ભારતીયકથાવિશ્વ-૨/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
ડુભ નામનો સાપ તેને સમજાવે છે, અહિંસા પરમો ધર્મનો ઉપદેશ આપે છે અને વેર ત્યજી દેવા સમજાવે છે. પરીક્ષિતને તક્ષક ડસી ગયો એટલે જનમેજય સર્પયજ્ઞ આરંભે છે, અને એમાં અનેક સાપ હોમાય છે, જે તક્ષકનો વાંક હતો તે તો બચી જ જાય છે! અને એકના અપરાધની સજા અનેકને થાય એ ઘટના તો વીસમી-એકવીસમી સદીમાં પણ ક્યાં જોવા નથી મળતી? શૂદ્ર જાતિમાં જન્મ લેવો એ મોટો અપરાધ! આપણે તો એવા સમયમાં જીવીએ છીએ જ્યાં અપરાધ વિના જ શિક્ષા ફરમાવવામાં આવે છે!  
સેંકડો વર્ષોથી રામાયણે-મહાભારતે ભારતીય સંસ્કૃતિનું ઘડતર કર્યું છે. જમાને જમાને કવિઓએ એને આધારે રચનાઓ કરી છે, હા, એમાં દરેક કવિએ પોતપોતાના સ્થળકાળ પ્રમાણે સુધારાવધારા કર્યા છે, અર્થાત્ મોટા ભાગના કવિઓએ એના નર્યા અનુવાદ કર્યા નથી, એમની સામે આ મહાકાવ્યોની જે કોઈ વાચનાઓ હશે એને આધારે આ અનુસર્જનો કર્યાં છે. પશ્ચિમમાં હોમરના ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’એ પણ એવી જ રીતે ગ્રીક સંસ્કૃતિનું ઘડતર કર્યું, પ્લેટો-એરિસ્ટોટલના સમયમાં ગ્રીક ટ્રેજેડીનો સુવર્ણકાળ હતો, આ ટ્રેજેડીસર્જકોએ હોમરનો માત્ર આધાર લીધો અને પોતાના સમયની સંવેદનાઓને આકારવાનો પ્રયત્ન કર્યો, છેક આધુનિક કાળમાં યુરોપીય સર્જકોએ પોતે નજરોનજર નિહાળેલી સરમુખત્યારીનાં પ્રતિરૂપ ગ્રીક-ટે્રજેડીનાં નવસંસ્કરણ કરીને નિપજાવ્યાં; એ રીતે ભૂતકાળને વર્તમાન સન્દર્ભમાં અને વર્તમાનને ભૂતકાળના સન્દર્ભમાં મૂલવી જોયા. આપણાં મહાકાવ્યોએ દૃશ્યકળાઓને તથા પ્રસ્તુતિપ્રધાન કળાઓને વિષયવસ્તુઓ પૂરાં પાડ્યાં છે.
આ ભારતીય કાવ્યોના સર્જકો કોણ હતા તે વિશે અનેક કિંવદન્તિઓ વહેતી થઈ છે. આવી કિંવદન્તિઓ રચવાની માનવમાત્રમાં શક્તિ હોય છે, માત્ર ભૂતકાળના જ નહીં, મધ્યકાળના-અર્વાચીન કાળના સર્જકો વિશે પણ જાતભાતની કથાઓ પ્રચલિત થઈ છે. વેદકાળમાં રામ-સીતાના જોવા મળતા ઉલ્લેખ સાથે રામાયણરચયિતા વાલ્મીકિ સાથે જોડવાના પ્રયત્નો થયા છે પણ એમને બહુ ગંભીરતાથી ન લઈએ તો ચાલે. રામાયણ-મહાભારત પૂર્વે કેટલીક લોકકથાઓ પ્રચલિત હોવી જોઈએ, વેદકાળની ઋચાઓ પાછળ પણ આવી લોકકથાઓની સંભાવનાઓ નકારી ન શકાય. એ સમયે બ્રહ્મસત્તા, રાજ્યસત્તા (ક્ષાત્રસત્તા) અને આદિવાસી સત્તા પ્રચલિત હતી અને ઘણી વાર આ ત્રણે સત્તા વચ્ચે સંઘર્ષો થતા, સમાધાનો પણ થતાં.
રામાયણ-મહાભારત જ્યારે રચાયાં ત્યારે તેમનું સ્વરૂપ કેવું હતું? એવું ઘણા બધા માને છે કે રામાયણમાં બાલકાંડ અને ઉત્તરકાંડ પાછળથી ઉમેરાયાં હતાં, બીજા શબ્દોમાં એ પ્રક્ષિપ્ત અંશો હતા પરંતુ ઘણી વાર પ્રક્ષિપ્ત અંશો પણ આપણા સામાજિક-સાંસ્કૃતિક જીવનને પ્રકાશિત કરતાં હોય છે. વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિર તથા પૂણેના ભાંડારકર સંશોધન કેન્દ્ર તરફથી આ બંને મહાકાવ્યોની સમીક્ષિત વાચનાઓ દાયકાઓ પહેલાં પ્રગટ થઈ હતી. એમાંથી પસાર થનાર વાચકને કેટલાક પ્રસંગો મૂળ કૃતિઓમાં — અર્થાત્ સમીક્ષિત વાચનાઓમાં જોવા નહીં મળે. હા, એ પ્રસંગો ખૂબ જ લોકપ્રિય થયા છે. સમીક્ષિત વાચનાઓમાં એ નથી એટલે તેમનો કાંકરો કાઢી નખાય નહીં: ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં એ બધું પડ્યું તો હશે જ. દા.ત. હેલનની એક કથા પ્રમાણે — સાચી હેલન ટ્રોય ગઈ જ ન હતી, એને તો દેવીઓ કોઈ રાજાને ત્યાં અમાનત તરીકે મૂકી આવી હતી. રામાયણની કેટલીક કથાઓ પણ સૂચવે છે કે સાચી સીતા તો અગ્નિએ પોતાની પાસે રાખી હતી અને તેની છાયા લંકા પહોંચી હતી. જાનામિ ધર્મં ન ચ મે પ્રવૃત્તિવાળો શ્લોક મૂળ વાચનામાં નથી પણ એક ગ્રીક ટ્રેજેડીનું પાત્ર આવા જ ભાવાર્થવાળાનું વાક્ય ઉચ્ચારે છે. આવાં સામ્ય પણ કોઈ સર્વસામાન્ય વારસો સૂચવી જાય છે. એવી જ રીતે ભારતભરમાં પ્રચલિય વાક્ય — ‘નરો વા કુંજરો વા’ મહાભારતની સમીક્ષિત વાચનામાં નથી, પણ મૂળ કરતાં આ પ્રક્ષિપ્ત અંશ વધુ પ્રભાવક છે.
