પ્રેમજી પારેખે ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦ના ચૈત્ર સુદ ૧૦ને દિવસે સુરતથી પાલિતાણાનો છ ‘રી’ (= ૬ પ્રકારના નિયમો) પાળતો સંઘ કાઢેલો તેનું વર્ણન તે જ વર્ષે આ કૃતિમાં કવિએ આપ્યું છે.
કૃતિ : સૂર્યપુર રાસમાળા, પ્ર. મોતીભાઈ મ. ચોકસી, ઈ.૧૯૪૦. [કા.શા.]
કૃતિ : સૂર્યપુર રાસમાળા, પ્ર. મોતીભાઈ મ. ચોકસી, ઈ.૧૯૪૦. {{Right|[કા.શા.]}}
   
   
અમરવિજય-૫[ઈ.૧૭૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સદાવિજય-સુરેન્દ્રવિજયના શિષ્ય. ૧૩૫ કડીની ‘શાંતિજિન-સ્તુતિ’ (ર. ઈ.૧૭૬૩)ના કર્તા.
'''અમરવિજય-૫[ઈ.૧૭૬૩માં હયાત] :''' તપગચ્છના જૈન સાધુ. સદાવિજય-સુરેન્દ્રવિજયના શિષ્ય. ૧૩૫ કડીની ‘શાંતિજિન-સ્તુતિ’ (ર. ઈ.૧૭૬૩)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કા.શા.]}}
   
   
અમરવિજય-૬ [  ] : જૈન સાધુ. શુભવિજયશિષ્ય. ૫ કડીની ‘પર્યુષણપર્વની સ્તુતિ’(મુ.)ના કર્તા.
'''અમરવિજય-૬''' [  ] : જૈન સાધુ. શુભવિજયશિષ્ય. ૫ કડીની ‘પર્યુષણપર્વની સ્તુતિ’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. સસંપમાહાત્મ્ય. [કા.શા.]
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. સસંપમાહાત્મ્ય. {{Right|[કા.શા.]}}
   
   
અમરસાગર[ઈ.૧૬૯૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પરંપરામાં પુણ્યસાગરના શિષ્ય. ‘ઉપદેશરત્નાકર’ને આધારે રચાયેલ ૬૧/૬૩ ઢાળના ‘રત્નચૂડચોપાઈ-રાસ’(ર. ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, મધુ માસ સુદ ૭/૧૦, ગુરુવાર)ના કર્તા.
'''અમરસાગર[ઈ.૧૬૯૨માં હયાત] :''' તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પરંપરામાં પુણ્યસાગરના શિષ્ય. ‘ઉપદેશરત્નાકર’ને આધારે રચાયેલ ૬૧/૬૩ ઢાળના ‘રત્નચૂડચોપાઈ-રાસ’(ર. ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, મધુ માસ સુદ ૭/૧૦, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}
   
   
અમરસાધુ[ઈ.૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. સોમસુંદરશિષ્ય. ‘વિવાહદોષ-બાલાવબોધ’ (લે. ઈ.૧૭૬૩)ના કર્તા.
'''અમરસાધુ[ઈ.૧૭૬૩ સુધીમાં] :''' જૈન સાધુ. સોમસુંદરશિષ્ય. ‘વિવાહદોષ-બાલાવબોધ’ (લે. ઈ.૧૭૬૩)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : રાહસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}
   
   
અમરસિંધુર[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જયસારના શિષ્ય. ‘નવાણુંપ્રકારીપૂજા’(ર. ઈ.૧૮૩૨/સં. ૧૮૮૮, વૈશાખ સુદ ૧૩), ‘પ્રદેશી-ચોપાઈ’ (ર. ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, કારતક વદ ૬), ‘સોલસ્વપ્ન-ચોઢાળિયાં’, ૬૫ કડીનું ‘કુશલસૂરિસ્થાનનામ ગર્ભિત-સ્તવન’ તેમ જ લે. ઈ.૧૮૩૨ની સ્વલિખિત પોથીમાં મળતી શતાધિક રચનાઓ − જેમાં ૧૦ કડીના ‘(બમ્બઈમંડન) ચિંતામણિ-પ્રતિષ્ઠા-સ્તવન’(મુ.), જેસલમેરના પટવાઓના સંઘની તીર્થમાલા (અપૂર્ણ), ચિંતામણિ પાર્શ્વનાથનાં સ્તવનો તથા પદોનો સમાવેશ થાય છે − તેના કર્તા. અમરસિંધુર ઈ.૧૮૨૧માં મુંબઈ ગયા પછી તેમની પ્રેરણાથી ઈ.૧૮૨૯માં મુંબઈના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરની સ્થાપના તથા પ્રતિષ્ઠા થયાની માહિતી મળે છે.
'''અમરસિંધુર[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] :''' બૃહત્ ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જયસારના શિષ્ય. ‘નવાણુંપ્રકારીપૂજા’(ર. ઈ.૧૮૩૨/સં. ૧૮૮૮, વૈશાખ સુદ ૧૩), ‘પ્રદેશી-ચોપાઈ’ (ર. ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, કારતક વદ ૬), ‘સોલસ્વપ્ન-ચોઢાળિયાં’, ૬૫ કડીનું ‘કુશલસૂરિસ્થાનનામ ગર્ભિત-સ્તવન’ તેમ જ લે. ઈ.૧૮૩૨ની સ્વલિખિત પોથીમાં મળતી શતાધિક રચનાઓ − જેમાં ૧૦ કડીના ‘(બમ્બઈમંડન) ચિંતામણિ-પ્રતિષ્ઠા-સ્તવન’(મુ.), જેસલમેરના પટવાઓના સંઘની તીર્થમાલા (અપૂર્ણ), ચિંતામણિ પાર્શ્વનાથનાં સ્તવનો તથા પદોનો સમાવેશ થાય છે − તેના કર્તા. અમરસિંધુર ઈ.૧૮૨૧માં મુંબઈ ગયા પછી તેમની પ્રેરણાથી ઈ.૧૮૨૯માં મુંબઈના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરની સ્થાપના તથા પ્રતિષ્ઠા થયાની માહિતી મળે છે.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૩ - ‘બમ્બઈમંડન શ્રી ચિંતામણિપ્રતિષ્ઠા-સ્તવન’, સં. અગરચંદ નાહટા (+સં).
કૃતિ : જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૩ - ‘બમ્બઈમંડન શ્રી ચિંતામણિપ્રતિષ્ઠા-સ્તવન’, સં. અગરચંદ નાહટા (+સં).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કા.શા.]}}
   
   
અમરસિંહ[ઈ.૧૭૭૪ સુધીમાં] : જૈન. ૧૩ કડીના ‘નેમિજિન બારમાસા’(લે. ઈ.૧૭૭૪)ના કર્તા.
'''અમરસિંહ[ઈ.૧૭૭૪ સુધીમાં] :''' જૈન. ૧૩ કડીના ‘નેમિજિન બારમાસા’(લે. ઈ.૧૭૭૪)ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી. [કા.શા.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[કા.શા.]}}
   
   
અમરસુંદર(પંડિત) [  ] : જૈન સાધુ. ૧૮ કડીના ‘યંત્રમહિમાવર્ણન છંદ/ષોડશકોષ્ટકયંત્ર(મહિમા)ચરિત્ર-ચોપાઈ’ (લે. સં. ૧૯મી સદી અનુ; મુ.) તથા ‘વીસાયંત્ર-ચોપાઈ’ના કર્તા.
'''અમરસુંદર(પંડિત)''' [  ] : જૈન સાધુ. ૧૮ કડીના ‘યંત્રમહિમાવર્ણન છંદ/ષોડશકોષ્ટકયંત્ર(મહિમા)ચરિત્ર-ચોપાઈ’ (લે. સં. ૧૯મી સદી અનુ; મુ.) તથા ‘વીસાયંત્ર-ચોપાઈ’ના કર્તા.
કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, ઈ.૧૮૮૪.
કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, ઈ.૧૮૮૪.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}
   
   
અમરહર્ષ : આ નામને ૭ કડીની ‘ગુરુ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે, તે કયા અમરહર્ષ છે તે નક્કી થઈ શકે તેમ નથી.
'''અમરહર્ષ :''' આ નામને ૭ કડીની ‘ગુરુ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે, તે કયા અમરહર્ષ છે તે નક્કી થઈ શકે તેમ નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}
   
   
અમરહર્ષ(ગણિ)-૧[ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિ(આચાર્યકાળ ઈ.૧૫૩૧-ઈ.૧૫૬૬)ના શિષ્ય. ભૂલથી અમરહર્ષગણિશિષ્યને નામે મુકાયેલા ૧૫ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના કર્તા.
'''અમરહર્ષ(ગણિ)-૧[ઈ.૧૬મી સદી મધ્યભાગ] :''' તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિ(આચાર્યકાળ ઈ.૧૫૩૧-ઈ.૧૫૬૬)ના શિષ્ય. ભૂલથી અમરહર્ષગણિશિષ્યને નામે મુકાયેલા ૧૫ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]
   
   
અમિયલ : જુઓ ચૂડ-વિજોગણ.
'''અમિયલ :''' જુઓ ચૂડ-વિજોગણ.
   
   
અમીપાલ[ઈ.૧૫૧૬માં હયાત] : શ્રાવક કવિ. મહીપાલરાજાની દાનવૃત્તિ વિશે ૧૦૯૩ કડીની રચના ‘મહીપાલનો રાસ’ (ર. ઈ.૧૫૧૬/સં. ૧૫૭૨, આસો સુદ ૫, ગુરુવાર)ના કર્તા.
'''અમીપાલ[ઈ.૧૫૧૬માં હયાત] :''' શ્રાવક કવિ. મહીપાલરાજાની દાનવૃત્તિ વિશે ૧૦૯૩ કડીની રચના ‘મહીપાલનો રાસ’ (ર. ઈ.૧૫૧૬/સં. ૧૫૭૨, આસો સુદ ૫, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}}


‘અમીયકુંવર’ : જુઓ અમીવિજયશિષ્ય કુંવરવિજય.
'''‘અમીયકુંવર’ :''' જુઓ અમીવિજયશિષ્ય કુંવરવિજય.
   
