દોસ્તોએવ્સ્કી/1: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 19: Line 19:
<center>૩</center>
<center>૩</center>
જે લોકો વેર વાળી જાણે છે ને સામાન્યત: પોતાનું પોતે સંભાળી લઈ શકે એવા હોય છે તેઓ શી રીતે કરી શકતા હશે? કેમ વળી? ધારો ને કે વેર વાળવાની વૃત્તિએ એમનો કબજો લીધો છે; તો એટલા સમય પૂરતી એ વૃત્તિ જ એમનાં અણુએ અણુમાં વ્યાપી જાય છે, એ સિવાય બીજું કશું હોતું જ નથી. એવો આદમી શીંગડાં ઉલાળીને ધસી જતા વિફરેલા આખલાની જેમ એના લક્ષ્ય તરફ ધસી જાય છે ને દીવાલ સિવાય બીજંુ કશું એને રોકી શકતું નથી. (વાત નીકળી છે ત્યારે આટલું ઉમેરું : આવા ‘તરત બુદ્ધિ તરકડો’ જેવા, ‘આ પાર કે પેલે પાર’માં માનનારા લોકોની દીવાલ જોઈને ખરેખર બોલતી બંધ થઈ જાય છે. એમને મન દીવાલ કોઈ છટકબારી નથી; આપણે તો વિચારે ચઢી જઈએ ને પરિણામે કશું કરી શકતા નથી; પણ એઓ દીવાલને પાછા વળી જવાના બહાના તરીકે જોતા નથી; આપણે તો હંમેશાં એવું બહાનું શોધવા રાજી જ હોઈએ છીએ, જો કે ઘણુંખરું આપણે પોતે જ એ બહાનું સાચું માનતા હોતા નથી. પણ સીધા ધસી જનારા લોકો તો દીવાલ જોઈને ખરેખર મૂઝાઈ જાય છે. દીવાલમાં એમને કશુંક શાન્ત પાડનારું, નૈતિક દૃષ્ટિએ શાતા આપનારું, કશુંક અન્તિમ – કશુંક રહસ્યપૂર્ણ પણ કદાચ – દેખાય છે... પણ એ વિશે આગળ ઉપર વધુ કહેવાનો પ્રસંગ આવશે.)
જે લોકો વેર વાળી જાણે છે ને સામાન્યત: પોતાનું પોતે સંભાળી લઈ શકે એવા હોય છે તેઓ શી રીતે કરી શકતા હશે? કેમ વળી? ધારો ને કે વેર વાળવાની વૃત્તિએ એમનો કબજો લીધો છે; તો એટલા સમય પૂરતી એ વૃત્તિ જ એમનાં અણુએ અણુમાં વ્યાપી જાય છે, એ સિવાય બીજું કશું હોતું જ નથી. એવો આદમી શીંગડાં ઉલાળીને ધસી જતા વિફરેલા આખલાની જેમ એના લક્ષ્ય તરફ ધસી જાય છે ને દીવાલ સિવાય બીજંુ કશું એને રોકી શકતું નથી. (વાત નીકળી છે ત્યારે આટલું ઉમેરું : આવા ‘તરત બુદ્ધિ તરકડો’ જેવા, ‘આ પાર કે પેલે પાર’માં માનનારા લોકોની દીવાલ જોઈને ખરેખર બોલતી બંધ થઈ જાય છે. એમને મન દીવાલ કોઈ છટકબારી નથી; આપણે તો વિચારે ચઢી જઈએ ને પરિણામે કશું કરી શકતા નથી; પણ એઓ દીવાલને પાછા વળી જવાના બહાના તરીકે જોતા નથી; આપણે તો હંમેશાં એવું બહાનું શોધવા રાજી જ હોઈએ છીએ, જો કે ઘણુંખરું આપણે પોતે જ એ બહાનું સાચું માનતા હોતા નથી. પણ સીધા ધસી જનારા લોકો તો દીવાલ જોઈને ખરેખર મૂઝાઈ જાય છે. દીવાલમાં એમને કશુંક શાન્ત પાડનારું, નૈતિક દૃષ્ટિએ શાતા આપનારું, કશુંક અન્તિમ – કશુંક રહસ્યપૂર્ણ પણ કદાચ – દેખાય છે... પણ એ વિશે આગળ ઉપર વધુ કહેવાનો પ્રસંગ આવશે.)
તો, આવા સીધા ધસી જનારા આદમીને હું ખરેખરનો સાધારણ માનવી લેખું છું. કોમળ પ્રકૃતિ માતાએ પૃથ્વી પર એને રૂડી રીતે જન્મ દઈને જે રૂપે જોવા ઇચ્છ્યો હશે, એવું જ રૂપ એ ધરાવતો હોય છે. મને તો એને જોતાં જ એવી તો અદેખાઈ આવે છે કે હું લીલોકચ થઈ જાઉં છું. એ મૂરખ હોય છે. એ વિશે હંુ કશા વિવાદમાં ઊતરવા માગતો નથી, પણ કદાચ સાધારણ માનવી મૂરખ જ હોવો ઘટે, તમે આ વિશે શું કહી શકો? કદાચ વાસ્તવમાં તો એ સ્થિતિ ભારે આહ્લાદક હશે. મારો એવો વહેમ વધુ પાકો થતો જાય છે, (જો એને વહેમ કહીએ તો) ને એ પાકો થવાનું કારણ આવા સાધારણ માનવીને સામે છેડેનો માનવી એટલે કે અતિ તીવ્ર ચેતનાવાળો માનવી છે. એ કુદરતને ખોળેથી જ સીધો ઊતરી આવ્યો નથી, પણ એના પ્રતિવાદ રૂપે આવ્યો છે. (સજ્જનો, આપણે રહસ્યવાદની લગોલગ આવી પડ્યા એવું નથી લાગતું? પણ મને એ વિશે વહેમ છે!); આ પ્રતિવાદ રૂપે પ્રગટતો માનવી એની સામે છેડેના માનવીને જોઈને એવો તો અવાચક થઈ જાય છે કે એની ચેતનાની અતિમાત્રા છતાં એ પોતાને માનવીને બદલે સાચેસાચ મૂષક માનતો થઈ જાય છે. મૂષક તીવ્ર ચેતનાવાળો મૂષક હોય એમ બને કદાચ, પણ આખરે તો મૂષક જ; જ્યારે પેલો મૂરખ તો ય માનવી તો ખરો, આથી... વગેરે વગેરે. સૌથી બદતર વાત તો એ કે એ પોતે જ પોતાને મૂષક રૂપે જુએ છે; કોઈ એને એમ કરવાનું કહેતું નથી; ને આ મહત્ત્વનો મુદ્દો છે. હવે આ મૂષકને આપણે અહીં ક્રિયાશીલ અવસ્થામાં જોઈએ. એમ માનો ને કે કોઈએ એનું અપમાન કર્યું છે એવું એનેય લાગે છે (ને એને આવું તો ઘડી ઘડીમાં લાગ્યા જ કરે છે) ને એને વેર લેવાની સુધ્ધાં ઇચ્છા થાય છે. કુદરતને ખોળે રહેલા માનવી કરતાં એનામાં વધુ દ્વેષ સંચિત થતો હોય છે; ને એ દ્વેષને પ્રકટ કરવાની હીણી ને નઠારી લાગણી પણ એનામાં જ વધારે ચણચણ્યા કરતી હોય છે. પેલો સાધારણ આદમી તો એની સ્વભાવસહજ મૂર્ખાઈને કારણે વૈરવૃત્તિને સાદાસીધા ન્યાયના કાર્યરૂપે જોતો હોય છે, પણ આ મૂષક એની ચેતનાની તીવ્રતાને કારણે એમાં ન્યાય જેવું કશંુ જોઈ શકતો નથી. હવે વેરના કાર્યની જ વાત કરીએ. પાયાની એક અભદ્ર લાગણીની આજુબાજુ આ દુર્ભાગી મૂષક પ્રશ્નો ને શંકાઓને રૂપે બીજી કેટલીક અભદ્ર લાગણીઓનું જાળંુ ઊભંુ કરી દે છે; એ પ્રશ્નની સાથે બીજા કેટલાય વણઉકલ્યા પ્રશ્નો ઉમેરી દે છે ને આને પરિણામે, અનિવાર્યતયા, એ મૂળ લાગણીની આજુબાજુ કશોક પ્રાણઘાતક નીવડે એવો આથો ખદબદી ઊઠે છે. પેલા, કશો વિચાર કર્યા વિના સીધા ધસી જનારા આદમીઓ એને ઘેરી વળીને ગંભીરપણે જાણે લવાદી કે ન્યાય ચૂકવનારા હોય એમ એને જોઈ રહે છે, તિરસ્કારથી એના પર થંૂકે છે ને પાંસળી દુઃખવા આવે ત્યાં સુધી હસીહસીને બેવડ વળી જાય છે. આ શંકા, આ લાગણીવેડા ને આ તિરસ્કારને કારણે એ બધું કેવું તો ગંધાઈ ઊઠે છે! પોતાનો પંજો હલાવીને આ બધું જાણે છે જ નહીં એમ માની લેવા સિવાય એને માટે બીજો કશો રસ્તો નથી. તિરસ્કારવાનો ઢોંગ કરીને એ આ આખી વસ્તુને હસી કાઢે, પણ એને પોતાને જ આ વાત ગળે ઉતારવી અઘરી થઈ પડતી હોય તો! આથી એ અપમાનિત થઈને ફરી પોતાના દરમાં ભરાઈ જાય છે. એના ભૂગર્ભમાંના એ ગંદા, ગંધાતા દરમાં એ અપમાનિત, દલિત ને હાસ્યાસ્પદ બનેલો મૂષક ફરી ઉષ્માહીન, ખારીલી ને સનાતન એવી દ્વેષની લાગણીમાં ગરકાવ થઈ જશે, ચાળીસચાળીસ વરસ સુધી એ પોતાને થયેલા ઘાની નાનામાં નાની અપમાનજનક વિગતોને યાદ રાખશે ને યાદ કરતી વેળાએ વધુ અપમાનજનક વિગતોનો ઉમેરો કરીને પોતાના પર ખાર રાખીને પોતાની જ કલ્પનાથી પોતાને પજવ્યા કરશે ને યાતના ભોગવ્યા કરશે. પોતાની આ કલ્પનાઓ બદલ એને પોતાને જ શરમ આવશે ને છતાં આ બધું એ યાદ તો કરશે જ, બધી વિગતો ફરી ફરી સંભારી જશે, કદી ન સાંભળી હોય એવી વાતો પોતાની વિરદ્ધમાં શોધી કાઢશે ને એવી વાતો ખરેખર બનતી હોય એવો ઢોંગ સુધ્ધાં કરશે ને કશંુ માફ કરશે નહીં. કદાચ એ પોતાનું વેર લેવાનું શરૂ કરી દે એમ પણ બને, પણ તે તુચ્છ રીતે તૂટક તૂટક, ચૂલા પાછળ સંતાઈને ગુપ્ત વેશે, પોતાનો વેર લેવાનો અધિકાર છે કે વેર લેવામાં એ સફળ નીવડશે એવું કશું માન્યા વિના! વેર લેવાનો પ્રયત્ન કરવામાં એ જેના પર વેર લેવા ઇચ્છે છે તેનાથી સોગણી પીડા પોતાને જ કરી બેસશે ને પેલાને તો સહેજ સરખો ઉઝરડોય પડવાનો નથી એનીય આ મૂષકને ખબર હોય છે ને છતાં એ આ રીતે વર્તશે. એની મૃત્યુશય્યા પર આ બધું એ ફરીથી સંભારી જશે ને આ બધાં વર્ષો દરમિયાન ફરી ફરી સંભાર્યા કરવાને કારણે એમાં વધુ રસ ઉમેરાશે અને...