આ રામકથા કેટલા સમયથી જાણીતી હશે? કોઈ કોઈ વિદ્વાન એવો પણ દાવો કરે છે કે રામાયણ પર હોમરનાં મહાકાવ્ય ‘ઇલિયડ’નો પ્રભાવ પડ્યો હોવો જોઈએ. હોમરની વાત બાજુ પર રાખો. હોમરના કાવ્યની સંરચના અને વાલ્મીકિના રામાયણની સંરચના ઘણી બધી રીતે જુદી પડે છે. બંને સંસ્કૃતિઓમાં મહાકાવ્યની વિભાવના જુદી છે. હેલનનું અપહરણ કરી ગયેલા ટ્રોયના રાજકુમાર સામે ગ્રીકવાસીઓએ માંડેલો મોરચો ‘ઇલિયડ’ના કેન્દ્રમાં છે. રામાયણ માત્ર લંકાધિપતિ રાવણ સામેના મોરચાની આસપાસ ઘુમરાતું નથી. મહાકાવ્યની એવી કોઈ વિભાવનાને આધારે રામાયણ રચાયું નથી. રામાયણ, મહાભારતને આધારે પાછળથી મહાકાવ્યની વિભાવના સાકારિત થઈ હોવી જોઈએ.
હા, રામાયણ પર કોનો પ્રભાવ છે એ પ્રશ્નની ચર્ચા અવારનવાર થઈ છે. સામ જાતક, દશરથ જાતક, દેવધર્મ જાતક વગેરેનો પ્રભાવ ભારતીય મહાકાવ્યો પર સંભવી શકે, અને સાથે સાથે એક બીજી શક્યતાનો પણ નિર્દેશ કરવો જોઈએ. બહુખ્યાત વેસ્સંતર જાતકમાં માદ્રી સીતાનું દૃષ્ટાંત આપે છે, એનો અર્થ સ્પષ્ટ થાય કે જાતકના સમયમાં રામકથા પ્રચલિત તો હતી, ભલે બીજા કોઈ શાસ્ત્રગ્રંથોમાં રામકથાના નિર્દેશો મળતા ન હોય.
રામાયણ-મહાભારતમાં શાપનું કથાઘટક ખૂબ જ જાણીતું છે. રામાયણમાં દશરથ રાજાને અજાણતાં થયેલી શ્રવણહત્યાને કારણે અને પાંડુ રાજાએ હરણ-હરણીના વિહાર પ્રસંગે કરેલી હત્યાને કારણે તેમને શાપ સાંપડે છે. આ બંને શાપ કાવ્યોની પીઠિકામાં રહેલા છે. આપણે બે જાતકનાં દૃષ્ટાંત વડે રામાયણ સાથેનાં તેનાં સામ્ય જોઈએ.
પહેલા દશરથ અને શ્રવણની કથા સાથે સામ્ય ધરાવતા સામ જાતકનો ટૂંક સાર જોઈએ.
વારાણસીની પાસે નદીના એક કિનારે નિષાદગ્રામ, બીજા કિનારે બીજું નિષાદગ્રામ. બંનેના મુખીઓએ પોતાને થનારાં સંતાનોનું લગ્ન કરવાનું નક્કી કર્યું. એકને ત્યાં દુકૂલક અને બીજાને ત્યાં પારિકા. બંને બ્રહ્મચર્ય વ્રતના આગ્રહી, બંનેએ પ્રવજ્યા લીધી. ઇન્દ્ર તેમને પુત્રમહિમા સમજાવે છે, પારિકાનો નાભિસ્પર્શ કરવાથી પુત્રપ્રાપ્તિ થશે એવી વાત કરે છે. બોધિસત્ત્વ પારિકાના ઉદરમાં પ્રવેશ્યા અને જન્મ્યા ત્યારે તેમનું નામ સ્વર્ણસામ પડ્યું. માતાપિતા તેનો ઉછેર કરવા લાગ્યા, સોળ વર્ષનો થયો તો પણ માતાપિતા તેને આશ્રમમાં મૂકીને ફળમૂળ લેવા જતા. એક વખત ઝેરીલા સાપના ડંસને કારણે માતાપિતા અંધ થઈ ગયા, જો કે તેની પાછળ તેમનો પૂર્વજન્મ જવાબદાર હતો. હવે સામ માતાપિતાની સેવાચાકરી કરવા લાગ્યો.
તે સમયે વારાણસીમાં પિલીયખ નામનો રાજા હતો. મૃગયા માટે તે એક સમય મિત્ર નદીવિસ્તારમાં પ્રવેશ્યો, ત્યારે સામ પણ ત્યાં જ પાણી લાવવા જતો હતો. સામને જોઈ રાજાએ તીર માર્યું. મરણતોલ તીર વાગવા છતાં તે ક્રોધે ભરાતો નથી. સામ પોતાનો પરિચય આપે છે, રાજા અસત્ય બોલે છે પણ પછી સાચી વાત કરે છે. સામ પોતાના અંધ માતાપિતાની વાત કરે છે. રાજા તેના માતાપિતાની સેવા કરવાનું વચન આપે છે અને તેમના આશ્રમે જાય છે.
બહુસોદરી નામની દેવકન્યા બોધિસત્ત્વના એક પૂર્વજન્મમાં માતા હતી, તેને બધી જાણ થઈ, રાજા આશ્રમમાં જઈ બધી વાત કરે છે, પોતે હવે સેવા કરશે એમ પણ કહે છે, અને માતાપિતાને બેસુધ સામ પાસે લઈ જાય છે. પછી માએ સામની સત્યક્રિયા કરી, પિતાએ પણ કરી, છેવટે અંધ માતાપિતાની દૃષ્ટિ પાછી આવી, સામને જીવનદાન મળ્યું.
સ્વાભાવિક રીતે આ કથાને રામાયણ કથાના શ્રવણવાળી કથા સાથે જોડી શકીએ. હા, આ જાતકમાં સુખાંત છે.
હવે ‘અનામક’ જાતકની વાત કરીએ. આની ભારતીય વાચના મળતી નથી. પણ ચીની ભાષામાં થયેલો તેનો અનુવાદ મળે છે. તેનો કથાસાર ફાધર બુલ્કે કૃત ‘રામકથા’ને આધારે જોઈએ.