   
અમીવિજય[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રૂપવિજયના શિષ્ય. ૮૬ કડીના ‘નેમરાજુલ-બારમાસ’ (ર. ઈ.૧૮૩૩; મુ.), ઈ.૧૮૩૭માં અમદાવાદના શેઠ હઠીસિંગે કાઢેલ કેસરિયાજીના યાત્રાસંઘનું વર્ણન કરતું ૮૦ કડીનું ‘શેઠ હઠીસિંગ-સંઘવર્ણન-સ્તવન’ (મુ.), ‘નેમ-રાસો’ (મુ.) અને ૧૮ કડીનું ‘મહાવીરસ્વામીનું પારણું’ (મુ.) એ કૃતિઓના કર્તા. કોઈક સંદર્ભોમાં ભૂલથી અભિવિજયને નામે ઉલ્લેખાયા છે તે આ જ કવિ છે.
'''અમીવિજય[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] :''' તપગચ્છના જૈન સાધુ. રૂપવિજયના શિષ્ય. ૮૬ કડીના ‘નેમરાજુલ-બારમાસ’ (ર. ઈ.૧૮૩૩; મુ.), ઈ.૧૮૩૭માં અમદાવાદના શેઠ હઠીસિંગે કાઢેલ કેસરિયાજીના યાત્રાસંઘનું વર્ણન કરતું ૮૦ કડીનું ‘શેઠ હઠીસિંગ-સંઘવર્ણન-સ્તવન’ (મુ.), ‘નેમ-રાસો’ (મુ.) અને ૧૮ કડીનું ‘મહાવીરસ્વામીનું પારણું’ (મુ.) એ કૃતિઓના કર્તા. કોઈક સંદર્ભોમાં ભૂલથી અભિવિજયને નામે ઉલ્લેખાયા છે તે આ જ કવિ છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. પ્રામબાસંગ્રહ; ૩. બૃકાદોહન : ૨;  ૪. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શેઠ હઠીસિંગ સંઘવર્ણન-સ્તવન’, સં. શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. પ્રામબાસંગ્રહ; ૩. બૃકાદોહન : ૨;  ૪. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શેઠ હઠીસિંગ સંઘવર્ણન-સ્તવન’, સં. શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}}
   
   
અમૉલક(સૂરિ) શિષ્ય[  ] : જૈન સાધુ. ૨૪ કડીની ‘ચતુર્ગતિભવસ્વરૂપવિજ્ઞપ્તિ’ના કર્તા.
'''અમૉલક(સૂરિ) શિષ્ય'''[  ] : જૈન સાધુ. ૨૪ કડીની ‘ચતુર્ગતિભવસ્વરૂપવિજ્ઞપ્તિ’ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [કી.જો.]
સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). {{Right|[કી.જો.]}}
   
   
અમૃત-૧[ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. વિજયદેવસૂરિના આચાર્યકાળ(ઈ.૧૬૦૦-ઈ.૧૬૫૭)માં રચાયેલી ૧૬ કડીની ‘નળદમયંતીની સઝાય’(મુ.)ના કર્તા.
'''અમૃત-૧'''[ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. વિજયદેવસૂરિના આચાર્યકાળ(ઈ.૧૬૦૦-ઈ.૧૬૫૭)માં રચાયેલી ૧૬ કડીની ‘નળદમયંતીની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧ મોસસંગ્રહ; ૨. સઝાયમાળા, પ્ર. લલ્લુભાઈ કરમચંદ, ઈ.૧૮૬૫. [વ.દ.]
કૃતિ : ૧ મોસસંગ્રહ; ૨. સઝાયમાળા, પ્ર. લલ્લુભાઈ કરમચંદ, ઈ.૧૮૬૫. {{Right|[વ.દ.]}}
   
   
અમૃત-૨ [  ] : ૩ કડીના ‘અંબાજીનું પ્રભાતિયું’ (મુ.) તથા ૪ કડીની ‘માતાજીની સ્તુતિ’(મુ.)ના કર્તા કોઈ એક જ અમૃત હોય એમ સમજાય છે. ‘અંબાજીનું પ્રભાતિયું’ ભૂલથી અંબાબાઈને નામે પણ નોંધાયેલ છે.
'''અમૃત-૨''' [  ] : ૩ કડીના ‘અંબાજીનું પ્રભાતિયું’ (મુ.) તથા ૪ કડીની ‘માતાજીની સ્તુતિ’(મુ.)ના કર્તા કોઈ એક જ અમૃત હોય એમ સમજાય છે. ‘અંબાજીનું પ્રભાતિયું’ ભૂલથી અંબાબાઈને નામે પણ નોંધાયેલ છે.
કૃતિ : ૧. ભવાઈ(અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
કૃતિ : ૧. ભવાઈ(અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}
   
   
અમૃતકલશ[ઈ.૧૫૧૯માં હયાત] : ઓસગચ્છના જૈન સાધુ. મતિકલશના શિષ્ય શ્રીકલશના શિષ્ય. રણથંભોરના ચૌહાણ રાજવી હમ્મીરદેવે પોતાને આશરે આવેલા મુસ્લિમ અમીરોને બચાવવા માટે અલાઉદ્દીન સામે લડતાં કરેલા સર્વસ્વસમર્પણને બિરદાવતા ૬૮૧ કડીના ‘હમ્મીર-પ્રબંધ’ ← (ર. ઈ.૧૫૧૯/સં. ૧૫૭૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા.
'''અમૃતકલશ'''[ઈ.૧૫૧૯માં હયાત] : ઓસગચ્છના જૈન સાધુ. મતિકલશના શિષ્ય શ્રીકલશના શિષ્ય. રણથંભોરના ચૌહાણ રાજવી હમ્મીરદેવે પોતાને આશરે આવેલા મુસ્લિમ અમીરોને બચાવવા માટે અલાઉદ્દીન સામે લડતાં કરેલા સર્વસ્વસમર્પણને બિરદાવતા ૬૮૧ કડીના ‘હમ્મીર-પ્રબંધ’ ← (ર. ઈ.૧૫૧૯/સં. ૧૫૭૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા.
કૃતિ : (અમૃતકલશકૃત) હમ્મીરપ્રબંધ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૩ (+સં.) [વ.દ.]
કૃતિ : (અમૃતકલશકૃત) હમ્મીરપ્રબંધ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૩ (+સં.) {{Right|[વ.દ.]}}
   
   
અમૃતચંદ્ર[  ] : જૈન. તેમણે અભયદેવસૂરિની મૂળ પ્રાકૃત કૃતિ ‘ઔપપાતિકસૂત્ર’ પર બાલાવબોધ (*મુ.) રચ્યો છે.
'''અમૃતચંદ્ર'''[  ] : જૈન. તેમણે અભયદેવસૂરિની મૂળ પ્રાકૃત કૃતિ ‘ઔપપાતિકસૂત્ર’ પર બાલાવબોધ (*મુ.) રચ્યો છે.
સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૭(૧). [વ.દ.]
સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૭(૧). {{Right|[વ.દ.]}}
   
   
અમૃતધર્મ(વાચક)[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭૯૫/સં. ૧૮૫૧, મહા સુદ ૮] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિસૂરિના શિષ્ય અને જિનલાભસૂરિના ગુરુબંધુ પ્રીતિસાગરના શિષ્ય. કચ્છમાં ઉપકેશ-વંશની વૃદ્ધ શાખામાં જન્મ. જેસલમેરમાં અવસાન. ૧૧ કડીના ‘(આબુગિરિમંડન) ઋષભજિનેન્દ્ર-સ્તવન’ (ર. ઈ.૧૭૭૮; મુ.), ૭ કડીના ‘(લોદ્રવપુરમંડન) સહસ્ત્રફણાપાર્શ્વનાથ-જિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૦/સં. ૧૮૩૬, ફાગણ વદ ૯; મુ.), ૭ કડીના ‘સંભવનાથજિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૯/સં. ૧૮૪૪, માધવ માસ સુદ ૫; મુ.), ૭ કડીના ‘(મહિમાપુરમંડન) સુવિધિનાથ-જિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૯/સં. ૧૮૪૫, માગશર સુદ ૧૧; મુ.) તથા જિનેશ્વર વિશેનાં અન્ય કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવનોના કર્તા.
'''અમૃતધર્મ(વાચક)'''[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭૯૫/સં. ૧૮૫૧, મહા સુદ ૮] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિસૂરિના શિષ્ય અને જિનલાભસૂરિના ગુરુબંધુ પ્રીતિસાગરના શિષ્ય. કચ્છમાં ઉપકેશ-વંશની વૃદ્ધ શાખામાં જન્મ. જેસલમેરમાં અવસાન. ૧૧ કડીના ‘(આબુગિરિમંડન) ઋષભજિનેન્દ્ર-સ્તવન’ (ર. ઈ.૧૭૭૮; મુ.), ૭ કડીના ‘(લોદ્રવપુરમંડન) સહસ્ત્રફણાપાર્શ્વનાથ-જિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૦/સં. ૧૮૩૬, ફાગણ વદ ૯; મુ.), ૭ કડીના ‘સંભવનાથજિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૯/સં. ૧૮૪૪, માધવ માસ સુદ ૫; મુ.), ૭ કડીના ‘(મહિમાપુરમંડન) સુવિધિનાથ-જિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૯/સં. ૧૮૪૫, માગશર સુદ ૧૧; મુ.) તથા જિનેશ્વર વિશેનાં અન્ય કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવનોના કર્તા.
કૃતિ : ચૈત્યવંદન સ્તવન સંગ્રહ, પ્ર. સુગનચંદજી ઉ. બાઠિયા, સં. ૧૯૮૨.
કૃતિ : ચૈત્યવંદન સ્તવન સંગ્રહ, પ્ર. સુગનચંદજી ઉ. બાઠિયા, સં. ૧૯૮૨.
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. મુપુગૂહસૂચી. [વ.દ.]
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}}
   
