શબ્દલોક/આપણા સાહિત્યવિવેચનમાં પ્રકારલક્ષી અભિગમ: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 8: Line 8:
સહૃદયોનો અનુભવ અહીં મહત્ત્વનો બની રહે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંકુલ બહુપરિમાણી કૃતિને પામવાના પ્રયત્નોમાં ‘પ્રકાર’ વિશેની સમજ ઘણીયે વાર એની સંકુલ ભાતો પકડવાને અમુક strategic points તરફ નિર્દેશ કરી રહે છે. અતિ સંકુલ સૂક્ષ્મ અર્થની ભાતો, જે સામાન્ય રીતે તો દુર્ગ્રાહ્ય કે દુર્ભેદ્ય બની રહેલી લાગે, અથવા પ્રચ્છન્ન બની જતાં અગ્રાહ્ય લાગે, તેને સમગ્રતામાં પામવાને સહૃદયે પોતાના perceptionને અમુક રીતે યોજવાનું રહે. દરેક સહૃદય, ખરેખર તો, સાહિત્યકૃતિના પહેલા પહેલા મુકાબલા(encounter)માં એના ‘આકાર’ કે ‘પ્રકાર’ વિશે અમુક રીતે પોતાને orient કરી લઈને ચાલતો હોય છે. આસ્વાદ-અવબોધની ચૈતસિક પ્રક્રિયા, એ રીતે, ઘણી સૂક્ષ્મ જટિલ પ્રક્રિયા છે. એમાં સભાન કે અભાનપણેય કળા વિશેના પૂર્વ-પરિચિત ખ્યાલોનું ઓછુંવત્તું અનુસંધાન રહેતું જ હોય છે. કૃતિના ‘આકાર’ કે ‘પ્રકાર’ વિશે એના સર્જકનો, વિવેચકનો કે અન્ય વ્યક્તિઓનો ઓછોવત્તો સંકેત પણ એમાં પથપ્રકાશક બની રહે, એ પણ સ્વાભાવિક છે. એવો કોઈ સંકેત ન મળ્યો હોય ત્યાં, કૃતિનો પ્રગટ ‘આકાર’ (જે ઘણી વાર ગદ્યપદ્યની વિશિષ્ટ તરાહો ધરાવે છે, અને મુદ્રણના રૂપમાંય જેને પકડી શકાય છે), કૃતિનું કદ, રચનાતંત્ર કે ભાષાશૈલી પણ એ દિશામાં સંકેત કરી આપે છે. આ બાબતમાં એમ પણ બને કે એ કૃતિમાં પ્રવેશ કર્યા પછી એના ‘આકાર’ કે ‘પ્રકાર’ વિશેનો પૂર્વગૃહીત ખ્યાલ વાચકને બદલવો પડે. આખી કૃતિના પઠન-અધ્યયનની ક્ષણોમાં પસાર થતાં તે વિશેના પૂર્વસ્વીકૃત ખ્યાલ દૃઢ થાય, કે પછી નિર્મૂળ પણ થાય. કૃતિના આસ્વાદની આખી ચૈતસિક ઘટનામાં જોકે આવી કેઈ ‘પ્રકાર’-વિષયક પ્રતીતિનું આસ્વાદથી સ્વતંત્ર કે નિરપેક્ષ કશું જ મૂલ્ય નથીઃ એ તો આસ્વાદની પ્રક્રિયામાં અનેકવિધ અર્થસભર ભાતો (patterns)ને જોડવા-વિરોધાવવા અર્થે જે રીતે સહાયક બને છે – બની શકે છે – તેટલા પૂરતું જ તેનું મહત્ત્વ ઠરે છે.
સહૃદયોનો અનુભવ અહીં મહત્ત્વનો બની રહે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંકુલ બહુપરિમાણી કૃતિને પામવાના પ્રયત્નોમાં ‘પ્રકાર’ વિશેની સમજ ઘણીયે વાર એની સંકુલ ભાતો પકડવાને અમુક strategic points તરફ નિર્દેશ કરી રહે છે. અતિ સંકુલ સૂક્ષ્મ અર્થની ભાતો, જે સામાન્ય રીતે તો દુર્ગ્રાહ્ય કે દુર્ભેદ્ય બની રહેલી લાગે, અથવા પ્રચ્છન્ન બની જતાં અગ્રાહ્ય લાગે, તેને સમગ્રતામાં પામવાને સહૃદયે પોતાના perceptionને અમુક રીતે યોજવાનું રહે. દરેક સહૃદય, ખરેખર તો, સાહિત્યકૃતિના પહેલા પહેલા મુકાબલા(encounter)માં એના ‘આકાર’ કે ‘પ્રકાર’ વિશે અમુક રીતે પોતાને orient કરી લઈને ચાલતો હોય છે. આસ્વાદ-અવબોધની ચૈતસિક પ્રક્રિયા, એ રીતે, ઘણી સૂક્ષ્મ જટિલ પ્રક્રિયા છે. એમાં સભાન કે અભાનપણેય કળા વિશેના પૂર્વ-પરિચિત ખ્યાલોનું ઓછુંવત્તું અનુસંધાન રહેતું જ હોય છે. કૃતિના ‘આકાર’ કે ‘પ્રકાર’ વિશે એના સર્જકનો, વિવેચકનો કે અન્ય વ્યક્તિઓનો ઓછોવત્તો સંકેત પણ એમાં પથપ્રકાશક બની રહે, એ પણ સ્વાભાવિક છે. એવો કોઈ સંકેત ન મળ્યો હોય ત્યાં, કૃતિનો પ્રગટ ‘આકાર’ (જે ઘણી વાર ગદ્યપદ્યની વિશિષ્ટ તરાહો ધરાવે છે, અને મુદ્રણના રૂપમાંય જેને પકડી શકાય છે), કૃતિનું કદ, રચનાતંત્ર કે ભાષાશૈલી પણ એ દિશામાં સંકેત કરી આપે છે. આ બાબતમાં એમ પણ બને કે એ કૃતિમાં પ્રવેશ કર્યા પછી એના ‘આકાર’ કે ‘પ્રકાર’ વિશેનો પૂર્વગૃહીત ખ્યાલ વાચકને બદલવો પડે. આખી કૃતિના પઠન-અધ્યયનની ક્ષણોમાં પસાર થતાં તે વિશેના પૂર્વસ્વીકૃત ખ્યાલ દૃઢ થાય, કે પછી નિર્મૂળ પણ થાય. કૃતિના આસ્વાદની આખી ચૈતસિક ઘટનામાં જોકે આવી કેઈ ‘પ્રકાર’-વિષયક પ્રતીતિનું આસ્વાદથી સ્વતંત્ર કે નિરપેક્ષ કશું જ મૂલ્ય નથીઃ એ તો આસ્વાદની પ્રક્રિયામાં અનેકવિધ અર્થસભર ભાતો (patterns)ને જોડવા-વિરોધાવવા અર્થે જે રીતે સહાયક બને છે – બની શકે છે – તેટલા પૂરતું જ તેનું મહત્ત્વ ઠરે છે.
કૃતિનો ‘આકાર’ (Form) અને ‘પ્રકાર’ (Genre) એ બે ખ્યાલો વચ્ચે ગૂંચવાડો થવા ન દેવો જોઈએ. ‘આકાર’ સંજ્ઞા, અલબત્ત, ઘણી સંદિગ્ધ છે. તેની સ્પષ્ટ સુરેખ વ્યાખ્યા કરવાના વિદ્વાનોના પ્રયત્નો ઝાઝા સફળ રહ્યા નથી એમ પણ કહી શકાય; તોપણ એ વિશે એટલું તો ચોક્કસપણે કહી શકાય કે ‘આકાર’ એ કૃતિના વિશિષ્ટ રચનાતંત્રને લક્ષે છે, એટલે કે કૃતિનો વિશેષ જેમાં પ્રગટ થાય છે તે ભાષાકીય તંત્રને સમાવી લઈને તેના સમસ્ત સંવિધાનને લક્ષે છે, અને દરેક કૃતિને તેનું આગવું એવું આકાર-તંત્ર સંભવે છે. આથી ભિન્ન, ‘પ્રકાર’ એ આવી કેટલીક સમાન આકારતંત્ર ધરાવતી કે સમાન રચનાશૈલી ધરાવતી રચનાઓને લગતો એક સર્વસામાન્ય ખ્યાલ માત્ર છે. ‘આકાર’ એ જો કૃતિનાં ભાવ, ભાષા અને શૈલી જોડે સજીવપણે તંતોતંત સંકળાયેલી વસ્તુ છે, તો ‘પ્રકાર’ એ કેટલાંક સર્વસામાન્ય લક્ષણો ધરાવતા કૃતિસમૂહ વિશેનો એક અમૂર્ત ખ્યાલ માત્ર છે. ‘આકાર’ એ જો કૃતિનું organic form છે, તો ‘પ્રકાર’ એ તેને લગતો abstract idea માત્ર છે. એક ભૌમિતિક diagram માત્ર છે. સર્જનાત્મક પ્રવૃત્તિ જ્યાં પ્રાણવાન હોય, ત્યાં ‘આકારો’ના નિત્યનૂતન ઉન્મેષો પ્રગટ થતા જોવા મળે છે. એ રીતે ‘આકારોના’ નિત્યનૂતન અને પરિવર્ત્યશીલ છે, જ્યારે ‘પ્રકાર’નો ખ્યાલ ઠીક ઠીક ચુસ્ત અને જડ સંભવે છે. એટલે તદ્દન નવી શૈલીની કે નવા આકારની રચનાને રૂઢ ‘પ્રકાર’ના ચોકઠામાં બેસાડવાનું હંમેશાં સરળ હોતું નથી. એવે પ્રસંગે ‘પ્રકાર’ વિશેની રૂઢ સમજ લઈને ચાલવામાં મોટું જોખમ જ હોય છે. આપણા સાહિત્યની જ વિલક્ષણ આકારની કૃતિઓના વિવેચનમાં ચુસ્ત ‘પ્રકારલક્ષી અભિગમ’ને કારણે કેવી કેવી મુશ્કેલીઓ ઊભી થઈ છે, અને કેવી કેવી નિષ્ફળતાઓ સર્જાઈ છે, તેની તપાસ પણ કરવા જેવી છે. એક સ્વતંત્ર મહાનિબંધનો વિષય બની શકે એટલું એ વિશાળ ક્ષેત્ર છે.
કૃતિનો ‘આકાર’ (Form) અને ‘પ્રકાર’ (Genre) એ બે ખ્યાલો વચ્ચે ગૂંચવાડો થવા ન દેવો જોઈએ. ‘આકાર’ સંજ્ઞા, અલબત્ત, ઘણી સંદિગ્ધ છે. તેની સ્પષ્ટ સુરેખ વ્યાખ્યા કરવાના વિદ્વાનોના પ્રયત્નો ઝાઝા સફળ રહ્યા નથી એમ પણ કહી શકાય; તોપણ એ વિશે એટલું તો ચોક્કસપણે કહી શકાય કે ‘આકાર’ એ કૃતિના વિશિષ્ટ રચનાતંત્રને લક્ષે છે, એટલે કે કૃતિનો વિશેષ જેમાં પ્રગટ થાય છે તે ભાષાકીય તંત્રને સમાવી લઈને તેના સમસ્ત સંવિધાનને લક્ષે છે, અને દરેક કૃતિને તેનું આગવું એવું આકાર-તંત્ર સંભવે છે. આથી ભિન્ન, ‘પ્રકાર’ એ આવી કેટલીક સમાન આકારતંત્ર ધરાવતી કે સમાન રચનાશૈલી ધરાવતી રચનાઓને લગતો એક સર્વસામાન્ય ખ્યાલ માત્ર છે. ‘આકાર’ એ જો કૃતિનાં ભાવ, ભાષા અને શૈલી જોડે સજીવપણે તંતોતંત સંકળાયેલી વસ્તુ છે, તો ‘પ્રકાર’ એ કેટલાંક સર્વસામાન્ય લક્ષણો ધરાવતા કૃતિસમૂહ વિશેનો એક અમૂર્ત ખ્યાલ માત્ર છે. ‘આકાર’ એ જો કૃતિનું organic form છે, તો ‘પ્રકાર’ એ તેને લગતો abstract idea માત્ર છે. એક ભૌમિતિક diagram માત્ર છે. સર્જનાત્મક પ્રવૃત્તિ જ્યાં પ્રાણવાન હોય, ત્યાં ‘આકારો’ના નિત્યનૂતન ઉન્મેષો પ્રગટ થતા જોવા મળે છે. એ રીતે ‘આકારોના’ નિત્યનૂતન અને પરિવર્ત્યશીલ છે, જ્યારે ‘પ્રકાર’નો ખ્યાલ ઠીક ઠીક ચુસ્ત અને જડ સંભવે છે. એટલે તદ્દન નવી શૈલીની કે નવા આકારની રચનાને રૂઢ ‘પ્રકાર’ના ચોકઠામાં બેસાડવાનું હંમેશાં સરળ હોતું નથી. એવે પ્રસંગે ‘પ્રકાર’ વિશેની રૂઢ સમજ લઈને ચાલવામાં મોટું જોખમ જ હોય છે. આપણા સાહિત્યની જ વિલક્ષણ આકારની કૃતિઓના વિવેચનમાં ચુસ્ત ‘પ્રકારલક્ષી અભિગમ’ને કારણે કેવી કેવી મુશ્કેલીઓ ઊભી થઈ છે, અને કેવી કેવી નિષ્ફળતાઓ સર્જાઈ છે, તેની તપાસ પણ કરવા જેવી છે. એક સ્વતંત્ર મહાનિબંધનો વિષય બની શકે એટલું એ વિશાળ ક્ષેત્ર છે.
