અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/ભેંકાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભેંકાર|ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> પાળિયાની જેમ મારી એકલતા આરડ...")
 
No edit summary
Line 22: Line 22:
:: ચોર્યાશી લાખ થયા સ્તૂપ. — પાળિયાની.
:: ચોર્યાશી લાખ થયા સ્તૂપ. — પાળિયાની.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર ભટ્ટ/હમચી | હમચી]]  | અમે રમતાં ગાર્ય ગોરમટી રે —]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/ઓચ્છવલાલ | ઓચ્છવલાલ]]  | કહી ગયા છે ઓચ્છવલાલ જે નરનારી ખાય બગાસું]]
}}

Revision as of 10:30, 23 October 2021


ભેંકાર

ચિનુ મોદી `ઈર્શાદ'

પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળામાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ-સ્વરૂપ;

સમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ? — પાળિયાની.

આંગણામાં પગલાંઓ અંકાયાં લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર,
પીપળાનાં પાંદડાંઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર;

પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ. — પાળિયાની.

ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,
ભ્રમણાની ભીંત ચણી ક્યાં લગ રે બેસવું, માણસ હોવાની મને ચીડ;

આપણે અજાણી એક લાગણીને લાગણીના
ચોર્યાશી લાખ થયા સ્તૂપ. — પાળિયાની.