   
અમૃતવિજય : આ નામે ૧૧ કડીની ‘નેમિનાથ-સ્તવન’, ‘પદ્મપ્રભજિન-સ્તવન’, ૧૩ કડીની ‘પ્રતિમાસ્થાપન-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે તેનું કર્તૃત્વ કયા અમૃતવિજયનું છે તે નક્કી થઈ શકતું નથી.
'''અમૃતવિજય :''' આ નામે ૧૧ કડીની ‘નેમિનાથ-સ્તવન’, ‘પદ્મપ્રભજિન-સ્તવન’, ૧૩ કડીની ‘પ્રતિમાસ્થાપન-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે તેનું કર્તૃત્વ કયા અમૃતવિજયનું છે તે નક્કી થઈ શકતું નથી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}
   
   
અમૃતવિજય(વાચક)-૧[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયરાજસૂરિના શિષ્ય. વિજયરાજના આચાર્યકાળ (ઈ.૧૬૪૭/૪૮-ઈ.૧૬૮૬)માં રચાયેલ ૨૫ કડીના ‘આચાર્યનામગર્ભિત-ચોવીસજિનનમસ્કાર’(મુ.)ના કર્તા.
'''અમૃતવિજય(વાચક)-૧'''[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયરાજસૂરિના શિષ્ય. વિજયરાજના આચાર્યકાળ (ઈ.૧૬૪૭/૪૮-ઈ.૧૬૮૬)માં રચાયેલ ૨૫ કડીના ‘આચાર્યનામગર્ભિત-ચોવીસજિનનમસ્કાર’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાલા : ૧. [વ.દ.]
કૃતિ : ઐસમાલા : ૧. {{Right|[વ.દ.]}}
   
   
અમૃતવિજય-૨[ઈ.૧૭૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં પુણ્યવિજયશિષ્ય રંગવિજયના શિષ્ય. ૧૩૧ કડીના ‘મહાવીરજિન-સલોકો’ (ર. ઈ.૧૭૪૫/સં. ૧૮૦૧, પોષ વદ ૪), ‘ચોવીસી’ (૬ સ્તવનો મુ.), ૫ ઢાળનું ‘પંચ-પરમેષ્ઠી-સ્તવન’(મુ.), ‘પુણ્યવિજયગુરુનિર્વાણ’ તથા કેટલાંક ચૈત્યવંદનો અને સ્તવનો(કેટલાંક મુ.)ના કર્તા.
'''અમૃતવિજય-૨'''[ઈ.૧૭૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં પુણ્યવિજયશિષ્ય રંગવિજયના શિષ્ય. ૧૩૧ કડીના ‘મહાવીરજિન-સલોકો’ (ર. ઈ.૧૭૪૫/સં. ૧૮૦૧, પોષ વદ ૪), ‘ચોવીસી’ (૬ સ્તવનો મુ.), ૫ ઢાળનું ‘પંચ-પરમેષ્ઠી-સ્તવન’(મુ.), ‘પુણ્યવિજયગુરુનિર્વાણ’ તથા કેટલાંક ચૈત્યવંદનો અને સ્તવનો(કેટલાંક મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧, ૨; ૨. જૈગૂસારત્નો : ૧ (+સં.).
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧, ૨; ૨. જૈગૂસારત્નો : ૧ (+સં.).
સંદર્ભ : ૧ મુપુહૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]
સંદર્ભ : ૧ મુપુહૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}
   
   
અમૃતવિજય-૩[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં વિવેકવિજના શિષ્ય. દેશીઓ, ધ્રુવપદો અને આંતરપ્રાસથી સમૃદ્ધ, રાજિમતીના વિરહનું વર્ણન કરતી ૪૮ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’(ર. ઈ.૧૭૫૬; મુ.), ૫૪ કડીની ‘બત્રીસસ્થાનવિચારગર્ભિત-સ્તવન’(ર. ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ચૈત્ર સુદ ૩; મુ.), ૨૪ ઢાળની ‘નેમિનાથરાજીમતી-સંવાદના ચોવીસ ચોક’ (ર. ઈ.૧૭૮૩/સં. ૧૮૩૯, કારતક વદ ૫, રવિવાર), શત્રુંજયનાં સર્વ સ્થાનોને ભક્તિપૂર્વક વર્ણવતી ૧૦ ઢાળ અને ૧૪૪ કડીની ‘વિમલાચલ/શત્રુંજય/સિદ્ધાચલતીર્થમાલા’ (ર.ઈ.૧૭૮૪/સં. ૧૮૪૦, ફાગણ સુદ ૧૩; મુ.), ભાણવિજયને નામે જેનો અંતભાગ ઉદ્ધૃત થયો છે એ ૨ ખંડની ‘વિક્રમાદિત્યરાસ’(ર. ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, જેઠ સુદ ૫)એ કૃતિઓના કર્તા.
'''અમૃતવિજય-૩'''[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં વિવેકવિજના શિષ્ય. દેશીઓ, ધ્રુવપદો અને આંતરપ્રાસથી સમૃદ્ધ, રાજિમતીના વિરહનું વર્ણન કરતી ૪૮ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’(ર. ઈ.૧૭૫૬; મુ.), ૫૪ કડીની ‘બત્રીસસ્થાનવિચારગર્ભિત-સ્તવન’(ર. ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ચૈત્ર સુદ ૩; મુ.), ૨૪ ઢાળની ‘નેમિનાથરાજીમતી-સંવાદના ચોવીસ ચોક’ (ર. ઈ.૧૭૮૩/સં. ૧૮૩૯, કારતક વદ ૫, રવિવાર), શત્રુંજયનાં સર્વ સ્થાનોને ભક્તિપૂર્વક વર્ણવતી ૧૦ ઢાળ અને ૧૪૪ કડીની ‘વિમલાચલ/શત્રુંજય/સિદ્ધાચલતીર્થમાલા’ (ર.ઈ.૧૭૮૪/સં. ૧૮૪૦, ફાગણ સુદ ૧૩; મુ.), ભાણવિજયને નામે જેનો અંતભાગ ઉદ્ધૃત થયો છે એ ૨ ખંડની ‘વિક્રમાદિત્યરાસ’(ર. ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, જેઠ સુદ ૫)એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. પ્રામબાસંગ્રહ; ૨. શત્રુંજય તીર્થમાળા, રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩;  ૩. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૬ - ‘બત્રીસસ્થાનકવિચારગર્ભિત સ્તવન’, સં. શ્રી રમણિકવિજયજી.
કૃતિ : ૧. પ્રામબાસંગ્રહ; ૨. શત્રુંજય તીર્થમાળા, રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩;  ૩. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૬ - ‘બત્રીસસ્થાનકવિચારગર્ભિત સ્તવન’, સં. શ્રી રમણિકવિજયજી.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. (અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત) પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. (અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત) પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}}
   
   
અમૃતવિજય-૪[ઈ.૧૮૪૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હંસવિજયની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. ‘કલિયુગનો છંદ’- (ર. ઈ.૧૮૪૬/સં. ૧૯૦૨, વૈશાખ વદ ૧૦, બુધવાર)ના કર્તા.
'''અમૃતવિજય-૪'''[ઈ.૧૮૪૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હંસવિજયની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. ‘કલિયુગનો છંદ’- (ર. ઈ.૧૮૪૬/સં. ૧૯૦૨, વૈશાખ વદ ૧૦, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}}


અમૃતવિમલ : જુઓ ઋદ્ધિવિમલશિષ્ય કીર્તિવિમલ.
'''અમૃતવિમલ''' : જુઓ ઋદ્ધિવિમલશિષ્ય કીર્તિવિમલ.
   
   
અમૃતસાગર : આ નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૬ કડીનું ‘સ્થૂલિભદ્ર-ગીત’ મળે છે પણ એના કર્તા કયા અમૃતસાગર છે તે નિશ્ચિત થતું નથી.
'''અમૃતસાગર''' : આ નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૬ કડીનું ‘સ્થૂલિભદ્ર-ગીત’ મળે છે પણ એના કર્તા કયા અમૃતસાગર છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}
   
   
અમૃતસાગર-૧[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગરસૂરિની પરંપરામાં શીલસાગરના શિષ્ય. ૨ ખંડ, ૨૭ ઢાળ ને ૫૩૬ કડીના ‘મૃગસુંદરીકથાનક-રાસ’ (ર. ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, ભાદરવા સુદ ૫), ૩ ખંડ, ૪૪ ઢાળ અને ૯૨૫ કડીમાં રચાયેલ ‘જયસેનકુમાર-રાસ/રાત્રિભોજનપરિહાર-રાસ’ (ર. ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર), ૧૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર. ઈ.૧૬૭૯), ૧૩ કડીના ‘અજિતનાથ-સ્તવન’ તથા ૭ કડીના ‘સુવિધિજિન-સ્તવન’ના કર્તા.
'''અમૃતસાગર-૧'''[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગરસૂરિની પરંપરામાં શીલસાગરના શિષ્ય. ૨ ખંડ, ૨૭ ઢાળ ને ૫૩૬ કડીના ‘મૃગસુંદરીકથાનક-રાસ’ (ર. ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, ભાદરવા સુદ ૫), ૩ ખંડ, ૪૪ ઢાળ અને ૯૨૫ કડીમાં રચાયેલ ‘જયસેનકુમાર-રાસ/રાત્રિભોજનપરિહાર-રાસ’ (ર. ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર), ૧૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર. ઈ.૧૬૭૯), ૧૩ કડીના ‘અજિતનાથ-સ્તવન’ તથા ૭ કડીના ‘સુવિધિજિન-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [વ.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [વ.દ.]
   
   
અમૃતસાગર-૨[ઈ.૧૬૯૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયની પરંપરામાં શાંતિસાગરના શિષ્ય. ધર્મસાગરકૃત ‘સર્વજ્ઞ-શતક’ પર ૨ અધિકારમાં વહેંચાયેલા ૬૦૦૦ ગ્રંથાગ્રના બાલાવબોધ(ર. ઈ.૧૬૯૦)ના કર્તા.
'''અમૃતસાગર-૨'''[ઈ.૧૬૯૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયની પરંપરામાં શાંતિસાગરના શિષ્ય. ધર્મસાગરકૃત ‘સર્વજ્ઞ-શતક’ પર ૨ અધિકારમાં વહેંચાયેલા ૬૦૦૦ ગ્રંથાગ્રના બાલાવબોધ(ર. ઈ.૧૬૯૦)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[વ.દ.]}}
[વ.દ.]
   