તો, આવા સીધા ધસી જનારા આદમીને હું ખરેખરનો સાધારણ માનવી લેખું છું. કોમળ પ્રકૃતિ માતાએ પૃથ્વી પર એને રૂડી રીતે જન્મ દઈને જે રૂપે જોવા ઇચ્છ્યો હશે, એવું જ રૂપ એ ધરાવતો હોય છે. મને તો એને જોતાં જ એવી તો અદેખાઈ આવે છે કે હું લીલોકચ થઈ જાઉં છું. એ મૂરખ હોય છે. એ વિશે હંુ કશા વિવાદમાં ઊતરવા માગતો નથી, પણ કદાચ સાધારણ માનવી મૂરખ જ હોવો ઘટે, તમે આ વિશે શું કહી શકો? કદાચ વાસ્તવમાં તો એ સ્થિતિ ભારે આહ્લાદક હશે. મારો એવો વહેમ વધુ પાકો થતો જાય છે, (જો એને વહેમ કહીએ તો) ને એ પાકો થવાનું કારણ આવા સાધારણ માનવીને સામે છેડેનો માનવી એટલે કે અતિ તીવ્ર ચેતનાવાળો માનવી છે. એ કુદરતને ખોળેથી જ સીધો ઊતરી આવ્યો નથી, પણ એના પ્રતિવાદ રૂપે આવ્યો છે. (સજ્જનો, આપણે રહસ્યવાદની લગોલગ આવી પડ્યા એવું નથી લાગતું? પણ મને એ વિશે વહેમ છે!); આ પ્રતિવાદ રૂપે પ્રગટતો માનવી એની સામે છેડેના માનવીને જોઈને એવો તો અવાચક થઈ જાય છે કે એની ચેતનાની અતિમાત્રા છતાં એ પોતાને માનવીને બદલે સાચેસાચ મૂષક માનતો થઈ જાય છે. મૂષક તીવ્ર ચેતનાવાળો મૂષક હોય એમ બને કદાચ, પણ આખરે તો મૂષક જ; જ્યારે પેલો મૂરખ તો ય માનવી તો ખરો, આથી... વગેરે વગેરે. સૌથી બદતર વાત તો એ કે એ પોતે જ પોતાને મૂષક રૂપે જુએ છે; કોઈ એને એમ કરવાનું કહેતું નથી; ને આ મહત્ત્વનો મુદ્દો છે. હવે આ મૂષકને આપણે અહીં ક્રિયાશીલ અવસ્થામાં જોઈએ. એમ માનો ને કે કોઈએ એનું અપમાન કર્યું છે એવું એનેય લાગે છે (ને એને આવું તો ઘડી ઘડીમાં લાગ્યા જ કરે છે) ને એને વેર લેવાની સુધ્ધાં ઇચ્છા થાય છે. કુદરતને ખોળે રહેલા માનવી કરતાં એનામાં વધુ દ્વેષ સંચિત થતો હોય છે; ને એ દ્વેષને પ્રકટ કરવાની હીણી ને નઠારી લાગણી પણ એનામાં જ વધારે ચણચણ્યા કરતી હોય છે. પેલો સાધારણ આદમી તો એની સ્વભાવસહજ મૂર્ખાઈને કારણે વૈરવૃત્તિને સાદાસીધા ન્યાયના કાર્યરૂપે જોતો હોય છે, પણ આ મૂષક એની ચેતનાની તીવ્રતાને કારણે એમાં ન્યાય જેવું કશું જોઈ શકતો નથી. હવે વેરના કાર્યની જ વાત કરીએ. પાયાની એક અભદ્ર લાગણીની આજુબાજુ આ દુર્ભાગી મૂષક પ્રશ્નો ને શંકાઓને રૂપે બીજી કેટલીક અભદ્ર લાગણીઓનું જાળું ઊભું કરી દે છે; એ પ્રશ્નની સાથે બીજા કેટલાય વણઉકલ્યા પ્રશ્નો ઉમેરી દે છે ને આને પરિણામે, અનિવાર્યતયા, એ મૂળ લાગણીની આજુબાજુ કશોક પ્રાણઘાતક નીવડે એવો આથો ખદબદી ઊઠે છે. પેલા, કશો વિચાર કર્યા વિના સીધા ધસી જનારા આદમીઓ એને ઘેરી વળીને ગંભીરપણે જાણે લવાદી કે ન્યાય ચૂકવનારા હોય એમ એને જોઈ રહે છે, તિરસ્કારથી એના પર થૂંકે છે ને પાંસળી દુઃખવા આવે ત્યાં સુધી હસીહસીને બેવડ વળી જાય છે. આ શંકા, આ લાગણીવેડા ને આ તિરસ્કારને કારણે એ બધું કેવું તો ગંધાઈ ઊઠે છે! પોતાનો પંજો હલાવીને આ બધું જાણે છે જ નહીં એમ માની લેવા સિવાય એને માટે બીજો કશો રસ્તો નથી. તિરસ્કારવાનો ઢોંગ કરીને એ આ આખી વસ્તુને હસી કાઢે, પણ એને પોતાને જ આ વાત ગળે ઉતારવી અઘરી થઈ પડતી હોય તો! આથી એ અપમાનિત થઈને ફરી પોતાના દરમાં ભરાઈ જાય છે. એના ભૂગર્ભમાંના એ ગંદા, ગંધાતા દરમાં એ અપમાનિત, દલિત ને હાસ્યાસ્પદ બનેલો મૂષક ફરી ઉષ્માહીન, ખારીલી ને સનાતન એવી દ્વેષની લાગણીમાં ગરકાવ થઈ જશે, ચાળીસચાળીસ વરસ સુધી એ પોતાને થયેલા ઘાની નાનામાં નાની અપમાનજનક વિગતોને યાદ રાખશે ને યાદ કરતી વેળાએ વધુ અપમાનજનક વિગતોનો ઉમેરો કરીને પોતાના પર ખાર રાખીને પોતાની જ કલ્પનાથી પોતાને પજવ્યા કરશે ને યાતના ભોગવ્યા કરશે. પોતાની આ કલ્પનાઓ બદલ એને પોતાને જ શરમ આવશે ને છતાં આ બધું એ યાદ તો કરશે જ, બધી વિગતો ફરી ફરી સંભારી જશે, કદી ન સાંભળી હોય એવી વાતો પોતાની વિરદ્ધમાં શોધી કાઢશે ને એવી વાતો ખરેખર બનતી હોય એવો ઢોંગ સુધ્ધાં કરશે ને કશું માફ કરશે નહીં. કદાચ એ પોતાનું વેર લેવાનું શરૂ કરી દે એમ પણ બને, પણ તે તુચ્છ રીતે તૂટક તૂટક, ચૂલા પાછળ સંતાઈને ગુપ્ત વેશે, પોતાનો વેર લેવાનો અધિકાર છે કે વેર લેવામાં એ સફળ નીવડશે એવું કશું માન્યા વિના! વેર લેવાનો પ્રયત્ન કરવામાં એ જેના પર વેર લેવા ઇચ્છે છે તેનાથી સોગણી પીડા પોતાને જ કરી બેસશે ને પેલાને તો સહેજ સરખો ઉઝરડોય પડવાનો નથી એનીય આ મૂષકને ખબર હોય છે ને છતાં એ આ રીતે વર્તશે. એની મૃત્યુશય્યા પર આ બધું એ ફરીથી સંભારી જશે ને આ બધાં વર્ષો દરમિયાન ફરી ફરી સંભાર્યા કરવાને કારણે એમાં વધુ રસ ઉમેરાશે અને...
પણ એ ઠંડીમાં, એ અર્ધી નિરાશા ને અર્ધી આસ્થાની ઘૃણાસ્પદ સ્થિતિમાં ચાળીસ વરસ સુધી જાણી કરીને ભૂગર્ભમાં યાતનાના માર્યા જીવતા દટાઈ જવું ને આમ તો પોતાની અવસ્થા વિશેનું તીવ્ર ભાન હોવા છતાં એમાં રહેલી નરી હતાશા વિશે વળી થોડાક શંકાશીલ રહેવું, અતૃપ્ત વાસનાઓના એ નરકમાં અન્તર્મુખ બનીને જીવવું, આમથી તેમ દોલાયમાન રહેવાની એ જ્વર જેવી સ્થિતિ ભોગવવી, કાયમને માટે નિશ્ચયો દૃઢ કરવા ને પછીની બીજી જ પળે એ બદલ પસ્તાવો કરવો – આ બધામાં, હું હમણાં જ જે આનંદની વાત કરી ગયો તે વિલક્ષણ પ્રકારના આનન્દનો સ્વાદ રહ્યો હોય છે. આ આનન્દ એવો તો સૂક્ષ્મ હોય છે, એનું પૃથક્કરણ કરવું એટલંુ તો અઘરું હોય છે કે સહેજ ન્યૂનતાવાળા માનવીઓ કે સબળ જ્ઞાનતંતુવાળા માનવીઓ સુધ્ધાં એને રજમાત્ર સમજી શકે એમ નથી. તમે સહેજ હસીને તમારા તરફથી ઉમેરશો : ‘કદાચ જેણે જિંદગીમાં એક તમાચો સરખો ખાધો નથી ને તેથી જ એ આનંદની જાણકારી ધરાવનારની જેમ હું એ વિશે વાત કરું છું. મને પાકી ખાતરી છે કે તમારા મનમાં આવો જ વિચાર આવ્યો હશે. હું શરત મારવા તૈયાર છું. પણ ધીરા પડો મારા સાહેબ, મેં હજી સુધી એક્કેય તમાચો ખાધો નથી; જો કે તમે એ વિશે શંુ માનો તે પરત્વે હું સાવ ઉદાસીન છું. મારી જિંદગીમાં મેં ખૂબ ઓછા તમાચા માર્યા છે તે બદલ મને અંગત રીતે તો પસ્તાવો જ થાય છે. પણ બસ... તમને જેમાં ભારે રસ છે એવા આ વિષય પરત્વે મારે હવે એક પણ શબ્દ ઉમેરવો નથી.
પણ એ ઠંડીમાં, એ અર્ધી નિરાશા ને અર્ધી આસ્થાની ઘૃણાસ્પદ સ્થિતિમાં ચાળીસ વરસ સુધી જાણી કરીને ભૂગર્ભમાં યાતનાના માર્યા જીવતા દટાઈ જવું ને આમ તો પોતાની અવસ્થા વિશેનું તીવ્ર ભાન હોવા છતાં એમાં રહેલી નરી હતાશા વિશે વળી થોડાક શંકાશીલ રહેવું, અતૃપ્ત વાસનાઓના એ નરકમાં અન્તર્મુખ બનીને જીવવું, આમથી તેમ દોલાયમાન રહેવાની એ જ્વર જેવી સ્થિતિ ભોગવવી, કાયમને માટે નિશ્ચયો દૃઢ કરવા ને પછીની બીજી જ પળે એ બદલ પસ્તાવો કરવો – આ બધામાં, હું હમણાં જ જે આનંદની વાત કરી ગયો તે વિલક્ષણ પ્રકારના આનન્દનો સ્વાદ રહ્યો હોય છે. આ આનન્દ એવો તો સૂક્ષ્મ હોય છે, એનું પૃથક્કરણ કરવું એટલું તો અઘરું હોય છે કે સહેજ ન્યૂનતાવાળા માનવીઓ કે સબળ જ્ઞાનતંતુવાળા માનવીઓ સુધ્ધાં એને રજમાત્ર સમજી શકે એમ નથી. તમે સહેજ હસીને તમારા તરફથી ઉમેરશો : ‘કદાચ જેણે જિંદગીમાં એક તમાચો સરખો ખાધો નથી ને તેથી જ એ આનંદની જાણકારી ધરાવનારની જેમ હું એ વિશે વાત કરું છું. મને પાકી ખાતરી છે કે તમારા મનમાં આવો જ વિચાર આવ્યો હશે. હું શરત મારવા તૈયાર છું. પણ ધીરા પડો મારા સાહેબ, મેં હજી સુધી એક્કેય તમાચો ખાધો નથી; જો કે તમે એ વિશે શું માનો તે પરત્વે હું સાવ ઉદાસીન છું. મારી જિંદગીમાં મેં ખૂબ ઓછા તમાચા માર્યા છે તે બદલ મને અંગત રીતે તો પસ્તાવો જ થાય છે. પણ બસ... તમને જેમાં ભારે રસ છે એવા આ વિષય પરત્વે મારે હવે એક પણ શબ્દ ઉમેરવો નથી.
હું વજ્રની છાતીવાળા લોકો વિશેની વાત કશાય ઉશ્કેરાટ વિના આગળ ચલાવીશ. એવા લોકોને આનન્દ માણવામાં રહેલી અમુક પ્રકારની સૂક્ષ્મતાની સહેજેય ખબર હોતી નથી. આવા માણસો અમુક સંજોગોમાં તો આખલાની જેમ ગરજે છે, ને અલબત્ત (માની લો ને કે) આમ કરવાથી એમને યશ પણ મળે છે; ને છતાં, હું આગળ કહી ગયો તેમ, જ્યારે અશક્યનો સામનો કરવાનો આવે છે ત્યારે એઓ એકાએક ગળિયા બળદની જેમ બેસી પડે છે. આ અશક્ય વસ્તુ તે પથ્થરની દીવાલ. આ પથ્થરની દીવાલ શેની? પ્રકૃતિના નિયમો, પ્રાકૃતિક વિજ્ઞાનનાં ને ગણિતનાં તારણોની સ્તો! તમે વાંદરામાંથી ઊતરી આવ્યા છો એવું એ લોકો પુરવાર કરે પછી ઘૂરકિયાં કરવાનો કશો અર્થ નથી, એમની વાત એક હકીકત રૂપે સ્વીકાર્યે જ છૂટકો. તમારા લોહીનું એક ટીપું તમારે તમારા હજારો બંધુઓથી વાસ્તવમાં વિશેષ વહાલું છે એવું એ લોકો પુરવાર કરે ને એથી કહેવાતા સદ્ગુણો, કર્તવ્યો ને એવા બધા તરંગો તથા પૂર્વગ્રહોનો આખરી ઉકેલ આવી ગયો છે એમ કહે તો પછી આપણું શું ચાલવાનું હતું? કારણ કે બે ને બે ચાર એ તો ગણિતનો નિયમ છે. એનો પ્રતિવાદ કરી તો જુઓ.
હું વજ્રની છાતીવાળા લોકો વિશેની વાત કશાય ઉશ્કેરાટ વિના આગળ ચલાવીશ. એવા લોકોને આનન્દ માણવામાં રહેલી અમુક પ્રકારની સૂક્ષ્મતાની સહેજેય ખબર હોતી નથી. આવા માણસો અમુક સંજોગોમાં તો આખલાની જેમ ગરજે છે, ને અલબત્ત (માની લો ને કે) આમ કરવાથી એમને યશ પણ મળે છે; ને છતાં, હું આગળ કહી ગયો તેમ, જ્યારે અશક્યનો સામનો કરવાનો આવે છે ત્યારે એઓ એકાએક ગળિયા બળદની જેમ બેસી પડે છે. આ અશક્ય વસ્તુ તે પથ્થરની દીવાલ. આ પથ્થરની દીવાલ શેની? પ્રકૃતિના નિયમો, પ્રાકૃતિક વિજ્ઞાનનાં ને ગણિતનાં તારણોની સ્તો! તમે વાંદરામાંથી ઊતરી આવ્યા છો એવું એ લોકો પુરવાર કરે પછી ઘૂરકિયાં કરવાનો કશો અર્થ નથી, એમની વાત એક હકીકત રૂપે સ્વીકાર્યે જ છૂટકો. તમારા લોહીનું એક ટીપું તમારે તમારા હજારો બંધુઓથી વાસ્તવમાં વિશેષ વહાલું છે એવું એ લોકો પુરવાર કરે ને એથી કહેવાતા સદ્ગુણો, કર્તવ્યો ને એવા બધા તરંગો તથા પૂર્વગ્રહોનો આખરી ઉકેલ આવી ગયો છે એમ કહે તો પછી આપણું શું ચાલવાનું હતું? કારણ કે બે ને બે ચાર એ તો ગણિતનો નિયમ છે. એનો પ્રતિવાદ કરી તો જુઓ.
એ લોકો ગરજી ઊઠીને કહેશે : ‘આ બાબતમાં વિરોધ કરવાનો કશો અર્થ નથી : બે ને બે ચાર જેવો આ મામલો છે! કુદરત કાંઈ તમારી અનુમતિ માગવા રહેતી નથી, તમારી શી ઇચ્છા છે તે જોડે એને કશી નિસ્બત નથી, ને તમને રુચે કે ન રુચે તોય કુદરતના કાનૂન તમારે કબૂલ રાખવા જ પડે છે, ને એને પરિણામે કુદરત જે કાંઈ કરે તે સ્વીકારી લેવાનું જ રહે છે. દીવાલ તો દીવાલ જ છે, સમજ્યા ને... વગેરે વગેરે.’