બોધિસત્ત્વ ક્યાંક રાજા હતા, જીવરક્ષાના ભારે આગ્રહી હતા. તેમના મામા પણ ક્યાંક રાજા હતા. તેમણે લોભી બનીને બોધિસત્ત્વ સામે સેના ઊભી કરીને આક્રમણ કર્યું. બંને રાજ્ય વચ્ચે યુદ્ધ થાય તો મોટી સંખ્યામાં નરસંહાર થાય, એટલે બોધિસત્ત્વ મંત્રીને રાજકાજ સોંપીને વનમાં જતા રહ્યા. એ દરમિયાન મામાએ તેમના રાજ્ય પર કબજો જમાવી દીધો અને પ્રજા ત્રાસી ગઈ. બોધિસત્ત્વ પહાડમાં કોઈક જગ્યાએ આશરો લે છે. હવે સમુદ્રમાં એક દુષ્ટ નાગ રહેતો હતો. તે ઋષિનો વેશ લઈને પહાડમાં જઈ પહોંચ્યો અને તેણે રાણીનું અપહરણ કર્યું. રસ્તામાં એક વિશાળકાય પંખીએ નાગનો રસ્તો રોક્યો. નાગે તે પંખીની જમણી આંખ વીંધી નાખી. પછી બોધિસત્ત્વ પોતાની રાણીની શોધ કરવા નીકળી પડ્યા, રાણી ન મળી. એક મોટા વાનરનો ભેટો થયો. તેણે પોતાની આપવીતી કહી સંભળાવી. તેના કાકાએ રાજ્ય છીનવી લીધું હતું, બંને મિત્ર બની ગયા. બોધિસત્ત્વે ધનુષ તાણ્યું તે જોઈને પેલો દુષ્ટ વાનર ભાગી ગયો. સાથીઓએ રાણીની શોધ ચલાવી. કપિરાજ એ સમુદ્ર ઓળંગવા અશક્ત હતા. ઇન્દ્રે નાના વાનરનું રૂપ લીધું અને પ્રત્યેક વાનર પાસે પર્વતના ટુકડા સમુદ્રમાં નખાવ્યા. આમ સમુદ્ર પર સેતુબંધ થયો. નાગે પછી માયા વડે ઝેરી ધુમ્મસ સર્જ્યું પણ ઇન્દ્રે બધાને સાજા કર્યા. રાજાએ એક બાણ વડે નાગનો વધ કરી રાણીને છોડાવી. આ બાજુ મામાનું પણ અવસાન થયંુ. બીજાના ઘરમાં આટલો બધો વખત રહી આવેલી રાણીના ચારિત્ર્ય પર રાજાએ શંકા કરી, રાણી તો પવિત્ર હતી, એના પ્રમાણ રૂપે ત્યાં પૃથ્વી ફાટી, અને રાણીનું સતીત્વ પ્રમાણિત થયું.
સામાન્ય વાચક પણ વાલ્મીકિ રામાયણ અને આ જાતક વચ્ચેની સમાનતા જોઈ શકશે. આવી જ રીતે સમ્બુલા જાતક (૫૧૯)માં જેવી રીતે રાવણ સીતાહરણ કરવા આવ્યો હતો તેવી રીતે સમ્બુલાનું અપહરણ કરવા એક દૈત્ય આવે છે અને તેના પંજામાંથી ઇન્દ્ર તેને છોડાવે છે.
ધમ્મપદની એક ટીકામાં પણ રામકથાને મળતી વાર્તા જોઈ શકાય છે. વારાણસીના રાજાને બે પુત્ર-મહિસાસ અને ચંદ. વિધુર થયા પછી રાજા પુનર્લગ્ન કરે છે અને તેને સૂર્ય નામનો ત્રીજો પુત્ર થાય છે. રાજા રાણીને વરદાન આપે છે અને રાણી પોતાના પુત્રને માટે રાજગાદી માગે છે. રાજા ના તો પાડે છે પણ રાણીનાં સંભવિત ષડયંત્રોની બીક લાગતાં બંને પુત્રોને વનવાસ આપે છે, ત્રીજો પુત્ર સૂર્ય બંને ભાઈઓની સાથે વનમાં જાય છે. પિતાના મૃત્યુ પછી ત્રણે ઘેર આવે છે. મહિસાસ રાજા થાય છે, ચંદ ઉપરાજા અને સૂર્ય સેનાપતિ થાય છે.
રામાયણ અને મહાભારતના આરંભ કેવી રીતે થાય છે?
વાલ્મીકિ મુનિ નારદને પ્રશ્ન પૂછે છે. તેમને કોઈ વિશિષ્ટ વ્યક્તિની શોધ હતી. એ વ્યક્તિ કેવી હોવી જોઈએ? ‘ગુણવાન, પરાક્રમી, ધર્મજ્ઞ, કૃતજ્ઞ, સત્યવક્તા, દૃઢવ્રતધારી, ઉત્તમ ચારિત્ર્યવાન, સર્વપ્રાણી પ્રત્યે સમભાવ ધરાવતો, આત્મવાન, ઈર્ષ્યાહીન, તેજસ્વી, યુદ્ધમાં સામાને ભય પમાડે એવો, પુરુષ કોણ છે?’
સ્વાભાવિક છે કે જેનામાં આ બધા ગુણ હોય તે વિરલ. નારદ તેમને રામચરિત્રનો ઇતિહાસ કહે છે. તેમણે સંક્ષેપમાં રામકથા કહી સંભળાવી. જોકે સમીક્ષિત વાચનામાં સીતાને સંભળાવેલાં કટુવચનો નથી. સીતાની અગ્નિપરીક્ષા નથી. બીજી રીતે જોઈએ તો નારદે કથાસાર કહી સંભળાવ્યો, હવે એના પરથી વાલ્મીકિને જે રીતે કાવ્યસર્જન કરવું હોય તે કરી શકે.
નારદ પાસેથી આ કથા સાંભળી વાલ્મીકિ તમસા નદીકાંઠે જાય છે અને ત્યાં કોઈ શિકારીએ નર ક્રૌંચનો વધ કર્યો અને પ્રખ્યાત શ્લોક તેમના મુખમાંથી સરી પડ્યો.{{Poem2Close}}
 
<poem>
મા નિષાદ પ્રતિષ્ઠાં ત્વમગમ્: શાશ્વતી સમા: |
યત્ક્રૌંચ મિથુનાદકેમવધી: કામમોહિતમ્ ||
</poem>
{{Poem2Open}}
કામાસક્ત ક્રૌંચ યુગલમાંથી તેં એક નરપક્ષીની હત્યા કરી તો તું હવે લાંબા સમય સુધી પ્રતિષ્ઠા પામીશ નહીં.
