રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/1: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 14: Line 14:
તેમના ભાઈ જ્યોતિરિન્દ્રનાથ, જે તેમની અત્યંત નિકટ હતા, રવીન્દ્રનાથના તેમણે દોરેલા બે ચિત્રો - ૧૮૭૭ અને ૧૮૮૧ના અસ્તિત્વમાં છે. બંનેમાં રવીન્દ્રનાથ યૌવનની ક્ષીણતામાં દેખાય છે. પહેલામાં એક નાજુક, સુંવાળા ગાલ વાળો બાજુ પરથી દેખાતો ચહેરો દેખાય છે જેના વાળ લમણા પર ઝૂલે છે અને ભેદ્યતામાં(vulnerability) લગભગ શૅલી જેવા દેખાય છે. બીજામાં નાક તીક્ષ્ણ દેખાય છે અને હડપચી વધુ દૃઢ દેખાય છે; દાઢી પર થોડા વાળ ફૂટી નીકળ્યા છે, પણ અધખુલ્યા હોઠ જાણે તેમની અંગત વાત કહી દેતા લાગે છે; તે હજુ થોડા ગાભરુ અને દ્વિધાગ્રસ્ત જણાય છે. તેના પર જ્યોતિરિન્દ્રનાથે બંગાળીમાં લખ્યું છે પોતાના વહાલા ભાઈનું નામ - રવિ.  
તેમના ભાઈ જ્યોતિરિન્દ્રનાથ, જે તેમની અત્યંત નિકટ હતા, રવીન્દ્રનાથના તેમણે દોરેલા બે ચિત્રો - ૧૮૭૭ અને ૧૮૮૧ના અસ્તિત્વમાં છે. બંનેમાં રવીન્દ્રનાથ યૌવનની ક્ષીણતામાં દેખાય છે. પહેલામાં એક નાજુક, સુંવાળા ગાલ વાળો બાજુ પરથી દેખાતો ચહેરો દેખાય છે જેના વાળ લમણા પર ઝૂલે છે અને ભેદ્યતામાં(vulnerability) લગભગ શૅલી જેવા દેખાય છે. બીજામાં નાક તીક્ષ્ણ દેખાય છે અને હડપચી વધુ દૃઢ દેખાય છે; દાઢી પર થોડા વાળ ફૂટી નીકળ્યા છે, પણ અધખુલ્યા હોઠ જાણે તેમની અંગત વાત કહી દેતા લાગે છે; તે હજુ થોડા ગાભરુ અને દ્વિધાગ્રસ્ત જણાય છે. તેના પર જ્યોતિરિન્દ્રનાથે બંગાળીમાં લખ્યું છે પોતાના વહાલા ભાઈનું નામ - રવિ.  


<center>
[[File:૧૮૭૭.png|frameless]]
                  