   
અમૃતસાગર-૩[ઈ.૧૭૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ, ધર્મસાગરની પરંપરામાં દાનસાગરના શિષ્ય. ૭૬ કડીના ‘પુણ્યસાર-રાસ’(ર. ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, પુણ્ય માસ સુદ ૫, રવિવાર)ના કર્તા.
'''અમૃતસાગર-૩'''[ઈ.૧૭૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ, ધર્મસાગરની પરંપરામાં દાનસાગરના શિષ્ય. ૭૬ કડીના ‘પુણ્યસાર-રાસ’(ર. ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, પુણ્ય માસ સુદ ૫, રવિવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}}
   
   
અમૃતસુંદર[ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. ૧૫ કડીના ‘નેમદ્વાદશમાસા’ (લે. ઈ.૧૭૨૯)ના કર્તા.
'''અમૃતસુંદર'''[ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. ૧૫ કડીના ‘નેમદ્વાદશમાસા’ (લે. ઈ.૧૭૨૯)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}}
   
   
અમોલક(ઋષિ) [ઈ.૧૮૦૦માં હયાત] : જૈન સાધુ. ‘ભીમસેન-ચોપાઈ’ (ર. ઈ.૧૮૦૦)ના કર્તા.
'''અમોલક(ઋષિ)''' [ઈ.૧૮૦૦માં હયાત] : જૈન સાધુ. ‘ભીમસેન-ચોપાઈ’ (ર. ઈ.૧૮૦૦)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}
   
   
અરજણ/અરજણદાસ[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંત જીવણના શિષ્ય અને પ્રેમસાહેબ (જ. ઈ.૧૭૯૨ - અવ. ઈ.૧૮૬૩)ના ગુરુભાઈ.જ્ઞાતિએ રજપૂત. આહીર કે કોળી હોવાનું નોંધાયું છે તે અધિકૃત જણાતું નથી. ગોંડલ પાસે ભાદરા ગામના વતની. દીક્ષા ઈ.૧૮૦૯. હિંદીમિશ્ર ગુજરાતી અને હિંદીમાં યોગાનુભવના ચમત્કારને વર્ણવતાં કેટલાંક પદો(મુ.) તેમણે  
'''અરજણ/અરજણદાસ'''[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંત જીવણના શિષ્ય અને પ્રેમસાહેબ (જ. ઈ.૧૭૯૨ - અવ. ઈ.૧૮૬૩)ના ગુરુભાઈ.જ્ઞાતિએ રજપૂત. આહીર કે કોળી હોવાનું નોંધાયું છે તે અધિકૃત જણાતું નથી. ગોંડલ પાસે ભાદરા ગામના વતની. દીક્ષા ઈ.૧૮૦૯. હિંદીમિશ્ર ગુજરાતી અને હિંદીમાં યોગાનુભવના ચમત્કારને વર્ણવતાં કેટલાંક પદો(મુ.) તેમણે  
રચ્યાં છે.
રચ્યાં છે.
કૃતિ : ૧ અભમાલા; ૨. યોગવેદાન્ત ભજન ભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) [ચ.શે.]
કૃતિ : ૧ અભમાલા; ૨. યોગવેદાન્ત ભજન ભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) {{Right|[ચ.શે.]}}
   
   
અર્જુન/અર્જુનજી : અર્જુનને નામે ‘દશાવતાર’ તથા વ્રજભાષાના માનસમે તથા દાનસમેના સવૈયા અને કેટલાંક પદો તેમ જ અર્જુનજીને નામે ‘કૃષ્ણસ્મરણ’ તથા ‘અકલવેલ’ નોંધાયેલ મળે છે. આ કયા અર્જુન કે અર્જુનજી છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ઈ.૧૮૩૯થી ઈ.૧૮૫૪ દરમ્યાન હયાત પાદરપુર(તા. લીંબડી)ના કોળી અર્જુનનું ૧ હિંદી પદ મુદ્રિત મળે છે તે ઉપર્યુક્ત રચનાઓના કર્તા હોવાનું કહેવા માટે પણ કશો આધાર નથી. જુઓ અરજણ.
'''અર્જુન/અર્જુનજી''' : અર્જુનને નામે ‘દશાવતાર’ તથા વ્રજભાષાના માનસમે તથા દાનસમેના સવૈયા અને કેટલાંક પદો તેમ જ અર્જુનજીને નામે ‘કૃષ્ણસ્મરણ’ તથા ‘અકલવેલ’ નોંધાયેલ મળે છે. આ કયા અર્જુન કે અર્જુનજી છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ઈ.૧૮૩૯થી ઈ.૧૮૫૪ દરમ્યાન હયાત પાદરપુર(તા. લીંબડી)ના કોળી અર્જુનનું ૧ હિંદી પદ મુદ્રિત મળે છે તે ઉપર્યુક્ત રચનાઓના કર્તા હોવાનું કહેવા માટે પણ કશો આધાર નથી. જુઓ અરજણ.
કૃતિ : બૃકાદોહન : ૭(+સં.).
કૃતિ : બૃકાદોહન : ૭(+સં.).
સંદર્ભ : ૧ ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ; ૩. રાહસૂચી : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧ ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ; ૩. રાહસૂચી : ૧. {{Right|[ચ.શે.]}}
   
   
‘અર્દાવિરાફ-નામું’ [ર. ઈ.૧૬૭૨] : રુસ્તમ એવર્દરચિત ચોપાઈબદ્ધ આખ્યાનકાવ્ય(મુ.)
'''‘અર્દાવિરાફ-નામું’''' [ર. ઈ.૧૬૭૨] : રુસ્તમ એવર્દરચિત ચોપાઈબદ્ધ આખ્યાનકાવ્ય(મુ.)
ઈરાની બાદશાહ અરદેશરે નષ્ટપ્રાય થયેલા ઈરાની ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાન માટે વિરાફ નામના ધર્મગુરુને સદેહે સ્વર્ગમાં જઈ, ત્યાંના ધર્મ-સિદ્ધાન્તો જાણી લાવી, ઈરાની પ્રજામાં તેનો પ્રચાર-પ્રસાર કરવાની કામગીરી સોંપી હતી. ઈ.ત્રીજી સદીમાં એ ધર્મગુરુએ પહેલવી ભાષામાં, આરોગ્યના રક્ષણ અને ધર્માચરણ સંબંધી ઉપદેશ આપતો ગ્રંથ ‘અર્દાવિરાફ-નામું’ રચીને એ કામગીરી શી રીતે બજાવી તેનું વિગતપૂર્ણ તેમ જ વર્ણનપ્રધાન નિરૂપણ કરતું આ આખ્યાન રુસ્તમે મુખ્યત્વે ઉક્ત ધર્મગ્રંથ ‘અર્દાવિરાફ-નામું’, ઈ.૧૨મી સદીમાં જરથોસ્ત બહેરામ પજદુએ રચેલી ફારસી કૃતિ તથા રેવાયતો(પારસી ધર્મગ્રંથોનો શાસ્ત્રાર્થ કરતા ગ્રંથ)ના આધારે રચ્યું છે.
ઈરાની બાદશાહ અરદેશરે નષ્ટપ્રાય થયેલા ઈરાની ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાન માટે વિરાફ નામના ધર્મગુરુને સદેહે સ્વર્ગમાં જઈ, ત્યાંના ધર્મ-સિદ્ધાન્તો જાણી લાવી, ઈરાની પ્રજામાં તેનો પ્રચાર-પ્રસાર કરવાની કામગીરી સોંપી હતી. ઈ.ત્રીજી સદીમાં એ ધર્મગુરુએ પહેલવી ભાષામાં, આરોગ્યના રક્ષણ અને ધર્માચરણ સંબંધી ઉપદેશ આપતો ગ્રંથ ‘અર્દાવિરાફ-નામું’ રચીને એ કામગીરી શી રીતે બજાવી તેનું વિગતપૂર્ણ તેમ જ વર્ણનપ્રધાન નિરૂપણ કરતું આ આખ્યાન રુસ્તમે મુખ્યત્વે ઉક્ત ધર્મગ્રંથ ‘અર્દાવિરાફ-નામું’, ઈ.૧૨મી સદીમાં જરથોસ્ત બહેરામ પજદુએ રચેલી ફારસી કૃતિ તથા રેવાયતો(પારસી ધર્મગ્રંથોનો શાસ્ત્રાર્થ કરતા ગ્રંથ)ના આધારે રચ્યું છે.
અર્દાવિરાફે વિવિધ સ્વર્ગ અને નરકના કરેલ પ્રત્યક્ષ દર્શનનું નિરૂપણ કરીને આખ્યાનકારે આ રચનામાં નરકની યાતનાઓથી બચવા તેમ જ સ્વર્ગીય સુખ પામવા માટે મનુષ્યે, ધર્મની હાંસી, વિશ્વાસઘાત, પરસ્ત્રી ને પરપુરુષગમન તથા પશુઓની કતલ જેવાં પાપકર્મોથી દૂર રહેવું જોઈએ તેમ જ ધર્મગુરુને માનપાન, પવિત્ર અગ્નિ(આતશ)નું રક્ષણ, ખેત્વોદથમ (નજીકના સગામાં લગ્ન) વગેરે પુણ્યકાર્યો કરવાં જોઈએ એવો સીધો ઉપદેશ  
અર્દાવિરાફે વિવિધ સ્વર્ગ અને નરકના કરેલ પ્રત્યક્ષ દર્શનનું નિરૂપણ કરીને આખ્યાનકારે આ રચનામાં નરકની યાતનાઓથી બચવા તેમ જ સ્વર્ગીય સુખ પામવા માટે મનુષ્યે, ધર્મની હાંસી, વિશ્વાસઘાત, પરસ્ત્રી ને પરપુરુષગમન તથા પશુઓની કતલ જેવાં પાપકર્મોથી દૂર રહેવું જોઈએ તેમ જ ધર્મગુરુને માનપાન, પવિત્ર અગ્નિ(આતશ)નું રક્ષણ, ખેત્વોદથમ (નજીકના સગામાં લગ્ન) વગેરે પુણ્યકાર્યો કરવાં જોઈએ એવો સીધો ઉપદેશ  
આપ્યો છે.
આપ્યો છે.
સૂરજ પૂર્વે આદરસૂચક ‘શ્રી’નો ઉપયોગ, શુકનવંતા વૃક્ષ તરીકે કેળના વૃક્ષની કલ્પના તથા સ્વર્ગનાં મકાનોનું હિન્દુ-મંદિરોનાં શિલ્પસ્થાપત્યને અનુસરતું વર્ણન વગેરે બાબતો કવિ ઉપર હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ સૂચવે છે.
સૂરજ પૂર્વે આદરસૂચક ‘શ્રી’નો ઉપયોગ, શુકનવંતા વૃક્ષ તરીકે કેળના વૃક્ષની કલ્પના તથા સ્વર્ગનાં મકાનોનું હિન્દુ-મંદિરોનાં શિલ્પસ્થાપત્યને અનુસરતું વર્ણન વગેરે બાબતો કવિ ઉપર હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ સૂચવે છે.
ગરોથમાન, ખુરશેદપાએઆ, માહાપાએઆ તેમ જ હમેસ્તગેહાન વગેરે નામનાં ૭ સ્વર્ગોનાં ભભકાદાર વર્ણનોની જેમ પાપી મૃતાત્માઓને જેમાં વિવિધ નારકીય યાતનાઓ અપાય છે એવાં નરકનાં ભયંકર વર્ણનો પણ કવિ એટલી જ સાહજિકતાથી કરી શક્યા છે એ એમનું વર્ણનકૌશલ બતાવે છે. છતાં એમની ઉત્તરકાલીન કૃતિ ‘સ્યાવશ-નામું’માં જોવા મળતા કવિ-કલ્પનાના સ્વૈરવિહારનો અભાવ અહીં સ્પષ્ટ જણાઈ આવે છે. અર્દાવિરાફ પછી ઈ.છઠ્ઠી સદીમાં થઈ ગયેલ આદરાબાદ મારાસ્પંદના ચમત્કૃતિપૂર્ણ જીવનપ્રસંગનો અર્દાવિરાફની આ કથામાં દૃષ્ટાંત રૂપે ઉપયોગ કરવા જતાં આખ્યાનમાં કાલવ્યુત્ક્રમદોષ થયો છે. [ર.ર.દ.]
ગરોથમાન, ખુરશેદપાએઆ, માહાપાએઆ તેમ જ હમેસ્તગેહાન વગેરે નામનાં ૭ સ્વર્ગોનાં ભભકાદાર વર્ણનોની જેમ પાપી મૃતાત્માઓને જેમાં વિવિધ નારકીય યાતનાઓ અપાય છે એવાં નરકનાં ભયંકર વર્ણનો પણ કવિ એટલી જ સાહજિકતાથી કરી શક્યા છે એ એમનું વર્ણનકૌશલ બતાવે છે. છતાં એમની ઉત્તરકાલીન કૃતિ ‘સ્યાવશ-નામું’માં જોવા મળતા કવિ-કલ્પનાના સ્વૈરવિહારનો અભાવ અહીં સ્પષ્ટ જણાઈ આવે છે. અર્દાવિરાફ પછી ઈ.છઠ્ઠી સદીમાં થઈ ગયેલ આદરાબાદ મારાસ્પંદના ચમત્કૃતિપૂર્ણ જીવનપ્રસંગનો અર્દાવિરાફની આ કથામાં દૃષ્ટાંત રૂપે ઉપયોગ કરવા જતાં આખ્યાનમાં કાલવ્યુત્ક્રમદોષ થયો છે. {{Right|[ર.ર.દ.]}}
   
