કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/જીવન-મરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪૭. કોણ લઈ ગયું}}
{{Heading|૪૭. જીવન-મરણ }}
{{Block center|<poem>
{{Block center|<poem>
મરવાનો છે પ્રસંગ અને જીવી રહ્યો છું હું,
છે એક, બહુ ભાગ્યવંત છું.
મારા નસીબમાંથી કઝા કોણ લઈ ગયું?
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.


આંસુ ને શ્વાસ એક હતા – સંકલિત હતા,
ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને,
વ્યાપક હતી તે આબોહવા કોણ લઈ ગયું?
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.


સુખમાં હવે તો થાય છે ઈર્ષા અરસ પરસ,
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
દુઃખમાં થતી હતી તે વ્યથા કોણ લઈ ગયું?
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું.


જે જે હતા પ્રવાસ રઝળપાટ થઈ ગયા,
બન્ને દશામાં શોભું છું, ઝુલ્ફોની જેમ હું,
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઈ ગયું?
વિખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.


જા જઈ ‘મરીઝ’ પૂછ ‘ઝફર’ ના મઝારને,
મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
કહેશે તને બધું કે ભલા કોણ લઈ ગયું!
બુદ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.
 
રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’,
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.


{{right|'''(નકશા, પૃ. ૫૦)'''}}</poem>}}
{{right|'''(નકશા, પૃ. ૫૦)'''}}</poem>}}

Revision as of 13:10, 17 October 2024

૪૭. જીવન-મરણ

છે એક, બહુ ભાગ્યવંત છું.
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું, ઝુલ્ફોની જેમ હું,
વિખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુદ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.

રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’,
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

(નકશા, પૃ. ૫૦)