આપણા વિવેચનસાહિત્યમાં, કમભાગ્યે, અત્યાર સુધી ‘આકાર’ અને ‘પ્રકાર’ વિશે જોઈએ એવી સ્પષ્ટતા થઈ નથી. રચાતી આવતી કૃતિઓનાં વૈલક્ષણ્યોને અવગણીને પણ, તેના ‘પ્રકાર’ વિશેના ખ્યાલો પોષવાનું એક બળવાન વલણ આપણે ત્યાં પ્રવર્તતું રહ્યું છે. મધ્યકાલીન ‘પ્રકારો’નો પ્રશ્ન, અલબત્ત, જુદો છે. રાસા, ફાગુ, આખ્યાન, ગરબી આદિ ઘણાખરા પ્રકારો આજે કાલગ્રસ્ત થઈ ગયા છે. એટલે એ પ્રકારોનાં લક્ષણો બાંધવાનું, અને તેના પ્રકાશમાં જે-તે પ્રકારની કૃતિની સમીક્ષા કરવાનું, પ્રમાણમાં સરળ રહ્યું છે. પણ આપણે આપણા અર્વાચીન સાહિત્યકારોનો પ્રશ્ન જ્યાં હાથમાં લઈએ, ત્યાં એના ખેડાતા જતા ’પ્રકારો’નાં લક્ષણો બાંધવાનું, કે એ ‘પ્રકારો’ વિશેની અમુક રીતની સમજ કેળવી લઈને કૃતિઓની વિવેચના કરવાનું ઘણું મુશ્કેલ છે, જોખમી પણ છે. ઊર્મિકાવ્ય, ખંડકાવ્ય, નવલિકા, નવલકથા જેવા ‘પ્રકારો’ની જે ચર્ચાવિચારણાઓ આપણે ત્યાં થઈ છે, તેમાં મતમતાંતરોય કંઈ ઓછાં નથી. ખરી વસ્તુ એ છે કે નવલિકા, નવલકથા અને નાટક જેવા સાહિત્યપ્રકારોની ગહન તાત્ત્વિક ચર્ચાવિચારણા આપણને હજી બહુ ઓછી મળી છે, અને આ બધા ‘પ્રકારો’ની સૈદ્ધાન્તિક ચર્ચાવિચારણામાં ખરેખર કૂટ તાત્ત્વિક મુશ્કેલીઓ ક્યાં રહી છે તે તરફ વળી આપણી વિવેચનાનું ખાસ ધ્યાન ગયું જ નથી, એમ કહીએ તોયે ચાલે. આજે ભાષાવિજ્ઞાન અને શૈલીવિજ્ઞાન જેવાં વિજ્ઞાનો અત્યંત ઝડપથી વિકસી રહ્યાં છે ત્યારે, સાહિત્યના અનંતવિધ ‘આકારો’ અને તેમાંથી તારવેલા ‘પ્રકારો’ની શક્ય તેટલી વૈજ્ઞાનિક પદ્ધતિએ તપાસ કરવાનું અનિવાર્ય બની ગયું છે : ખાસ તો વિવિધ ‘પ્રકારો’ની વિભાવના પાછળ જો કોઈ ચોક્કસ એવી ભાષાકીય તરાહો કે ભાષાકીય તંત્રો મળી શકે એમ હોય તો તે રીતે, તેની પૂરતી તપાસ કરવી ઘટે છે. આ સંદર્ભમાં સુરેશ જોષીની એક વિચારણા૧ ધ્યાનપાત્ર બની રહે છે. તેઓ કથાકાવ્ય, મહાકાવ્ય અને નવલકથા – એ ‘પ્રકારો’નો તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરતાં સૂચવે છે કે સાહિત્યસ્વરૂપોની વ્યાખ્યા ‘તે માત્ર રસ્તો ચીંધનારી નિશાની’ જ બની રહે છે. તેઓ આ વિશે એમ કહે છે કે ‘મહાકાવ્ય આદિનાં જે લક્ષણો બાંધવામાં આવ્યાં છે તે તો કામચલાઉ માળખું જ બની રહે છે – સાચું સ્વરૂપ નહિ.’ અને આગળ એમ નોંધે છે કે, ‘આથી સાહિત્યસ્વરૂપોને aesthetic categories – રસનિષ્પત્તિ કે રસાનુભવ સિદ્ધ કરવાની જુદી જુદી રચનારીતિઓ રૂપે જોવાની આવશ્યકતા ઊભી થાય છે. આ રચનારીતિઓ વ્યાવર્તક એવા સ્વરૂપની હોય છે. કથાકાવ્યની પદ્ધતિ તે નવલકથાની પદ્ધતિ ન હોઈ શકે. આ રીતે ‘પ્રકારો’ની સૈદ્ધાન્તિક ભૂમિકાનો વિચાર તેની ‘રચના-રીતિ’ને કેન્દ્રમાં રાખીને થઈ શકે એ વસ્તુ એક અત્યંત મહત્ત્વનો મુદ્દો બને છે. બલકે, સાહિત્યપ્રકારોની વ્યાખ્યાવિચારણાઓમાં ચોક્કસ વ્યવસ્થા આણવી હોય, તો એ એક અનિવાર્ય માર્ગ બની રહેતો દેખાય છે.
આપણા વિવેચનસાહિત્યમાં, કમભાગ્યે, અત્યાર સુધી ‘આકાર’ અને ‘પ્રકાર’ વિશે જોઈએ એવી સ્પષ્ટતા થઈ નથી. રચાતી આવતી કૃતિઓનાં વૈલક્ષણ્યોને અવગણીને પણ, તેના ‘પ્રકાર’ વિશેના ખ્યાલો પોષવાનું એક બળવાન વલણ આપણે ત્યાં પ્રવર્તતું રહ્યું છે. મધ્યકાલીન ‘પ્રકારો’નો પ્રશ્ન, અલબત્ત, જુદો છે. રાસા, ફાગુ, આખ્યાન, ગરબી આદિ ઘણાખરા પ્રકારો આજે કાલગ્રસ્ત થઈ ગયા છે. એટલે એ પ્રકારોનાં લક્ષણો બાંધવાનું, અને તેના પ્રકાશમાં જે-તે પ્રકારની કૃતિની સમીક્ષા કરવાનું, પ્રમાણમાં સરળ રહ્યું છે. પણ આપણે આપણા અર્વાચીન સાહિત્યકારોનો પ્રશ્ન જ્યાં હાથમાં લઈએ, ત્યાં એના ખેડાતા જતા ’પ્રકારો’નાં લક્ષણો બાંધવાનું, કે એ ‘પ્રકારો’ વિશેની અમુક રીતની સમજ કેળવી લઈને કૃતિઓની વિવેચના કરવાનું ઘણું મુશ્કેલ છે, જોખમી પણ છે. ઊર્મિકાવ્ય, ખંડકાવ્ય, નવલિકા, નવલકથા જેવા ‘પ્રકારો’ની જે ચર્ચાવિચારણાઓ આપણે ત્યાં થઈ છે, તેમાં મતમતાંતરોય કંઈ ઓછાં નથી. ખરી વસ્તુ એ છે કે નવલિકા, નવલકથા અને નાટક જેવા સાહિત્યપ્રકારોની ગહન તાત્ત્વિક ચર્ચાવિચારણા આપણને હજી બહુ ઓછી મળી છે, અને આ બધા ‘પ્રકારો’ની સૈદ્ધાન્તિક ચર્ચાવિચારણામાં ખરેખર કૂટ તાત્ત્વિક મુશ્કેલીઓ ક્યાં રહી છે તે તરફ વળી આપણી વિવેચનાનું ખાસ ધ્યાન ગયું જ નથી, એમ કહીએ તોયે ચાલે. આજે ભાષાવિજ્ઞાન અને શૈલીવિજ્ઞાન જેવાં વિજ્ઞાનો અત્યંત ઝડપથી વિકસી રહ્યાં છે ત્યારે, સાહિત્યના અનંતવિધ ‘આકારો’ અને તેમાંથી તારવેલા ‘પ્રકારો’ની શક્ય તેટલી વૈજ્ઞાનિક પદ્ધતિએ તપાસ કરવાનું અનિવાર્ય બની ગયું છે : ખાસ તો વિવિધ ‘પ્રકારો’ની વિભાવના પાછળ જો કોઈ ચોક્કસ એવી ભાષાકીય તરાહો કે ભાષાકીય તંત્રો મળી શકે એમ હોય તો તે રીતે, તેની પૂરતી તપાસ કરવી ઘટે છે. આ સંદર્ભમાં સુરેશ જોષીની એક વિચારણા૧<ref>૧. ‘કથોપકથન’, લે. સુરેશ જોષી, ‘નવલકથા વિશે’ લેખ.</ref> ધ્યાનપાત્ર બની રહે છે. તેઓ કથાકાવ્ય, મહાકાવ્ય અને નવલકથા – એ ‘પ્રકારો’નો તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરતાં સૂચવે છે કે સાહિત્યસ્વરૂપોની વ્યાખ્યા ‘તે માત્ર રસ્તો ચીંધનારી નિશાની’ જ બની રહે છે. તેઓ આ વિશે એમ કહે છે કે ‘મહાકાવ્ય આદિનાં જે લક્ષણો બાંધવામાં આવ્યાં છે તે તો કામચલાઉ માળખું જ બની રહે છે – સાચું સ્વરૂપ નહિ.’ અને આગળ એમ નોંધે છે કે, ‘આથી સાહિત્યસ્વરૂપોને aesthetic categories – રસનિષ્પત્તિ કે રસાનુભવ સિદ્ધ કરવાની જુદી જુદી રચનારીતિઓ રૂપે જોવાની આવશ્યકતા ઊભી થાય છે. આ રચનારીતિઓ વ્યાવર્તક એવા સ્વરૂપની હોય છે. કથાકાવ્યની પદ્ધતિ તે નવલકથાની પદ્ધતિ ન હોઈ શકે. આ રીતે ‘પ્રકારો’ની સૈદ્ધાન્તિક ભૂમિકાનો વિચાર તેની ‘રચના-રીતિ’ને કેન્દ્રમાં રાખીને થઈ શકે એ વસ્તુ એક અત્યંત મહત્ત્વનો મુદ્દો બને છે. બલકે, સાહિત્યપ્રકારોની વ્યાખ્યાવિચારણાઓમાં ચોક્કસ વ્યવસ્થા આણવી હોય, તો એ એક અનિવાર્ય માર્ગ બની રહેતો દેખાય છે.