એ લોકો ગરજી ઊઠીને કહેશે : ‘આ બાબતમાં વિરોધ કરવાનો કશો અર્થ નથી : બે ને બે ચાર જેવો આ મામલો છે! કુદરત કાંઈ તમારી અનુમતિ માગવા રહેતી નથી, તમારી શી ઇચ્છા છે તે જોડે એને કશી નિસ્બત નથી, ને તમને રુચે કે ન રુચે તોય કુદરતના કાનૂન તમારે કબૂલ રાખવા જ પડે છે, ને એને પરિણામે કુદરત જે કાંઈ કરે તે સ્વીકારી લેવાનું જ રહે છે. દીવાલ તો દીવાલ જ છે, સમજ્યા ને... વગેરે વગેરે.’
Line 35: Line 35:
<center>૭</center>
<center>૭</center>
પણ આ તો બધાં સોનેરી સ્વપ્નો છે. માણસ નઠારાં કામ કરે છે તે પોતાનો સ્વાર્થ શો છે તે નથી જાણતો તેથી જ એવું કોણે પહેલવહેલું જાહેર કર્યું તે મને કહેશો? જો એને પૂરતો બોધ આપવામાં આવે, જો એવું સાચું ને સહજ હિત જોવા માટે એની આંખો ખોલવામાં આવે તો માણસ આપોઆપ નઠારાં કામ કરતો અટકી જાય, તો એ ભલો ને ઉમદા બની જાય કારણ કે એને જ્ઞાન થવાથી, એનામાં સમજણ આવવાથી, પોતાના સાચા લાભને એ એાળખે છે ને આથી એ સારાં કામમાં જ પોતાનો લાભ જોતો થાય છે, એ સિવાય બીજા કશામાં નહીં. આપણે સૌ જાણીએ છીએ કે એક પણ માણસ જાણી કરીને પોતાના હિતની વિરુદ્ધનું આચરણ કરે નહીં. આને પરિણામે, અનિવાર્યતયા, એ સારાં જ કામો કરશે – આમ માની શકાશે? કેવું બાલિશ! નરી અબુધ બાલિશતા! પહેલી વાત તો એ પૂછવાની કે આ હજારો વર્ષો દરમિયાન એક્કેય વાર એવું બન્યું છે ખરું કે જ્યારે માણસ કેવળ પોતાના સ્વાર્થને વશ બનીને જ વર્ત્યો હોય? માણસો સભાનપણે, એટલે કે પોતાનો સ્વાર્થ શેમાં રહ્યો છે તે પૂરેપૂરું જાણવા છતાં, એ સ્વાર્થને બાજુએ હડસેલી દઈને જોખમ અને ભયથી ભરેલે બીજે જ રસ્તે દોડી ગયા છે, ને તેય કોઈએ ફ્રજ પાડી હોય એવા કશા કારણે નહીં, પણ જાણે એક ને એક રેઢિયાળ ચીલે ચાલવાનો કંટાળો આવ્યો હોય ને તેથી જાણી કરીને, હઠપૂર્વક, બીજો કઠિન ને બેહૂદો રસ્તો લે, એ રસ્તો જાણે લગભગ અંધારામાં ફંફં મારીને શોધી કાઢે, આના લાખ્ખો દાખલા આ વાતની સાક્ષી પૂરે છે તેનું શું? આ હઠ ને આ વિકૃતિ જ કદાચ બીજા કોઈ લાભ કરતાં એમને વધુ આનંદદાયક લાગ્યાં હશે... લાભ! આ લાભ તે શી બલા છે?
પણ આ તો બધાં સોનેરી સ્વપ્નો છે. માણસ નઠારાં કામ કરે છે તે પોતાનો સ્વાર્થ શો છે તે નથી જાણતો તેથી જ એવું કોણે પહેલવહેલું જાહેર કર્યું તે મને કહેશો? જો એને પૂરતો બોધ આપવામાં આવે, જો એવું સાચું ને સહજ હિત જોવા માટે એની આંખો ખોલવામાં આવે તો માણસ આપોઆપ નઠારાં કામ કરતો અટકી જાય, તો એ ભલો ને ઉમદા બની જાય કારણ કે એને જ્ઞાન થવાથી, એનામાં સમજણ આવવાથી, પોતાના સાચા લાભને એ એાળખે છે ને આથી એ સારાં કામમાં જ પોતાનો લાભ જોતો થાય છે, એ સિવાય બીજા કશામાં નહીં. આપણે સૌ જાણીએ છીએ કે એક પણ માણસ જાણી કરીને પોતાના હિતની વિરુદ્ધનું આચરણ કરે નહીં. આને પરિણામે, અનિવાર્યતયા, એ સારાં જ કામો કરશે – આમ માની શકાશે? કેવું બાલિશ! નરી અબુધ બાલિશતા! પહેલી વાત તો એ પૂછવાની કે આ હજારો વર્ષો દરમિયાન એક્કેય વાર એવું બન્યું છે ખરું કે જ્યારે માણસ કેવળ પોતાના સ્વાર્થને વશ બનીને જ વર્ત્યો હોય? માણસો સભાનપણે, એટલે કે પોતાનો સ્વાર્થ શેમાં રહ્યો છે તે પૂરેપૂરું જાણવા છતાં, એ સ્વાર્થને બાજુએ હડસેલી દઈને જોખમ અને ભયથી ભરેલે બીજે જ રસ્તે દોડી ગયા છે, ને તેય કોઈએ ફ્રજ પાડી હોય એવા કશા કારણે નહીં, પણ જાણે એક ને એક રેઢિયાળ ચીલે ચાલવાનો કંટાળો આવ્યો હોય ને તેથી જાણી કરીને, હઠપૂર્વક, બીજો કઠિન ને બેહૂદો રસ્તો લે, એ રસ્તો જાણે લગભગ અંધારામાં ફંફં મારીને શોધી કાઢે, આના લાખ્ખો દાખલા આ વાતની સાક્ષી પૂરે છે તેનું શું? આ હઠ ને આ વિકૃતિ જ કદાચ બીજા કોઈ લાભ કરતાં એમને વધુ આનંદદાયક લાગ્યાં હશે... લાભ! આ લાભ તે શી બલા છે?
માણસનો લાભ શેમાં રહ્યો હોય છે તે પૂરી ચોકસાઈથી તમે આંકી બતાવવાનું માથે લેશો ખરા? ને જો કેટલીક વાર માણસનો લાભ જે પોતાને માટે ખતરનાક ને ગેરલાભકારક હોય તે ઇચ્છવામાં જ અનિવાર્યતયા રહ્યો હોય તો તેનું શું ? ને જો એવું હોય તો તમારી વાત ‘રમૂળથી જ ભાંગી પડે છે. તમને શું લાગે છે? આવા કિસ્સા હોય છે ખરા ને? તમે હસો છો; ભલે ને, મારી વાત હસી કાઢો, છતાં મને જવાબ આપો : માણસના લાભનો ચોક્કસ હિસાબ કોઈ પૂરી નિશ્ચિતતાથી કરી શક્યું છે ખરું ? જેનો આ હિસાબમાં સમાવેશ થયો નથી, એટલું જ નહીં, જેનો આવાં કશાં કોષ્ટકમાં સમાવેશ થઈ શકે એમ જ નથી એવુંય નથી હોતું? સજ્જનો, હું સમજું છું ત્યાં સુધી તમે માનવીના લાભનાં કોષ્ટક આંકડાશાસ્ત્રીઓ, રાજકારણમાં પડેલાઓ ને અર્થશાસ્ત્રીઓએ ઉપજાવેલાં સૂત્રોને આધારે કાઢેલા સરેરાશ અંદાજને આધારે તૈયાર કર્યાં હોય છે. તમારે મન લાભ એટલે સમૃદ્ધિ, ‘ન, સ્વતંત્રતા, શાન્તિ વગેરે. જે માણસ જાણી કરીને ખુલ્લંખુલ્લા આ બધાંથી વિરુદ્ધ દિશામાં જાય તે તમારી દૃષ્ટિએ (ને અલબત્ત, મારી દૃષ્ટિએ પણ) નર્યો પાગલ કે વિદ્યાશત્રુ જ લાગે, ખરું ને? પણ તમે જાણો છો ને, આ જરા અચરજ થાય એવું છે : આ બધા આંકડાશાસ્ત્રીઓ, સાધુપુરુષો અને માનવતાના મજનૂએા માનવીના લાભની યાદી બનાવવા બેસે છે ત્યારે એક વસ્તુની શા માટે બાદબાકી કરી નાખે છે? જે રીતે એની નોંધ લેવાવી જોઈએ તે રીતે નોંધ સરખી લેતા નથી, ને આખા હિસાબનો આધાર એના પર રહે છે. આમાં કાંઈ ખાસ ધાડ મારવાની નથી, આ લાભની નોંધ લઈને એનો એમની યાદીમાં સમાવેશ માત્ર કરવાનો છે. પણ આફતની વાત એ છે એમનાં વર્ગીકરણનાં કોઈ ખાનામાં આ વિગતને ગોઠવી શકાતી નથી, આથી એને એમાં ક્યાંય સ્થાન પ્રાપ્ત થતું નથી. એક દાખલો આપું, મારો એક દોસ્ત છે,... અરે, પણ સજ્જનો, એ તમારોય દોસ્ત છે, ને એવું કોઈ નથી જેનો એ દોસ્ત નહીં હોય. આવા સજ્જન કશંુક પણ કામ હાથ પર લે ત્યારે બુદ્ધિ અને સત્યના નિયમોને વશ વર્તીને એમણે કેવી રીતે આગળ વ‘વા ધાર્યંુ છે તે વિશે તરત જ ભારે ચોકસાઈથી એમની લાક્ષણિક છટા સાથે તમને બધું સ્પષ્ટપણે સમજાવી દેશે, ને વધારામાં, એઓ માણસના સાચા અને સર્વસામાન્ય હિત વિશે ભારે ઉત્તેજનાથી અભિનિવેશપૂર્વક વાતો કરશે; એએા ટૂંકી દૃષ્ટિવાળા, પોતાનું જ હિત નહીં સમજનારા ને સદ્દ્ગુણનો ખરો અર્થ નહીં જાણી શકનારા મૂરખાઓને વ્યંગપૂર્વક ભાંડશે; ને ૫ા કલાકમાં જ, બહારની કશી ઉશ્કેરણી વિના, પોતાનાં બધાં હિત કરતાં બલવત્તર એવાં કશાંકને કારણે એઓ સાવ જુદે જ માર્ગે દોડી જશે, અત્યાર સુધી પોતે જે પોતા વિશે કહી રહ્યા હતા તેની સાવ વિરુદ્વમાં જઈને જ વર્તશે, બુદ્ધિના નિયમોને નેવે મૂકશે; પોતાના લાભને પણ વિસારે પાડશે. ટૂંકમાં પોતે કહી ગયા તેનાથી સાવ ઊલટું જ વર્તન કરશે... હું તમને પહેલેથી ચેતવી રાખું છું : આપણા આ મિત્ર ભારે સંકુલ ચરિત્રવાળા છે, ને તેથી જ તો એક વ્યકિત લેખે એમનો દોષ કાઢવો મુશ્કેલ છે. સજ્જનો, હકીકત એ છે કે લગભગ દરેક માણસને પોતાના મોટામાં મોટા લાભથી વધુ વહાલું એવું કશુંક હોવું જ જોઈએ, અથવા તો (તર્કસંગત વાત કરવી હોય તો) સૌથી વધુ લાભદાયક એવો કશોક લાભ હોય છે, (જે બાકાત રાખવામાં આવ્યો હોય છે, જેની હમણાં જ હું વાત કરી ગયો) જે વધુ મહત્ત્વનો હોય છે, જે બીજા સૌ લાભ કરતાં વધુ લાભદાયક હોય છે, ને જેને ખાતર, જરૂર પડે તો, માણસ બધા જ નિયમોની વિરુદ્ધ જઈને વર્તવા તૈયાર થઈ જાય છે; એટલે કે બુદ્ધિ, માનઆબરૂ, શાન્તિ, સમૃદ્ધિ – વાસ્તવમાં સર્વોત્તમ અને ઉપકારક એવાં સર્વ કાંઈથી ઊફરો જઈને એ વર્તે છે જો એથી પેલો પાયાનો, સૌ લાભથી વધુ લાભદાયક ને સૌથી વધુ વહાલો એવો લાભ થવાનો હોય તો. ‘હા, પણ આખરે એય લાભ છે એમ તો તમે કહો જ છો ને!’ તમે વળતો જવાબ આપશો. માફ કરજો, હું આ મુદ્દો સહેજ સ્પષ્ટ કરીને કહું, ને આ કાંઈ નરી શબ્દરમત નથી. મહત્ત્વનો મુદ્દો એ છે કે આ લાભ નોં‘પાત્ર છે તે એ કારણે કે એ આપણાં બધાં જ કોષ્ટકો તોડીફોડી નાખે છે; માનવતાના મજનૂઓએ માનવતાના લાભ ખાતર રચેલી બધી વ્યવસ્થાને એ સદા ભાંગ્યા જ કરે છે. એ ટૂંકમાં, બધું જ અવળુંસવળું કરી નાખે છે. આ લાભનું નામ પાડું તે પહેલાં હું એક બાબત પરત્વે અંગત રીતે એક સમજૂતી પ્રકટ કરવા ઇચ્છું છું ને તેથી હું પ્રગલ્ભપણે એલાન કરું છું કે આ બધી રૂડી વ્યવસ્થા, માનવજાતને એનું સાચું હિત શેમાં રહ્યું છે તે સમજાવવાના આ બધા લાંબાચોડા દીબાચાઓ (જે જાણીને માનવીઓ અનિવાર્યતયા એ હેતુ સિદ્ધ કરવાને મંડી પડે ને તરત સારા ને ઉમદા બની રહે!) – મારા મતે, હજી સુધી તો, નરી તર્કની આટાપાટાની રમતમાત્ર લાગે છે! હા, નરી તર્કની આટાપાટાની રમત. પોતાના હિતની સિદ્ધિ માટેનો પુરુષાર્થ કરવાથી માનવી નવો જન્મ પામશે એમ માનવું તે મારે મતે, સંસ્કૃતિથી માનવી કૂણો બને છે ને એને પરિણામે ઓછો લોહીતરસ્યો બને છે, ને એથી એ યુદ્ધ કરવાને ઓછો લાયક બને છે એવા બકલના સિદ્ધાંતને સ્વીકારી લેવા બરાબર છે.