   
અલખબુલાખી[જ. ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, ભાદવા સુદ ૧૩, સોમવાર - અવ. ઈ.૧૮૩૯/સં. ૧૮૯૫, અસાડ સુદ ૫, સોમવાર] : જ્ઞાનમાર્ગી કવિ. પૂર્વાશ્રમમાં બુલાખીરામ. સાઠોદરા નાગર. જન્મ અમવાદામાં. પિતા સન્મુખરામ. કિશોરવયમાં ફારસીનો અભ્યાસ. ઈ.૧૮૧૮માં મોડાસામાં સરકારી નોકરી. સંપન્નતાને કારણ ેતે વિલાસી ને અનીતિમાન બનેલા એથી નોકરી છોડવી પડેલી. સિદ્ધપુરની યાત્રાએ ગયેલા ત્યાં ગુલાબભારથી લકડશા નામના યોગીનો સંપર્ક થતાં અધ્યાત્મ તરફ વળ્યા. ગુલાબભારથીને ગુરુ કરી, અલખબુલાખી નામ ધારણ કરી અમદાવાદ, વડોદરા આદિ સ્થળે જ્ઞાનવૈરાગ્યનો બોધ કર્યો. એમને ઘણા શિષ્યો હતા. મૃત્યુનો અણસાર આ જ્ઞાની સાધુને પહેલેથી આવી ગયેલો. ‘ગુરુજ્ઞાનગ્રંથ’માં ઉપર મુજબની જીવનવિષયક માહિતી નોંધાયેલી મળે છે. પણ એમાં બધી વીગતો શુદ્ધ ઐતિહાસિક હોવાનું પ્રતીત થતું નથી. એમાંના ૧ પદમાં એમની મૃત્યુતિથિની આગાહી પણ છે.
'''અલખબુલાખી'''[જ. ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, ભાદવા સુદ ૧૩, સોમવાર - અવ. ઈ.૧૮૩૯/સં. ૧૮૯૫, અસાડ સુદ ૫, સોમવાર] : જ્ઞાનમાર્ગી કવિ. પૂર્વાશ્રમમાં બુલાખીરામ. સાઠોદરા નાગર. જન્મ અમવાદામાં. પિતા સન્મુખરામ. કિશોરવયમાં ફારસીનો અભ્યાસ. ઈ.૧૮૧૮માં મોડાસામાં સરકારી નોકરી. સંપન્નતાને કારણ ેતે વિલાસી ને અનીતિમાન બનેલા એથી નોકરી છોડવી પડેલી. સિદ્ધપુરની યાત્રાએ ગયેલા ત્યાં ગુલાબભારથી લકડશા નામના યોગીનો સંપર્ક થતાં અધ્યાત્મ તરફ વળ્યા. ગુલાબભારથીને ગુરુ કરી, અલખબુલાખી નામ ધારણ કરી અમદાવાદ, વડોદરા આદિ સ્થળે જ્ઞાનવૈરાગ્યનો બોધ કર્યો. એમને ઘણા શિષ્યો હતા. મૃત્યુનો અણસાર આ જ્ઞાની સાધુને પહેલેથી આવી ગયેલો. ‘ગુરુજ્ઞાનગ્રંથ’માં ઉપર મુજબની જીવનવિષયક માહિતી નોંધાયેલી મળે છે. પણ એમાં બધી વીગતો શુદ્ધ ઐતિહાસિક હોવાનું પ્રતીત થતું નથી. એમાંના ૧ પદમાં એમની મૃત્યુતિથિની આગાહી પણ છે.
‘ગુરુજ્ઞાનગ્રંથ’(મુ.)માં અલખબુલાખીનાં વિભિન્ન પ્રકારનાં લખાણો મળે છે. અધયાત્મબોધ ને વૈરાગ્યબોધનાં ૧૨૭ ગુજરાતી તથા ૩૦ હિન્દુસ્તાની પદો એમાં છે. જાણીતા રાગઢાળોને સ્વીકારીને એમાં કવિએ પરંપરાગત જ્ઞાનવૈરાગ્યની કવિતા આપી છે. ‘રહેણીની કલમો’ શીર્ષકથી મૂકેલાં ગદ્યલખાણોમાં ભક્તે પાળવાના આચારધર્મો વર્ણવેલા છે તો આત્મબોધ તેમ જ શિષ્યમંડળના બોેધ માટે લખેલાં હોય એવાં, (ઈ.૧૮૩૭/સં. ૧૮૯૩, શ્રાવણ સુદ ૧૩થી ઈ.૧૮૩૯/સં. ૧૮૯૫, પોષ સુદ ૧૧ સુધીની તિથિઓ દર્શાવતાં) ડાયરીની પદ્ધતિએ આલેખેલાં ૧૩ ગદ્યલખાણોમાં કવિએ પોતાને માટે ત્રીજા પુરુષ એકવચનનો પ્રયોગ કર્યો છે એ નોંધપાત્ર છે. આ બન્ને પ્રકારનાં ગદ્યલખાણોમાં કવિની અધ્યાત્મની જાણકારી યોગની પરિભાષાને પ્રયોજતી શૈલીમાં સારી ઊપસી છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્યની લાક્ષણિકતાઓ પણ આ લખાણોમાં વ્યક્ત થાય છે.
‘ગુરુજ્ઞાનગ્રંથ’(મુ.)માં અલખબુલાખીનાં વિભિન્ન પ્રકારનાં લખાણો મળે છે. અધયાત્મબોધ ને વૈરાગ્યબોધનાં ૧૨૭ ગુજરાતી તથા ૩૦ હિન્દુસ્તાની પદો એમાં છે. જાણીતા રાગઢાળોને સ્વીકારીને એમાં કવિએ પરંપરાગત જ્ઞાનવૈરાગ્યની કવિતા આપી છે. ‘રહેણીની કલમો’ શીર્ષકથી મૂકેલાં ગદ્યલખાણોમાં ભક્તે પાળવાના આચારધર્મો વર્ણવેલા છે તો આત્મબોધ તેમ જ શિષ્યમંડળના બોેધ માટે લખેલાં હોય એવાં, (ઈ.૧૮૩૭/સં. ૧૮૯૩, શ્રાવણ સુદ ૧૩થી ઈ.૧૮૩૯/સં. ૧૮૯૫, પોષ સુદ ૧૧ સુધીની તિથિઓ દર્શાવતાં) ડાયરીની પદ્ધતિએ આલેખેલાં ૧૩ ગદ્યલખાણોમાં કવિએ પોતાને માટે ત્રીજા પુરુષ એકવચનનો પ્રયોગ કર્યો છે એ નોંધપાત્ર છે. આ બન્ને પ્રકારનાં ગદ્યલખાણોમાં કવિની અધ્યાત્મની જાણકારી યોગની પરિભાષાને પ્રયોજતી શૈલીમાં સારી ઊપસી છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્યની લાક્ષણિકતાઓ પણ આ લખાણોમાં વ્યક્ત થાય છે.
કૃતિ : ૧. ગુરુજ્ઞાનગ્રંથ, પ્ર. જીવણલાલ ઝ. મહેતા, ઈ.૧૮૭૪ (બીજી આ.) (+સં.);  ૨. કાદોહન : ૨(+સં.), ૩
કૃતિ : ૧. ગુરુજ્ઞાનગ્રંથ, પ્ર. જીવણલાલ ઝ. મહેતા, ઈ.૧૮૭૪ (બીજી આ.) (+સં.);  ૨. કાદોહન : ૨(+સં.), ૩
સંદર્ભ : ૧ કવિચરિત : ૩; ૨. કવિચરિત્ર, ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી [ર.સો.]
સંદર્ભ : ૧ કવિચરિત : ૩; ૨. કવિચરિત્ર, ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી {{Right|[ર.સો.]
   