મૂળ વાત એ છે કે જગતસાહિત્યના ઇતિહાસમાં જુદા જુદા તબક્કે જુદા જુદા ‘પ્રકારો’ ઉદ્‌ભવ્યા અને વિકસ્યા, અને એમાં કેટલાક વળી અસ્ત પામ્યા. જુદી જુદી સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિઓની વચ્ચે વિકસેલા એ ભિન્ન ભિન્ન ‘પ્રકારો’ની ઓળખ, વ્યાખ્યા કે ચર્ચાવિચારણામાં વિવેચકો અને વિદ્વાનો વચ્ચે ઘણી વાર એકમતી સધાઈ નથી; બલકે ‘પ્રકારો’ની વિભાવના બાંધવાની બાબતમાં કેટલીક વાર પાયાના મતભેદો ઊભા થયેલા જણાય છે. એમ દેખાશે કે સાહિત્યના વિવિધ ‘પ્રકારો’ની વ્યાખ્યા બાંધતી વેળા કોઈ એક જ નિયમ પ્રવર્ત્યો હોય એમ દેખાતું નથી. કેટલીક વાર કૃતિઓના વિલક્ષણ વર્ણ્યવિષયો તો કેટલીક વાર રચનાબંધની વિશિષ્ટતાઓ, કેટલીક વાર રચનાગત પ્રયુક્તિઓ કે પ્રણાલિકાઓ તો કેટલીક વાર કવિદર્શનનો રણકો, કેટલીક વાર ભાષાશૈલીનું પોત તો વળી કેટલીક વાર કવિનો મિજાજ – એમ વિવિધ તત્ત્વોએ ‘પ્રકાર’ની ઓળખમાં અને નામકરણમાં ભાગ ભજવ્યો છે. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નાટક’, ‘મહાકાવ્ય’ અને ‘ઊર્મિકાવ્ય’ – એમ ત્રણ મૂળભૂત સ્વરૂપો સ્વીકારીને ‘પ્રકારો’ની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન થતો રહ્યો છે; તે સાથે ત્યાં ‘ટ્રૅજેડી’ અને ‘કૉમેડી’ના જુદાં જ ધોરણોથી પાડેલા વર્ગો પણ સ્વીકારાયેલા છે. આ રીતે ‘પ્રકારો’ના વર્ગીકરણમાં એકીસાથે જુદા જુદા સિદ્ધાંતો કામ કરી રહેલા દેખાશે. સાહિત્યપ્રકારો વિશેની ચર્ચાવિચારણાનો આખો ઇતિહાસ એ રીતે વિભિન્ન દૃષ્ટિબિંદુઓનો અસ્પષ્ટ એવો આલેખ બની રહે છે.
મૂળ વાત એ છે કે જગતસાહિત્યના ઇતિહાસમાં જુદા જુદા તબક્કે જુદા જુદા ‘પ્રકારો’ ઉદ્‌ભવ્યા અને વિકસ્યા, અને એમાં કેટલાક વળી અસ્ત પામ્યા. જુદી જુદી સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિઓની વચ્ચે વિકસેલા એ ભિન્ન ભિન્ન ‘પ્રકારો’ની ઓળખ, વ્યાખ્યા કે ચર્ચાવિચારણામાં વિવેચકો અને વિદ્વાનો વચ્ચે ઘણી વાર એકમતી સધાઈ નથી; બલકે ‘પ્રકારો’ની વિભાવના બાંધવાની બાબતમાં કેટલીક વાર પાયાના મતભેદો ઊભા થયેલા જણાય છે. એમ દેખાશે કે સાહિત્યના વિવિધ ‘પ્રકારો’ની વ્યાખ્યા બાંધતી વેળા કોઈ એક જ નિયમ પ્રવર્ત્યો હોય એમ દેખાતું નથી. કેટલીક વાર કૃતિઓના વિલક્ષણ વર્ણ્યવિષયો તો કેટલીક વાર રચનાબંધની વિશિષ્ટતાઓ, કેટલીક વાર રચનાગત પ્રયુક્તિઓ કે પ્રણાલિકાઓ તો કેટલીક વાર કવિદર્શનનો રણકો, કેટલીક વાર ભાષાશૈલીનું પોત તો વળી કેટલીક વાર કવિનો મિજાજ – એમ વિવિધ તત્ત્વોએ ‘પ્રકાર’ની ઓળખમાં અને નામકરણમાં ભાગ ભજવ્યો છે. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નાટક’, ‘મહાકાવ્ય’ અને ‘ઊર્મિકાવ્ય’ – એમ ત્રણ મૂળભૂત સ્વરૂપો સ્વીકારીને ‘પ્રકારો’ની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન થતો રહ્યો છે; તે સાથે ત્યાં ‘ટ્રૅજેડી’ અને ‘કૉમેડી’ના જુદાં જ ધોરણોથી પાડેલા વર્ગો પણ સ્વીકારાયેલા છે. આ રીતે ‘પ્રકારો’ના વર્ગીકરણમાં એકીસાથે જુદા જુદા સિદ્ધાંતો કામ કરી રહેલા દેખાશે. સાહિત્યપ્રકારો વિશેની ચર્ચાવિચારણાનો આખો ઇતિહાસ એ રીતે વિભિન્ન દૃષ્ટિબિંદુઓનો અસ્પષ્ટ એવો આલેખ બની રહે છે.
એટલે, આપણે માટે આજે ફરીથી મૂળ પ્રશ્ન આગળ જઈ ઊભવાનું આવશ્યક બની રહે છે : ‘સાહિત્યપ્રકાર’ (Literary genre) તે ખરેખર શી વસ્તુ છે? એ સંજ્ઞાથી આપણને ખરેખર શું અભિપ્રેત છે? એ કોઈ સાહિત્યકૃતિમાં નિહિત રહેલું મૂળભૂત તત્ત્વ છે? કે તેના પર આરોપવામાં આવેલું કોઈ આગંતુક તત્ત્વ છે? કે કેવળ આભાસ માત્ર છે? આ સાથે બીજા પ્રશ્નો એ સંભવે છે કે સાહિત્યના ઇતિહાસમાં જુદે જુદે તબક્કે ‘પ્રકારો’ની વિભાવના શી રીતે બંધાતી રહી છે? સાહિત્યરચનાઓ માટે આ જાતના વર્ગીકરણ પાછળ કોઈ એક ચોક્કસ સિદ્ધાંત કામ કરે છે કે પછી કેવળ યદૃચ્છાનું તત્ત્વ જ એમાં પ્રવર્તક રહ્યું છે? કૃતિની ‘આકૃતિ’ (Form) અને તેના ‘પ્રકાર’ (Genre)નો ખ્યાલ કેવી રીતે સંકળાયો છે? ‘આકૃતિ’ને કૃતિના અંતરંગ અને બહિરંગ જોડે સજીવ તંતોતંત સંબંધ છે એમ કહી શકાય; પણ ‘પ્રકાર’ શું કેવળ બહિરંગને જ સ્પર્શે છે કે પછી અંતરંગ જોડેય એને સંબંધ છે? કે પછી ‘આકૃતિ’ને અને ‘પ્રકાર’ને કોઈ સંબંધ જ નથી? પ્રશ્નો ઘણા કૂટ છે. ક્રોચે૨ જેવો કળામીમાંસક એમ કહે છે, કે ‘પ્રકાર’ની ઓળખને કૃતિના અંતરંગ જોડે કોઈ માર્મિક સંબંધ જ નથી. ‘પ્રકાર’ની વિભાવના કૃતિના રચનાવિશેષ જોડે જરીકે મેળમાં જ નથી. એટલે ‘પ્રકાર’નો ખ્યાલ કળાકૃતિના પ્રાણભૂત તત્ત્વ(essence)ને સ્પર્શતો જ નથી. બીજી બાજુ, રેને વેલેક૩ જેવો ચિંતક ‘પ્રકાર’ને એક ‘સંસ્થા’ (Institution) રૂપે જુએ છે : સાહિત્યકાર એ ‘સંસ્થા’માં રહીને કામ કરે છે, એ ‘સંસ્થા’નું નિયમન સ્વીકારે છે, તેમ એને નવા સંસ્કારો પણ અર્પે છે. વળી, નોર્થ્રોપ ફ્રાય૪ જેવો વિદ્વાન સાહિત્યપ્રકારને કૃતિની બાહ્ય નહિ, તેના અંતરંગની જ વસ્તુ ગણે છે : જુદા જુદા યુગમાં વિકસેલા ‘પ્રકારો’ની અભિજ્ઞતા સર્જકની રચનાપ્રક્રિયામાં ભાગ ભજવે છે, અને એ રીતે કૃતિના બીજમાં એના અંતર્ગત તત્ત્વ રૂપે ‘પ્રકાર’ જેવી વસ્તુ પ્રવેશે છે.
એટલે, આપણે માટે આજે ફરીથી મૂળ પ્રશ્ન આગળ જઈ ઊભવાનું આવશ્યક બની રહે છે : ‘સાહિત્યપ્રકાર’ (Literary genre) તે ખરેખર શી વસ્તુ છે? એ સંજ્ઞાથી આપણને ખરેખર શું અભિપ્રેત છે? એ કોઈ સાહિત્યકૃતિમાં નિહિત રહેલું મૂળભૂત તત્ત્વ છે? કે તેના પર આરોપવામાં આવેલું કોઈ આગંતુક તત્ત્વ છે? કે કેવળ આભાસ માત્ર છે? આ સાથે બીજા પ્રશ્નો એ સંભવે છે કે સાહિત્યના ઇતિહાસમાં જુદે જુદે તબક્કે ‘પ્રકારો’ની વિભાવના શી રીતે બંધાતી રહી છે? સાહિત્યરચનાઓ માટે આ જાતના વર્ગીકરણ પાછળ કોઈ એક ચોક્કસ સિદ્ધાંત કામ કરે છે કે પછી કેવળ યદૃચ્છાનું તત્ત્વ જ એમાં પ્રવર્તક રહ્યું છે? કૃતિની ‘આકૃતિ’ (Form) અને તેના ‘પ્રકાર’ (Genre)નો ખ્યાલ કેવી રીતે સંકળાયો છે? ‘આકૃતિ’ને કૃતિના અંતરંગ અને બહિરંગ જોડે સજીવ તંતોતંત સંબંધ છે એમ કહી શકાય; પણ ‘પ્રકાર’ શું કેવળ બહિરંગને જ સ્પર્શે છે કે પછી અંતરંગ જોડેય એને સંબંધ છે? કે પછી ‘આકૃતિ’ને અને ‘પ્રકાર’ને કોઈ સંબંધ જ નથી? પ્રશ્નો ઘણા કૂટ છે. ક્રોચે૨ જેવો કળામીમાંસક એમ કહે છે, કે ‘પ્રકાર’ની ઓળખને કૃતિના અંતરંગ જોડે કોઈ માર્મિક સંબંધ જ નથી. ‘પ્રકાર’ની વિભાવના કૃતિના રચનાવિશેષ જોડે જરીકે મેળમાં જ નથી. એટલે ‘પ્રકાર’નો ખ્યાલ કળાકૃતિના પ્રાણભૂત તત્ત્વ(essence)ને સ્પર્શતો જ નથી. બીજી બાજુ, રેને વેલેક૩ જેવો ચિંતક ‘પ્રકાર’ને એક ‘સંસ્થા’ (Institution) રૂપે જુએ છે : સાહિત્યકાર એ ‘સંસ્થા’માં રહીને કામ કરે છે, એ ‘સંસ્થા’નું નિયમન સ્વીકારે છે, તેમ એને નવા સંસ્કારો પણ અર્પે છે. વળી, નોર્થ્રોપ ફ્રાય૪ જેવો વિદ્વાન સાહિત્યપ્રકારને કૃતિની બાહ્ય નહિ, તેના અંતરંગની જ વસ્તુ ગણે છે : જુદા જુદા યુગમાં વિકસેલા ‘પ્રકારો’ની અભિજ્ઞતા સર્જકની રચનાપ્રક્રિયામાં ભાગ ભજવે છે, અને એ રીતે કૃતિના બીજમાં એના અંતર્ગત તત્ત્વ રૂપે ‘પ્રકાર’ જેવી વસ્તુ પ્રવેશે છે.
