સોરઠી સંતવાણી/કર્તાપણું ક્યારે મટે?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કર્તાપણું ક્યારે મટે|}} <poem> રમીએ તો રંગમાં રમીએ, પાનબાઈ! :::: મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
:::: તેને નડે નહીં કરમનો ભાગ. — રમીએ. | :::: તેને નડે નહીં કરમનો ભાગ. — રમીએ. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = અભયભાવ | |||
|next = મન જ્યારે મરી જાય | |||
}} |
Latest revision as of 09:14, 28 April 2022
કર્તાપણું ક્યારે મટે
રમીએ તો રંગમાં રમીએ, પાનબાઈ!
મેલી દઈ આ લોકની મરજાદ,
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે
નો હોય ત્યાં વાદ ને વિવાદ —
ભાઈ રે! કરતાંપણું કોરે મૂકશો, પાનબાઈ!
ત્યારે આવશે પરપંચનો અંત!
નવધા ભગતિમાં નિરમળા રે’વું
એમ કહે છે વેદ ને સંત. — રમીએ.
ભાઈ રે! સાંગોપાંગ એક રસ સરખો, પાનબાઈ!
બદલાય ન બીજો રંગ.
સાચાની સંગે કાયમ રમવું, પાનબાઈ
કરવી ભગતી અભંગ. — રમીએ.
ભાઈ રે! ત્રિગુણ સહિત મરને કરે નિતક્રિયા,
લાગશે નૈ કરતાનો ડાગ;
ગંગા રે સતી એમ બોલિયાં
તેને નડે નહીં કરમનો ભાગ. — રમીએ.