   
અલરાજ[ઈ.૧૮૧૯ આસપાસ] : હરિજન લોકકવિ, વઢિયાર પંથકમાં આવેલા આદરિયાણના વતની. જ્ઞાતિએ હરિજન બ્રાહ્મણ (ગોર). એમનાં ૩ મુદ્રિત કવિતોમાં સચોટ સુભાષિત-વાણી જોવા મળે છે.
'''અલરાજ'''[ઈ.૧૮૧૯ આસપાસ] : હરિજન લોકકવિ, વઢિયાર પંથકમાં આવેલા આદરિયાણના વતની. જ્ઞાતિએ હરિજન બ્રાહ્મણ (ગોર). એમનાં ૩ મુદ્રિત કવિતોમાં સચોટ સુભાષિત-વાણી જોવા મળે છે.
કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦. [કૌ.બ્ર.]
કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦. {{Right|[કૌ.બ્ર.]
   
   
અલીઅકબરબેગ [      ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી શાખાના ૪૨મા ઇમામ હસનઅલી શાહ પહેલાં (ઈ.૧૬૬૦-ઈ.૧૬૯૪)ના સમકાલીન હોવાનું કહેવાય છે. મને નામે ૨૦ કડીનું ૧ ‘ગિનાન’(મુ.)  
'''અલીઅકબરબેગ''' [      ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી શાખાના ૪૨મા ઇમામ હસનઅલી શાહ પહેલાં (ઈ.૧૬૬૦-ઈ.૧૬૯૪)ના સમકાલીન હોવાનું કહેવાય છે. મને નામે ૨૦ કડીનું ૧ ‘ગિનાન’(મુ.)  
મળે છે.
મળે છે.
કૃતિ : મહાન ઇસ્માઇલીની સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિંગ પ્રેસ (બીજી આ.),-.
કૃતિ : મહાન ઇસ્માઇલીની સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિંગ પ્રેસ (બીજી આ.),-.
સંદર્ભ : નરમ મુબિન, જાફરઅલી મોહમદ સૂફી દ્વારા સંશોધિત ત્રીજી આ., ઈ.૧૯૫૧. [પ્યા.કે.]
સંદર્ભ : નરમ મુબિન, જાફરઅલી મોહમદ સૂફી દ્વારા સંશોધિત ત્રીજી આ., ઈ.૧૯૫૧. {{Right|[પ્યા.કે.]}}


અલ અસગર બેગ(પીર) [      ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. એમને નામે ૭ કડીનું ૧ ‘ગિનાન’(મુ.) મળે છે.
'''અલ અસગર બેગ(પીર)''' [      ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. એમને નામે ૭ કડીનું ૧ ‘ગિનાન’(મુ.) મળે છે.
કૃતિ : મહાન ઇસમાઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિંગ પ્રેસ (આ. બીજી),-. [પ્યા.કે.]
કૃતિ : મહાન ઇસમાઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિંગ પ્રેસ (આ. બીજી),-. {{Right|[પ્યા.કે.]}}


‘અલૌકિકનાયિકાલક્ષણગ્રંથ’ : ધવલ-ધનાશ્રી રાગમાં ૫૦૦ ઉપરાંત કડીઓમાં શૃંગારરસના આલંબનરૂપ નાયિકાભેદનું વિવરણ રજૂ કરતી દયારામકૃત પ્રસ્તુત કૃતિ(મુ.) હિન્દી રીતિધારાના લક્ષણગ્રંથોની પરંપરાની યાદ અપાવે છે. પુષ્ટિસંપ્રદાયને અભીષ્ટ મુખ્ય સ્વામિની રાધીકાને અનુલક્ષીને રચાયેલી આ કૃતિમા ંરસિક ભક્તોને શ્રીવલ્લભા રાધિકાનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય તેવા ઉદ્દેશથી શૃંગારરસના અંગરૂપ શ્રીવલ્લભાનાં મુખ્યમુખ્ય ચિહ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ, જાતિ ને અવસ્થાનુસાર નાયિકાભેદ, હાવભાવ, દર્શનભેદ, નાયક-નાયિકાનાં દૂતત્વ, મિલાપસ્થાનો, સ્નેહની ૪ અવસ્થા અને નવરસનામકથન કૃતિની વિષયસૂચિ રૂપે તારવી શકાય.
'''‘અલૌકિકનાયિકાલક્ષણગ્રંથ’''' : ધવલ-ધનાશ્રી રાગમાં ૫૦૦ ઉપરાંત કડીઓમાં શૃંગારરસના આલંબનરૂપ નાયિકાભેદનું વિવરણ રજૂ કરતી દયારામકૃત પ્રસ્તુત કૃતિ(મુ.) હિન્દી રીતિધારાના લક્ષણગ્રંથોની પરંપરાની યાદ અપાવે છે. પુષ્ટિસંપ્રદાયને અભીષ્ટ મુખ્ય સ્વામિની રાધીકાને અનુલક્ષીને રચાયેલી આ કૃતિમા રસિક ભક્તોને શ્રીવલ્લભા રાધિકાનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય તેવા ઉદ્દેશથી શૃંગારરસના અંગરૂપ શ્રીવલ્લભાનાં મુખ્યમુખ્ય ચિહ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ, જાતિ ને અવસ્થાનુસાર નાયિકાભેદ, હાવભાવ, દર્શનભેદ, નાયક-નાયિકાનાં દૂતત્વ, મિલાપસ્થાનો, સ્નેહની ૪ અવસ્થા અને નવરસનામકથન કૃતિની વિષયસૂચિ રૂપે તારવી શકાય. {{Right|[સુ.દ.]}}
[સુ.દ.]
   
   
‘અવસ્થાનિરૂપણ’ : પારિભાષિક નિરૂપણવાળી અખાની આ કૃતિ(મુ.) જીવાત્માની ૪ ભૂમિકાઓને ચાર-ચારણી ચોપાઈની ૧૦-૧૦ કડીના શરીરાવસ્થા, અજ્ઞાનવસ્થા, જીવઈશ્વરજ્ઞાન અને કૈવલ્યજ્ઞાન - એ ૪ ખંડોમાં વર્ણવે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય એ શરીરાવસ્થાઓને મિશ્રવર્તી તરીકે વર્ણવી (જેમ કે - તુરીયમાં અન્ય ૩ અવસ્થાઓના પણ અંશો છે એમ બતાવી) જીવાત્માની અજ્ઞાન દશામાં આ ચારે શરીરાવસ્થાઓ કઈ રીતે પ્રવર્તે છે તે અહીં સમજાવ્યું છે અને તુરીયાતીત કૈવલ્યજ્ઞાનની ભૂમિકાએ પહોંચવાનો માર્ગ બતાવ્યો છે. ગૌડપાદાચાર્યની ‘માંડુક્યકારિકા’માંનું વિશ્લેષણ આ કૃતિમાં બીજ રૂપે રહેલું જણાય છે. [જ.કો.]
'''‘અવસ્થાનિરૂપણ’''' : પારિભાષિક નિરૂપણવાળી અખાની આ કૃતિ(મુ.) જીવાત્માની ૪ ભૂમિકાઓને ચાર-ચારણી ચોપાઈની ૧૦-૧૦ કડીના શરીરાવસ્થા, અજ્ઞાનવસ્થા, જીવઈશ્વરજ્ઞાન અને કૈવલ્યજ્ઞાન - એ ૪ ખંડોમાં વર્ણવે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય એ શરીરાવસ્થાઓને મિશ્રવર્તી તરીકે વર્ણવી (જેમ કે - તુરીયમાં અન્ય ૩ અવસ્થાઓના પણ અંશો છે એમ બતાવી) જીવાત્માની અજ્ઞાન દશામાં આ ચારે શરીરાવસ્થાઓ કઈ રીતે પ્રવર્તે છે તે અહીં સમજાવ્યું છે અને તુરીયાતીત કૈવલ્યજ્ઞાનની ભૂમિકાએ પહોંચવાનો માર્ગ બતાવ્યો છે. ગૌડપાદાચાર્યની ‘માંડુક્યકારિકા’માંનું વિશ્લેષણ આ કૃતિમાં બીજ રૂપે રહેલું જણાય છે. {{Right|[જ.કો.]}}