સંસ્કૃત કાવ્યશાસ્ત્રી અભિનવગુપ્ત કહે છે તે પ્રમાણે આ મુનિનો અંગત શોક ન હતો. કોઈ ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી બનવાથી થયેલો સ્વાભાવિક ઉદ્ગાર હતો અને હવે તે શ્લોક અપયશ નહીં અપાવે પણ યશ અપાવશે એમ માનીને તે પોતાના આશ્રમે પાછા આવ્યા ત્યારે તેમની આગળ બ્રહ્મા પ્રગટ્યા, અને તેમણે રામાયણ રચવા કહ્યું. રામ, લક્ષ્મણ, સીતા અને રાક્ષસોની કથા તમે આલેખો. પૃથ્વી પર જ્યાં સુધી નદી, પર્વત રહેશે ત્યાં સુધી તમારી આ કથા પણ ટકશે. હવે જો આ કથાને કળાકૃતિમાં ઢાળવી હોય તો વ્યાકરણ, અલંકારશાસ્ત્ર વડે ગૂંથવી પડે, અર્થાત્ વાલ્મીકિને દર્શન તો થઈ ગયું પણ દર્શન પ્રમાણે વર્ણન કરવું પડે,
કાલિદાસ અભિજ્ઞાન શાકુન્તલ નાટકના આરંભે સૂત્રધાર પાસે બોલાવડાવે છે કે સામે રસિકજનોનો સમાજ છે અને ગુણીજનો જો રીઝે તો જ કળા સફળ થાય.
વળી અહીં તો બ્રહ્માએ પોતે આશા સેવી છે કે પૃથ્વી પર જ્યાં સુધી નદી-પર્વતો રહેશે ત્યાં સુધી આ કથા બધાને આનંદ આપશે. સમાજ બદલાય, સમય બદલાય, જુદી જુદી પ્રકૃતિના લોકો આવે-જાય, તો પણ આ કળાકૃતિ ટકી રહેવાની. અને બ્રહ્માની વાત સાચી પડી. હજારો વર્ષ પછી પણ આ કથા ટકી, એની વિવિધ આવૃત્તિઓ થતી રહી અને બધાને આનંદ આપતી થઈ. કળા માત્રનું આ પ્રયોજન — આનંદ આપવો, શ્રોતાનો-ભાવકનો ચેતોવિસ્તાર કરવો, બીજા શબ્દોમાં શ્રોતાના વ્યક્તિત્વનો વિસ્તાર કરવો, પ્રત્યેક સમયે મૂળ કૃતિનાં જુદાં જુદાં અસ્તિત્વ પ્રગટતાં જાય.
આગળ આપણે ઉલ્લેખ કર્યો કે રામાયણ આદર્શપ્રધાન, ભાવનાપ્રધાન અને મહાભારત વાસ્તવપ્રધાન. પરંતુ જેમ જેમ અભ્યાસ કરતા જઈશું તેમ તેમ આપણને રામાયણમાં આલેખાયેલા વાસ્તવજગતનો પણ ખ્યાલ આવશે. દશરથ રાજાને કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા- ઉપરાંત અનેક રાણીઓ. કૌશલ્યા ભલે પટરાણી હોય પણ માનીતી તો કૈકેયી હતી. અયોધ્યાનો રાજમહેલ રાજખટપટોથી ઊભરાતો બતાવ્યો છે. કૈકેયીને વચન આપી બેઠેલા દશરથ રાજાએ વચન પાળવા રામને વનવાસ આપવો જ પડે. આ રાજખટપટો સ્પષ્ટ રીતે આલેખાઈ નથી, પણ દશરથ રાજાને એનો અંદેશો તો હોવો જ જોઈએ, એટલે રામનો રાજ્યાભિષેક કરતાં પહેલાં ભરતને મોસાળ મોકલી દે છે, બાકી રામના રાજ્યાભિષેકમાં ભરતની ઉપસ્થિતિ હોવી જોઈએ, અને બીજી બાજુ આખી અયોધ્યા રામના થનારા રાજ્યાભિષેક પ્રસંગે ઉત્સવ મનાવે અને રાજમહેલમાં કૈકેયીને-મંથરાને તેની જાણ જ ન થાય?
કૈકેયીની સ્ત્રીહઠ આગળ દશરથ લાચાર છે. અહીં તત્કાલીન સમાજદર્શન પણ જોઈ શકાય. સ્ત્રીને પોતાનો પતિ સવિશેષ પ્રિય હોય છે પણ અહીં આ સ્ત્રીને પતિ કરતાં વિશેષ પુત્ર વહાલો છે. એટલે દશરથ રાજાનાં આજીજી, વિનવણી કે કલ્પાંત કૈકેયીને જરાય અસર કરતાં નથી. કૈકેયી રામને બરાબર ઓળખે છે એટલે તેને તો ગળા સુધી ખાત્રી છે કે રામ વનવાસ જવા તૈયાર થશે જ. રામ કૌશલ્યાને મળવા જાય છે ત્યારનું દૃશ્ય માનવીય ભાવજગતને સમજવા માટે સુંદર છે. રામને વાલ્મીકિએ દેવ તરીકે આલેખ્યા નથી, એક મનુષ્ય તરીકે આલેખ્યા છે અને એટલે જ તેમનું વ્યક્તિત્વ વધુ સ્પર્શે છે. રામ કૌશલ્યાને પરિસ્થિતિ સમજાવે છે. રામાયણમાં ક્યાંય કૈકેયી અને કૌશલ્યા વચ્ચેના અણબનાવની વાત પ્રત્યક્ષ રીતે થઈ નથી, આપણને કૌશલ્યાના મોઢે જ બધી વાત જાણવા મળે છે. પતિના પરાક્રમથી ક્યારેય તેમને સુખ મળ્યું ન હતું, દશરથ સાથે વિહાર કરવામાં, યુદ્ધમોરચે સાથ આપવામાં કૌશલ્યા નહીં કૈકેયી જ જતાં હતાં. કૌશલ્યા મોટાં હોવા છતાં નાની શોક્યોનાં મહેણાંટોણાં સાંભળવા પડે છે એનું તેમને બહુ દુઃખ છે, કૈકેયી અને ભરતની હાજરીમાં માણસો તેમની સાથે બોલી પણ શકતા ન હતા.