માણસનો લાભ શેમાં રહ્યો હોય છે તે પૂરી ચોકસાઈથી તમે આંકી બતાવવાનું માથે લેશો ખરા? ને જો કેટલીક વાર માણસનો લાભ જે પોતાને માટે ખતરનાક ને ગેરલાભકારક હોય તે ઇચ્છવામાં જ અનિવાર્યતયા રહ્યો હોય તો તેનું શું ? ને જો એવું હોય તો તમારી વાત ‘રમૂળથી જ ભાંગી પડે છે. તમને શું લાગે છે? આવા કિસ્સા હોય છે ખરા ને? તમે હસો છો; ભલે ને, મારી વાત હસી કાઢો, છતાં મને જવાબ આપો : માણસના લાભનો ચોક્કસ હિસાબ કોઈ પૂરી નિશ્ચિતતાથી કરી શક્યું છે ખરું ? જેનો આ હિસાબમાં સમાવેશ થયો નથી, એટલું જ નહીં, જેનો આવાં કશાં કોષ્ટકમાં સમાવેશ થઈ શકે એમ જ નથી એવુંય નથી હોતું? સજ્જનો, હું સમજું છું ત્યાં સુધી તમે માનવીના લાભનાં કોષ્ટક આંકડાશાસ્ત્રીઓ, રાજકારણમાં પડેલાઓ ને અર્થશાસ્ત્રીઓએ ઉપજાવેલાં સૂત્રોને આધારે કાઢેલા સરેરાશ અંદાજને આધારે તૈયાર કર્યાં હોય છે. તમારે મન લાભ એટલે સમૃદ્ધિ, ‘ન, સ્વતંત્રતા, શાન્તિ વગેરે. જે માણસ જાણી કરીને ખુલ્લંખુલ્લા આ બધાંથી વિરુદ્ધ દિશામાં જાય તે તમારી દૃષ્ટિએ (ને અલબત્ત, મારી દૃષ્ટિએ પણ) નર્યો પાગલ કે વિદ્યાશત્રુ જ લાગે, ખરું ને? પણ તમે જાણો છો ને, આ જરા અચરજ થાય એવું છે : આ બધા આંકડાશાસ્ત્રીઓ, સાધુપુરુષો અને માનવતાના મજનૂએા માનવીના લાભની યાદી બનાવવા બેસે છે ત્યારે એક વસ્તુની શા માટે બાદબાકી કરી નાખે છે? જે રીતે એની નોંધ લેવાવી જોઈએ તે રીતે નોંધ સરખી લેતા નથી, ને આખા હિસાબનો આધાર એના પર રહે છે. આમાં કાંઈ ખાસ ધાડ મારવાની નથી, આ લાભની નોંધ લઈને એનો એમની યાદીમાં સમાવેશ માત્ર કરવાનો છે. પણ આફતની વાત એ છે એમનાં વર્ગીકરણનાં કોઈ ખાનામાં આ વિગતને ગોઠવી શકાતી નથી, આથી એને એમાં ક્યાંય સ્થાન પ્રાપ્ત થતું નથી. એક દાખલો આપું, મારો એક દોસ્ત છે,... અરે, પણ સજ્જનો, એ તમારોય દોસ્ત છે, ને એવું કોઈ નથી જેનો એ દોસ્ત નહીં હોય. આવા સજ્જન કશુંક પણ કામ હાથ પર લે ત્યારે બુદ્ધિ અને સત્યના નિયમોને વશ વર્તીને એમણે કેવી રીતે આગળ વ‘વા ધાર્યું છે તે વિશે તરત જ ભારે ચોકસાઈથી એમની લાક્ષણિક છટા સાથે તમને બધું સ્પષ્ટપણે સમજાવી દેશે, ને વધારામાં, એઓ માણસના સાચા અને સર્વસામાન્ય હિત વિશે ભારે ઉત્તેજનાથી અભિનિવેશપૂર્વક વાતો કરશે; એએા ટૂંકી દૃષ્ટિવાળા, પોતાનું જ હિત નહીં સમજનારા ને સદ્દ્ગુણનો ખરો અર્થ નહીં જાણી શકનારા મૂરખાઓને વ્યંગપૂર્વક ભાંડશે; ને પા કલાકમાં જ, બહારની કશી ઉશ્કેરણી વિના, પોતાનાં બધાં હિત કરતાં બલવત્તર એવાં કશાંકને કારણે એઓ સાવ જુદે જ માર્ગે દોડી જશે, અત્યાર સુધી પોતે જે પોતા વિશે કહી રહ્યા હતા તેની સાવ વિરુદ્વમાં જઈને જ વર્તશે, બુદ્ધિના નિયમોને નેવે મૂકશે; પોતાના લાભને પણ વિસારે પાડશે. ટૂંકમાં પોતે કહી ગયા તેનાથી સાવ ઊલટું જ વર્તન કરશે... હું તમને પહેલેથી ચેતવી રાખું છું : આપણા આ મિત્ર ભારે સંકુલ ચરિત્રવાળા છે, ને તેથી જ તો એક વ્યકિત લેખે એમનો દોષ કાઢવો મુશ્કેલ છે. સજ્જનો, હકીકત એ છે કે લગભગ દરેક માણસને પોતાના મોટામાં મોટા લાભથી વધુ વહાલું એવું કશુંક હોવું જ જોઈએ, અથવા તો (તર્કસંગત વાત કરવી હોય તો) સૌથી વધુ લાભદાયક એવો કશોક લાભ હોય છે, (જે બાકાત રાખવામાં આવ્યો હોય છે, જેની હમણાં જ હું વાત કરી ગયો) જે વધુ મહત્ત્વનો હોય છે, જે બીજા સૌ લાભ કરતાં વધુ લાભદાયક હોય છે, ને જેને ખાતર, જરૂર પડે તો, માણસ બધા જ નિયમોની વિરુદ્ધ જઈને વર્તવા તૈયાર થઈ જાય છે; એટલે કે બુદ્ધિ, માનઆબરૂ, શાન્તિ, સમૃદ્ધિ – વાસ્તવમાં સર્વોત્તમ અને ઉપકારક એવાં સર્વ કાંઈથી ઊફરો જઈને એ વર્તે છે જો એથી પેલો પાયાનો, સૌ લાભથી વધુ લાભદાયક ને સૌથી વધુ વહાલો એવો લાભ થવાનો હોય તો. ‘હા, પણ આખરે એય લાભ છે એમ તો તમે કહો જ છો ને!’ તમે વળતો જવાબ આપશો. માફ કરજો, હું આ મુદ્દો સહેજ સ્પષ્ટ કરીને કહું, ને આ કાંઈ નરી શબ્દરમત નથી. મહત્ત્વનો મુદ્દો એ છે કે આ લાભ નોં‘પાત્ર છે તે એ કારણે કે એ આપણાં બધાં જ કોષ્ટકો તોડીફોડી નાખે છે; માનવતાના મજનૂઓએ માનવતાના લાભ ખાતર રચેલી બધી વ્યવસ્થાને એ સદા ભાંગ્યા જ કરે છે. એ ટૂંકમાં, બધું જ અવળુંસવળું કરી નાખે છે. આ લાભનું નામ પાડું તે પહેલાં હું એક બાબત પરત્વે અંગત રીતે એક સમજૂતી પ્રકટ કરવા ઇચ્છું છું ને તેથી હું પ્રગલ્ભપણે એલાન કરું છું કે આ બધી રૂડી વ્યવસ્થા, માનવજાતને એનું સાચું હિત શેમાં રહ્યું છે તે સમજાવવાના આ બધા લાંબાચોડા દીબાચાઓ (જે જાણીને માનવીઓ અનિવાર્યતયા એ હેતુ સિદ્ધ કરવાને મંડી પડે ને તરત સારા ને ઉમદા બની રહે!) – મારા મતે, હજી સુધી તો, નરી તર્કની આટાપાટાની રમતમાત્ર લાગે છે! હા, નરી તર્કની આટાપાટાની રમત. પોતાના હિતની સિદ્ધિ માટેનો પુરુષાર્થ કરવાથી માનવી નવો જન્મ પામશે એમ માનવું તે મારે મતે, સંસ્કૃતિથી માનવી કૂણો બને છે ને એને પરિણામે ઓછો લોહીતરસ્યો બને છે, ને એથી એ યુદ્ધ કરવાને ઓછો લાયક બને છે એવા બકલના સિદ્ધાંતને સ્વીકારી લેવા બરાબર છે.
એની દલીલમાંથી આવું નિષ્પન્ન થાય તે તર્કસંગત લાગે તેમ છે. પણ માણસને આવી વિચારપદ્ધતિઓ તથા તારવી લીધેલાં ગૃહીતો માટે પહેલેથી જ એવો તો પક્ષપાત છે કે એ હેતુપૂર્વક સત્યને મચડવાને તૈયાર થઈ જાય છે, પોતાની ઇન્દ્રિયે રજૂ કરેલા પ્રમાણને નકારવા તૈયાર થઈ જાય છે ને આ બધું કેવળ તર્કપદ્ધતિને વ્યાજબી ઠરાવવા. હું આ ઉદાહરણ લઉં છું એનું કારણ એ છે કે એ ઊડીને આંખે વળગે એવું છે. તમારી આજુબાજુ જ એક નજર નાખો ને : લોહીની નદીઓ રેલાઈ રહી છે, ને તેય ભારે આનંદથી, કેમ જાણે એ શેમ્પઈન નહીં હોય! બકલ જે સદીમાં જીવી ગયો તે આખી ઓગણીસમી સદી જ લો ને. નેપોલિયનની વાત લો – મહાન પુરુષ, ને વળી આપણી નજીકનો. ઉત્તર અમેરિકાની વાત લો – સદાકાળનું સંયુક્ત રાજ્ય. શ્લેસ્વીગ-હોલ્સ્ટેઇનનું ફારસ લો... સંસ્કૃતિ આપણામાંની કઈ વસ્તુને કૂણી બનાવે છે?- ઇન્દ્રિયસુખના વૈવિધ્યને માણવાની શક્તિના વધારા સિવાય માનવીને સંસ્કૃતિથી બીજો કયો મોટો લાભ થયો છે? – એથી બીજું કશું માનવીને પ્રાપ્ત થયું નથી. આ બહુમુખી વૃત્તિના વિકસવાથી જ આખરે માણસ લોહી રેડવામાં સુુખ જોતો થઈ જાય છે. ખરું કહુંં તો, આવું બની જ ચૂક્યું છેે. સૌથી વધુ સંસ્કારી સજ્જનો જ સૌથી ચતુર હત્યારાઓ હોય છે એ તમે નોંધ્યું છે ખરું? એઓ ભારે સૂક્ષ્મ રીતે હત્યા કરતા હોય છેે. એટ્ટિલા ને સ્ટેન્કા રાઝિન તો આ સજ્જનો આગળ શી વિસાતમાં? એટ્ટિલા ને સ્ટેન્કા રાઝિનની જેમ એઓ ખુલ્લંખુલ્લા નજરે ચઢતા નથી એનું કારણ એ છે કે એઓ ઘણું ખરું તો આપણને સામે ભટકાતા જ હોય છે, એઓ કશી અસાધારણતાથી આપણું ધ્યાન ખેંચતા નથી, એઓ આપણને એટલા બધા પરિચિત થઈ ગયા છે. સંસ્કૃતિએ માણસને વધુ લોહીતરસ્યો નહીં બનાવ્યો હોય તોય વધુ દુષ્ટ રીતે, વધુ જુગુપ્સાજનક રીતે લોહીતરસ્યો બનાવ્યો છે એટલું તો નક્કી. જૂના જમાનામાં લોહી રેડીને એ ન્યાય ચૂકવે છે એમ માનતો : અંતરાત્માને જરાય ક્ષુબ્ધ કર્યા વિના એ ઠંડે કલેજે જેનો નિકાલ લાવવા જેવો હોય તેનો નિકાલ લાવી નાખતો. આજે લોહી રેડવું આપણને અ‘મ કૃત્ય તો લાગે જ છે ને છતાં આપણે એ અ‘મ કૃત્ય આચરીએ છીએ ને તેય પહેલાંના કરતાં વધારે સામર્થ્યથી. તો વધુ ખરાબ કોને કહેશો તમે જાતે જ નક્કી કરી લો ને! કહેવાય છે કે કલીઓપાત્રા (રોમના ઇતિહાસમાંથી દાખલો ટાંકું છું તે બદલ દરગુજર કરશો) પોતાની દાસીઓનાં સ્તનમાં સોનાની ટાંકણી ઘોંચીને મનોવિનોદ કરતી ને એ દાસીઓ વેદનાથી કણસતી ને અમળાઈ જતી તે જોઈને ખૂબ રાજી થતી. તમે કહેશો કે એ તો લગભગ બર્બરતાના જમાનામાં બનેલી ઘટના કહેવાય; આપણો જમાનો પણ બર્બરયુગ જ છે કારણ કે એક રીતે કહીએ તો આજેય આવી ટાંકણીઓ ઘોંચવાનો પ્રયોગ ચાલુ જ છે; પુરાણા બર્બરયુગના માનવીઓ કરતાં આજે માનવી વધુ સ્પષ્ટ રીતે જોતાં શીખ્યો છે તેમ છતાં એની બુદ્ધિ તથા વિજ્ઞાન એને સુઝાડે એ રીતે વર્તવાનું એનાથી હજી બની શકતું નથી, આમ છતાં તમને તો ખાતરી છે જ કે માનવી એની અમુક પુરાણી ખરાબ ટેવોને છોડી દેશે કે તરત આ પ્રમાણે વર્તવાનું એને આવડી જશે; કોઠાસૂઝ અને વિજ્ઞાન માનવસ્વભાવને ફરીથી પલોટી નાખશે ને એને વિકૃતિની દિશામાંથી પાછો વાળીને સાચી દિશા તરફ અગ્રસર કરશે. ત્યારે માનવી જાણી કરીને ખોટું આચરણ કરતો અટકી જશે ને પોતાનાં સાચાં હિતની વિરુદ્ધમાં પોતાની ઇચ્છાશક્તિને ખડી કરવાની અનિવાર્યતામાંથી બચી જશે એવો તમને વિશ્વાસ છે. પણ આટલું પૂરતું નથી; તમે આગળ વધીને કહેશો કે વિજ્ઞાન પોતે જ માનવીને શીખવશે (જો કે મારે મન તો એ મિથ્યા વિલાસ જ છે) કે એને કદી પોતાના તરંગ કે ઇચ્છાશક્તિ જેવું કશું હતું જ નહીં; એ વાંસળીના છિદ્ર જેવો કે પિયાનોની ચાવી જેવો જ છે; આ ઉપરાંત જેને કુદરતના કાનૂન કહી શકાય એવું પણ કશુંક છે. આથી એ જે કાંઈ કરે છે તે એની ઇચ્છાશક્તિના જોરે નથી થતું, કુદરતના કાનૂનને કારણે આપમેળે બની આવે છે. આને પરિણામે, કુદરતી કાનૂનો શોધી કાઢીએ એટલે બસ, પછી માનવીને એનાં કાર્યો બદલ જવાબ આપવાનો નહીં રહે, પછી એને માટે જિંદગી સાવ સરળ બની રહેશે. પછી માનવીનાં બધાં જ કાર્યો, આ કાનૂન મુજબ ગણિતના કોષ્ટકમાં ૧,૦૮,૦૦૦ સુધીના ઘાતાંકમાં વહેંચી નાખવામાં આવશે ને એની સૂચિ બનાવી દેવામાં આવશે; અથવા એથી આગળ જઈને જ્ઞાનવર્ધક વિશ્વજ્ઞાનકોશ બહાર પાડવામાં આવશે જેમાં બધું જ સ્પષ્ટ ગણતરી કરીને ઓળખાવવામાં આવશે. પછીથી કશું નવું બનશે નહીં, દુનિયામાં સાહસ જેવું કશું રહેશે નહીં.