અવિચલ : આ નામે ‘ઢૂંઢક-રાસ’(લે. ઈ.૧૮૧૩) તથા ૬૧ કડીની ‘એક્સોસિત્તેર-જિનનામ-સ્તવન’એ કૃતિઓ નોંધાયેલી મળે છે પણ તે કયા અવિચલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''અવિચલ''' : આ નામે ‘ઢૂંઢક-રાસ’(લે. ઈ.૧૮૧૩) તથા ૬૧ કડીની ‘એક્સોસિત્તેર-જિનનામ-સ્તવન’એ કૃતિઓ નોંધાયેલી મળે છે પણ તે કયા અવિચલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}
અવિચલદાસ[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. નડિયાદના આભ્યંતર નાગર બ્રાહ્મણ. વિષ્ણુજી/વિષ્ણુદાસના પુત્ર.
'''અવિચલદાસ'''[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. નડિયાદના આભ્યંતર નાગર બ્રાહ્મણ. વિષ્ણુજી/વિષ્ણુદાસના પુત્ર.
હરજીસુત ધરણીધર તથા કોઈ ભીમ-કવિના પુત્ર - એ ૨ ભટ્ટો-પુરાણીઓ પાસેથી મૂળ સંસ્કૃત કથાઓ સાંભળીને કાવ્યરચના કરનાર આ કવિનો ‘ભાગવત-ષષ્ઠસ્કંધ’ (ર. ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, પોષ વદ ૧૦) મૂળનો અધ્યાયવાર અનુવાદ છે. ભાગવતની ‘કઠિન કથા’ સમજવામાં પોતાને સહાયરૂપ નીવડેલી શ્રીધરી ટીકામાંના અધ્યાયસારના શ્લોકોનો અનુવાદ પણ કવિએ કૃતિમાં ઉમેર્યો છે. કેટલાક અધ્યાયોના આરંભે એમણે સંસ્કૃત શ્લોકો મૂકેલા છે, જે એમને મૂળ કથા કહેનાર ભટ્ટે રચી આપ્યા હોવાનો તર્ક થયો છે. ‘આરણ્યક-પર્વ’(ર. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, શ્રાવણ વદ ૧૧, શનિવાર) મૂળના લગભગ સારરૂપ અન ેકેટલાક પ્રસંગોને રોચક રીતે આલેખતું ૭૫ કડવાં અને ૭૦૭૦ કડીનું આખ્યાન છે. આ કૃતિ, નડિયાદના બળદેવરામ કૃષ્ણરામ ભટ્ટે સુધારાવધારા કરી ૯૭ કડવાંના ‘વનપર્વ’ નામે પ્રગટ કરી છે.
હરજીસુત ધરણીધર તથા કોઈ ભીમ-કવિના પુત્ર - એ ૨ ભટ્ટો-પુરાણીઓ પાસેથી મૂળ સંસ્કૃત કથાઓ સાંભળીને કાવ્યરચના કરનાર આ કવિનો ‘ભાગવત-ષષ્ઠસ્કંધ’ (ર. ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, પોષ વદ ૧૦) મૂળનો અધ્યાયવાર અનુવાદ છે. ભાગવતની ‘કઠિન કથા’ સમજવામાં પોતાને સહાયરૂપ નીવડેલી શ્રીધરી ટીકામાંના અધ્યાયસારના શ્લોકોનો અનુવાદ પણ કવિએ કૃતિમાં ઉમેર્યો છે. કેટલાક અધ્યાયોના આરંભે એમણે સંસ્કૃત શ્લોકો મૂકેલા છે, જે એમને મૂળ કથા કહેનાર ભટ્ટે રચી આપ્યા હોવાનો તર્ક થયો છે. ‘આરણ્યક-પર્વ’(ર. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, શ્રાવણ વદ ૧૧, શનિવાર) મૂળના લગભગ સારરૂપ અન ેકેટલાક પ્રસંગોને રોચક રીતે આલેખતું ૭૫ કડવાં અને ૭૦૭૦ કડીનું આખ્યાન છે. આ કૃતિ, નડિયાદના બળદેવરામ કૃષ્ણરામ ભટ્ટે સુધારાવધારા કરી ૯૭ કડવાંના ‘વનપર્વ’ નામે પ્રગટ કરી છે.
‘અષ્ટમસ્કંધ’ નામની એક અન્ય કૃતિ પણ આ કવિની હોવાનો ઉલ્લેખ મળે છે.
‘અષ્ટમસ્કંધ’ નામની એક અન્ય કૃતિ પણ આ કવિની હોવાનો ઉલ્લેખ મળે છે.
કૃતિ : વનપર્વ, સં. બળદેવરામ કૃ. ભટ્ટ, ઈ.૧૮૯૦.
કૃતિ : વનપર્વ, સં. બળદેવરામ કૃ. ભટ્ટ, ઈ.૧૮૯૦.
સંદર્ભ : ૧. કવચરિત : ૧-૨; ૨. વિષ્ણુદાસ, ભાનુસુખરામ મહેતા, ઈ.૧૯૨૦;  ૩. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવચરિત : ૧-૨; ૨. વિષ્ણુદાસ, ભાનુસુખરામ મહેતા, ઈ.૧૯૨૦;  ૩. ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}
   
   
‘અશોકચન્દ્રરોહિણી-રાસ’[ર. ઈ.૧૭૧૬ કે ૧૭૧૮/સં. ૧૭૭૨ કે ૧૭૭૪, માગશર સુદ ૫] : મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ પણ પ્રસંગોપાત્ત કવિત, ગીત, તોટક આદિ પદ્યબંધને ઉપયોગમાં લેતો, ૩૧ ઢાળનો, જ્ઞાનવિમલસૂરિકૃત આ રાસ(મુ.) રોહિણીનક્ષત્રના દિવસે ૨૮ વર્ષ સુધી કરવામાં આવતા તપ - રોહિણીતપનો મહિમા ગાવા માટે રચાયેલો છે. રાજા અશોકચંદ્રની રાણી રોહિણી શોકભાવથી એટલી બધી અજાણ છે કે પુત્રમૃત્યુના દુ:ખે રડતી સ્ત્રીના રુદનમાં કયો રાગ છે એમ પૂછે છે. આવા પ્રશ્નથી અશોકચંદ્રને આ સ્ત્રીમાં બીજાનું દુ:ખ સમજવાની વૃત્તિનો અભાવ અને ગર્વ જણાયાં. તેથી તેને પાઠ ભણાવવા તે એના ખોળામા ંબેઠેલા પુત્ર લોકપાલને અટારીએથી નીચે નાખે છે. પરંતુ રોહિણીને તો આ ઘટનાથી પણ કશો શોક થતો નથી અને એના પુણ્યપ્રભાવે પુત્ર ક્ષેમકુશળ રહે છે. રોહિણીના આ વીતશોક-વીતરાગપણાના કારણરૂપે એના પૂર્વભવની કથા કહેવાય છે જેમાં એ પોતાના આગલા ભવના દુષ્કર્મને કારણે કુરૂપ અને દુર્ગંધી નારી બની હોય છે અને રોહિણીતપના આશ્રયથી એ દુષ્કર્મના પ્રભાવમાંથી છૂટીને આ રોહિણી અવતાર પામી હોય છે. રોહિણીના ૨ પૂર્વભવો, અશોકચંદ્ર તેમ જ રોહિણીનાં સંતાનોના પૂર્વભવો તથા એકાદ આડકથા વડે આ રાસ પ્રસ્તાર પામ્યો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખું છે, કેમ કે એ એક જ ઘટનાસૂત્રવાળી સાદી કથા છે. ધર્મબોધના સ્ફુટ પ્રયોજનથી રચાયેલી આ કૃતિમાં કવિએ કર્મ, તપ ઇત્યાદિના સ્વરૂપ અને પ્રકારોની સાંપ્રદાયિક માહિતી ગૂંથી લીધી છે તેમ જ સુભાષિતો અને સમસ્યાઓનો પણ વિનિયોગ કર્યો છે. કાવ્યમાં કવિની કાવ્યશક્તિનો પણ પરિચય પ્રસંગોપાત્ત આપણને મળ્યા કરે છે. જેમ કે, મઘવા મુનિના પુણ્યપ્રતાપને પ્રગટ કરતા વાતાવરણનું ચિત્રણ કવિએ જે વીગતોથી કર્યું છે તે મનોરમ લાગે છે. નગર વગેરેનાં અન્ય કેટલાંક વર્ણનો પણ નોંધપાત્ર છે. આવાં વર્ણનોમાં રૂપકાદિ અલંકારોનો કવિએ લીધેલો આશ્રય એમની ક્ષમતાને પ્રગટ કરે છે. રોહિણીના રૂપવર્ણનમાં “ઉર્વસી પણિ મનિ નવિ વસી રે” જેવા વ્યતિરેક-યમકના સંકરાલંકારની હારમાળા યોજી છે અને પૌારણિક હકીકતોને રોહિણીના પ્રભાવના હેતુ રૂપે કલ્પી છે તે કવિની આ પ્રકારની વર્ણનક્ષમતાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. સમગ્ર રાસમાં શિષ્ટ પ્રૌઢ ભાષાછટાનું આકર્ષણ છે તો જુગુપ્સા અને તિરસ્કારના ભાવોને અનુરૂપ ભાષા પણ કવિ એટલી જ અસરકારકતાથી પ્રયોજી બતાવે છે. થોડીક સુંદર ધ્રુવાઓ અને ક્વચિત્ કરેલી  
'''‘અશોકચન્દ્રરોહિણી-રાસ’'''[ર. ઈ.૧૭૧૬ કે ૧૭૧૮/સં. ૧૭૭૨ કે ૧૭૭૪, માગશર સુદ ૫] : મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ પણ પ્રસંગોપાત્ત કવિત, ગીત, તોટક આદિ પદ્યબંધને ઉપયોગમાં લેતો, ૩૧ ઢાળનો, જ્ઞાનવિમલસૂરિકૃત આ રાસ(મુ.) રોહિણીનક્ષત્રના દિવસે ૨૮ વર્ષ સુધી કરવામાં આવતા તપ - રોહિણીતપનો મહિમા ગાવા માટે રચાયેલો છે. રાજા અશોકચંદ્રની રાણી રોહિણી શોકભાવથી એટલી બધી અજાણ છે કે પુત્રમૃત્યુના દુ:ખે રડતી સ્ત્રીના રુદનમાં કયો રાગ છે એમ પૂછે છે. આવા પ્રશ્નથી અશોકચંદ્રને આ સ્ત્રીમાં બીજાનું દુ:ખ સમજવાની વૃત્તિનો અભાવ અને ગર્વ જણાયાં. તેથી તેને પાઠ ભણાવવા તે એના ખોળામા ંબેઠેલા પુત્ર લોકપાલને અટારીએથી નીચે નાખે છે. પરંતુ રોહિણીને તો આ ઘટનાથી પણ કશો શોક થતો નથી અને એના પુણ્યપ્રભાવે પુત્ર ક્ષેમકુશળ રહે છે. રોહિણીના આ વીતશોક-વીતરાગપણાના કારણરૂપે એના પૂર્વભવની કથા કહેવાય છે જેમાં એ પોતાના આગલા ભવના દુષ્કર્મને કારણે કુરૂપ અને દુર્ગંધી નારી બની હોય છે અને રોહિણીતપના આશ્રયથી એ દુષ્કર્મના પ્રભાવમાંથી છૂટીને આ રોહિણી અવતાર પામી હોય છે. રોહિણીના ૨ પૂર્વભવો, અશોકચંદ્ર તેમ જ રોહિણીનાં સંતાનોના પૂર્વભવો તથા એકાદ આડકથા વડે આ રાસ પ્રસ્તાર પામ્યો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખું છે, કેમ કે એ એક જ ઘટનાસૂત્રવાળી સાદી કથા છે. ધર્મબોધના સ્ફુટ પ્રયોજનથી રચાયેલી આ કૃતિમાં કવિએ કર્મ, તપ ઇત્યાદિના સ્વરૂપ અને પ્રકારોની સાંપ્રદાયિક માહિતી ગૂંથી લીધી છે તેમ જ સુભાષિતો અને સમસ્યાઓનો પણ વિનિયોગ કર્યો છે. કાવ્યમાં કવિની કાવ્યશક્તિનો પણ પરિચય પ્રસંગોપાત્ત આપણને મળ્યા કરે છે. જેમ કે, મઘવા મુનિના પુણ્યપ્રતાપને પ્રગટ કરતા વાતાવરણનું ચિત્રણ કવિએ જે વીગતોથી કર્યું છે તે મનોરમ લાગે છે. નગર વગેરેનાં અન્ય કેટલાંક વર્ણનો પણ નોંધપાત્ર છે. આવાં વર્ણનોમાં રૂપકાદિ અલંકારોનો કવિએ લીધેલો આશ્રય એમની ક્ષમતાને પ્રગટ કરે છે. રોહિણીના રૂપવર્ણનમાં “ઉર્વસી પણિ મનિ નવિ વસી રે” જેવા વ્યતિરેક-યમકના સંકરાલંકારની હારમાળા યોજી છે અને પૌારણિક હકીકતોને રોહિણીના પ્રભાવના હેતુ રૂપે કલ્પી છે તે કવિની આ પ્રકારની વર્ણનક્ષમતાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. સમગ્ર રાસમાં શિષ્ટ પ્રૌઢ ભાષાછટાનું આકર્ષણ છે તો જુગુપ્સા અને તિરસ્કારના ભાવોને અનુરૂપ ભાષા પણ કવિ એટલી જ અસરકારકતાથી પ્રયોજી બતાવે છે. થોડીક સુંદર ધ્રુવાઓ અને ક્વચિત્ કરેલી  
૪ પ્રાસની યોજના પણ કવિની કાવ્યશક્તિની દ્યોતક છે. [કુ.દે.]
૪ પ્રાસની યોજના પણ કવિની કાવ્યશક્તિની દ્યોતક છે. {{Right|[કુ.દે.]}}


