કવિ ગુલામમોહમ્મદ શેખની અનોખી કાવ્યસૃષ્ટિ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
ઓગણીસસો પંચાવનના જુલાઈની ઊની બપોર છે. સુરેન્દ્રનગરથી એક યુવાન રંગ, રેખા ને કવિતાના પ્રાથમિક સંસ્કાર લઈ મ.સ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ માટે વડોદરા આવે છે. વડોદરા આવ્યા પછીના બીજા કે ત્રીજા દિવસે તે સુરેશ જોષીનું ઘર ખોળતો ખોળતો એમને ત્યાં પહોંચે છે. ધીમે ધીમે સંવાદ રચાતો જાય છે. સુરેશ જોષીનું, વિશ્વકવિતાનું ને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનું હૂંફાળું છત્ર મળતાં તેના ચિત્તમાં અનેક સર્જનાત્મક ઊથલપાથલો શરૂ થાય છે. સેન્ટ જ્હોન પર્સ, ફ્રાન્સિસ પોંઝ, માલાર્મે, રિલ્કે, લોર્કા, બોદલેર, યેમિનેઝ, ઓક્તોવિયો પાઝ આદિ કવિઓની નોખા કોણ ને નોખા સ્વાદવાળી દુનિયામાં આ યુવકનો પ્રવેશ ભોગીલાલ ગાંધીને ત્યાં મળતી શનિવારી બેઠકો (’સત્તાવન-અઠ્ઠાવનથી ’એકસઠ)માં થાય છે. વિશ્વકવિતાની સમાંતરે વિશ્વકળાની અવનવી ને આશ્ચર્યકારક, રોમાંચક ને બીકાળવી કેડીઓ પર ચાલતાં ચાલતાં આ યુવક પોતાની આરંભની ગીતરચનાઓને પરમ્પરિત રચનાઓ ‘ખોરડું’, ‘તમરાં બોલે છે’, ‘આજ’ આદિને પાછળ મૂકી ગુજરાતી અછાન્દસ કવિતાનો પ્રથમ તામ્રરણકાર સિદ્ધ કરે છે. આ યુવક તે આજના વિશ્વવિખ્યાત ચિત્રકાર ને કળા-ઇતિહાસવિદ્, ગુજરાતી કવિ ને ગદ્યકાર ગુલામોહમ્મદ શેખ!
ઓગણીસસો પંચાવનના જુલાઈની ઊની બપોર છે. સુરેન્દ્રનગરથી એક યુવાન રંગ, રેખા ને કવિતાના પ્રાથમિક સંસ્કાર લઈ મ.સ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ માટે વડોદરા આવે છે. વડોદરા આવ્યા પછીના બીજા કે ત્રીજા દિવસે તે સુરેશ જોષીનું ઘર ખોળતો ખોળતો એમને ત્યાં પહોંચે છે. ધીમે ધીમે સંવાદ રચાતો જાય છે. સુરેશ જોષીનું, વિશ્વકવિતાનું ને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનું હૂંફાળું છત્ર મળતાં તેના ચિત્તમાં અનેક સર્જનાત્મક ઊથલપાથલો શરૂ થાય છે. સેન્ટ જ્હોન પર્સ, ફ્રાન્સિસ પોંઝ, માલાર્મે, રિલ્કે, લોર્કા, બોદલેર, યેમિનેઝ, ઓક્તોવિયો પાઝ આદિ કવિઓની નોખા કોણ ને નોખા સ્વાદવાળી દુનિયામાં આ યુવકનો પ્રવેશ ભોગીલાલ ગાંધીને ત્યાં મળતી શનિવારી બેઠકો (’સત્તાવન-અઠ્ઠાવનથી ’એકસઠ)માં થાય છે. વિશ્વકવિતાની સમાંતરે વિશ્વકળાની અવનવી ને આશ્ચર્યકારક, રોમાંચક ને બીકાળવી કેડીઓ પર ચાલતાં ચાલતાં આ યુવક પોતાની આરંભની ગીતરચનાઓને પરમ્પરિત રચનાઓ ‘ખોરડું’, ‘તમરાં બોલે છે’, ‘આજ’ આદિને પાછળ મૂકી ગુજરાતી અછાન્દસ કવિતાનો પ્રથમ તામ્રરણકાર સિદ્ધ કરે છે. આ યુવક તે આજના વિશ્વવિખ્યાત ચિત્રકાર ને કળા-ઇતિહાસવિદ્, ગુજરાતી કવિ ને ગદ્યકાર ગુલામોહમ્મદ શેખ!