એની દલીલમાંથી આવું નિષ્પન્ન થાય તે તર્કસંગત લાગે તેમ છે. પણ માણસને આવી વિચારપદ્ધતિઓ તથા તારવી લીધેલાં ગૃહીતો માટે પહેલેથી જ એવો તો પક્ષપાત છે કે એ હેતુપૂર્વક સત્યને મચડવાને તૈયાર થઈ જાય છે, પોતાની ઇન્દ્રિયે રજૂ કરેલા પ્રમાણને નકારવા તૈયાર થઈ જાય છે ને આ બધું કેવળ તર્કપદ્ધતિને વ્યાજબી ઠરાવવા. હું આ ઉદાહરણ લઉં છું એનું કારણ એ છે કે એ ઊડીને આંખે વળગે એવું છે. તમારી આજુબાજુ જ એક નજર નાખો ને : લોહીની નદીઓ રેલાઈ રહી છે, ને તેય ભારે આનંદથી, કેમ જાણે એ શેમ્પઈન નહીં હોય! બકલ જે સદીમાં જીવી ગયો તે આખી ઓગણીસમી સદી જ લો ને. નેપોલિયનની વાત લો – મહાન પુરુષ, ને વળી આપણી નજીકનો. ઉત્તર અમેરિકાની વાત લો – સદાકાળનું સંયુક્ત રાજ્ય. શ્લેસ્વીગ-હોલ્સ્ટેઇનનું ફારસ લો... સંસ્કૃતિ આપણામાંની કઈ વસ્તુને કૂણી બનાવે છે?- ઇન્દ્રિયસુખના વૈવિધ્યને માણવાની શક્તિના વધારા સિવાય માનવીને સંસ્કૃતિથી બીજો કયો મોટો લાભ થયો છે? – એથી બીજું કશું માનવીને પ્રાપ્ત થયું નથી. આ બહુમુખી વૃત્તિના વિકસવાથી જ આખરે માણસ લોહી રેડવામાં સુુખ જોતો થઈ જાય છે. ખરું કહુંં તો, આવું બની જ ચૂક્યું છેે. સૌથી વધુ સંસ્કારી સજ્જનો જ સૌથી ચતુર હત્યારાઓ હોય છે એ તમે નોંધ્યું છે ખરું? એઓ ભારે સૂક્ષ્મ રીતે હત્યા કરતા હોય છેે. એટ્ટિલા ને સ્ટેન્કા રાઝિન તો આ સજ્જનો આગળ શી વિસાતમાં? એટ્ટિલા ને સ્ટેન્કા રાઝિનની જેમ એઓ ખુલ્લંખુલ્લા નજરે ચઢતા નથી એનું કારણ એ છે કે એઓ ઘણું ખરું તો આપણને સામે ભટકાતા જ હોય છે, એઓ કશી અસાધારણતાથી આપણું ધ્યાન ખેંચતા નથી, એઓ આપણને એટલા બધા પરિચિત થઈ ગયા છે. સંસ્કૃતિએ માણસને વધુ લોહીતરસ્યો નહીં બનાવ્યો હોય તોય વધુ દુષ્ટ રીતે, વધુ જુગુપ્સાજનક રીતે લોહીતરસ્યો બનાવ્યો છે એટલું તો નક્કી. જૂના જમાનામાં લોહી રેડીને એ ન્યાય ચૂકવે છે એમ માનતો : અંતરાત્માને જરાય ક્ષુબ્ધ કર્યા વિના એ ઠંડે કલેજે જેનો નિકાલ લાવવા જેવો હોય તેનો નિકાલ લાવી નાખતો. આજે લોહી રેડવું આપણને અ‘મ કૃત્ય તો લાગે જ છે ને છતાં આપણે એ અ‘મ કૃત્ય આચરીએ છીએ ને તેય પહેલાંના કરતાં વધારે સામર્થ્યથી. તો વધુ ખરાબ કોને કહેશો તમે જાતે જ નક્કી કરી લો ને! કહેવાય છે કે કલીઓપાત્રા (રોમના ઇતિહાસમાંથી દાખલો ટાંકું છું તે બદલ દરગુજર કરશો) પોતાની દાસીઓનાં સ્તનમાં સોનાની ટાંકણી ઘોંચીને મનોવિનોદ કરતી ને એ દાસીઓ વેદનાથી કણસતી ને અમળાઈ જતી તે જોઈને ખૂબ રાજી થતી. તમે કહેશો કે એ તો લગભગ બર્બરતાના જમાનામાં બનેલી ઘટના કહેવાય; આપણો જમાનો પણ બર્બરયુગ જ છે કારણ કે એક રીતે કહીએ તો આજેય આવી ટાંકણીઓ ઘોંચવાનો પ્રયોગ ચાલુ જ છે; પુરાણા બર્બરયુગના માનવીઓ કરતાં આજે માનવી વધુ સ્પષ્ટ રીતે જોતાં શીખ્યો છે તેમ છતાં એની બુદ્ધિ તથા વિજ્ઞાન એને સુઝાડે એ રીતે વર્તવાનું એનાથી હજી બની શકતું નથી, આમ છતાં તમને તો ખાતરી છે જ કે માનવી એની અમુક પુરાણી ખરાબ ટેવોને છોડી દેશે કે તરત આ પ્રમાણે વર્તવાનું એને આવડી જશે; કોઠાસૂઝ અને વિજ્ઞાન માનવસ્વભાવને ફરીથી પલોટી નાખશે ને એને વિકૃતિની દિશામાંથી પાછો વાળીને સાચી દિશા તરફ અગ્રસર કરશે. ત્યારે માનવી જાણી કરીને ખોટું આચરણ કરતો અટકી જશે ને પોતાનાં સાચાં હિતની વિરુદ્ધમાં પોતાની ઇચ્છાશક્તિને ખડી કરવાની અનિવાર્યતામાંથી બચી જશે એવો તમને વિશ્વાસ છે. પણ આટલું પૂરતું નથી; તમે આગળ વધીને કહેશો કે વિજ્ઞાન પોતે જ માનવીને શીખવશે (જો કે મારે મન તો એ મિથ્યા વિલાસ જ છે) કે એને કદી પોતાના તરંગ કે ઇચ્છાશક્તિ જેવું કશું હતું જ નહીં; એ વાંસળીના છિદ્ર જેવો કે પિયાનોની ચાવી જેવો જ છે; આ ઉપરાંત જેને કુદરતના કાનૂન કહી શકાય એવું પણ કશુંક છે. આથી એ જે કાંઈ કરે છે તે એની ઇચ્છાશક્તિના જોરે નથી થતું, કુદરતના કાનૂનને કારણે આપમેળે બની આવે છે. આને પરિણામે, કુદરતી કાનૂનો શોધી કાઢીએ એટલે બસ, પછી માનવીને એનાં કાર્યો બદલ જવાબ આપવાનો નહીં રહે, પછી એને માટે જિંદગી સાવ સરળ બની રહેશે. પછી માનવીનાં બધાં જ કાર્યો, આ કાનૂન મુજબ ગણિતના કોષ્ટકમાં ૧,૦૮,૦૦૦ સુધીના ઘાતાંકમાં વહેંચી નાખવામાં આવશે ને એની સૂચિ બનાવી દેવામાં આવશે; અથવા એથી આગળ જઈને જ્ઞાનવર્ધક વિશ્વજ્ઞાનકોશ બહાર પાડવામાં આવશે જેમાં બધું જ સ્પષ્ટ ગણતરી કરીને ઓળખાવવામાં આવશે. પછીથી કશું નવું બનશે નહીં, દુનિયામાં સાહસ જેવું કશું રહેશે નહીં.
પછી – તમારું કહેવું આટલું જ છે. નવા આથિર્ક સંબંધો બંધાશે, બધું જ તૈયાર ને ગાણિતિક ચોકસાઈથી નક્કી કરેલું હશે; આથી તમે કોઈ પ્રશ્ન પૂછો તો આંખના પલકારામાં એનો જવાબ મળી રહેશે. પછી... સુખશાંતિના દિવસો આવશે. અલબત્ત (આ મારી ટિપ્પણી છે), ત્યારે બધું ભયંકર કંટાળાભર્યું બની નહીં જાય એમ નિશ્ચિતપણે કહી શકાય નહીં. (બધું જ ખાનાં પાડીને કોષ્ટકોમાં વહેંચી નાખ્યું હોય પછી બીજું કરવાનું રહે શું?) પણ બીજી રીતે જોઈએ તો બધું અસાધારણ રીતે બુદ્ધિસંગત બની જશે. અલબત્ત, કંટાળાને કારણે તમે ગમે તે હદે જઈને ગમે તે કરી નાખો તે વાત જુદી. આવા કંટાળાને કારણે જ કલીઓપાત્રા દાસીના સ્તનમાં સોનાની ટાંકણી ઘોંચતી હતી, પણ પછી એનો કશો વાંધો નહિ રહે. અનિષ્ટ તો એ (વળી હું મારી ટિપ્પણી ઉમેરું છું) કે પછી દાસીઓ આ સોનાની ટાંકણી ઘોંચ્યા બદલ આભાર માનતી થઈ જશે. માણસ મૂરખ છે, ગજબનો મૂરખ છે એ તો તમે ક્યાં નથી જાણતા? અથવા તો એમ કહો ને કે એ જરાય મૂરખ નથી, પણ એ એવો તો કૃતઘ્ન છે કે આખી ભગવાનની સૃષ્ટિમાં એનો જોટો જડે નહીં. બધે સમૃદ્ધિ છલકાતી હોય ને બધી છોળ વચ્ચે રહ્યો છતાં કોઈ સજ્જન કશાં જ કારણ વિના, વ્યંગભરી મુખમુદ્રા કરીને ઊભો થઈ કેડે હાથ દઈને બધાંને સંબોધીને કહી દે : ‘સજ્જનો, આ તમાશાને લાત મારીને બુદ્ધિવાદને રામ રામ કહી દઈએ તો કેવું? તમારા ઘાતાંક ને કોષ્ટકો જાય જહાન્નમમાં, ચાલો ને આપણે પહેલાંની જેમ મૂર્ખાઈભરી પણ મનમોજી જિંદગી જીવીએ.’ આવું કોઈ કહે તો મને જરાય નવાઈ લાગે નહીં. એનોય કશો વાંધો નહીં, પણ આમ કહેનારને અનુયાયીઓ જરૂર મળી રહેવાના! તમે જ કહો, પછી આપણે ધૂંધવાઈ જ ઊઠીએ ને? ત્યારે આવો છે માનવીનો સ્વભાવ : ને આ બધું કેવળ મૂર્ખાઈભરી વાત માટે, એનો તો ઉલ્લેખ સરખો કરવો કોઈને યોગ્ય લાગે નહીં એવી મૂર્ખાઈભરી વાત! એ વાત તે આ : માનવીએ સર્વત્ર ને સદાકાળ (એ પોતે ગમે તે હોય) પોતાને ફાવે એ રીતે વર્તવાનું પસંદ કર્યું છે, પોતાની બુદ્ધિ અને પોતાના લાભને અનુસરીને નહીં. પોતાના હિતની વિરુદ્ધનું પણ કોઈ પસંદ કરી શકે, ને કેટલીક વાર તો માણસે સો ટકા એવું જ કરવું ઘટે (મારું તો એવું માનવું છે.) પોતાની મુક્ત અબાધિત પસંદગી, પોતાનો તરંગ, પછી ભલેને એ ગમે તેટલો સ્વચ્છંદી લાગે, ઘેલછા ગણાય એવી હદનો તરંગ એ ‘સૌથી લાભદાયક લાભ’ બની રહે છે, જે આપણી નજરે ઘણી વાર પડતો નથી. એને કશા કોષ્ટકના ખાનામાં પૂરી શકાતો નથી; એની સામે અથડાઈને બધાં સિદ્ધાંતો નેે પદ્ધતિઓના ચૂરેચૂરા થઈ જાય છે. આ દોઢડાહ્યાઓ શેને આધારે એમ કહે છે કે માનવી નીતિસંમત ને સાધારણ એવી જ પસંદગી કરવા ઇચ્છે છે? બુદ્ધિની ગણતરીએ લાભદાયક લાગે એવી જ પસંદગી માનવી કરવા ઇચ્છે છે એવો ખ્યાલ એમણે શા આધારે બાંધ્યો? માનવી સ્વતંત્રપણે પસંદ કરવા ઇચ્છે છે એટલી જ વાત સાચી. આ સ્વતંત્રતાને ખાતર એને ભલે ને ગમે તે ભોગ આપવો પડે ને એથી ભલેને એનું જે થવાનું હોય તે થાય. ને આ પસંદગી – સેતાન સિવાય કોને ખબર છે આ પસંદગીની!