પણ ‘પ્રકાર’ વિશે આ જાતની તાત્ત્વિક વિચારણા કરતાં સહજ જ આપણે સાહિત્યના ઇતિહાસમાં પ્રવેશી જઈએ છીએ. જુદા જુદા દેશકાળમાં જુદા જુદા સાહિત્યપ્રકારો જે રીતે ઉદ્‌ભવ્યા અને વિકસ્યા (અને લય પામ્યા), તેની પાછળ અમુક સાંસ્કૃતિક અને દાર્શનિક ભૂમકા હોવાની; પણ સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિએ પણ તેમાં ઓછોવત્તો ભાગ ભજવ્યો હોય એમ બનવાનું. ઉદાહરણ તરીકે, ગ્રીક ટ્રૅજેડી લો. પ્રાચીન ગ્રીસમાં એ પ્રકાર જે રીતે ઉદ્‌ભવ્યો અને વિકસ્યો, તેની પાછળ પ્રાચીન ગ્રીસની સંસ્કૃતિ પડેલી છે. બીજી બાજુ, સંસ્કૃત મહાકાવ્ય અને નાટકનો વિચાર કરો. એ પ્રકારોનાં વિશિષ્ટ લક્ષણોનો ખ્યાલ કરતાં ભારતીય રસવિચાર, અહીંની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ, અને જીવનના ચાર પુરુષાર્થોના પ્રશ્નો પણ સ્પર્શવાના રહે. મધ્યકાલીન ગુજરાતી ફાગુ અને આખ્યાનના ‘પ્રકારો’ની ચર્ચામાં, એ જ રીતે, મધ્યકાલીન ગુજરાતની સાંસ્કૃતિક ભૂમિકાને લક્ષમાં લેવાની રહે. વળી નવલકથા, નવલિકા અને ‘ઍબ્સર્ડ નાટક’ (જો એને જુદો ‘પ્રકાર’ ગણીએ તો) પરત્વે આધુનિક યુગની માનવપરિસ્થિતિ લક્ષમાં લેવાની રહે. પ્રસિદ્ધ સર્જક-વિવેચક ઓ’કોનરે નવલિકાના સ્વરૂપની આગવી ઓળખ કરવાના પ્રયત્નમાં Lonely Voice5નો જે વિચાર મૂક્યો છે તે આ સંદર્ભમાં ધ્યાનપાત્ર બની રહે છે. તાત્પર્ય કે, સ્વરૂપની વિચારણામાં ક્યાંક ને ક્યાંક તેની પાછળ રહેલાં સાંસ્કૃતિક અને બીજાં પરિબળોનો વિચાર કરવાનો રહે છે. જોકે એક વાત અહીં સ્મરણમાં રાખવાની છે કે ‘પ્રકાર’ના ઉદ્‌ભવવિકાસની ભૂમિકા નિમિત્તે આ જાતનો વિચાર થાય એ બરોબર છે, પણ એક ‘પ્રકાર’થી બીજા ‘પ્રકાર’નો ભેદ કરતી વેળા રચનારીતિનાં કે ભાષાકીય તંત્રનાં વિશિષ્ટ તત્ત્વોને વધુ કેન્દ્રમાં રાખવાનાં રહે. એ રીતે એની ચર્ચા વધુ ફળપ્રદ નીવડવા સંભવ છે.
પણ ‘પ્રકાર’ વિશે આ જાતની તાત્ત્વિક વિચારણા કરતાં સહજ જ આપણે સાહિત્યના ઇતિહાસમાં પ્રવેશી જઈએ છીએ. જુદા જુદા દેશકાળમાં જુદા જુદા સાહિત્યપ્રકારો જે રીતે ઉદ્‌ભવ્યા અને વિકસ્યા (અને લય પામ્યા), તેની પાછળ અમુક સાંસ્કૃતિક અને દાર્શનિક ભૂમકા હોવાની; પણ સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિએ પણ તેમાં ઓછોવત્તો ભાગ ભજવ્યો હોય એમ બનવાનું. ઉદાહરણ તરીકે, ગ્રીક ટ્રૅજેડી લો. પ્રાચીન ગ્રીસમાં એ પ્રકાર જે રીતે ઉદ્‌ભવ્યો અને વિકસ્યો, તેની પાછળ પ્રાચીન ગ્રીસની સંસ્કૃતિ પડેલી છે. બીજી બાજુ, સંસ્કૃત મહાકાવ્ય અને નાટકનો વિચાર કરો. એ પ્રકારોનાં વિશિષ્ટ લક્ષણોનો ખ્યાલ કરતાં ભારતીય રસવિચાર, અહીંની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ, અને જીવનના ચાર પુરુષાર્થોના પ્રશ્નો પણ સ્પર્શવાના રહે. મધ્યકાલીન ગુજરાતી ફાગુ અને આખ્યાનના ‘પ્રકારો’ની ચર્ચામાં, એ જ રીતે, મધ્યકાલીન ગુજરાતની સાંસ્કૃતિક ભૂમિકાને લક્ષમાં લેવાની રહે. વળી નવલકથા, નવલિકા અને ‘ઍબ્સર્ડ નાટક’ (જો એને જુદો ‘પ્રકાર’ ગણીએ તો) પરત્વે આધુનિક યુગની માનવપરિસ્થિતિ લક્ષમાં લેવાની રહે. પ્રસિદ્ધ સર્જક-વિવેચક ઓ’કોનરે નવલિકાના સ્વરૂપની આગવી ઓળખ કરવાના પ્રયત્નમાં Lonely Voice5નો જે વિચાર મૂક્યો છે તે આ સંદર્ભમાં ધ્યાનપાત્ર બની રહે છે. તાત્પર્ય કે, સ્વરૂપની વિચારણામાં ક્યાંક ને ક્યાંક તેની પાછળ રહેલાં સાંસ્કૃતિક અને બીજાં પરિબળોનો વિચાર કરવાનો રહે છે. જોકે એક વાત અહીં સ્મરણમાં રાખવાની છે કે ‘પ્રકાર’ના ઉદ્‌ભવવિકાસની ભૂમિકા નિમિત્તે આ જાતનો વિચાર થાય એ બરોબર છે, પણ એક ‘પ્રકાર’થી બીજા ‘પ્રકાર’નો ભેદ કરતી વેળા રચનારીતિનાં કે ભાષાકીય તંત્રનાં વિશિષ્ટ તત્ત્વોને વધુ કેન્દ્રમાં રાખવાનાં રહે. એ રીતે એની ચર્ચા વધુ ફળપ્રદ નીવડવા સંભવ છે.
આપણા વિવેચનમાં આપણે ત્યાં ખેડાયેલા જૂનાનવા ‘પ્રકારો’નાં લક્ષણો બાંધવાના (કે વ્યાખ્યા કરવાના) જે બધા પ્રયત્નો થયા તે પણ, આગળ બતાવ્યું છે તેમ, ખરેખર એક સ્વતંત્ર સંશોધનનો વિષય છે. અહીં એ જાતની વિશાળ પ્રવૃત્તિને અવલોકવાને, દેખીતી રીતે જ, અવકાશ નથી. એટલે, આપણી આ વિષયની ચર્ચાવિચારણામાંના જે રસપ્રદ સંદર્ભો મારા ખ્યાલમાં છે, તેમાંના કેટલાક અહીં અવલોકન માટે સ્વીકાર્યા છે.
આપણા વિવેચનમાં આપણે ત્યાં ખેડાયેલા જૂનાનવા ‘પ્રકારો’નાં લક્ષણો બાંધવાના (કે વ્યાખ્યા કરવાના) જે બધા પ્રયત્નો થયા તે પણ, આગળ બતાવ્યું છે તેમ, ખરેખર એક સ્વતંત્ર સંશોધનનો વિષય છે. અહીં એ જાતની વિશાળ પ્રવૃત્તિને અવલોકવાને, દેખીતી રીતે જ, અવકાશ નથી. એટલે, આપણી આ વિષયની ચર્ચાવિચારણામાંના જે રસપ્રદ સંદર્ભો મારા ખ્યાલમાં છે, તેમાંના કેટલાક અહીં અવલોકન માટે સ્વીકાર્યા છે.
સાહિત્યપ્રકારની વિભાવના કૃતિવિવેચનમાં કેવી રીતે નિર્ણાયક બને છે તે પ્રશ્ન, અલબત્ત, અત્યંત રસપ્રદ છે; પણ એ પ્રશ્ન પર જતાં પહેલાં, વિભાવના બાંધવાની ક્યાં મુશ્કેલી છે તે વિશે થોડુંક ખોદકામ કરી લેવું જોઈએ. ‘ખંડકાવ્ય’ સ્વરૂપની આપણી ચર્ચા એ માટે એક સારું નિમિત્ત પૂરું પાડે છે. આજે આપણે એ બાબતમાં સ્પષ્ટ છીએ, કે ‘ખંડકાવ્ય’ સંજ્ઞા આપણા વિવેચનમાં હવે ઘણું કરીને તો કાન્તનાં અને કાન્તશૈલીનાં ખંડકાવ્યો માટે પ્રયોજાય છે. કાન્તનાં વિશિષ્ટ સંવિધાનવાળાં પ્રસંગલક્ષી (કે વૃત્તાન્તલક્ષી) કાવ્યોનો ખ્યાલ એથી સૂચવાય છે. પણ આપણે એય જાણીએ છીએ કે સંસ્કૃત કાવ્યમીમાંસામાં એને ઠીક ઠીક જુદો સંકેત છે. મહાકાવ્યને અપેક્ષિત એવાં બધાં લક્ષણો જે કૃતિમાં ઊતર્યાં ન હોય, મહાકાવ્યથી જેનું પરિમાણ નાનું હોય, એવી કૃતિ સંસ્કૃતમાં ‘ખંડકાવ્ય’ની સંજ્ઞા પામતી. એક રીતે સંસ્કૃત ખંડકાવ્યનો એ ખ્યાલ નકારાત્મક છે : ખંડકાવ્યમાં ખરેખર કયાં તત્ત્વો અનિવાર્ય છે, તેની વાત એમાં નથી. અર્વાચીન યુગના આરંભે આપણા પ્રથમ વિવેચક નવલરામે એ સંજ્ઞા ‘છૂટક કવિતા’ના અર્થમાં પ્રયોજી. ‘છૂટક કવિતા’થી સંભવતઃ ટૂંકી રચનાઓનો ખ્યાલ તેમના મનમાં જણાય છે. એ રીતે જોતાં જણાશે કે નવલરામમાં એ સંજ્ઞાને હજી વિશિષ્ટ અર્થ પ્રાપ્ત થયો નહોતો. પછી કાન્તની વિશિષ્ટ સંવિધાનવાળી કૃતિઓ માટે એ લાગુ પાડવામાં આવી. અને એ પછી નરસિંહરાવ, કલાપી, બોટાદકર આદિ કવિઓની લગભગ આને મળતી આવતી વૃત્તાંતલક્ષી કૃતિઓને એ લાગુ પાડવામાં આવી. ઉમાશંકરની માનવ-જાતિના ઇતિહાસને સ્પર્શતી દીર્ઘ વર્ણન-ચિંતનની કૃતિ ‘વિશ્વશાંતિ’ પણ પહેલાં તો ‘ખંડકાવ્ય’ તરીકે જ પ્રતિષ્ઠિત થઈ! દરમિયાન આ કાવ્યપ્રકારનાં આગવાં લક્ષણો નોંધવાની પ્રવૃત્તિ આરંભાઈ ચૂકી હતી. રામનારાયણ પાઠક૬, બળવંતરાય ઠાકોર૭, ડોલરરાય માંકડ૮, મનસુખલાલ ઝવેરી૯, ઉમાશંકર જોષી૧૦, હીરાબહેન પાઠક૧૧ અને બીજા કેટલાક વિદ્વાનોએ આ ‘પ્રકાર’ની વિગતે ચર્ચાવિચારણા કરી. પ્રસ્તુત લેખના સંદર્ભમાં નોંધપાત્ર મુદ્દો એ છે કે કાન્તનાં ખંડકાવ્યો એ ‘પ્રકાર’નાં ઉત્તમોત્તમ દૃષ્ટાંત ગણાયાં, અને મુખ્યત્વે એ દૃષ્ટિએ આપણે ત્યાં એ ચર્ચા વિકસતી રહી. પ્રા. મનસુખલાલ ઝવેરીની પ્રસ્તુત વિષયની વિચારણાનો એક મહત્ત્વનો ખંડ અહીં અવલોકન અર્થે નોંધીશું :
