બાળ કાવ્ય સંપદા/જાગ ને જાદવ: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|જાગ ને જાદવા|નરસિંહ મહેતા<br>(ઈ.સ. 15મી સદી)}} | {{Heading|જાગ ને જાદવા|નરસિંહ મહેતા<br>(ઈ.સ. 15મી સદી)}} | ||
Revision as of 04:33, 10 February 2025
જાગ ને જાદવા
નરસિંહ મહેતા
(ઈ.સ. 15મી સદી)
જાગ ને, જાદવા કૃષ્ણ ગોવાળિયા !
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો તે ગોવાળિયો કોણ થાશે ? જાગને…
દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં,
કઢિયલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો,
કાળીનાગ નાથિયો,
ભૂમિનો ભાર તે કોણ લેશે ? જાગને....
જમુનાને તીરે ગોધન ચરાવતાં,
મધુરીશી મોરલી કોણ વાહશે ?
ભણે નરસૈંયો, તારા ગુણ ગાઈ રીઝીએ
બૂડતાં બાંહડી કોણ સાહશે ?જાગને....