પછી – તમારું કહેવું આટલું જ છે. નવા આથિર્ક સંબંધો બંધાશે, બધું જ તૈયાર ને ગાણિતિક ચોકસાઈથી નક્કી કરેલું હશે; આથી તમે કોઈ પ્રશ્ન પૂછો તો આંખના પલકારામાં એનો જવાબ મળી રહેશે. પછી... સુખશાંતિના દિવસો આવશે. અલબત્ત (આ મારી ટિપ્પણી છે), ત્યારે બધું ભયંકર કંટાળાભર્યું બની નહીં જાય એમ નિશ્ચિતપણે કહી શકાય નહીં. (બધું જ ખાનાં પાડીને કોષ્ટકોમાં વહેંચી નાખ્યું હોય પછી બીજું કરવાનું રહે શું?) પણ બીજી રીતે જોઈએ તો બધું અસાધારણ રીતે બુદ્ધિસંગત બની જશે. અલબત્ત, કંટાળાને કારણે તમે ગમે તે હદે જઈને ગમે તે કરી નાખો તે વાત જુદી. આવા કંટાળાને કારણે જ કલીઓપાત્રા દાસીના સ્તનમાં સોનાની ટાંકણી ઘોંચતી હતી, પણ પછી એનો કશો વાંધો નહિ રહે. અનિષ્ટ તો એ (વળી હું મારી ટિપ્પણી ઉમેરું છું) કે પછી દાસીઓ આ સોનાની ટાંકણી ઘોંચ્યા બદલ આભાર માનતી થઈ જશે. માણસ મૂરખ છે, ગજબનો મૂરખ છે એ તો તમે ક્યાં નથી જાણતા? અથવા તો એમ કહો ને કે એ જરાય મૂરખ નથી, પણ એ એવો તો કૃતઘ્ન છે કે આખી ભગવાનની સૃષ્ટિમાં એનો જોટો જડે નહીં. બધે સમૃદ્ધિ છલકાતી હોય ને બધી છોળ વચ્ચે રહ્યો છતાં કોઈ સજ્જન કશાં જ કારણ વિના, વ્યંગભરી મુખમુદ્રા કરીને ઊભો થઈ કેડે હાથ દઈને બધાંને સંબોધીને કહી દે : ‘સજ્જનો, આ તમાશાને લાત મારીને બુદ્ધિવાદને રામ રામ કહી દઈએ તો કેવું? તમારા ઘાતાંક ને કોષ્ટકો જાય જહાન્નમમાં, ચાલો ને આપણે પહેલાંની જેમ મૂર્ખાઈભરી પણ મનમોજી જિંદગી જીવીએ.’ આવું કોઈ કહે તો મને જરાય નવાઈ લાગે નહીં. એનોય કશો વાંધો નહીં, પણ આમ કહેનારને અનુયાયીઓ જરૂર મળી રહેવાના! તમે જ કહો, પછી આપણે ધૂંધવાઈ જ ઊઠીએ ને? ત્યારે આવો છે માનવીનો સ્વભાવ : ને આ બધું કેવળ મૂર્ખાઈભરી વાત માટે, એનો તો ઉલ્લેખ સરખો કરવો કોઈને યોગ્ય લાગે નહીં એવી મૂર્ખાઈભરી વાત! એ વાત તે આ : માનવીએ સર્વત્ર ને સદાકાળ (એ પોતે ગમે તે હોય) પોતાને ફાવે એ રીતે વર્તવાનું પસંદ કર્યું છે, પોતાની બુદ્ધિ અને પોતાના લાભને અનુસરીને નહીં. પોતાના હિતની વિરુદ્ધનું પણ કોઈ પસંદ કરી શકે, ને કેટલીક વાર તો માણસે સો ટકા એવું જ કરવું ઘટે (મારું તો એવું માનવું છે.) પોતાની મુક્ત અબાધિત પસંદગી, પોતાનો તરંગ, પછી ભલેને એ ગમે તેટલો સ્વચ્છંદી લાગે, ઘેલછા ગણાય એવી હદનો તરંગ એ ‘સૌથી લાભદાયક લાભ’ બની રહે છે, જે આપણી નજરે ઘણી વાર પડતો નથી. એને કશા કોષ્ટકના ખાનામાં પૂરી શકાતો નથી; એની સામે અથડાઈને બધાં સિદ્ધાંતો નેે પદ્ધતિઓના ચૂરેચૂરા થઈ જાય છે. આ દોઢડાહ્યાઓ શેને આધારે એમ કહે છે કે માનવી નીતિસંમત ને સાધારણ એવી જ પસંદગી કરવા ઇચ્છે છે? બુદ્ધિની ગણતરીએ લાભદાયક લાગે એવી જ પસંદગી માનવી કરવા ઇચ્છે છે એવો ખ્યાલ એમણે શા આધારે બાંધ્યો? માનવી સ્વતંત્રપણે પસંદ કરવા ઇચ્છે છે એટલી જ વાત સાચી. આ સ્વતંત્રતાને ખાતર એને ભલે ને ગમે તે ભોગ આપવો પડે ને એથી ભલેને એનું જે થવાનું હોય તે થાય. ને આ પસંદગી – સેતાન સિવાય કોને ખબર છે આ પસંદગીની!
Line 43: Line 43:
‘હં......’ તમે નિશ્ચય પર આવીને કહો છો. ‘આપણા લાભ વિશેના ખોટા દૃષ્ટિબિંદુને કારણે આપણી પસંદગી પરત્વે આપણને ખોટો ખ્યાલ હોય છે. આપણે ઘણી વાર નરી બેહૂદી વસ્તુ પસંદ કરીએ છીએ, કારણ કે મૂર્ખાઈમાં ને મૂર્ખાઈમાં એ બેહૂદી વસ્તુ દ્વારા આપણે જેને લાભ માની બેઠા છીએ તેને સાવ સહેલાઈથી પ્રાપ્ત કરી શકાશે એમ ધારતા હોઈએ છીએ. પણ એ બીજાં વિશે સ્પષ્ટ સમજ આપવામાં આવે ને એનું લેખું કાગળ ઉપર માંડી આપવામાં આવે (ને એમ કરવું સર્વથા સમ્ભવિત છે, કારણ કે કુદરતના અમુક કાનૂનો માનવી કદી સમજી શકશે નહીં એમ માનવું તે માનવીનો તિરસ્કાર કરવા બરાબર છે, ને એ વાત અર્થ વગરની છે) તો એ ઇચ્છાવાસનાઓ રહેશે નહીં. કારણ કે આપણી કોઈ વાસના અને બુદ્ધિ વચ્ચે સંઘર્ષ થાય તો આપણે બુદ્ધિને સ્વીકારીશું, વાસનાને નહીં, કારણ કે બુદ્ધિને જાળવી રાખીને વાસના પરત્વે બુદ્ધિહીન બનવાનું અશક્ય જ છે, ને એ રીતે જાણી કરીને બુદ્ધિ વિરુદ્ધ થઈને વર્તવું ને આપણી જાતને જ ઇજા કરવાની ઇચ્છા કરવી એ બને નહીં. વળી બધી પસંદગીઓને વિચારના ખરેખર લેખાં માંડી શકાતાં હોય છે – કારણ કે એક દિવસ આપણે જેને સ્વતંત્ર ઇચ્છાશક્તિ કહીએ છીએ તેના કાયદા પણ શોધાશે – આથી, મજાક બાજુ પર રાખો, કોઈ દિવસ એનું પણ કોષ્ટક તૈયાર કરી શકાશે જેથી કરીને એ કોષ્ટકની મદદથી ને એ મુજબ આપણે પસંદગી કરી શકીશું. દાખલા તરીકે જો એ લોકો ગણતરી કરીને પુરવાર કરી આપે કે ફલાણાને જોઈને મેં નાકનું ટેરવું ચઢાવ્યું કારણ કે એ રીતે નાકનું ટેરવું ચઢાવવું મારે માટે અનિવાર્ય જ હતું તો એમાં મારી સ્વતંત્રતા ક્યાં રહી? ને તેમાં ખાસ કરીને હું ભણેલોગણેલો હોઉં ને ક્યાંકથી બે ચાર ડીગ્રી પણ મેં મેળવી હોય તો? પહેલેથી હું મારી ત્રીસ વરસ સુધીની ભવિષ્યની જિંદગીનું લેખું માંડી શકું. ટૂંકમાં જો આવી વ્યવસ્થા થઈ શકે તો પછી આપણે કશું કરવાનું રહેશે નહીં. ગમે તેમ તોયે આટલું તો આપણે સમજી લેવું રહ્યું. વાસ્તવમાં આપણે આપણી જાત આગળ થાક્યા વિના રટ્યા કરવું જોઈએ કે અમુક સમયે ને અમુક સંજોગોમાં કુદરત આપણને પૂછીને કશું કરવાની નથી. એ જેવી છે તેવી સ્વીકાર્યે જ છૂટકો. એને આપણા તરંગ મુજબ ઘડી શકાય નહીં, ને જો આપણે ખરેખર સૂત્રો રચવાની ને નિયમોનાં કોષ્ટક બનાવવાની અભિલાષા રાખતા હોઈએ, ને વળી.... તો આ બધું સ્વીકારી લીધે જ છૂટકો, નહીં તો આપણી સંમતિ પૂછવા કોઈ રહેવાનું નથી, આપણે પરાણે સ્વીકારવાનું રહેશે જ....’
‘હં......’ તમે નિશ્ચય પર આવીને કહો છો. ‘આપણા લાભ વિશેના ખોટા દૃષ્ટિબિંદુને કારણે આપણી પસંદગી પરત્વે આપણને ખોટો ખ્યાલ હોય છે. આપણે ઘણી વાર નરી બેહૂદી વસ્તુ પસંદ કરીએ છીએ, કારણ કે મૂર્ખાઈમાં ને મૂર્ખાઈમાં એ બેહૂદી વસ્તુ દ્વારા આપણે જેને લાભ માની બેઠા છીએ તેને સાવ સહેલાઈથી પ્રાપ્ત કરી શકાશે એમ ધારતા હોઈએ છીએ. પણ એ બીજાં વિશે સ્પષ્ટ સમજ આપવામાં આવે ને એનું લેખું કાગળ ઉપર માંડી આપવામાં આવે (ને એમ કરવું સર્વથા સમ્ભવિત છે, કારણ કે કુદરતના અમુક કાનૂનો માનવી કદી સમજી શકશે નહીં એમ માનવું તે માનવીનો તિરસ્કાર કરવા બરાબર છે, ને એ વાત અર્થ વગરની છે) તો એ ઇચ્છાવાસનાઓ રહેશે નહીં. કારણ કે આપણી કોઈ વાસના અને બુદ્ધિ વચ્ચે સંઘર્ષ થાય તો આપણે બુદ્ધિને સ્વીકારીશું, વાસનાને નહીં, કારણ કે બુદ્ધિને જાળવી રાખીને વાસના પરત્વે બુદ્ધિહીન બનવાનું અશક્ય જ છે, ને એ રીતે જાણી કરીને બુદ્ધિ વિરુદ્ધ થઈને વર્તવું ને આપણી જાતને જ ઇજા કરવાની ઇચ્છા કરવી એ બને નહીં. વળી બધી પસંદગીઓને વિચારના ખરેખર લેખાં માંડી શકાતાં હોય છે – કારણ કે એક દિવસ આપણે જેને સ્વતંત્ર ઇચ્છાશક્તિ કહીએ છીએ તેના કાયદા પણ શોધાશે – આથી, મજાક બાજુ પર રાખો, કોઈ દિવસ એનું પણ કોષ્ટક તૈયાર કરી શકાશે જેથી કરીને એ કોષ્ટકની મદદથી ને એ મુજબ આપણે પસંદગી કરી શકીશું. દાખલા તરીકે જો એ લોકો ગણતરી કરીને પુરવાર કરી આપે કે ફલાણાને જોઈને મેં નાકનું ટેરવું ચઢાવ્યું કારણ કે એ રીતે નાકનું ટેરવું ચઢાવવું મારે માટે અનિવાર્ય જ હતું તો એમાં મારી સ્વતંત્રતા ક્યાં રહી? ને તેમાં ખાસ કરીને હું ભણેલોગણેલો હોઉં ને ક્યાંકથી બે ચાર ડીગ્રી પણ મેં મેળવી હોય તો? પહેલેથી હું મારી ત્રીસ વરસ સુધીની ભવિષ્યની જિંદગીનું લેખું માંડી શકું. ટૂંકમાં જો આવી વ્યવસ્થા થઈ શકે તો પછી આપણે કશું કરવાનું રહેશે નહીં. ગમે તેમ તોયે આટલું તો આપણે સમજી લેવું રહ્યું. વાસ્તવમાં આપણે આપણી જાત આગળ થાક્યા વિના રટ્યા કરવું જોઈએ કે અમુક સમયે ને અમુક સંજોગોમાં કુદરત આપણને પૂછીને કશું કરવાની નથી. એ જેવી છે તેવી સ્વીકાર્યે જ છૂટકો. એને આપણા તરંગ મુજબ ઘડી શકાય નહીં, ને જો આપણે ખરેખર સૂત્રો રચવાની ને નિયમોનાં કોષ્ટક બનાવવાની અભિલાષા રાખતા હોઈએ, ને વળી.... તો આ બધું સ્વીકારી લીધે જ છૂટકો, નહીં તો આપણી સંમતિ પૂછવા કોઈ રહેવાનું નથી, આપણે પરાણે સ્વીકારવાનું રહેશે જ....’