સાહિત્યપ્રકારની વિભાવના કૃતિવિવેચનમાં કેવી રીતે નિર્ણાયક બને છે તે પ્રશ્ન, અલબત્ત, અત્યંત રસપ્રદ છે; પણ એ પ્રશ્ન પર જતાં પહેલાં, વિભાવના બાંધવાની ક્યાં મુશ્કેલી છે તે વિશે થોડુંક ખોદકામ કરી લેવું જોઈએ. ‘ખંડકાવ્ય’ સ્વરૂપની આપણી ચર્ચા એ માટે એક સારું નિમિત્ત પૂરું પાડે છે. આજે આપણે એ બાબતમાં સ્પષ્ટ છીએ, કે ‘ખંડકાવ્ય’ સંજ્ઞા આપણા વિવેચનમાં હવે ઘણું કરીને તો કાન્તનાં અને કાન્તશૈલીનાં ખંડકાવ્યો માટે પ્રયોજાય છે. કાન્તનાં વિશિષ્ટ સંવિધાનવાળાં પ્રસંગલક્ષી (કે વૃત્તાન્તલક્ષી) કાવ્યોનો ખ્યાલ એથી સૂચવાય છે. પણ આપણે એય જાણીએ છીએ કે સંસ્કૃત કાવ્યમીમાંસામાં એને ઠીક ઠીક જુદો સંકેત છે. મહાકાવ્યને અપેક્ષિત એવાં બધાં લક્ષણો જે કૃતિમાં ઊતર્યાં ન હોય, મહાકાવ્યથી જેનું પરિમાણ નાનું હોય, એવી કૃતિ સંસ્કૃતમાં ‘ખંડકાવ્ય’ની સંજ્ઞા પામતી. એક રીતે સંસ્કૃત ખંડકાવ્યનો એ ખ્યાલ નકારાત્મક છે : ખંડકાવ્યમાં ખરેખર કયાં તત્ત્વો અનિવાર્ય છે, તેની વાત એમાં નથી. અર્વાચીન યુગના આરંભે આપણા પ્રથમ વિવેચક નવલરામે એ સંજ્ઞા ‘છૂટક કવિતા’ના અર્થમાં પ્રયોજી. ‘છૂટક કવિતા’થી સંભવતઃ ટૂંકી રચનાઓનો ખ્યાલ તેમના મનમાં જણાય છે. એ રીતે જોતાં જણાશે કે નવલરામમાં એ સંજ્ઞાને હજી વિશિષ્ટ અર્થ પ્રાપ્ત થયો નહોતો. પછી કાન્તની વિશિષ્ટ સંવિધાનવાળી કૃતિઓ માટે એ લાગુ પાડવામાં આવી. અને એ પછી નરસિંહરાવ, કલાપી, બોટાદકર આદિ કવિઓની લગભગ આને મળતી આવતી વૃત્તાંતલક્ષી કૃતિઓને એ લાગુ પાડવામાં આવી. ઉમાશંકરની માનવ-જાતિના ઇતિહાસને સ્પર્શતી દીર્ઘ વર્ણન-ચિંતનની કૃતિ ‘વિશ્વશાંતિ’ પણ પહેલાં તો ‘ખંડકાવ્ય’ તરીકે જ પ્રતિષ્ઠિત થઈ! દરમિયાન આ કાવ્યપ્રકારનાં આગવાં લક્ષણો નોંધવાની પ્રવૃત્તિ આરંભાઈ ચૂકી હતી. રામનારાયણ પાઠક૬, બળવંતરાય ઠાકોર૭, ડોલરરાય માંકડ૮, મનસુખલાલ ઝવેરી૯, ઉમાશંકર જોષી૧૦<ref>૧૦. ‘સમસંવેદન’ : ઉમાશંકર જોશી : ‘ખંડકાવ્ય બલકે કથનોર્મિકાવ્ય’ લેખની ચર્ચા.</ref>, હીરાબહેન પાઠક૧૧<ref>૧૧. ‘કાવ્યભાવન’ : હીરાબહેન પાઠક : ‘ખંડકાવ્ય’ લેખ.</ref> અને બીજા કેટલાક વિદ્વાનોએ આ ‘પ્રકાર’ની વિગતે ચર્ચાવિચારણા કરી. પ્રસ્તુત લેખના સંદર્ભમાં નોંધપાત્ર મુદ્દો એ છે કે કાન્તનાં ખંડકાવ્યો એ ‘પ્રકાર’નાં ઉત્તમોત્તમ દૃષ્ટાંત ગણાયાં, અને મુખ્યત્વે એ દૃષ્ટિએ આપણે ત્યાં એ ચર્ચા વિકસતી રહી. પ્રા. મનસુખલાલ ઝવેરીની પ્રસ્તુત વિષયની વિચારણાનો એક મહત્ત્વનો ખંડ અહીં અવલોકન અર્થે નોંધીશું :
“ખંડકાવ્યોના સ્વરૂપનું શુદ્ધ અને સંપૂર્ણ દર્શન કાન્તે જ આપણને પહેલી વાર કરાવ્યું. એ દર્શન, એ રીતે, અપૂર્વ તો છે જ; પણ ખંડકાવ્યોની કલાની જે સર્વોત્તમ સિદ્ધિઓ તેમણે દાખવી છે, તે એવી તો અનન્ય છે કે કાન્તનું સ્થાન ખંડકાવ્યોના કવિ તરીકે હજી સુધી ગુજરાતીમાં અદ્વિતીય રહ્યું છે. નરસિંહરાવ, ન્હાનાલાલ, કલાપી અને બોટાદકરથી શરૂ કરીને સુન્દરજી બેટાઈ અને ઉમાશંકર જોશી સુધીના અર્વાચીનોએ ખંડકાવ્યો લખ્યાં છે. પણ એ બધાંની કલાસિદ્ધિને માપવાનો માનદંડ હજી સુધી તો કાન્તનાં જ ખંડકાવ્યો રહ્યાં છે.”૧૨
“ખંડકાવ્યોના સ્વરૂપનું શુદ્ધ અને સંપૂર્ણ દર્શન કાન્તે જ આપણને પહેલી વાર કરાવ્યું. એ દર્શન, એ રીતે, અપૂર્વ તો છે જ; પણ ખંડકાવ્યોની કલાની જે સર્વોત્તમ સિદ્ધિઓ તેમણે દાખવી છે, તે એવી તો અનન્ય છે કે કાન્તનું સ્થાન ખંડકાવ્યોના કવિ તરીકે હજી સુધી ગુજરાતીમાં અદ્વિતીય રહ્યું છે. નરસિંહરાવ, ન્હાનાલાલ, કલાપી અને બોટાદકરથી શરૂ કરીને સુન્દરજી બેટાઈ અને ઉમાશંકર જોશી સુધીના અર્વાચીનોએ ખંડકાવ્યો લખ્યાં છે. પણ એ બધાંની કલાસિદ્ધિને માપવાનો માનદંડ હજી સુધી તો કાન્તનાં જ ખંડકાવ્યો રહ્યાં છે.”૧૨<ref>૧૨. પ્રા. મનસુખલાલ ઝવેરીનો ઉપરોક્ત ગ્રંથનો લેખ.</ref>
આ અવતરણની ચર્ચામાં ‘ખંડકાવ્ય’ના પ્રકાર વિશે રજૂ થયેલી ભૂમિકા બારીકાઈથી તપાસવા જેવી છે. પ્રા. મનસુખલાલ અહીં એમ નોંધે છે કે ‘ખંડકાવ્યોના સ્વરૂપનું શુદ્ધ અને સંપૂર્ણ દર્શન’ આપણને કાન્તની પ્રસ્તુત કૃતિઓમાં જ પહેલી વાર થયું. બીજી વાત તેમણે એ કહી કે આપણાં ખંડકાવ્યોને માપવાનો ‘માનદંડ’ તે પણ હજી સુધી તો કાન્તનાં ખંડકાવ્યો જ છે. પ્રા. ઝવેરીની આ ચર્ચામાં એમ સૂચિત રહ્યું દેખાય છે કે ‘ખંડકાવ્ય’ પ્રકારનું કાન્તને ‘પ્રથમ દર્શન’ થયું; એટલું જ નહિ, કાન્તમાં તે ‘શુદ્ધ અને સંપૂર્ણ રૂપમાં પ્રકટ થયું. હવે આ જાતની ભૂમિકા સ્વીકારતાં આપણે એવા નિષ્કર્ષ પર આવવાનું થશે કે કાવ્યપ્રકાર જેવી કોઈ ‘વસ્તુ’ કવિના સર્જનવ્યાપારની ક્ષણોમાં કે તે પૂર્વે શુદ્ધ અને સંપૂર્ણ રૂપમાં ઉપલબ્ધ થઈ ચૂકી હોય છે; એટલે કે એનું કૃતિનિરપેક્ષ એવું આગવું વાસ્તવ સંભવે છે. પણ કાન્તનાં બધાં જ ખંડકાવ્યો – છેક આરંભકાળની ‘સૃષ્ટિસૌંદર્યથી મન ઉપર થતી અસર’ જેવી રચનાથી માંડીને ‘દેવયાની’ સુધીની કૃતિઓ – જોતાં એમ સ્વીકારવાનો પ્રસંગ આવે છે કે કાન્તમાં જ ‘ખંડકાવ્યો’નું સ્વરૂપ ક્રમશઃ ઉત્ક્રાન્ત થયું છે; અને એ રીતે એ સમર્થ કવિની આંતરિક જરૂરિયાતમાંથી આકાર પામ્યું છે. અહીં ખરો પ્રશ્ન આ કાવ્યપ્રકારના ‘દર્શન’નો છે. ‘શુદ્ધ અને સંપૂર્ણ’ એ શબ્દપ્રયોગ ધ્યાનમાં લઈએ તો, પ્રસ્તુત ‘પ્રકાર’ને વિશે કાન્તે એનું કોઈ એક ideal form પહેલેથી જ જોઈ લીધું હોય એમ સ્વીકારવું પડે. પણ કાન્તમાં એ ‘પ્રકાર’ ક્રમશઃ વિકસ્યો છે એમ કહેવું વધુ વાસ્તવિક લાગે છે. મને લાગે છે કે અહીં એક કૂટ તાત્ત્વિક પ્રશ્ન બને છે. કોઈ એક કવિ-લેખકમાં (કે કોઈ એક યુગની સાહિત્ય-પ્રવૃત્તિમાં) સાહિત્યપ્રકાર ખરેખર શી રીતે ઉદ્‌ભવે છે? શું સાહિત્યકાર પોતાને ઇષ્ટ ‘પ્રકાર’નું કોઈ ideal form પહેલેથી જુએ, અને પછી તેને અનુરૂપ તે કૃતિ રચે છે? કે પોતાની અનુભૂતિને આકાર આપતાં આપતાં તેમાંથી પ્રથમ વિશિષ્ટ આકાર (અને પછી પ્રકાર) સિદ્ધ થતો આવે છે? સાહિત્યપ્રકારનો વિકાસ એટલે શું? દરેક ‘પ્રકાર’ ખરેખર વિકાસની દિશામાં ગતિ કરે છે એમ કહી શકાશે ખરું? અહીં એમ લાગે છે કે એક સંકુલ સાહિત્યિક પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રસંગ આવે છે. યુગના પ્રવાહો વચ્ચે ઊભેલો સર્જક પોતાની પુરોગામી રચનાઓમાંથી એક યા બીજા પ્રકારનો ખ્યાલ બાંધીને ચાલતો હોય એમ બને; પણ તે હંમેશાં પૂર્વસિદ્ધ આકારોમાં બંધાવા ઇચ્છતો નથી; સર્જકતાની ગતિ જ તેને વિલક્ષણ રૂપરચના માટે પ્રેરશે. તો, નવો જે આકાર તે રચે છે તેમાં કશુંક અવ્યાખ્યેય એવું નવું જ તત્ત્વ પણ પ્રવેશી ચૂક્યું હોય છે. પણ એમાં પૂર્વસિદ્ધ આકારોમાંથી કેટલીક રૂઢ પ્રયુક્તિઓને પુનર્વિનિયોગ પણ થયો હોય એમ બને. આ રીતે પરંપરાગત તત્ત્વોની સામે આઘાત-પ્રત્યાઘાતો દ્વારા રૂપરચનાની પ્રક્રિયા ચાલે છે. આવે પ્રસંગે જે તે પ્રકારનું ‘શુદ્ધ અને સંપૂર્ણ દર્શન’ કવિને પહેલેથી થઈ ગયું હતું એમ કહી શકાય નહિ.