આ બધું સાંભળીને રામના મનમાં કયા પ્રતિભાવો જાગ્યા તેની વાત કરવામાં આવી નથી, એવું અનુમાન કરી શકાય કે કદાચ પોતાની માતાની આવી સ્થિતિ જોઈને રામે એક પત્નીવ્રત અપનાવ્યું હશે! રાવણવિજય પછી સિંહાસને બેસવા છતાં સીતા કયંુ સુખ પામી હતી? લોકનો વિચાર કરીને રામે તો સગર્ભા સીતાને વનમાં મોકલી દીધી, લોકલાગણી સામે રામ ઝૂકી ગયા શા માટે, અણનમ રહીને પ્રતિકાર કેમ ન કર્યો એવો પ્રશ્ન કોઈને જાગે તો નવાઈ નહીં. ભવભૂતિનાં ‘ઉત્તરરામચરિત’માં સીતાના મનની શંકાકુશંકા સારી રીતે પ્રગટ થઈ છે. રામ જ્યારે ‘અશ્વમેધ યજ્ઞની સહધર્મચારિણી’... શબ્દો બોલે છે ત્યારે સીતા કમકમી ઊઠે છે, શું રામે બીજું લગ્ન કર્યું? પણ જ્યારે રામ કહે છે કે યજ્ઞમાં સીતાની સુવર્ણમયી પ્રતિમા મૂકી હતી, ત્યારે આંખમાં આંસુ આણીને સીતા કહે છે, ‘હવે તમે આર્યપુત્ર સાચા.’ અર્થાત્ સીતા જેવી સીતાને પણ શોક્યનું સાલ કેવું ભયાનક હોય તેનો ખ્યાલ છે.
હવે કૌશલ્યાની ફરિયાદ સાંભળીને લક્ષ્મણ ઊકળી ઊઠે છે. તે પોતાના પિતાને વિષયી, કામાંધ કહેતા અચકાતા નથી. તે તો બળવો કરવા તૈયાર છે, અયોધ્યાવાસીઓ સામે થાય તો આખી અયોધ્યાને નિર્જન કરી નાખવાની વાત કરે છે.
અને આ સાંભળીને, કૌશલ્યા શું કહે છે? તે લક્ષ્મણને કશો ઠપકો આપતાં નથી, તે તો રામને કહે છે, ‘તેં લક્ષ્મણની વાત સાંભળી, હવે તને જે યોગ્ય લાગે તે કર.’
અહીં આપણને માનવચિત્તનાં ઊંડાણોનો સારો પરિચય થાય છે. લક્ષ્મણ અવારનવાર ભરત પર શંકાઓ કરે જાય છે.
મહાભારતની જેમ રામાયણમાં આડકથાઓ બહુ મોટી માત્રામાં જોવા નહીં મળે. એ રીતે રામાયણની સંકલના સીધેસાદી છે. વિશ્વામિત્ર, અગસ્ત્ય જેવા ઋષિઓ પાસે કથાઓ કહેવડાવી છે, વિશ્વાંમિત્ર જ્યારે રાક્ષસોનો વિનાશ કરવા દશરથની નામરજી હોવા છતાં રામલક્ષ્મણને વનમાં લઈ જાય છે ત્યારે વચ્ચે રામની જિજ્ઞાસા સંતોષવા કથાઓ કહેતા જાય છે. એમાં સૌથી વધુ જાણીતી કથાઓ વિભાંડકપુત્ર ઋષ્યશૃંગની, ગંગાવતરણની, વાલી-સુગ્રીવની પૂર્વકથા છે.
મુખ્ય ધારાની રામકથા ઉપરાંત અનેક કથાઓ બૌદ્ધ ગ્રંથોમાં, જૈન ગં્રથોમાં તથા લોકકથાઓમાં જોવા મળશે. એમાં કેટલીક વખત મોટા ભાગની ભારતીય પ્રજાને અસ્વીકાર્ય લાગે એવા અંશો પણ જોવા મળશે. આ બધાએ રામકથાને પોતપોતાની રીતે જોવાનો, મૂલવવાનો પ્રયત્ન કર્યો છે.
મહાભારત એક ગાઢ વન છે, અનેક પ્રકારની સામગ્રી તેમાં જોવા મળે છે. પ્રાચીન કાળની પ્રજા શું ધર્મને અનુસરતી હતી? ‘મહાભારત’માં વ્યાસ કહે છે: {{Poem2Close}}
 
<poem>
ઊર્ધ્વબાહુ, વિરોમ્યૈષ ન ચ કશ્ચિત્ શૃણોતિ મામ્ |
ધર્માદર્થશ્ચ કામશ્ચ સ ધર્મ: કિં ન સેવ્યતે ||
</poem>
{{Poem2Open}}
હું બંને હાથ ઊંચા કરી કરીને કહું છું. પણ મારું કોઈ સાંભળતું નથી. ધર્મ વડે જ અર્થ અને કામ સાંપડે, તો પછી ધર્મનું આચરણ કેમ ન કરવું?
તે સમયે કોણે ધર્મની, સત્યની વાત સાંભળી? દુર્યોધને ન જ સાંભળી. વિદુર, ભીષ્મ, દ્રોણ, ગાંધારી, વ્યાસ કહી કહીને થાકી ગયા તો પણ દુર્યોધને કશું સાંભળ્યું જ નહીં — તે સાચો શ્રોતા હતો જ નહીં. પુત્ર પ્રત્યેના પ્રેમમાં ખેંચાઈને જે સત્ય ધૃતરાષ્ટ્ર જોઈ શક્યા ન હતા તે સત્ય ગાંધારી જોઈ શક્યાં હતાં, અને એટલે જ તેનો ત્યાગ કરવા કેટલી બધી વાર અંધ પતિને તેમણે સમજાવ્યું હતું પણ ધૃતરાષ્ટ્રે તેમની વાત ક્યાં સાંભળી હતી?
એવી કથા પ્રચલિત છે કે વ્યાસ ભગવાને પોતાના પાંચ શિષ્યોને મહાભારતનું શિક્ષણ આપ્યું. એમાં એક શિષ્ય વૈશંપાયન. સર્પસત્ર વેળાએ વૈશંપાયને જનમેજયને મહાભારત સંભળાવ્યું. ત્યારથી ‘વૈશંપાયન એણી પેર બોલ્યા, સુણ જનમેજય રાય’ જેવી ઉક્તિ મધ્યકાલીન ગુજરાતી મહાભારતોમાં જાણીતી બની. વૈશંપાયન પછી સૌતિ નૈમિષારણ્યમાં મહાભારતકથા કહી સંભળાવે છે. આમ મહાભારતનું છેલ્લું સંસ્કરણ સૌતિ દ્વારા થયું. મહાભારતનો આરંભ આ રીતે થાય છે: {{Poem2Close}}
 
<poem>
નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ્ |
દેવીં સરસ્વતીં ચૈવ તતો જયમુદીરયેત્ ||
</poem>
{{Poem2Open}}
નરોત્તમ, નર અને સરસ્વતીને નમન કરીને જયનું વાચન કરવું જોઈએ.