હા, પણ અહીં હું અટકું છું! સજ્જનો, મેં વધારે પડતી ફિલસૂફી ડહોળી એવું લાગે તો મને માફ કરજો. ચાલીસ વરસ સુધી હું ભોંયતળિયે રહ્યો છું તેનું એ પરિણામ છે! મને મારા તરંગને બહેલાવવા દો, સજ્જનો, તમે સમજ્યા ને, બુદ્ધિ ઉત્તમ વસ્તુ છે એ વિશે કશી દલીલને અવકાશ નથી તે કબૂલ, પણ આખરે બુદ્ધિ તે નરી બુદ્ધિ છે ને એ માનવીના સ્વભાવના બૌદ્ધિક અંશને જ સન્તોષી શકે છે, ત્યારે ઇચ્છાશક્તિ માનવીની સમગ્રતાનો આવિષ્કાર છે, એટલે કે માનવીની બુદ્ધિ તથા વૃત્તિઓનો આવિષ્કાર છે. એના આ પ્રકારના આવિષ્કારમાં આપણી જિંદગી ઘણુંખરું તો તુચ્છ જ બની રહે છે, છતાં એ જિંદગી છે, કશાકનું કાઢેલું વર્ગમૂળ માત્ર નથી. ઉદાહરણ લેખે મારી જ વાત કરું : હું સાવ સહજ રીતે જીવવા ઇચ્છું છું ને એ રીતે મારી જીવવાને માટેની બધી શક્તિઓને તૃપ્ત કરવા ઇચ્છું છું, કેવળ મારી બુદ્ધિશક્તિને તૃપ્ત કરવા નથી ઇચ્છતો, એટલે કે મારી જીવનની શક્તિના કેવળ વીસમા ભાગને સન્તોષવા નથી ઇચ્છતો. બુદ્ધિ જાણીજાણીને તે શું જાણે છે વારુ? પોતે જેને વિશે માહિતી મેળવવામાં સફળ નીવડે છે તેટલું જ એ જાણે છે (કેટલીક વાત તો એ કદી જાણી શકશે જ નહીં; આમ કહેવું સુખકર નીવડે એમ નથી, છતાં નિખાલસ બનીને શા માટે કહી નહીં દઈએ?), ને માનવી વર્તે છે તે સમગ્ર માનવી લેખે; એનામાં જે કાંઈ છે તે સમસ્ત સહિત, જાણીને કે અજાણતાં, ને જો એમાં એ ખોટો પડે તોય એ જીવ્યે જાય છે. મને એવો વહેમ જાય છે, સજ્જનો, કે તમે મને કંઈક કરુણાભરી દૃષ્ટિએ જોઈ રહ્યા છો. તમે મને ફરીથી કહેશો કે શિક્ષિત ને સુવિકસિત માનવી (ટૂંકમાં, ભવિષ્યનો માનવી) સભાનપણે, જાણી કરીને, પોતાને ગેરલાભ કરે એવું કશું ઇચ્છી શકે નહીં, ને આ ગણિતની રીતે પુરવાર થઈ શકે એવું છે. આ બાબતમાં હું તમારી સાથે પૂરેપૂરો સમ્મત છું; હા, ગણિતની રીતે તમે એ જરૂર પુરવાર કરી શકો. પણ હું ફરી, એકસો એક વાર ફરી કહું છું કે એક કિસ્સામાં, માત્ર એક કિસ્સામાં માનવી જાણી કરીને, હેતુપૂર્વક પોતાને ઇજા કરે એવું કરવાની ઇચ્છા ‘રાવશે, પછી એ ભલે ને મૂર્ખાઈભર્યું હોય, ભારે મૂર્ખાઈભર્યું હોય ને તે કેવળ એવું મૂર્ખાઈભરેલું પોતાને માટે ઇચ્છવાનો એને અ(િ((કાર છે, ને પોતે કેવળ બુદ્ધિપુરસ્સરનું જ ઇચ્છવા બંધાયેલો નથી એટલું પુરવાર કરવા. અલબત્ત, આ ભારે મૂર્ખાઈ ભરેલી વસ્તુ, આ તરંગ અમુક કિસ્સામાં પૃથ્વી પરની કોઈ વસ્તુ કરતાં એને માટે વધુ લાભદાયક હોય એમ બને. દેખીતી રીતે એ નુકસાન કરે એવું લાગે તે છતાં એ બીજા કોઈ લાભ કરતાં વધુ લાભદાયક લાગે તે આપણી બુદ્ધિને શું લાભદાયક ને શું નહીં તે વિશેના બધા નિર્ણયોને એ નેવે મૂકી દે. કેટલાક તો એમ પણ માને છે કે આ જ માનવીને માટે સૌથી વિશેષ મૂલ્યવાન વસ્તુ છે. પસંદગી પણ, જો એમ કરવાનું પસંદ કરે તો, બુદ્ધિસંગત બની શકે; ને એને પણ જો મર્યાદામાં રાખી હોય ને એનો દુરુપયોગ નહીં કરવામાં આવ્યો હોય તો એ લાભદાયક ને ઘણી વાર શ્લાઘનીય પણ નીવડે. પણ ઘણુંખરું આપણી પસંદગી બુદ્ધિ સામે હઠ કરીને વિરોધ કરે છે... અને...અને તમે જાણો છો, એ પણ લાભદાયક હોય છે, ને કેટલીક વાર તો શ્લાઘનીય પણ હોય છે. સજ્જનો, માની લો ને કે માનવી મૂર્ખ નથી. (એક દૃષ્ટિએ જોઈએ તો આવું હોય તો પછી ડાહ્યું કોણ?) પણ જો એ મૂરખ નથી તો ભારે કૃતઘ્ન છે, ગજબનો કૃતઘ્ન! વાસ્તવમાં મને તો લાગે છે કે માનવીની સારામાં સારી વ્યાખ્યા જ આ છે : બેપગું કૃતધ્ન પ્રાણી. પણ એટલેથી વાત પૂરી થતી નથી; એ જ કાંઈ એની સૌથી બદતર ખામી નથી; એની સૌથી બદતર ખામી તો છે એની હમેશની નૈતિક અવળચંડાઈ, સદાની, પ્રલયનાં પૂર આદિ કાળમાં આવ્યાં હતાં ત્યારથી માંડીને તે સ્લેશ્વિગ હોલ્સ્ટેઇનના જમાના સુધીની. નૈતિક અવળચંડાઈ ને એના પરિણામરૂપ સદ્ભાવનાનો અભાવ; કારણ કે સદ્ભાવનાનો અભાવ આ નૈતિક અવળચંડાઈનો અભાવ છે એ તો ક્યારનુંય સ્વીકારાઈ ચૂક્યું છે... તમે એને કસોટીએ ચઢાવી જુઓ ને પછી માનવજાતિના ઇતિહાસ તરફ નજર નાખો. તમને શું નજરે પડશે? ભવ્ય દૃશ્ય? ભવ્ય કહેવું હોય તો કહી શકો. ર્હોડ્સના કોલોસસની જ વાત લો ને. એ કાંઈ નાંખી દેવા જેવી વાત નથી. યોગ્ય કારણસર મિ.એનિયેવ્સ્કી એ કૃતિ માનવીના હાથનું સર્જન છે એ વાતનું સમર્થન કરે છે, જ્યારે બીજા કેટલાક એમ માને છે કે એનું સર્જન કુદરતે પોતાને હાથે જ કર્યું છે. એ અનેકરંગી છે? એવુંય સંભવી શકે. અનેક પ્રજાના અનેક યુગોના લશ્કરી અને મુફતી ગણવેશની જ વાત લો ને, એય કાંઈ જેવી તેવી વાત નથી... કોઈ ઇતિહાસકારનું ગજું નથી કે એની ગણતરી કરી શકે. એ કંટાળાભર્યું છે? હા, એ કંટાળાભર્યું પણ હોઈ શકે; આખો વખત લડાઈ ને લડાઈ; અત્યારેય લડાઈ ચાલે છે, પહેલાંય લડતા હતા ને લડ્યા જ કરવાના – આ ભારે કંટાળાભર્યું જ નીવડે એ તો તમારેય કબૂલ કરવું જ પડશે. ટૂંકામાં દુનિયાના ઇતિહાસ વિશે જેને જે કહેવું હોય તે કહી શકે – સાવ બેફામ કલ્પના કરીને જે કહેવું હોય તે કહી શકે.
હા, પણ અહીં હું અટકું છું! સજ્જનો, મેં વધારે પડતી ફિલસૂફી ડહોળી એવું લાગે તો મને માફ કરજો. ચાલીસ વરસ સુધી હું ભોંયતળિયે રહ્યો છું તેનું એ પરિણામ છે! મને મારા તરંગને બહેલાવવા દો, સજ્જનો, તમે સમજ્યા ને, બુદ્ધિ ઉત્તમ વસ્તુ છે એ વિશે કશી દલીલને અવકાશ નથી તે કબૂલ, પણ આખરે બુદ્ધિ તે નરી બુદ્ધિ છે ને એ માનવીના સ્વભાવના બૌદ્ધિક અંશને જ સન્તોષી શકે છે, ત્યારે ઇચ્છાશક્તિ માનવીની સમગ્રતાનો આવિષ્કાર છે, એટલે કે માનવીની બુદ્ધિ તથા વૃત્તિઓનો આવિષ્કાર છે. એના આ પ્રકારના આવિષ્કારમાં આપણી જિંદગી ઘણુંખરું તો તુચ્છ જ બની રહે છે, છતાં એ જિંદગી છે, કશાકનું કાઢેલું વર્ગમૂળ માત્ર નથી. ઉદાહરણ લેખે મારી જ વાત કરું : હું સાવ સહજ રીતે જીવવા ઇચ્છું છું ને એ રીતે મારી જીવવાને માટેની બધી શક્તિઓને તૃપ્ત કરવા ઇચ્છું છું, કેવળ મારી બુદ્ધિશક્તિને તૃપ્ત કરવા નથી ઇચ્છતો, એટલે કે મારી જીવનની શક્તિના કેવળ વીસમા ભાગને સન્તોષવા નથી ઇચ્છતો. બુદ્ધિ જાણીજાણીને તે શું જાણે છે વારુ? પોતે જેને વિશે માહિતી મેળવવામાં સફળ નીવડે છે તેટલું જ એ જાણે છે (કેટલીક વાત તો એ કદી જાણી શકશે જ નહીં; આમ કહેવું સુખકર નીવડે એમ નથી, છતાં નિખાલસ બનીને શા માટે કહી નહીં દઈએ?), ને માનવી વર્તે છે તે સમગ્ર માનવી લેખે; એનામાં જે કાંઈ છે તે સમસ્ત સહિત, જાણીને કે અજાણતાં, ને જો એમાં એ ખોટો પડે તોય એ જીવ્યે જાય છે. મને એવો વહેમ જાય છે, સજ્જનો, કે તમે મને કંઈક કરુણાભરી દૃષ્ટિએ જોઈ રહ્યા છો. તમે મને ફરીથી કહેશો કે શિક્ષિત ને સુવિકસિત માનવી (ટૂંકમાં, ભવિષ્યનો માનવી) સભાનપણે, જાણી કરીને, પોતાને ગેરલાભ કરે એવું કશું ઇચ્છી શકે નહીં, ને આ ગણિતની રીતે પુરવાર થઈ શકે એવું છે. આ બાબતમાં હું તમારી સાથે પૂરેપૂરો સમ્મત છું; હા, ગણિતની રીતે તમે એ જરૂર પુરવાર કરી શકો. પણ હું ફરી, એકસો એક વાર ફરી કહું છું કે એક કિસ્સામાં, માત્ર એક કિસ્સામાં માનવી જાણી કરીને, હેતુપૂર્વક પોતાને ઇજા કરે એવું કરવાની ઇચ્છા ‘રાવશે, પછી એ ભલે ને મૂર્ખાઈભર્યું હોય, ભારે મૂર્ખાઈભર્યું હોય ને તે કેવળ એવું મૂર્ખાઈભરેલું પોતાને માટે ઇચ્છવાનો એને અ(િ((કાર છે, ને પોતે કેવળ બુદ્ધિપુરસ્સરનું જ ઇચ્છવા બંધાયેલો નથી એટલું પુરવાર કરવા. અલબત્ત, આ ભારે મૂર્ખાઈ ભરેલી વસ્તુ, આ તરંગ અમુક કિસ્સામાં પૃથ્વી પરની કોઈ વસ્તુ કરતાં એને માટે વધુ લાભદાયક હોય એમ બને. દેખીતી રીતે એ નુકસાન કરે એવું લાગે તે છતાં એ બીજા કોઈ લાભ કરતાં વધુ લાભદાયક લાગે તે આપણી બુદ્ધિને શું લાભદાયક ને શું નહીં તે વિશેના બધા નિર્ણયોને એ નેવે મૂકી દે. કેટલાક તો એમ પણ માને છે કે આ જ માનવીને માટે સૌથી વિશેષ મૂલ્યવાન વસ્તુ છે. પસંદગી પણ, જો એમ કરવાનું પસંદ કરે તો, બુદ્ધિસંગત બની શકે; ને એને પણ જો મર્યાદામાં રાખી હોય ને એનો દુરુપયોગ નહીં કરવામાં આવ્યો હોય તો એ લાભદાયક ને ઘણી વાર શ્લાઘનીય પણ નીવડે. પણ ઘણુંખરું આપણી પસંદગી બુદ્ધિ સામે હઠ કરીને વિરોધ કરે છે... અને...અને તમે જાણો છો, એ પણ લાભદાયક હોય છે, ને કેટલીક વાર તો શ્લાઘનીય પણ હોય છે. સજ્જનો, માની લો ને કે માનવી મૂર્ખ નથી. (એક દૃષ્ટિએ જોઈએ તો આવું હોય તો પછી ડાહ્યું કોણ?) પણ જો એ મૂરખ નથી તો ભારે કૃતઘ્ન છે, ગજબનો કૃતઘ્ન! વાસ્તવમાં મને તો લાગે છે કે માનવીની સારામાં સારી વ્યાખ્યા જ આ છે : બેપગું કૃતધ્ન પ્રાણી. પણ એટલેથી વાત પૂરી થતી નથી; એ જ કાંઈ એની સૌથી બદતર ખામી નથી; એની સૌથી બદતર ખામી તો છે એની હમેશની નૈતિક અવળચંડાઈ, સદાની, પ્રલયનાં પૂર આદિ કાળમાં આવ્યાં હતાં ત્યારથી માંડીને તે સ્લેશ્વિગ હોલ્સ્ટેઇનના જમાના સુધીની. નૈતિક અવળચંડાઈ ને એના પરિણામરૂપ સદ્ભાવનાનો અભાવ; કારણ કે સદ્ભાવનાનો અભાવ આ નૈતિક અવળચંડાઈનો અભાવ છે એ તો ક્યારનુંય સ્વીકારાઈ ચૂક્યું છે... તમે એને કસોટીએ ચઢાવી જુઓ ને પછી માનવજાતિના ઇતિહાસ તરફ નજર નાખો. તમને શું નજરે પડશે? ભવ્ય દૃશ્ય? ભવ્ય કહેવું હોય તો કહી શકો. ર્હોડ્સના કોલોસસની જ વાત લો ને. એ કાંઈ નાંખી દેવા જેવી વાત નથી. યોગ્ય કારણસર મિ.એનિયેવ્સ્કી એ કૃતિ માનવીના હાથનું સર્જન છે એ વાતનું સમર્થન કરે છે, જ્યારે બીજા કેટલાક એમ માને છે કે એનું સર્જન કુદરતે પોતાને હાથે જ કર્યું છે. એ અનેકરંગી છે? એવુંય સંભવી શકે. અનેક પ્રજાના અનેક યુગોના લશ્કરી અને મુફતી ગણવેશની જ વાત લો ને, એય કાંઈ જેવી તેવી વાત નથી... કોઈ ઇતિહાસકારનું ગજું નથી કે એની ગણતરી કરી શકે. એ કંટાળાભર્યું છે? હા, એ કંટાળાભર્યું પણ હોઈ શકે; આખો વખત લડાઈ ને લડાઈ; અત્યારેય લડાઈ ચાલે છે, પહેલાંય લડતા હતા ને લડ્યા જ કરવાના – આ ભારે કંટાળાભર્યું જ નીવડે એ તો તમારેય કબૂલ કરવું જ પડશે. ટૂંકામાં દુનિયાના ઇતિહાસ વિશે જેને જે કહેવું હોય તે કહી શકે – સાવ બેફામ કલ્પના કરીને જે કહેવું હોય તે કહી શકે.