આ અવતરણની ચર્ચામાં ‘ખંડકાવ્ય’ના પ્રકાર વિશે રજૂ થયેલી ભૂમિકા બારીકાઈથી તપાસવા જેવી છે. પ્રા. મનસુખલાલ અહીં એમ નોંધે છે કે ‘ખંડકાવ્યોના સ્વરૂપનું શુદ્ધ અને સંપૂર્ણ દર્શન’ આપણને કાન્તની પ્રસ્તુત કૃતિઓમાં જ પહેલી વાર થયું. બીજી વાત તેમણે એ કહી કે આપણાં ખંડકાવ્યોને માપવાનો ‘માનદંડ’ તે પણ હજી સુધી તો કાન્તનાં ખંડકાવ્યો જ છે. પ્રા. ઝવેરીની આ ચર્ચામાં એમ સૂચિત રહ્યું દેખાય છે કે ‘ખંડકાવ્ય’ પ્રકારનું કાન્તને ‘પ્રથમ દર્શન’ થયું; એટલું જ નહિ, કાન્તમાં તે ‘શુદ્ધ અને સંપૂર્ણ રૂપમાં પ્રકટ થયું. હવે આ જાતની ભૂમિકા સ્વીકારતાં આપણે એવા નિષ્કર્ષ પર આવવાનું થશે કે કાવ્યપ્રકાર જેવી કોઈ ‘વસ્તુ’ કવિના સર્જનવ્યાપારની ક્ષણોમાં કે તે પૂર્વે શુદ્ધ અને સંપૂર્ણ રૂપમાં ઉપલબ્ધ થઈ ચૂકી હોય છે; એટલે કે એનું કૃતિનિરપેક્ષ એવું આગવું વાસ્તવ સંભવે છે. પણ કાન્તનાં બધાં જ ખંડકાવ્યો – છેક આરંભકાળની ‘સૃષ્ટિસૌંદર્યથી મન ઉપર થતી અસર’ જેવી રચનાથી માંડીને ‘દેવયાની’ સુધીની કૃતિઓ – જોતાં એમ સ્વીકારવાનો પ્રસંગ આવે છે કે કાન્તમાં જ ‘ખંડકાવ્યો’નું સ્વરૂપ ક્રમશઃ ઉત્ક્રાન્ત થયું છે; અને એ રીતે એ સમર્થ કવિની આંતરિક જરૂરિયાતમાંથી આકાર પામ્યું છે. અહીં ખરો પ્રશ્ન આ કાવ્યપ્રકારના ‘દર્શન’નો છે. ‘શુદ્ધ અને સંપૂર્ણ’ એ શબ્દપ્રયોગ ધ્યાનમાં લઈએ તો, પ્રસ્તુત ‘પ્રકાર’ને વિશે કાન્તે એનું કોઈ એક ideal form પહેલેથી જ જોઈ લીધું હોય એમ સ્વીકારવું પડે. પણ કાન્તમાં એ ‘પ્રકાર’ ક્રમશઃ વિકસ્યો છે એમ કહેવું વધુ વાસ્તવિક લાગે છે. મને લાગે છે કે અહીં એક કૂટ તાત્ત્વિક પ્રશ્ન બને છે. કોઈ એક કવિ-લેખકમાં (કે કોઈ એક યુગની સાહિત્ય-પ્રવૃત્તિમાં) સાહિત્યપ્રકાર ખરેખર શી રીતે ઉદ્‌ભવે છે? શું સાહિત્યકાર પોતાને ઇષ્ટ ‘પ્રકાર’નું કોઈ ideal form પહેલેથી જુએ, અને પછી તેને અનુરૂપ તે કૃતિ રચે છે? કે પોતાની અનુભૂતિને આકાર આપતાં આપતાં તેમાંથી પ્રથમ વિશિષ્ટ આકાર (અને પછી પ્રકાર) સિદ્ધ થતો આવે છે? સાહિત્યપ્રકારનો વિકાસ એટલે શું? દરેક ‘પ્રકાર’ ખરેખર વિકાસની દિશામાં ગતિ કરે છે એમ કહી શકાશે ખરું? અહીં એમ લાગે છે કે એક સંકુલ સાહિત્યિક પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રસંગ આવે છે. યુગના પ્રવાહો વચ્ચે ઊભેલો સર્જક પોતાની પુરોગામી રચનાઓમાંથી એક યા બીજા પ્રકારનો ખ્યાલ બાંધીને ચાલતો હોય એમ બને; પણ તે હંમેશાં પૂર્વસિદ્ધ આકારોમાં બંધાવા ઇચ્છતો નથી; સર્જકતાની ગતિ જ તેને વિલક્ષણ રૂપરચના માટે પ્રેરશે. તો, નવો જે આકાર તે રચે છે તેમાં કશુંક અવ્યાખ્યેય એવું નવું જ તત્ત્વ પણ પ્રવેશી ચૂક્યું હોય છે. પણ એમાં પૂર્વસિદ્ધ આકારોમાંથી કેટલીક રૂઢ પ્રયુક્તિઓને પુનર્વિનિયોગ પણ થયો હોય એમ બને. આ રીતે પરંપરાગત તત્ત્વોની સામે આઘાત-પ્રત્યાઘાતો દ્વારા રૂપરચનાની પ્રક્રિયા ચાલે છે. આવે પ્રસંગે જે તે પ્રકારનું ‘શુદ્ધ અને સંપૂર્ણ દર્શન’ કવિને પહેલેથી થઈ ગયું હતું એમ કહી શકાય નહિ.
વળી, પ્રા. મનસુખલાલ ઝવેરી કાન્તનાં ખંડકાવ્યોને, આપણા સાહિત્યનાં બીજાં બધાં ખંડકાવ્યોને માપવાનો ‘માનદંડ’ કહે છે, તેથી આ પ્રશ્ન વધુ જટિલ બને છે. કાન્તની ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ જેવી રચનાઓ કાવ્યકલાની દૃષ્ટિએ ઘણી ઊંચી કોટિની છે, એમ કહીએ એ એક વાત થઈ; એ રચનાઓની કલાસિદ્ધિ આ ‘પ્રકાર’ની બીજી રચનાઓ માપવા-મૂલવવાનાં ધોરણો પૂરાં પાડે છે એમ કહેવું એ વળી બીજી વાત થઈ.૧૩ પણ પ્રા. મનસુખલાલ ઝવેરી અહીં કાન્તમાં આ પ્રકારનું ‘શુદ્ધ અને સંપૂર્ણ દર્શન’ સ્વીકારી લે છે, એટલે બીજા નિર્ણય પર આવતાં તેમને ઝાઝી મુશ્કેલી નડી નહિ હોય. પણ આ ચર્ચામાં કાવ્યપ્રકારની વિભાવનાનો પ્રશ્ન આથી તો એક મોટો પ્રાણપ્રશ્ન બની રહે છે. પ્રા. ઝવેરી કાવ્યપ્રકારને સજીવ પદાર્થની જેમ કશીક અંતઃક્ષમતાવાળી વસ્તુ ગણે છે. વિવેચનમાં ઘણી વાર સાહિત્ય-સ્વરૂપની અંતઃક્ષમતાનો પ્રશ્ન છેડાતો દેખાશે. પણ ‘સ્વરૂપ’ને એવી કોઈ અંતઃક્ષમતા હોય છે ખરી? અહીં એક વાત તરત ધ્યાનમાં આવશે, કે ‘સ્વરૂપ’(કે ‘પ્રકાર’)ની વસ્તુ પ્રસંગે પ્રસંગે વિશિષ્ટ કૃતિની આકૃતિ જોડે એકરૂપ બની જાય છે; અથવા તેની સાથે અંશતઃ એકતા સાધે છે. બીજી વાત એ સ્પષ્ટ થશે કે ‘પ્રકાર’ જેવી વસ્તુને અંતઃક્ષમતાવાળી કલ્પવામાં biological specie જેવી કોઈ વસ્તુ નજર સામે પડી હોય, એમ બની શકે.
વળી, પ્રા. મનસુખલાલ ઝવેરી કાન્તનાં ખંડકાવ્યોને, આપણા સાહિત્યનાં બીજાં બધાં ખંડકાવ્યોને માપવાનો ‘માનદંડ’ કહે છે, તેથી આ પ્રશ્ન વધુ જટિલ બને છે. કાન્તની ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ જેવી રચનાઓ કાવ્યકલાની દૃષ્ટિએ ઘણી ઊંચી કોટિની છે, એમ કહીએ એ એક વાત થઈ; એ રચનાઓની કલાસિદ્ધિ આ ‘પ્રકાર’ની બીજી રચનાઓ માપવા-મૂલવવાનાં ધોરણો પૂરાં પાડે છે એમ કહેવું એ વળી બીજી વાત થઈ.૧૩<ref>૧૩. ‘ઉપહાર’ : સં. સુરેશ દલાલ : ‘કાન્તનું ચક્રવાકમિથુન’ લે. વિનોદ અધ્વર્યું – ની ચર્ચા જુઓ.</ref> પણ પ્રા. મનસુખલાલ ઝવેરી અહીં કાન્તમાં આ પ્રકારનું ‘શુદ્ધ અને સંપૂર્ણ દર્શન’ સ્વીકારી લે છે, એટલે બીજા નિર્ણય પર આવતાં તેમને ઝાઝી મુશ્કેલી નડી નહિ હોય. પણ આ ચર્ચામાં કાવ્યપ્રકારની વિભાવનાનો પ્રશ્ન આથી તો એક મોટો પ્રાણપ્રશ્ન બની રહે છે. પ્રા. ઝવેરી કાવ્યપ્રકારને સજીવ પદાર્થની જેમ કશીક અંતઃક્ષમતાવાળી વસ્તુ ગણે છે. વિવેચનમાં ઘણી વાર સાહિત્ય-સ્વરૂપની અંતઃક્ષમતાનો પ્રશ્ન છેડાતો દેખાશે. પણ ‘સ્વરૂપ’ને એવી કોઈ અંતઃક્ષમતા હોય છે ખરી? અહીં એક વાત તરત ધ્યાનમાં આવશે, કે ‘સ્વરૂપ’(કે ‘પ્રકાર’)ની વસ્તુ પ્રસંગે પ્રસંગે વિશિષ્ટ કૃતિની આકૃતિ જોડે એકરૂપ બની જાય છે; અથવા તેની સાથે અંશતઃ એકતા સાધે છે. બીજી વાત એ સ્પષ્ટ થશે કે ‘પ્રકાર’ જેવી વસ્તુને અંતઃક્ષમતાવાળી કલ્પવામાં biological specie જેવી કોઈ વસ્તુ નજર સામે પડી હોય, એમ બની શકે.
પણ કાવ્યપ્રકાર(કે સાહિત્યપ્રકાર)ના ‘વિકાસ’નો ખ્યાલ હંમેશાં આ રીતે સ્પષ્ટ થઈ શકે ખરો? જુદા જુદા પ્રકારોનો ઇતિહાસ શું કહે છે? મહાકાવ્ય, ટ્રૅજેડી કે ઊર્મિકાવ્ય જેવાં સ્વરૂપોમાં દેશકાલભેદે અવનવા ઉન્મેષો પ્રગટ્યા છે, પણ એ દરેકમાં નિરંતર ‘વિકાસ’ જ થયો છે એમ કહી શકાય ખરું? સૉનેટ, મુક્તક હાઈકુની બાબતમાં વિકાસનો ખ્યાલ કેટલે અંશે યથાર્થ છે? આધુનિક નવલકથા, નવલિકા જેવા ગદ્યપ્રકારોમાં ‘વિકાસ’ની વાત કરીએ છીએ, ત્યારે આપણને ખરેખર શું અભિપ્રેત હોય છે? આ ગદ્યપ્રકારો ખેડનારાઓ પૈકી કોઈ એક સર્જકની કૃતિઓમાં જે-તે પ્રકારનું ‘શુદ્ધ અને સંપૂર્ણ દર્શન’ શક્ય છે ખરું? ખરી વાત એ છે કે અત્યારે ખેડાઈ રહેલા ‘પ્રકારો’ વિશે ચોક્કસ વિભાવના બાંધવાનું જ જ્યાં મુશ્કેલ છે, ત્યાં એમાંના એક યા બીજા ‘પ્રકાર’નું ‘શુદ્ધ અને સંપૂર્ણ દર્શન’ પણ એટલું જ મુશ્કેલ છે. આ રીતે વિચારતાં આપણી સામે ‘પ્રકાર’ વિશે બે ભિન્ન ભૂમિકાઓ સંભવે છે : એક, સાહિત્યપ્રકારનું એક ‘આદર્શ અને અખંડ દર્શન’ સર્જકને પહેલેથી થતું હોય છે; અર્થાત્‌, આવા ‘પ્રકાર’નું ideal form તેને સદ્યોપલબ્ધ થયું હોય છે; બે, સાહિત્યપ્રકાર એક ક્રમશઃ ઉત્ક્રાન્ત પામીને સિદ્ધ થતું રૂપ છે, અને એ રીતે સમસ્ત ઐતિહાસિક વિકાસની પરિણતિ રૂપે તે પ્રાપ્ત થાય છે. આપણા સાહિત્યનાં જૂનાં-નવાં સ્વરૂપોનો આ બે ભૂમિકાએથી વિચાર કરવાનો રહે છે.