દેખીતું છે કે આવું વિરાટ મહાભારત કોઈ એક વ્યક્તિનું સર્જન સંભવી ન શકે. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ તેમાં ઉમેરા થતા ગયા. વિદ્વાનો કહે છે તે પ્રમાણે વ્યાસે રચેલું ‘જય’ કાવ્ય પ્રથમ ગણાય. પાછળથી વૈશંપાયન સમેત વ્યાસના પાંચ શિષ્યોએ મહાભારત પોતપોતાની રીતે રચ્યું, વૈશંપાયનનું સંસ્કરણ ભારત નામે જાણીતું થયું. ત્રીજું સંસ્કરણ સૌતિદ (સૂતપુત્ર) દ્વારા થયું. મોટે ભાગે આ છેલ્લા સંસ્કરણમાં એક લાખ શ્લોક હશે. અનેક પાત્રો, અનેક પ્રસંગો હોવા છતાં અહીં સર્વને ન્યાય આપવાનો પ્રયત્ન તો થયો છે.
રામાયણમાં રામ-રાવણનું યુદ્ધ બહુ વિખ્યાત બન્યું પણ એ યુદ્ધમાં આખું ભારતવર્ષ જોડાયું ન હતું. અઢાર દિવસ ચાલેલા મહાભારતયુદ્ધમાં આખું ભારતવર્ષ જોડાયું હતું, અને એ યુદ્ધ આરંભાય તે પહેલાં શ્રીકૃષ્ણે અર્જુનના વિષાદનું નિવારણ કરવા શ્રીમદ્ભગદ્ગીતા સંભળાવી. ભલે સમીક્ષિત વાચના પ્રમાણે દ્રૌપદીનાં વસ્ત્ર શ્રીકૃષ્ણે પૂર્યાં ન હતાં પણ મહાભારત યુદ્ધના આરંભથી અંત સુધી શ્રીકૃષ્ણ કેન્દ્રમાં તો રહ્યા જ છે. ભીષ્મની, ગાંધારીની દૃષ્ટિએ શ્રીકૃષ્ણ મહાભારત યુદ્ધ અટકાવી શક્યા હોત પણ શ્રીકૃષ્ણે સભાનતાપૂર્વક એ યુદ્ધ થવા દીધું, તેમની દૃષ્ટિએ યુદ્ધ સત્યપ્રતિષ્ઠા માટે પણ અનિવાર્ય હતું. જ્યાં ધર્મ છે ત્યાં જય છે એવું માનતા શ્રીકૃષ્ણ મહાભારતનું એક મુખ્ય પાત્ર પુરવાર થયા. બંગાળી કવિવિવેચક બુદ્ધદેવ બસુએ મહાભારતના નાયક તરીકે યુધિષ્ઠિરને સ્થાપ્યા, કારણ કે તેઓ વર્ષોનાં વર્ષો કથાઓ જ સાંભળ્યા કરે છે; શ્રોતા હોવું એ પણ બહુ ધીરજ માગી લે.
આ મહાભારતકથા સંક્ષેપમાં અને વિસ્તારપૂર્વક કહેવાઈ છે. વ્યાસ કોણ? પરાશર અને સત્યવતી(મત્સ્યગંધા-યોજનગંધા)ના પુત્ર વ્યાસ, તેમનું ગર્ભાધાન ધુમ્મસભર્યા અંધકારમાં થયું એેટલે તેમનું નામ કૃષ્ણ દ્વૈપાયન પડ્યું. તે સમયે વિચિત્રવીર્યની પત્નીઓ દ્વારા વ્યાસે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરને જન્મ આપ્યો.
કૌરવો અને પાંડવોની ઓળખ કેવી રીતે આપવામાં આવી છે?
દુર્યોધન અંધકારથી ભર્યું ભર્યું વૃક્ષ છે, કર્ણ થડ છે, શકુનિ શાખા છે, દુ:શાસન ફૂલ-ફળ છે અને ચક્ષુરહિત ધૃતરાષ્ટ્ર એનું મૂળ છે.
પાંડવો કેવા છે?
યુધિષ્ઠિર ધર્મમય મહાવૃક્ષ છે, અર્જુન થડ છે, ભીમસેન શાખા છે, નકુલ-સહદેવ ફૂલ, ફળ, શ્રીકૃષ્ણ-દેવ-બ્રાહ્મણો તેનું મૂળ છે.
સ્પષ્ટ રીતે કૌરવ નકારાત્મક અને પાંડવ હકારાત્મક પુરવાર થયા.
મહાભારત યુદ્ધમાં જ્યારે પાંડવોનો વિજય થયો અને કૌરવોનો પરાજય થયો એ સમાચાર જ્યારે સંજયે ધૃતરાષ્ટ્રને આપ્યા ત્યારે આ રાજાનો પ્રતિભાવ કેવો હતો? ધૃતરાષ્ટ્ર તો સંજયને કહે છે, આ યુદ્ધમાં મારી તો સંમતિ હતી જ નહીં: કૌરવ-પાંડવમાં મારે મન કોઈ ભેદ હતો જ નહીં: અંધ અને કૃપણતાને કારણે મેં બધું સહી લીધું, પુત્ર પણ મોહવશ અને એને કારણે હું પણ મોહવશ થયો.
આટલું કહીને ધૃતરાષ્ટ્ર અટકતા નથી. વ્યાસે અહીં ક્રમબદ્ધ રીતે ધૃતરાષ્ટ્ર કેવી રીતે આશાભંગ થતા ગયા તેની વાત બહુ સૂઝપૂર્વક કહી છે. આનો આરંભ ક્યાંથી થાય છે?
‘જ્યારે મેં સાંભળ્યું કે અર્જુને લક્ષ્યવેધ કરીને દ્રૌપદીના સ્વયંવરમાં વિજય મેળવ્યો છે ત્યારથી મેં જયની આશા છોડી દીધી હતી.’