‘અશ્વમેધ-પર્વ’ [ર. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, મકરસંક્રાન્તિ] : ‘યૌવનાશ્વનું આખ્યાન’થી ‘અશ્વમેધ-પૂર્ણાહુતિ’ સુધીનાં ૧૭ આખ્યાનોમાં વિભક્ત થયેલી હરજીસુત ક્હાનની ૭૦૦૦ કડીઓમાં વિસ્તરેલી આ કૃતિ(મુ.) મહાભારતના સમગ્ર ‘અશ્વમેધ-પર્વ’ને આખ્યાનબદ્ધ કરવાના એક વિરલ પ્રયાસ તરીકે નોંધપાત્ર છે. કડવા માટે યોજાયેલી ‘અલંકાર’, ‘છંદ’, ‘ઝમક’, ‘સૂત્ર’ જેવી વિવિધ સંજ્ઞાઓ આ કૃતિની વિલક્ષણતા છે. કથા પરત્વે કવિ મહાભારતને અનુસરીને ચાલ્યા છે અને સળંગ પ્રવાહી કથાનિરૂપણથી વિશેષ એ સિદ્ધ કરી શક્યા નથી. પ્રસંગાનિરૂપણ કે અભિવ્યક્તિનો ચમત્કાર કૃતિમાં જવલ્લે જ જડે છે. તેમ છતાં તેમની વર્ણનરીતિમાં પ્રૌઢિ અને વિશદતા છે તેમ જ પરંપરાગત વર્ણનોનો તથા પાત્રોક્તિઓનો તેમણે વારંવાર આશ્રય લીધો છે, એથી કથા રસપ્રદ બની છે. ક્વચિત્ થયેલી ગીતની ગૂંથણી તથા દરેક કડવાને આરંભે રાગનો નિર્દેશ - ક્યારેક ૧થી વધુ રાગનો પણ નિર્દેશ - આ કૃતિને કવિએ અત્યંત ગેય રૂપે કલ્પી છે તેના પ્રમાણરૂપ છે. દરેક આખ્યાનને આરંભે ઇષ્ટદેવ કૃષ્ણની સ્તુતિ - ક્યારેક ૮-૧૦ કડીઓ સુધી વિસ્તારીને પણ - કવિએ કરી છે તે તેમની કૃષ્ણભક્તિ અને પ્રસ્તારી નિરૂપણશૈલીના દૃષ્ટાંતરૂપ છે. પહેલું ‘યૌવનાશ્વનું આખ્યાન’(ર. ઈ.૧૬૩૭/સં. ૧૬૯૩, માગશર સુદ ૨, રવિવાર) બતાવે છે તે જોતાં કવિએ આ કૃતિની રચના પાછળ પૂરાં ૨ વર્ષનો સમય આપ્યો છે એમ દેખાઈ આવે છે. [ર.સો.]
'''‘અશ્વમેધ-પર્વ’''' [ર. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, મકરસંક્રાન્તિ] : ‘યૌવનાશ્વનું આખ્યાન’થી ‘અશ્વમેધ-પૂર્ણાહુતિ’ સુધીનાં ૧૭ આખ્યાનોમાં વિભક્ત થયેલી હરજીસુત ક્હાનની ૭૦૦૦ કડીઓમાં વિસ્તરેલી આ કૃતિ(મુ.) મહાભારતના સમગ્ર ‘અશ્વમેધ-પર્વ’ને આખ્યાનબદ્ધ કરવાના એક વિરલ પ્રયાસ તરીકે નોંધપાત્ર છે. કડવા માટે યોજાયેલી ‘અલંકાર’, ‘છંદ’, ‘ઝમક’, ‘સૂત્ર’ જેવી વિવિધ સંજ્ઞાઓ આ કૃતિની વિલક્ષણતા છે. કથા પરત્વે કવિ મહાભારતને અનુસરીને ચાલ્યા છે અને સળંગ પ્રવાહી કથાનિરૂપણથી વિશેષ એ સિદ્ધ કરી શક્યા નથી. પ્રસંગાનિરૂપણ કે અભિવ્યક્તિનો ચમત્કાર કૃતિમાં જવલ્લે જ જડે છે. તેમ છતાં તેમની વર્ણનરીતિમાં પ્રૌઢિ અને વિશદતા છે તેમ જ પરંપરાગત વર્ણનોનો તથા પાત્રોક્તિઓનો તેમણે વારંવાર આશ્રય લીધો છે, એથી કથા રસપ્રદ બની છે. ક્વચિત્ થયેલી ગીતની ગૂંથણી તથા દરેક કડવાને આરંભે રાગનો નિર્દેશ - ક્યારેક ૧થી વધુ રાગનો પણ નિર્દેશ - આ કૃતિને કવિએ અત્યંત ગેય રૂપે કલ્પી છે તેના પ્રમાણરૂપ છે. દરેક આખ્યાનને આરંભે ઇષ્ટદેવ કૃષ્ણની સ્તુતિ - ક્યારેક ૮-૧૦ કડીઓ સુધી વિસ્તારીને પણ - કવિએ કરી છે તે તેમની કૃષ્ણભક્તિ અને પ્રસ્તારી નિરૂપણશૈલીના દૃષ્ટાંતરૂપ છે. પહેલું ‘યૌવનાશ્વનું આખ્યાન’(ર. ઈ.૧૬૩૭/સં. ૧૬૯૩, માગશર સુદ ૨, રવિવાર) બતાવે છે તે જોતાં કવિએ આ કૃતિની રચના પાછળ પૂરાં ૨ વર્ષનો સમય આપ્યો છે એમ દેખાઈ આવે છે. {{Right|[ર.સો.]}}
‘અષ્ટપટરાણીવિવાહ’ : ૪૦ કડીના સળંગ પદબંધના દયારામકૃત આ કાવ્ય(મુ.)માં રુક્મિણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા - આ ૮ પટરાણીઓ અને શ્રીમદ્ ભાગવતના નાયક શ્રીકૃષ્ણના વિવાહપ્રસંગો એકસાથે નિરૂપાયા છે. સોળસહસ્ર રાણીઓ સાથેના વિવાહની ઘટના પણ અહીં ભેગી ગૂંથાયેલી છે. દ્રૌપદી અને પટરાણીઓ વચ્ચેના વિનોદવિહારની ક્ષણોરૂપે આખી ઘટનાનું નિરૂપણ રોચક  
‘અષ્ટપટરાણીવિવાહ’ : ૪૦ કડીના સળંગ પદબંધના દયારામકૃત આ કાવ્ય(મુ.)માં રુક્મિણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા - આ ૮ પટરાણીઓ અને શ્રીમદ્ ભાગવતના નાયક શ્રીકૃષ્ણના વિવાહપ્રસંગો એકસાથે નિરૂપાયા છે. સોળસહસ્ર રાણીઓ સાથેના વિવાહની ઘટના પણ અહીં ભેગી ગૂંથાયેલી છે. દ્રૌપદી અને પટરાણીઓ વચ્ચેના વિનોદવિહારની ક્ષણોરૂપે આખી ઘટનાનું નિરૂપણ રોચક  
બન્યું છે. [સુ.દ.]
બન્યું છે. [સુ.દ.]