એક જ વાત એને વિશે કહી શકાય એમ નથી, ને તેે આ : એ બુદ્ધિસંગત નથી. આ શબ્દો બોલીએ ને જ ગળે ચોંટી જાય છે; ને આ વિચિત્ર વસ્તુ જ હંમેશા બનતી આવી છે : દુનિયામાં હંમેશાં થોડે થોડે સમયે નીતિમાન ને બુદ્ધિશાળી વ્યક્તિઓ, સાધુપુરુષો ને માનવતાના મજનૂઓ જનમ લેતા રહે છે. એઓ પોતાનું જીવન બને તેટલું નીતિમય ને બુદ્ધિસંગત ગાળવાનું લક્ષ્ય દૃષ્ટિ સમક્ષ રાખીને જીવે છે. પોતાનું જીવન બીજાને માટે પથપ્રદર્શક બની રહે, આ દુનિયામાં નીતિમય ને બુદ્ધિસંગત જીવન જીવવાનું શક્ય છે એમ પડોશીઓને લાગે એ રીતે એઓ જીવતા હોય છે. આમ છતાં આપણે સૌ જાણીએ છીએ કે એના એ જ લોકો વહેલામોડા પોતાની જાતને ખોટી પાડે છે, કશુંક વિચિત્ર કરી બેસે છે, કેટલીક વાર તો કશુંક સાવ અણછાજતું કરી બેસે છે. હવે હું તમને પૂછું છું : માણસનામાં આવા વિલક્ષણ ગુણ હોય તો એની પાસેથી શી આશા રાખી શકાય? પૃથ્વી પર જે કાંઈ સુખ હોય તેની એના પર વૃષ્ટિ કરો, એને સુખના સાગરમાં ડુબાડી દો જેથી તુષ્ટિના પરપોટા સિવાય બીજું કશું જ સપાટી પર દેખાય નહીં. ધનથી એને સમૃદ્ધ કરો જેથી એને કશું કરવાનું ન રહે, મિષ્ટાન્ન ન આરોગવું, સો મણની તળાઈમાં સૂઈ રહેવું ને પ્રજોત્પત્તિ કરવી – બસ; આમ છતાં નરી કૃતઘ્નતાથી, નર્યા ખારથી એ કશંુક અણધાર્યું કરી બેસીને આખરે છેતરી જવાનો! એને ધાનનાં વખાં પડે તો ભલે, એ જાણી કરીને કશુંક તુચ્છ, નર્યું બેહૂદું કરવા ઇચ્છશે ને તેય એની સદ્બુદ્ધિમાં પૂળો મૂકવાને! આ એના નર્યા હવાઈ તરંગો, અનાડીવેડા, નેે મૂર્ખામી એ જાળવી રાખવા મથશે, કેવળ પોતાની આગળ એટલું પુરવાર કરવાને – ને કેમ જાણે એ સાવ જરૂરી ન હોય તેમ – કે આદમી તે આદમી છે, વાજાંની ચાવી નથી; કુદરતના કાનૂનો એનું એવું તો નિયંત્રણ કરવાની ‘મકી આપી રહ્યા છે કે ભવિષ્યમાં પંચાંગ ખરીદવા સિવાય માણસને બીજી કશી ઇચ્છાવાસના રહેશે નહીં. ને વાત આટલેથી અટકતી નથી : માણસમાત્ર વાજાંની ચાવી ન હોય, પ્રાકૃતિક વિજ્ઞાન તથા ગણિત એવું પુરવાર કરી શકતાં હોય તોય એ બુદ્ધિમાનની જેમ નહીં જીવે, પણ ખાસ કરીને, કૃતઘ્ન બનીને એ કશુંક અળવીતરું કરશે જેથી કેવળ પોતાનો કક્કો એ ખરો કરી શકે. જો આમ કરવાનાં સા‘ન એને નહીં સાંપડે તો એ વિનાશ અને અરાજકતા પણ વહોરી લેશે, અનેક પ્રકારની યાતના સહી લેશે ને આ બધું પોતાનો મુદ્દો પુરવાર કરવાને! એ દુુુુુનિયાના પર શાપ ઉતારશે, ને માનવી જે રીતે શાપ આપી શકે તે રીતે (એ તો માનવીનો વિશિષ્ટા(િ((કાર છે, એની ને બીજાં પ્રાણીઓની વચ્ચેની ભેદરેખા છે.). કદાચ એ પોતાના શાપ વડે જ જે સિદ્ધ કરવા મથતો હોય છે તે સિદ્ધ કરી શકે – એટલે કે પોતે માનવી છે ને વાજાંની કળ નથી એની પોતાને પ્રતીતિ કરાવી શકે. જો તમે એમ કહેતા હો કે આ બધાંની ગણતરી કરી શકાય, એને પણ કોષ્ટક બનાવી શકાય – આ અરાજકતા, અ(િ((કાર અને શાપને પણ કોષ્ટકના ખાનામાં પૂરી દઈ શકાય જેથી કરીને એનો પહેલેથી અંદાજ કાઢી શકવાની સંભવિતતાને કારણે જ એ બધું જાણે અટકાવી દઈ શકાય ને વળી બુદ્ધિ માથું ઊંચકી શકે – તો માનવી જાણી જોઈને પાગલ બનવાનું પસંદ કરશે કે જેથી એ બુદ્ધિના સકંજામાંથી છૂટી શકે ને પોતાનો કક્કો ખરો કરી શકે! હું આમાં માનું છું ને હું એનો જવાબ પણ દઈ શકું તેમ છું કારણ કે માનવીનું સમસ્ત કાર્ય આખરે તો પોતેય માનવી છે ને વાજાંની કળ નથી એ પુરવાર કરવાનું જ છે! આ એને પોતાના જીવના જોખમે પણ કરવું પડે માનવભક્ષી બનીનેય કરવું પડે; અને પરિસ્થિતિ આવી હોવાથી બુદ્ધિ અને ગણિતનું રાજ હજી સ્થાપી શકાયું નથી તેથી કોઈ રાજી થયા વિના રહી શકે ખરું? આપણને જે અગોચર છે તેના પર જ આપણી ઇચ્છાવાસનાનો આધાર રહ્યો છે એની ના પાડી શકાશે?
એક જ વાત એને વિશે કહી શકાય એમ નથી, ને તેે આ : એ બુદ્ધિસંગત નથી. આ શબ્દો બોલીએ ને જ ગળે ચોંટી જાય છે; ને આ વિચિત્ર વસ્તુ જ હંમેશા બનતી આવી છે : દુનિયામાં હંમેશાં થોડે થોડે સમયે નીતિમાન ને બુદ્ધિશાળી વ્યક્તિઓ, સાધુપુરુષો ને માનવતાના મજનૂઓ જનમ લેતા રહે છે. એઓ પોતાનું જીવન બને તેટલું નીતિમય ને બુદ્ધિસંગત ગાળવાનું લક્ષ્ય દૃષ્ટિ સમક્ષ રાખીને જીવે છે. પોતાનું જીવન બીજાને માટે પથપ્રદર્શક બની રહે, આ દુનિયામાં નીતિમય ને બુદ્ધિસંગત જીવન જીવવાનું શક્ય છે એમ પડોશીઓને લાગે એ રીતે એઓ જીવતા હોય છે. આમ છતાં આપણે સૌ જાણીએ છીએ કે એના એ જ લોકો વહેલામોડા પોતાની જાતને ખોટી પાડે છે, કશુંક વિચિત્ર કરી બેસે છે, કેટલીક વાર તો કશુંક સાવ અણછાજતું કરી બેસે છે. હવે હું તમને પૂછું છું : માણસનામાં આવા વિલક્ષણ ગુણ હોય તો એની પાસેથી શી આશા રાખી શકાય? પૃથ્વી પર જે કાંઈ સુખ હોય તેની એના પર વૃષ્ટિ કરો, એને સુખના સાગરમાં ડુબાડી દો જેથી તુષ્ટિના પરપોટા સિવાય બીજું કશું જ સપાટી પર દેખાય નહીં. ધનથી એને સમૃદ્ધ કરો જેથી એને કશું કરવાનું ન રહે, મિષ્ટાન્ન ન આરોગવું, સો મણની તળાઈમાં સૂઈ રહેવું ને પ્રજોત્પત્તિ કરવી – બસ; આમ છતાં નરી કૃતઘ્નતાથી, નર્યા ખારથી એ કશુંક અણધાર્યું કરી બેસીને આખરે છેતરી જવાનો! એને ધાનનાં વખાં પડે તો ભલે, એ જાણી કરીને કશુંક તુચ્છ, નર્યું બેહૂદું કરવા ઇચ્છશે ને તેય એની સદ્બુદ્ધિમાં પૂળો મૂકવાને! આ એના નર્યા હવાઈ તરંગો, અનાડીવેડા, નેે મૂર્ખામી એ જાળવી રાખવા મથશે, કેવળ પોતાની આગળ એટલું પુરવાર કરવાને – ને કેમ જાણે એ સાવ જરૂરી ન હોય તેમ – કે આદમી તે આદમી છે, વાજાંની ચાવી નથી; કુદરતના કાનૂનો એનું એવું તો નિયંત્રણ કરવાની ‘મકી આપી રહ્યા છે કે ભવિષ્યમાં પંચાંગ ખરીદવા સિવાય માણસને બીજી કશી ઇચ્છાવાસના રહેશે નહીં. ને વાત આટલેથી અટકતી નથી : માણસમાત્ર વાજાંની ચાવી ન હોય, પ્રાકૃતિક વિજ્ઞાન તથા ગણિત એવું પુરવાર કરી શકતાં હોય તોય એ બુદ્ધિમાનની જેમ નહીં જીવે, પણ ખાસ કરીને, કૃતઘ્ન બનીને એ કશુંક અળવીતરું કરશે જેથી કેવળ પોતાનો કક્કો એ ખરો કરી શકે. જો આમ કરવાનાં સા‘ન એને નહીં સાંપડે તો એ વિનાશ અને અરાજકતા પણ વહોરી લેશે, અનેક પ્રકારની યાતના સહી લેશે ને આ બધું પોતાનો મુદ્દો પુરવાર કરવાને! એ દુુુુુનિયાના પર શાપ ઉતારશે, ને માનવી જે રીતે શાપ આપી શકે તે રીતે (એ તો માનવીનો વિશિષ્ટા(િ((કાર છે, એની ને બીજાં પ્રાણીઓની વચ્ચેની ભેદરેખા છે.). કદાચ એ પોતાના શાપ વડે જ જે સિદ્ધ કરવા મથતો હોય છે તે સિદ્ધ કરી શકે – એટલે કે પોતે માનવી છે ને વાજાંની કળ નથી એની પોતાને પ્રતીતિ કરાવી શકે. જો તમે એમ કહેતા હો કે આ બધાંની ગણતરી કરી શકાય, એને પણ કોષ્ટક બનાવી શકાય – આ અરાજકતા, અ(િ((કાર અને શાપને પણ કોષ્ટકના ખાનામાં પૂરી દઈ શકાય જેથી કરીને એનો પહેલેથી અંદાજ કાઢી શકવાની સંભવિતતાને કારણે જ એ બધું જાણે અટકાવી દઈ શકાય ને વળી બુદ્ધિ માથું ઊંચકી શકે – તો માનવી જાણી જોઈને પાગલ બનવાનું પસંદ કરશે કે જેથી એ બુદ્ધિના સકંજામાંથી છૂટી શકે ને પોતાનો કક્કો ખરો કરી શકે! હું આમાં માનું છું ને હું એનો જવાબ પણ દઈ શકું તેમ છું કારણ કે માનવીનું સમસ્ત કાર્ય આખરે તો પોતેય માનવી છે ને વાજાંની કળ નથી એ પુરવાર કરવાનું જ છે! આ એને પોતાના જીવના જોખમે પણ કરવું પડે માનવભક્ષી બનીનેય કરવું પડે; અને પરિસ્થિતિ આવી હોવાથી બુદ્ધિ અને ગણિતનું રાજ હજી સ્થાપી શકાયું નથી તેથી કોઈ રાજી થયા વિના રહી શકે ખરું? આપણને જે અગોચર છે તેના પર જ આપણી ઇચ્છાવાસનાનો આધાર રહ્યો છે એની ના પાડી શકાશે?
તમે મારી સામે બરાડી ઊઠશો(તો તમે મને લેખામાં ગણતાં હો તો જ અલબત્ત!) ને કહેશો : ‘તમારી ઇચ્છાશક્તિની આડે કોઈ અવરોધ ઊભો કરતું નથી. મારી ઇચ્છાશક્તિ આપમેળે જ મારા સાધારણ હિત જોડે પોતાનો મેળ બેસાડે, ગણિતના અને કુદરતના કાનૂન સાથે વિરોધ ઊભો ન કરે એટલાંની જ અમને તો પડી છે.  
તમે મારી સામે બરાડી ઊઠશો(તો તમે મને લેખામાં ગણતાં હો તો જ અલબત્ત!) ને કહેશો : ‘તમારી ઇચ્છાશક્તિની આડે કોઈ અવરોધ ઊભો કરતું નથી. મારી ઇચ્છાશક્તિ આપમેળે જ મારા સાધારણ હિત જોડે પોતાનો મેળ બેસાડે, ગણિતના અને કુદરતના કાનૂન સાથે વિરોધ ઊભો ન કરે એટલાંની જ અમને તો પડી છે.  
સજ્જનો, ગણિત તથા કોષ્ટકો હોય ત્યાં ઇચ્છાશક્તિ જેવું રહે શું? પછી તો બે ને બે ચારમાં જ બધું સમાઈ જશે. બે ને બે ચાર મારી ઇચ્છાશક્તિને પૂછીને થતા નથી. સ્વતંત્ર ઇચ્છાશક્તિનો કેમ જાણે આવો જ અર્થ ન થતો હોય!
સજ્જનો, ગણિત તથા કોષ્ટકો હોય ત્યાં ઇચ્છાશક્તિ જેવું રહે શું? પછી તો બે ને બે ચારમાં જ બધું સમાઈ જશે. બે ને બે ચાર મારી ઇચ્છાશક્તિને પૂછીને થતા નથી. સ્વતંત્ર ઇચ્છાશક્તિનો કેમ જાણે આવો જ અર્થ ન થતો હોય!