હવે આપણે દ્રૌપદી સ્વયંવરની કથાને યાદ કરીએ. આ સ્વયંવરમાં કર્ણસમેત કૌરવો લક્ષ્યવેધ કરી શક્યા ન હતા અને અર્જુને લક્ષ્યવેધ કર્યો. અહીં જ પાંડવોની શ્રેષ્ઠતા પુરવાર થઈ ગઈ. પછી સુભદ્રાહરણ, ખાંડવદહન, દ્યૂતસભામાં પાંડવોની હાર, દ્રૌપદીની કફોડી પરિસ્થિતિ, લાક્ષાભવનની અગ્નિજ્વાળાઓમાંથી પાંડવોનો થયેલો બચાવ, જરાસંધ વધ, રાજસૂય યજ્ઞ, એકવસ્ત્રા દ્રૌપદી, દુ:શાસનની નીચતા, જુગારમાં યુધિષ્ઠિરની હાર, પાંડવો અને કુબેરનું મિલન, ઘોષયાત્રામાં ગંધર્વોએ પકડેલા કર્ણસહિત કૌરવોનો પાંડવો દ્વારા છુટકારો, યક્ષના પ્રશ્નોના યુધિષ્ઠિરે આપેલા ઉત્તર, વિરાટનગરમાં કૌરવોનો પરાજય, યુધિષ્ઠિરે એકઠી કરેલી સાત અક્ષૌહિણી સેના, નારદે શ્રીકૃષ્ણની ઓળખ નર-નારાયણ તરીકે કરાવી, પાંડવો સાથેની મૈત્રી, શ્રીકૃષ્ણે દેખાડેલું વિશ્વરૂપ, ભીષ્મદ્રોણના પાંડવોને આશીર્વાદ, ગાંડીવધન્વા અર્જુન, કૃષ્ણે અર્જુનને દેખાડેલું વિશ્વરૂપ, ભીષ્મદ્રોણ એક પણ મહાન યોદ્ધાને મારી ન શક્યા તે હકીકત, શિખંડીએ કરેલો ભીષ્મવધ, અર્જુને બાણશય્યા પર સૂતેલા ભીષ્મને પાતાળગંગાનું પીવડાવેલું પાણી, સંશપ્તક સેનાનો અર્જુને કરેલો સંહાર, અભિમન્યુએ ભેદેલા છ કોઠા, અર્જુન દ્વારા જયદ્રથવધ, કર્ણ ભીમને હરાવી ન શક્યો, ઘટોત્કચ પર શક્તિપાત, દ્રોણાચાર્યની હત્યા, કર્ણવધ, અગ્રણી કૌરવોનો — દુર્યોધનનો વધ, અશ્વત્થામાએ પાંડુપુત્રોની કરેલી હત્યા, અશ્વત્થામાને દ્વૈપાયન કૃષ્ણે — તથા શ્રીકૃષ્ણે આપેલો શાપ — આ બધી ઘટનાઓ સાંભળીને ધૃતરાષ્ટ્રે યુદ્ધમાં વિજયની આશા ત્યજી દીધી હતી. મૂળ મહાભારતમાં યદાશ્રોષે... તદા નાશંસે વિજયાય સંશય’ કેટલી બધી વાર પુનરાવતિર્ત થાય છે, એના પડઘા પડ્યા જ કરે છે અને ભાવકને પણ ધૃતરાષ્ટ્રની જેમ નિર્વેદ જાગે છે.
એવું કહેવાયું કે જેવી રીતે જળાશયોમાં સમુદ્ર અને ચાર પગાળાં પ્રાણીઓમાં ગાય એવી રીતે મહાભારત બધામાં શ્રેષ્ઠ છે.
રામાયણના આરંભની જેમ મહાભારતનો આરંભ થતો નથી. અનુક્રમણિકા અને ધૃતરાષ્ટ્રની પુનરાવતિર્ત થતી પંક્તિઓ પછી ક્ષત્રિયોના લોહીથી સમંતપંચકમાં બનેલાં પાચ સરોવરની વાત આવે છે. અહીં કૌરવ-પાંડવનું યુદ્ધ થયું હતંુ. અને ફરી મહાભારતમાં આવતા પર્વોની- કથાનકોની સૂચિ આપણને મળે છે.
રામાયણનો આરંભ પૂર્વજોના વર્ણનથી થાય છે. એટલે હવે એક પછી એક ઘટના આપણી આગળ પ્રગટ થતી જાય છે, જ્યારે મહાભારતમાં ધૃતરાષ્ટ્ર કૌરવોના વિનાશની અને તે પૂર્વે બનેલી બધી ઘટનાઓની વાત કરે છે — અને હવે જ્યારે કથાનો આરંભ થાય છે ત્યારે જનમેજયના યજ્ઞની, દેવોની કૂતરી સરમાએ જનમેજયને આપેલા શાપની અને જનમેજયે માંડેલા યજ્ઞની વિગતો આવે છે.
જનમેજયના સર્પયજ્ઞની ભૂમિકા કવિ ઊભી કરે છે. અને પછી તો એક કથા-બીજી કથાનો આરંભ થાય છે. ભારતીય કથાવિશ્વ ગ્રંથ-૧ની પ્રસ્તાવનામાં જનમેજયના સર્પયજ્ઞની સંરચના વિગતે ચર્ચી છે એટલે અહીં તેનું પુનરાવર્તન કર્યું નથી. મહાભારતકાર પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે હિંસાને વખોડી જ કાઢે છે. તેમાંય કોઈ પ્રજાતિનો સમૂળો નાશ કરવાની વાત કોઈ પણ રીતે ચલાવી જ ન લેવાય. અને એ આખી કથા વિસ્તૃત આસ્તિક પર્વ હેઠળ જોવા મળે છે. આવી હિંસાનો પ્રતિકાર થવો જ જોઈએ. જે પ્રજા કાયર બનીને હિંસાને ચલાવી લે છે, હિંસાનું અનુમોદન કરે છે અને ક્યારેક પોતે એમાં સક્રિય ભાગ ભજવે છે તે પ્રજાનો આખરે તો વિનાશ જ થાય છે. એવી જ રીતે મહાભારતમાં વિનતાપુત્ર ગરુડના પરાક્રમની કથા વિગતે જોવા મળે છે.
હવે જનમેજય આગળ કૃષ્ણ દ્વૈપાયન પહેલાં તો સંક્ષેપમાં અને પાછળથી વિસ્તારપૂર્વક મહાભારતની કથા કહે છે. વારેવારે મહાભારતના સંક્ષેપ જુદી જુદી રીતે આપણી સામે આવે છે. વળી કુરુવંશના પૂર્વજોથી કથાનો આરંભ કરવાને બદલે એ વંશના અનુજોથી કથાનો આરંભ થાય છે. આમ બધી ઘટનાઓ પૂરી થઈ ગઈ છે. જેવી રીતે જનમેજય પોતાના પૂર્વજોની કથા સાંભળે છે તેવી રીતે આપણે બધા આપણા પૂર્વજોની કથા સાંભળીએ છીએ. આ કથા ઐતિહાસિક છે કે કાલ્પનિક એ પ્રશ્ન બાજુ પર રાખીએ, કેટલાક વિદ્વાનોના મત સ્વીકારવા જતાં પ્રશ્નો થશે. એવું પણ અનુમાન કરવામાં આવ્યું છે કે મહાભારતનું યુદ્ધ ઈ.સ. પૂર્વે ત્રણેક હજાર વર્ષ પૂર્વે થયું હતું — બીજા શબ્દોમાં આર્યો પાંચ હજાર વર્ષ પહેલાં તો હતા જ. તો પછી ઋગ્વેદની રચના ક્યારે થઈ હતી? આ મુદ્દો શાસ્ત્રીય છે એટલે બાજુ પર જ રાખીએ.