પણ કાવ્યપ્રકાર(કે સાહિત્યપ્રકાર)ના ‘વિકાસ’નો ખ્યાલ હંમેશાં આ રીતે સ્પષ્ટ થઈ શકે ખરો? જુદા જુદા પ્રકારોનો ઇતિહાસ શું કહે છે? મહાકાવ્ય, ટ્રૅજેડી કે ઊર્મિકાવ્ય જેવાં સ્વરૂપોમાં દેશકાલભેદે અવનવા ઉન્મેષો પ્રગટ્યા છે, પણ એ દરેકમાં નિરંતર ‘વિકાસ’ જ થયો છે એમ કહી શકાય ખરું? સૉનેટ, મુક્તક હાઈકુની બાબતમાં વિકાસનો ખ્યાલ કેટલે અંશે યથાર્થ છે? આધુનિક નવલકથા, નવલિકા જેવા ગદ્યપ્રકારોમાં ‘વિકાસ’ની વાત કરીએ છીએ, ત્યારે આપણને ખરેખર શું અભિપ્રેત હોય છે? આ ગદ્યપ્રકારો ખેડનારાઓ પૈકી કોઈ એક સર્જકની કૃતિઓમાં જે-તે પ્રકારનું ‘શુદ્ધ અને સંપૂર્ણ દર્શન’ શક્ય છે ખરું? ખરી વાત એ છે કે અત્યારે ખેડાઈ રહેલા ‘પ્રકારો’ વિશે ચોક્કસ વિભાવના બાંધવાનું જ જ્યાં મુશ્કેલ છે, ત્યાં એમાંના એક યા બીજા ‘પ્રકાર’નું ‘શુદ્ધ અને સંપૂર્ણ દર્શન’ પણ એટલું જ મુશ્કેલ છે. આ રીતે વિચારતાં આપણી સામે ‘પ્રકાર’ વિશે બે ભિન્ન ભૂમિકાઓ સંભવે છે : એક, સાહિત્યપ્રકારનું એક ‘આદર્શ અને અખંડ દર્શન’ સર્જકને પહેલેથી થતું હોય છે; અર્થાત્‌, આવા ‘પ્રકાર’નું ideal form તેને સદ્યોપલબ્ધ થયું હોય છે; બે, સાહિત્યપ્રકાર એક ક્રમશઃ ઉત્ક્રાન્ત પામીને સિદ્ધ થતું રૂપ છે, અને એ રીતે સમસ્ત ઐતિહાસિક વિકાસની પરિણતિ રૂપે તે પ્રાપ્ત થાય છે. આપણા સાહિત્યનાં જૂનાં-નવાં સ્વરૂપોનો આ બે ભૂમિકાએથી વિચાર કરવાનો રહે છે.
કાન્તશૈલીનાં ‘ખંડકાવ્યો’ માટે પ્રચારમાં આવેલી એ સંજ્ઞા બરોબર નથી એમ કહી, ઉમાશંકરે એ માટે ‘કથનોર્મિકાવ્ય’૧૪ સંજ્ઞા સૂચવી છે; પણ તેથી આ ‘પ્રકાર’ની વિભાવના બાંધવાનો પ્રશ્ન વળી વધુ ગૂંચવણભર્યો બની જાય છે. ઉમાશંકરે આ વિષયમાં ઘણું ઊંડું ખનન-શોધન કરીને એમ બતાવવાનો પ્રયત્ન કર્યો કે મૂળ સંસ્કૃતનાં ‘ખંડકાવ્યો’ માટેની એ સંજ્ઞા, કાન્તનાં અને કાન્તશૈલીનાં ખંડકાવ્યો માટે બરોબર બંધબેસતી નથી. તેમણે કાન્ત આદિનાં ખંડકાવ્યો માટે ‘કથનોર્મિકાવ્ય’ સંજ્ઞા સૂચવતાં નીચે પ્રમાણે ચર્ચા કરી છે : “સર્વાનુભવરસિક કે પરલક્ષી હોવા છતાં આ જાતનું (’ચક્રવાકમિથુન’ જેવું) કાવ્ય ઊર્મિના ઉત્કટ આલેખનમાં રાચતું હોઈ ઊર્મિકાવ્ય બની રહે છે એમ કહેવું ઠીક છે. જેમ કથાગીત, તેમાં કથા હોવા છતાં, ગીતલયના પ્રાધાન્યને લીધે ઊર્મિકાવ્ય બને છે, તેમ ‘ચક્રવાકમિથુન’ જેવી કૃતિઓ તેમાં કથાસંદર્ભ હોવા છતાં પ્રબળ ઊર્મિલયના પ્રાધાન્યને લીધે ઊર્મિકાવ્ય બને છે. ‘વસંતવિજય’ જેવી કૃતિને કેવળ કથનાત્મક (નેરેટિવ) કવિતાના નમૂના તરીકે લેખવવાનું મન થાય. પણ એ કૃતિમાં પણ ઊર્મિલયના પ્રાબલ્ય ઉપરાંત આરંભના બીજા શ્લોકમાં અને અંતમાં કવિ ડોકિયું કર્યા વગર રહી શક્યા નથી, એ સ્મરણમાં રાખવાથી આ જાતની કૃતિઓને હું ‘કથનાત્મક ઊર્મિકાવ્ય’ ગણવાનું સૂચન શા માટે કરું છું તેનો અણસારો મળશે.”૧૫ પહેલી નજરે એમ લાગે કે આ તો કેવળ નામકરણનો જ પ્રશ્ન છે : ‘ચક્રવાકમિથુન’ કે ‘વસંતવિજય’ જેવી રચનાને તમે ‘ખંડકાવ્ય’ ગણો કે ‘કથનાત્મક ઊર્મિકાવ્ય’ ગણો, એ કંઈ મોટો પ્રશ્ન નથી, જો એ રચનાઓ ઉત્તમ કવિતા બની આવી હોય તો. પણ અહીં સહેજ બારીકાઈથી વિચાર કરતાં જણાશે કે એ કેવળ નામકરણનો પ્રશ્ન નથી : કૃતિના અંતરંગને સ્પર્શે એવી એ બાબત છે. પહેલી વાત તો એ કે, ‘ચક્રવાકમિથુન’ અને ‘વસંતવિજય’ જેવી વિશિષ્ટ નાટયાત્મક સંવિધાન ધરાવતી કૃતિઓને ‘કથનાત્મક’ ગણવામાંયે થોડી મુશ્કેલી તો છે જ. પણ એ બાબતને બાજુએ રાખીને વિચારીએ; તો, પ્રસ્તુત કૃતિઓ, એમાંના ‘પ્રબળ ઊર્મિલયના પ્રાધાન્ય’ને લીધે તેમજ તેમાંના ‘આત્મલક્ષી’ અંશને લીધે ઊર્મિકાવ્ય બને છે એવી તેમની ભૂમિકા ફેરવિચારણા માગે છે. અહીં ખરેખર તો પ્રસ્તુત કૃતિઓના ‘પ્રકાર’ની ઓળખની સાથે સાથે આ પ્રકારની વિભાવના રચવાને લગતો એક પાયાનો પ્રશ્ન સંકળાયેલો રહ્યો છે. બળવંતરાય, રામનારાયણ વગેરે વિદ્વાનોએ આ પ્રકારનાં લક્ષણો બાંધવાના જે પ્રયત્નો કર્યા છે તે આ સંદર્ભમાં ધ્યાનપાત્ર બની રહે છે. આ વિદ્વાનોએ ખંડકાવ્ય પ્રકારનું આગવું અસ્તિત્વ સ્વીકારી તેમાં કેન્દ્રસ્થાને રહેલી ગૂઢ રહસ્યપૂર્ણ માનવ-પરિસ્થિતિ, મુખ્ય પ્રસંગનો નાટ્યાત્મક ઉઘાડ તેનો ઉત્તરોત્તર વિકાસ અને પરાકાષ્ઠા, મુખ્ય પાત્ર(કે પાત્રો)ના ગહન સંઘર્ષ અને તણાવની ચરમ સીમા, સમવિષમ લાગણીઓના પ્રવાહમાં સંકુલ ગતિ અને તેને પરિણામે બહુપાર્શ્વી અનુભવોની બદલાતી ગતિવિધિ, પરિસ્થિતિમાં રહેલી dramatic irony અને કળાની ગતિનું અસાધારણ શાસન, વિશિષ્ટ પદ્યબંધ અને ભાવાનુરૂપ છંદોલયની યોજના, પ્રાચીન પૌરાણિક વસ્તુસંદર્ભથી રચાવા પામતું એક અનોખું વાતાવરણ – વગેરે તત્ત્વો ચીંધી બતાવ્યાં છે. સરેરાશ ઊર્મિકાવ્ય કરતાં ‘ખંડકાવ્ય’ વસ્તુતઃ ભિન્ન છે જ. પરંતુ ઉમાશંકર અહીં ઊર્મિકાવ્ય સ્વરૂપનાં બે મહત્ત્વનાં લક્ષણો કસોટી તરીકે સ્વીકારી લઈને તેને કાન્તની કૃતિઓને લાગુ પાડવાનો પ્રયત્ન કરે છે, પણ એમ કરતાં કાન્તની કૃતિઓનાં બીજાં એટલાં જ બલકે વિશેષ મહત્ત્વનાં લક્ષણોની તેમનાથી જાણ્યે-અજાણ્યેય ઉપેક્ષા થઈ ગઈ છે. એથી તો ‘ઊર્મિકાવ્ય’ વિશેની તેમની વિભાવના પણ કંઈક સંદિગ્ધ બની જતી હોય એમ લાગશે. ‘ચક્રવાકમિથુન’ અને ‘વસંતવિજય’ જેવી કૃતિઓને (‘કથનાત્મક’ ગણાવતા છતાં) ‘ઊર્મિકાવ્ય’ની કોટિમાં આણવા જઈએ, તો તો કદાચ ‘ઊર્મિકાવ્ય’નો બીજભૂત ખ્યાલ પણ પ્રચ્છન્ન બની જાય.
