બાળ કાવ્ય સંપદા/જાગ ને જાદવ
જાગ ને જાદવા
નરસિંહ મહેતા
(ઈ.સ. 15મી સદી)
જાગ ને, જાદવા કૃષ્ણ ગોવાળિયા !
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં,
કઢિયલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો,
કાળીનાગ નાથિયો,
જમુનાને તીરે ગોધન ચરાવતાં,
મધુરીશી મોરલી કોણ વાહશે ?
ભણે નરસૈંયો, તારા ગુણ ગાઈ રીઝીએ