કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/ઇકેરસ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|v}}
{{Heading|ઇકેરસ}}


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 07:02, 2 February 2025

ઇકેરસ

ફલંગ ભરી તાહરે અતટ અર્ણવો લંઘવા
હતા, ગગનમાં તને વિહરવાની તૃષ્ણા હતી,
હતાં તિમિર ભેદવાં, તિમિર ભેદીને તેજના
પથે વિચરવું હતું, અસીમ અંતરાલો ય તે
હતાં નીરખવાં, ધરા વિહગ-દૃષ્ટિથી જોવી’તી,
સહસ્ર રવિ-રશ્મિનાં પ્રખર તેજ પીવાં હતાં.
મનુષ્ય સહજૈષણાની પરિતૃપ્તિ અર્થે તને
નભોડ્ડયન કાજ તાત તુજ કાષ્ઠની પાંખ દે;
નહીં જ ખગરાજ શક્તિ તુજ પાંખ માંહે હતી
પરંતુ નભદર્શને, વિયતના વિહારે ઊંચે
સુદૂર ઉડુમંડલોડ્ડયન માણવા ને ઊંચે
ઊંચે અધિક એથી યે વિયત-જ્યોતિ સ્નાને ડૂબી
ક્ષણેક નયનો ભરી અયુત ભર્ગ પીધાં, તહીં
તૂટી જ ગઈ પાંખ; એમ કદી કાષ્ઠની પાંખથી
કહીં લગ મનુષ્ય અંબર વિહાર માંહે રમે?
કહીં લગ મનુષ્ય એમ ચિર-જ્યોત ઝીલી શકે?

૨૨-૨-૧૯૪૨(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૯-૨૦)