ગુલામમોહમ્મદ શેખે પોતાના કાવ્યસંસ્કાર વિશે નોંધ્યું છેઃ
ગુલામમોહમ્મદ શેખે પોતાના કાવ્યસંસ્કાર વિશે નોંધ્યું છેઃ
શનિવારનું બંધાણ સૌને થયું. રોજબરોજની ઘટમાળમાં ગળવાની એ વિટામિનની ગોળી હતી. અહીં (ભોગીલાલ ગાંધીને ત્યાં) આવતાં આજુબાજુનું વિશ્વ વીસરાતું. તડકો ઢળતો જાય, અંધારું ને દીવા થાય (સુભદ્રાબેન સાચવે) પણ કવિતા ઓલવાય નહીં એવો સૌનો નિર્ધાર. કવિતા કાનેથી શરૂ થઈ આંખે, જીભે ને આખા ખોળિયે રમે. પછી તો ચોમેર કવિતાનો જ કારભાર. જ્યાં જોઉં ત્યાં કવિતા. કવિતા ચામાં અને નાસ્તામાંય, સાહિત્યનો રોટલો ને સાહિત્યનું શાક. બે-ત્રણ કલાકે બેઠક ઊઠતાં હોસ્ટેલ પાછો ફરું ત્યારે સાંભળેલી કવિતા સાઇકલના પૈડે ફરતી હોય.
શનિવારનું બંધાણ સૌને થયું. રોજબરોજની ઘટમાળમાં ગળવાની એ વિટામિનની ગોળી હતી. અહીં (ભોગીલાલ ગાંધીને ત્યાં) આવતાં આજુબાજુનું વિશ્વ વીસરાતું. તડકો ઢળતો જાય, અંધારું ને દીવા થાય (સુભદ્રાબેન સાચવે) પણ કવિતા ઓલવાય નહીં એવો સૌનો નિર્ધાર. કવિતા કાનેથી શરૂ થઈ આંખે, જીભે ને આખા ખોળિયે રમે. પછી તો ચોમેર કવિતાનો જ કારભાર. જ્યાં જોઉં ત્યાં કવિતા. કવિતા ચામાં અને નાસ્તામાંય, સાહિત્યનો રોટલો ને સાહિત્યનું શાક. બે-ત્રણ કલાકે બેઠક ઊઠતાં હોસ્ટેલ પાછો ફરું ત્યારે સાંભળેલી કવિતા સાઇકલના પૈડે ફરતી હોય. (‘સોનગઢનો કળાધર સુરેશ જોષી’, સં. ગીતા નાયક પૃ. ૧૩૭)
(‘સોનગઢનો કળાધર સુરેશ જોષી’, સં. ગીતા નાયક પૃ. ૧૩૭)
{{Center|•}}
{{Center|•}}
જે સમયે ગુજરાતી સર્જકો-ભાવકો રાજેન્દ્ર શાહ ને નિરંજન ભગતની સર્જકતાના કૅફમાં હતા ત્યારે - ૧૯૪૮ની આસપાસ મુંબઈમાં પ્રોગ્રેસિવ ગ્રૂપના ચિત્રકારો સુઝા, રઝા, હુસેન, બાકરે, વગેરેએ પરમ્પરાપ્રાપ્ત ચિત્રસર્જન છોડી નિજી ચિત્રભાષા માટેની મથામણ આરંભી.
જે સમયે ગુજરાતી સર્જકો-ભાવકો રાજેન્દ્ર શાહ ને નિરંજન ભગતની સર્જકતાના કૅફમાં હતા ત્યારે - ૧૯૪૮ની આસપાસ મુંબઈમાં પ્રોગ્રેસિવ ગ્રૂપના ચિત્રકારો સુઝા, રઝા, હુસેન, બાકરે, વગેરેએ પરમ્પરાપ્રાપ્ત ચિત્રસર્જન છોડી નિજી ચિત્રભાષા માટેની મથામણ આરંભી.