                  
૧૮૭૭<br>
૧૮૭૭<br>


[[File:૧૮૮૧.png|frameless]]
૧૮૮૧
૧૮૮૧
</center>


અને તે સમયે તે માત્ર ‘રવિ’ જ હતા - માતાપિતાનું ચૌદમું બાળક, શ્રાંત ગર્ભાશયની પેદાશ, એક ઉત્કૃષ્ટ ને મેધાવી પરિવારમાં અજુગતો વધારો! સૌથી મોટા ભાઈ, દ્વિજેન્દ્રનાથ રવીન્દ્રનાથ કરતાં ૨૧ વર્ષ મોટા હતા અને સાહિત્યકાર અને ફિલસૂફ તરીકે સુવિખ્યાત હતા. બીજા સત્યેન્દ્રનાથ, વિદ્વાન અને ન્યાયાધીશ તેમ જ ઇન્ડીયન સિવિલ સરવિસના - તત્કાલીન યુગની સત્તાની શક્તિ અને ગૌરવનું શિખર - પ્રથમ ભારતીય અમલદાર હતા. જ્યોતિરિન્દ્રનાથ સૌંદર્યપ્રેમી, કલાપ્રેમી અને સંગીતકાર હતા તેમ જ નાટકો લખતા અને આકર્ષક તેમ જ વિનાશક નવા વ્યવસાયોમાં ઝંપલાવતા રહેતા. તેમના બહેન, સ્વર્ણકુમારી, નવલકથાકાર હતા અને તેમના ભાભી, સત્યેન્દ્રનાથના પત્ની, એક સામયિકનું સંપાદન કરતા હતા. આ પ્રતિભાશાળી નિહારિકા આગળ વીસ વર્ષના રવિનું શું ગજુ? તેનું ભાવિ ધૂંધળું હતું. પરિવારે નિયત કરેલી શાળામાં તે ઝાઝું ટક્યો ન હતો. પરદેશ મોકલવામાં આવતાં, તે બે વર્ષ વિલાયતમાં ગાળી કોઈ પણ ઉપાધિ લીધા વિના પાછો આવ્યો હતો. તેને બેરીસ્ટર બનાવવાનો બીજો પ્રયત્ન પણ નિષ્ફળ નીવડ્યો હતો; તે લંડન જતી બોટમાં બેસવાને બદલે મદ્રાસથી પાછો આવ્યો હતો. છોકરો ઘરને માટે સોરાતો હોય તેમ લાગતું હતું પણ ઘરમાં પણ તે શરમાળ અને થોડો અંતર્મુખી લાગતો હતો. તે વિચારતો; ગાતો, અભિનય કરતો અને સંગીતની રચના પણ કરતો હતો. પણ તેને કોઈ સ્થિર કે મળતરવાળા વ્યવસાયમાં રસ ન હતો. તેના ગૌરવર્ણી ભાઈઓની સરખામણીમાં તે શ્યામ હતો. એ વાત સાચી હતી કે તેને કવિતા કરતાં આવડતું હતું. પણ તેની કવિતા સુયોગ્ય હતી? દ્વિજેન્દ્રનાથે ગંભીર અને ફિલસૂફીપૂર્ણ કાવ્ય લખ્યું હતું, સત્યેન્દ્રનાથ સંસ્કૃતમાંથી અનુવાદ કરતા અને જ્યોતિરિન્દ્રનાથ વીરરસ ને હાસ્યરસના નાટકો લખતા. રવિની કવિતામાં ભાવાવેશનો ઉમળકો હતો અને તે કોઈ અજ્ઞાતને સંબોધિત હતી. અસ્પષ્ટ તલસાટ, નામહીન શોક, અવાસ્તવિક સ્વપ્નો, વ્યર્થતાનો વારંવાર દેખાતો અણસાર - આ બધું તેની કવિતામાં આવતું. આ એક સ્વસ્થ માનસની નિશાની હતી કે પછી કોઈ પણ દેખીતા કારણ વિના દુ:ખી થવાનું પ્રયોજન હતું? ગમે તેમ પણ છોકરો કહ્યાગરો, સાલસ અને તેના કામમાં ખંતીલો હતો અને ક્યારેક તેની તેજસ્વી મેધાના ચમકારા દેખા દેતા હતા. તેણે માત્ર નિશ્ચય કરીને કાંઈક કરવાની જરૂર હતી.
અને તે સમયે તે માત્ર ‘રવિ’ જ હતા - માતાપિતાનું ચૌદમું બાળક, શ્રાંત ગર્ભાશયની પેદાશ, એક ઉત્કૃષ્ટ ને મેધાવી પરિવારમાં અજુગતો વધારો! સૌથી મોટા ભાઈ, દ્વિજેન્દ્રનાથ રવીન્દ્રનાથ કરતાં ૨૧ વર્ષ મોટા હતા અને સાહિત્યકાર અને ફિલસૂફ તરીકે સુવિખ્યાત હતા. બીજા સત્યેન્દ્રનાથ, વિદ્વાન અને ન્યાયાધીશ તેમ જ ઇન્ડીયન સિવિલ સરવિસના - તત્કાલીન યુગની સત્તાની શક્તિ અને ગૌરવનું શિખર - પ્રથમ ભારતીય અમલદાર હતા. જ્યોતિરિન્દ્રનાથ સૌંદર્યપ્રેમી, કલાપ્રેમી અને સંગીતકાર હતા તેમ જ નાટકો લખતા અને આકર્ષક તેમ જ વિનાશક નવા વ્યવસાયોમાં ઝંપલાવતા રહેતા. તેમના બહેન, સ્વર્ણકુમારી, નવલકથાકાર હતા અને તેમના ભાભી, સત્યેન્દ્રનાથના પત્ની, એક સામયિકનું સંપાદન કરતા હતા. આ પ્રતિભાશાળી નિહારિકા આગળ વીસ વર્ષના રવિનું શું ગજુ? તેનું ભાવિ ધૂંધળું હતું. પરિવારે નિયત કરેલી શાળામાં તે ઝાઝું ટક્યો ન હતો. પરદેશ મોકલવામાં આવતાં, તે બે વર્ષ વિલાયતમાં ગાળી કોઈ પણ ઉપાધિ લીધા વિના પાછો આવ્યો હતો. તેને બેરીસ્ટર બનાવવાનો બીજો પ્રયત્ન પણ નિષ્ફળ નીવડ્યો હતો; તે લંડન જતી બોટમાં બેસવાને બદલે મદ્રાસથી પાછો આવ્યો હતો. છોકરો ઘરને માટે સોરાતો હોય તેમ લાગતું હતું પણ ઘરમાં પણ તે શરમાળ અને થોડો અંતર્મુખી લાગતો હતો. તે વિચારતો; ગાતો, અભિનય કરતો અને સંગીતની રચના પણ કરતો હતો. પણ તેને કોઈ સ્થિર કે મળતરવાળા વ્યવસાયમાં રસ ન હતો. તેના ગૌરવર્ણી ભાઈઓની સરખામણીમાં તે શ્યામ હતો. એ વાત સાચી હતી કે તેને કવિતા કરતાં આવડતું હતું. પણ તેની કવિતા સુયોગ્ય હતી? દ્વિજેન્દ્રનાથે ગંભીર અને ફિલસૂફીપૂર્ણ કાવ્ય લખ્યું હતું, સત્યેન્દ્રનાથ સંસ્કૃતમાંથી અનુવાદ કરતા અને જ્યોતિરિન્દ્રનાથ વીરરસ ને હાસ્યરસના નાટકો લખતા. રવિની કવિતામાં ભાવાવેશનો ઉમળકો હતો અને તે કોઈ અજ્ઞાતને સંબોધિત હતી. અસ્પષ્ટ તલસાટ, નામહીન શોક, અવાસ્તવિક સ્વપ્નો, વ્યર્થતાનો વારંવાર દેખાતો અણસાર - આ બધું તેની કવિતામાં આવતું. આ એક સ્વસ્થ માનસની નિશાની હતી કે પછી કોઈ પણ દેખીતા કારણ વિના દુ:ખી થવાનું પ્રયોજન હતું? ગમે તેમ પણ છોકરો કહ્યાગરો, સાલસ અને તેના કામમાં ખંતીલો હતો અને ક્યારેક તેની તેજસ્વી મેધાના ચમકારા દેખા દેતા હતા. તેણે માત્ર નિશ્ચય કરીને કાંઈક કરવાની જરૂર હતી.