ભરત વિંઝુડાની ગઝલસંપદા/હરકત નથી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 5: Line 5:
હણે એને હણવામાં હરકત નથી,
હણે એને હણવામાં હરકત નથી,
બીજી આવી હિંસક કહેવત નથી!
બીજી આવી હિંસક કહેવત નથી!
જનમ સત્ય છે ને મરણ સત્ય છે,
જનમ સત્ય છે ને મરણ સત્ય છે,
ને વચ્ચે જ કોઈ હકીકત નથી!
ને વચ્ચે જ કોઈ હકીકત નથી!
મને એક જણ સામે ફરિયાદ છે,
મને એક જણ સામે ફરિયાદ છે,
જગત સાથે કોઈ શિકાયત નથી!
જગત સાથે કોઈ શિકાયત નથી!
પૂછો નહીં મને, કોઈ, શું થાય છે,
પૂછો નહીં મને, કોઈ, શું થાય છે,
હવે તન નથી ને તબિયત નથી!
હવે તન નથી ને તબિયત નથી!
તમે કેમ પથ્થર થતા જાવ છો,
તમે કેમ પથ્થર થતા જાવ છો,
મહોબત છે, આ કંઈ ઇબાદત નથી!
મહોબત છે, આ કંઈ ઇબાદત નથી!
હું હેરાન ને કાં પરેશાન છું,
હું હેરાન ને કાં પરેશાન છું,
ખરેખર કોઈની કનડગત નથી!
ખરેખર કોઈની કનડગત નથી!
તરીને કિનારે પહોંચ્યા પછી,
તરીને કિનારે પહોંચ્યા પછી,
કહે છે કે જળનીથી મહોબત નથી!
કહે છે કે જળનીથી મહોબત નથી!

Latest revision as of 09:59, 20 November 2025

૩૨
હરકત નથી

હણે એને હણવામાં હરકત નથી,
બીજી આવી હિંસક કહેવત નથી!

જનમ સત્ય છે ને મરણ સત્ય છે,
ને વચ્ચે જ કોઈ હકીકત નથી!

મને એક જણ સામે ફરિયાદ છે,
જગત સાથે કોઈ શિકાયત નથી!

પૂછો નહીં મને, કોઈ, શું થાય છે,
હવે તન નથી ને તબિયત નથી!

તમે કેમ પથ્થર થતા જાવ છો,
મહોબત છે, આ કંઈ ઇબાદત નથી!

હું હેરાન ને કાં પરેશાન છું,
ખરેખર કોઈની કનડગત નથી!

તરીને કિનારે પહોંચ્યા પછી,
કહે છે કે જળનીથી મહોબત નથી!

(લાલ લીલી જાંબલી.)