કાન્તશૈલીનાં ‘ખંડકાવ્યો’ માટે પ્રચારમાં આવેલી એ સંજ્ઞા બરોબર નથી એમ કહી, ઉમાશંકરે એ માટે ‘કથનોર્મિકાવ્ય’૧૪ સંજ્ઞા સૂચવી છે; પણ તેથી આ ‘પ્રકાર’ની વિભાવના બાંધવાનો પ્રશ્ન વળી વધુ ગૂંચવણભર્યો બની જાય છે. ઉમાશંકરે આ વિષયમાં ઘણું ઊંડું ખનન-શોધન કરીને એમ બતાવવાનો પ્રયત્ન કર્યો કે મૂળ સંસ્કૃતનાં ‘ખંડકાવ્યો’ માટેની એ સંજ્ઞા, કાન્તનાં અને કાન્તશૈલીનાં ખંડકાવ્યો માટે બરોબર બંધબેસતી નથી. તેમણે કાન્ત આદિનાં ખંડકાવ્યો માટે ‘કથનોર્મિકાવ્ય’ સંજ્ઞા સૂચવતાં નીચે પ્રમાણે ચર્ચા કરી છે : “સર્વાનુભવરસિક કે પરલક્ષી હોવા છતાં આ જાતનું (’ચક્રવાકમિથુન’ જેવું) કાવ્ય ઊર્મિના ઉત્કટ આલેખનમાં રાચતું હોઈ ઊર્મિકાવ્ય બની રહે છે એમ કહેવું ઠીક છે. જેમ કથાગીત, તેમાં કથા હોવા છતાં, ગીતલયના પ્રાધાન્યને લીધે ઊર્મિકાવ્ય બને છે, તેમ ‘ચક્રવાકમિથુન’ જેવી કૃતિઓ તેમાં કથાસંદર્ભ હોવા છતાં પ્રબળ ઊર્મિલયના પ્રાધાન્યને લીધે ઊર્મિકાવ્ય બને છે. ‘વસંતવિજય’ જેવી કૃતિને કેવળ કથનાત્મક (નેરેટિવ) કવિતાના નમૂના તરીકે લેખવવાનું મન થાય. પણ એ કૃતિમાં પણ ઊર્મિલયના પ્રાબલ્ય ઉપરાંત આરંભના બીજા શ્લોકમાં અને અંતમાં કવિ ડોકિયું કર્યા વગર રહી શક્યા નથી, એ સ્મરણમાં રાખવાથી આ જાતની કૃતિઓને હું ‘કથનાત્મક ઊર્મિકાવ્ય’ ગણવાનું સૂચન શા માટે કરું છું તેનો અણસારો મળશે.”૧૫ પહેલી નજરે એમ લાગે કે આ તો કેવળ નામકરણનો જ પ્રશ્ન છે : ‘ચક્રવાકમિથુન’ કે ‘વસંતવિજય’ જેવી રચનાને તમે ‘ખંડકાવ્ય’ ગણો કે ‘કથનાત્મક ઊર્મિકાવ્ય’ ગણો, એ કંઈ મોટો પ્રશ્ન નથી, જો એ રચનાઓ ઉત્તમ કવિતા બની આવી હોય તો. પણ અહીં સહેજ બારીકાઈથી વિચાર કરતાં જણાશે કે એ કેવળ નામકરણનો પ્રશ્ન નથી : કૃતિના અંતરંગને સ્પર્શે એવી એ બાબત છે. પહેલી વાત તો એ કે, ‘ચક્રવાકમિથુન’ અને ‘વસંતવિજય’ જેવી વિશિષ્ટ નાટયાત્મક સંવિધાન ધરાવતી કૃતિઓને ‘કથનાત્મક’ ગણવામાંયે થોડી મુશ્કેલી તો છે જ. પણ એ બાબતને બાજુએ રાખીને વિચારીએ; તો, પ્રસ્તુત કૃતિઓ, એમાંના ‘પ્રબળ ઊર્મિલયના પ્રાધાન્ય’ને લીધે તેમજ તેમાંના ‘આત્મલક્ષી’ અંશને લીધે ઊર્મિકાવ્ય બને છે એવી તેમની ભૂમિકા ફેરવિચારણા માગે છે. અહીં ખરેખર તો પ્રસ્તુત કૃતિઓના ‘પ્રકાર’ની ઓળખની સાથે સાથે આ પ્રકારની વિભાવના રચવાને લગતો એક પાયાનો પ્રશ્ન સંકળાયેલો રહ્યો છે. બળવંતરાય, રામનારાયણ વગેરે વિદ્વાનોએ આ પ્રકારનાં લક્ષણો બાંધવાના જે પ્રયત્નો કર્યા છે તે આ સંદર્ભમાં ધ્યાનપાત્ર બની રહે છે. આ વિદ્વાનોએ ખંડકાવ્ય પ્રકારનું આગવું અસ્તિત્વ સ્વીકારી તેમાં કેન્દ્રસ્થાને રહેલી ગૂઢ રહસ્યપૂર્ણ માનવ-પરિસ્થિતિ, મુખ્ય પ્રસંગનો નાટ્યાત્મક ઉઘાડ તેનો ઉત્તરોત્તર વિકાસ અને પરાકાષ્ઠા, મુખ્ય પાત્ર(કે પાત્રો)ના ગહન સંઘર્ષ અને તણાવની ચરમ સીમા, સમવિષમ લાગણીઓના પ્રવાહમાં સંકુલ ગતિ અને તેને પરિણામે બહુપાર્શ્વી અનુભવોની બદલાતી ગતિવિધિ, પરિસ્થિતિમાં રહેલી dramatic irony અને કળાની ગતિનું અસાધારણ શાસન, વિશિષ્ટ પદ્યબંધ અને ભાવાનુરૂપ છંદોલયની યોજના, પ્રાચીન પૌરાણિક વસ્તુસંદર્ભથી રચાવા પામતું એક અનોખું વાતાવરણ – વગેરે તત્ત્વો ચીંધી બતાવ્યાં છે. સરેરાશ ઊર્મિકાવ્ય કરતાં ‘ખંડકાવ્ય’ વસ્તુતઃ ભિન્ન છે જ. પરંતુ ઉમાશંકર અહીં ઊર્મિકાવ્ય સ્વરૂપનાં બે મહત્ત્વનાં લક્ષણો કસોટી તરીકે સ્વીકારી લઈને તેને કાન્તની કૃતિઓને લાગુ પાડવાનો પ્રયત્ન કરે છે, પણ એમ કરતાં કાન્તની કૃતિઓનાં બીજાં એટલાં જ બલકે વિશેષ મહત્ત્વનાં લક્ષણોની તેમનાથી જાણ્યે-અજાણ્યેય ઉપેક્ષા થઈ ગઈ છે. એથી તો ‘ઊર્મિકાવ્ય’ વિશેની તેમની વિભાવના પણ કંઈક સંદિગ્ધ બની જતી હોય એમ લાગશે. ‘ચક્રવાકમિથુન’ અને ‘વસંતવિજય’ જેવી કૃતિઓને (‘કથનાત્મક’ ગણાવતા છતાં) ‘ઊર્મિકાવ્ય’ની કોટિમાં આણવા જઈએ, તો તો કદાચ ‘ઊર્મિકાવ્ય’નો બીજભૂત ખ્યાલ પણ પ્રચ્છન્ન બની જાય.
Line 33: Line 33:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''સંદર્ભો અને ટીકાટિપ્પણીઓ'''
'''સંદર્ભો અને ટીકાટિપ્પણીઓ'''
<poem>:૧. ‘કથોપકથન’, લે. સુરેશ જોષી, ‘નવલકથા વિશે’ લેખ.
<poem>
:૨. ‘Contemporary Criticism’ : Ed. by Malcolm Bradbury and David Palmer : એ ગ્રંથમાં ઍલન રોડવેનો લેખ : ‘Generic Criticism : The Approach through Type, Mode and Kind.’
<ref>૨. ‘Contemporary Criticism’ : Ed. by Malcolm Bradbury and David Palmer : એ ગ્રંથમાં ઍલન રોડવેનો લેખ : ‘Generic Criticism : The Approach through Type, Mode and Kind.’</ref>
:૩. ‘Theory of Literature’ : Wellek & Warren : એ ગ્રંથમાં ‘Literary Genres’ પ્રકરણ; ઉપરાંત ઉપરના ગ્રંથ ‘Contemporary Criticism’માંના ઉલ્લેખો.
<ref>૩. ‘Theory of Literature’ : Wellek & Warren : એ ગ્રંથમાં ‘Literary Genres’ પ્રકરણ; ઉપરાંત ઉપરના ગ્રંથ ‘Contemporary Criticism’માંના ઉલ્લેખો.</ref>
:૪. ‘Anatomy of Criticism’ : Northrop Frye : Theory of Genresનો ખંડ; ઉપરાંત ઉપરના ગ્રંથ ‘Contemporary Criticism’માંના ઉલ્લેખો.
<ref>૪. ‘Anatomy of Criticism’ : Northrop Frye : Theory of Genresનો ખંડ; ઉપરાંત ઉપરના ગ્રંથ ‘Contemporary Criticism’માંના ઉલ્લેખો.</ref>
:૫. ‘The Lonely Voice’ : Frank O’Connor : પ્રસ્તાવનાની ચર્ચા.
<ref>૫. ‘The Lonely Voice’ : Frank O’Connor : પ્રસ્તાવનાની ચર્ચા.</ref>
:૬. રામનારાયણ પાઠકની ખંડકાવ્યપ્રકારની ચર્ચા : (i) ‘કાવ્ય-સમુચ્ચય’ ભા. ૧, (ii) ‘પૂર્વાલાપ’ની પ્રસ્તાવના, (iii) ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ (પાંચમા વ્યાખ્યાનમાં), (iv) ‘નભોવિહાર’ એમ ચાર સ્થાને મળે છે.
<ref>૬. રામનારાયણ પાઠકની ખંડકાવ્યપ્રકારની ચર્ચા : (i) ‘કાવ્ય-સમુચ્ચય’ ભા. ૧, (ii) ‘પૂર્વાલાપ’ની પ્રસ્તાવના, (iii) ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ (પાંચમા વ્યાખ્યાનમાં), (iv) ‘નભોવિહાર’ એમ ચાર સ્થાને મળે છે.</ref>
:૭. ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ : બ. ક. ઠાકોર : ‘ચોથું દર્શન’માં ખંડકાવ્ય, આખ્યાનક, પ્રસંગકાવ્યની ચર્ચા.
<ref>૭. ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ : બ. ક. ઠાકોર : ‘ચોથું દર્શન’માં ખંડકાવ્ય, આખ્યાનક, પ્રસંગકાવ્યની ચર્ચા.</ref>
:૮. ‘ગુજરાતી કાવ્યપ્રકારો’ : ડોલરરાય માંકડ : વ્યાખ્યાન ત્રીજું – ‘ખંડકાવ્ય’.
<ref>૮. ‘ગુજરાતી કાવ્યપ્રકારો’ : ડોલરરાય માંકડ : વ્યાખ્યાન ત્રીજું – ‘ખંડકાવ્ય’</ref>.
:૯. ‘થોડા વિવેચનલેખો’ : પ્રા. મનસુખલાલ ઝવેરી : ‘કાન્તનાં ખંડકાવ્યો’ લેખ.
<ref>૯. ‘થોડા વિવેચનલેખો’ : પ્રા. મનસુખલાલ ઝવેરી : ‘કાન્તનાં ખંડકાવ્યો’ લેખ.</ref>
:૧૦. ‘સમસંવેદન’ : ઉમાશંકર જોશી : ‘ખંડકાવ્ય બલકે કથનોર્મિકાવ્ય’ લેખની ચર્ચા.
 
:૧૧. ‘કાવ્યભાવન’ : હીરાબહેન પાઠક : ‘ખંડકાવ્ય’ લેખ.
 
:૧૨. પ્રા. મનસુખલાલ ઝવેરીનો ઉપરોક્ત ગ્રંથનો લેખ.
 
:૧૩. ‘ઉપહાર’ : સં. સુરેશ દલાલ : ‘કાન્તનું ચક્રવાકમિથુન’ લે. વિનોદ અધ્વર્યું – ની ચર્ચા જુઓ.
 
:૧૪. ‘સમસંવેદન’માંનો લેખ.
<ref>૧૪. ‘સમસંવેદન’માંનો લેખ.</ref>
:૧૫. ઉપરોક્ત ગ્રંથ ‘સમસંવેદન’નો લેખ.
<ref>૧૫. ઉપરોક્ત ગ્રંથ ‘સમસંવેદન’નો લેખ.</ref>
:૧૬. ‘મણિશંકર ભટ્ટ : કાન્ત’ સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટઃ ડૉ. ભાયાણીનો લેખ – ‘કાન્તનો કરુણ’ની ચર્ચા.
<ref>૧૬. ‘મણિશંકર ભટ્ટ : કાન્ત’ સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટઃ ડૉ. ભાયાણીનો લેખ – ‘કાન્તનો કરુણ’ની ચર્ચા.</ref>
:૧૭. ઉપરોક્ત ગ્રંથ ‘Contemporary Criticism’નો લેખ.
<ref>૧૭. ઉપરોક્ત ગ્રંથ ‘Contemporary Criticism’નો લેખ.</ref>
:૧૮. ઉપરોક્ત ગ્રંથ ‘ગુજરાતી કાવ્યપ્રકારો’માં ‘લઘુકાવ્ય’નાં પ્રકરણો.
<ref>૧૮. ઉપરોક્ત ગ્રંથ ‘ગુજરાતી કાવ્યપ્રકારો’માં ‘લઘુકાવ્ય’નાં પ્રકરણો.</ref>
:૧૯. ‘સંજ્ઞા’ – જાન્યુઆરી, ૧૯૭૩નો અંક.
<ref>૧૯. ‘સંજ્ઞા’ – જાન્યુઆરી, ૧૯૭૩નો અંક.</ref>
:૨૦. ‘સંજ્ઞા’ – ૧૫મો અંક.
<ref>૨૦. ‘સંજ્ઞા’ – ૧૫મો અંક.</ref>
:૨૧. ‘કાવ્યવિવેચન’ : ડોલરરાય માંકડ : ‘સાત પદ્યરૂપકો’.
<ref>૨૧. ‘કાવ્યવિવેચન’ : ડોલરરાય માંકડ : ‘સાત પદ્યરૂપકો’.</ref>
:૨૨. ‘કવિનો શબ્દ’ : સં. સુરેશ દલાલ : ‘નાટ્યપદ્યની નજીક જતી ક્ષણો વિશે નોંધ’ – લેખ, હરીન્દ્ર દવે.
<ref>૨૨. ‘કવિનો શબ્દ’ : સં. સુરેશ દલાલ : ‘નાટ્યપદ્યની નજીક જતી ક્ષણો વિશે નોંધ’ – લેખ, હરીન્દ્ર દવે.</ref>
:૨૩. ‘ઉપસર્ગ’ : ઉશનસ્‌ઃ ‘ ‘મહાપ્રસ્થાન’ અને ઉમાશંકરની કવિતાની ગતિ’ લેખ
<ref>૨૩. ‘ઉપસર્ગ’ : ઉશનસ્‌ઃ ‘ ‘મહાપ્રસ્થાન’ અને ઉમાશંકરની કવિતાની ગતિ’ લેખ</ref>
:૨૪. ‘કવિનો શબ્દ’ : સં. સુરેશ દલાલઃ (પ્રશ્નોત્તરી)</poem>
<ref>૨૪. ‘કવિનો શબ્દ’ : સં. સુરેશ દલાલઃ (પ્રશ્નોત્તરી)</ref></poem>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2