મહાભારતકારે અર્વાચીન સર્જકની જેમ કથાનો આરંભ કર્યો છે. ગોવર્ધનરામ ત્રિપાઠીની પ્રખ્યાત કૃતિ ‘સરસ્વતીચંદ્ર’નો આરંભ પણ સાવ જુદી જ રીતે થતો નથી? સરસ્વતીચંદ્ર ગૃહત્યાગ કરી ચૂક્યો છે, કુમુદસુંદરીનું લગ્ન પ્રમાદધન સાથે થઈ ગયું છે, અને સરસ્વતીચંદ્ર નવીનચંદ્ર નામ ધારણ કરીને કુમુદના સાસરે આવી ચઢ્યો છે.
ફરી ફરી મહાભારતનો મહિમા ગાવામાં આવ્યો છે. આ કાવ્ય અર્થશાસ્ત્ર છે, ધર્મશાસ્ત્ર છે અને મોક્ષશાસ્ત્ર છે. એવું પણ કહેવાયું છે કે વ્યાસ મુનિને મહાભારતની રચના કરવામાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં. અને આ કૃતિની પ્રશંસા કરતાં એમ પણ કહેવાયું છે કે — {{Poem2Close}}
 
<poem>
ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતેભ |
યદિહાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્કંચિત્ ||
(ધર્મ, અર્થ, કામ, મોક્ષ વિશે જે કંઈ અહીં છે તે જ બધું બીજે છે, જે આમાં નથી તે ક્યાંય નથી)
</poem>
{{Poem2Open}}
આમ ભારતીય સંસ્કૃતિના ચાર પુરુષાર્થની વાત મહાભારતમાં જોવા મળશે.
મહાભારતકથાનો આરંભ ઉપરિચર રાજાથી થાય છે, તેમનું મૂળ નામ વસુ, ઇન્દ્રના કહેવાથી તે ચેદિ પ્રદેશના રાજા થયા અને ઇન્દ્રની કૃપા તેમના પર ઊતરી. તેમને પાંચ પુત્ર. કોલાહલ પર્વત અને શુક્તિમતી નદીના બે સંતાન- એક પુત્ર એક પુત્રી. પુત્રી ગિરિકા સાથે વસુએ લગ્ન કર્યું. વસુ મૃગયા માટે વનમાં, આ તરફ ઋતુમતી ગિરિકાના સ્મરણથી રાજાને વીર્યાવ થયો અને રાજાએ એ વીર્ય લઈને કોઈ બાજને ગિરિકા પાસે મોકલ્યો, રસ્તામાં બીજા બાજ સાથે ઝપાઝપી થઈ, યમુના નદીમાં પડી ગયેલું વીર્ય અદ્રિકા માછલી ગળી ગઈ. એના પેટે જન્મેલા પુત્રને રાજાએ લીધો અને પુત્રી માછીમારોને આપી. એ પુત્રી એટલે સત્યવતી- મત્સ્યગંધા. પરાશર મુનિ અને મત્સ્યગંધાથી કૃષ્ણ દ્વૈપાયનનો જન્મ — પરાશરના વરદાનથી તેને ફરી કૌમાર્યની પ્રાપ્તિ થઈ અને તે યોજનગંધા બની. દ્વીપમાં બાળકનો જન્મ એટલે તેનું નામ દ્વૈપાયન, ઘટતી જતી ધર્મશ્રદ્ધાને ફરી સભર કરવા પરાશરપુત્રે વેદના વ્યાસ એટલે કે વિભાગ કર્યા એટલે તેમનું નામ વેદવ્યાસ પડ્યું, વેદવ્યાસે પુત્રને, શિષ્યોને ચાર વેદ અને પાંચમો વેદ એટલે મહાભારત શીખવાડ્યા. ( જુઓ, આદિ પર્વ, ૫૭)
તો આ થઈ કથા મહાભારતના રચયિતા વ્યાસના જન્મની.
અણી માંડવ્ય નામના ઋષિએ ધર્મને શાપ આપ્યો એટલે તે શૂદ્ર જાતિમાં વિદુર રૂપે જન્મ્યા.
અહીં કથામાં અતિપ્રાકૃત અંશો પ્રવેશ્યા છે. વળી જાતિભેદની વાસ્તવિકતા પણ પ્રવેશી છે. અપ્સરાપુત્રી સત્યવતીએ વ્યાસને જન્મ આપ્યાની વાત નોંધાઈ, તેનો ઉછેર જ માછીમારોને ત્યાં થયો. શૂદ્ર જાતિને પહેલેથી જ પછાત માનીને તેમની આગળ વેદપાઠ ન કરી શકાય એવી આજ્ઞા પ્રચલિત થઈ. બીજા શબ્દોમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય જાતિઓનું વર્ચસ્ રહ્યું, આમ પહેલેથી જ ઠેઠ વર્તમાનકાળ સુધી શૂદ્ર જાતિ અપમાનિત થતી જ આવી.
હવે દૈત્ય (દિતિપુત્રો) અને દાનવ(દનુપુત્રો)થી ઊભરાતી પૃથ્વીને સંતુલિત કરવા દૈવી અંશોના જન્મ થયા. અને પછી મહાભારતકાર સમગ્ર સૃષ્ટિમાં જીવજગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની વાત વિગતે કરે છે. આ પૂર્વભૂમિકા આપ્યા પછી મહાભારતકાર કુુુરુવંશના આદિપુરુષ દુ:ષન્ત(દુષ્યન્ત)ની કથા માંડે છે.
મૃગયા રમતાં રમતાં દુ:ષન્ત માલિનીના કાંઠે આવેલા કણ્વ ઋષિના આશ્રમમાં જાય છે અને ત્યાં શકુન્તલાને જુએ છે. આ કન્યા પોતાનો જન્મવૃત્તાંત કહે છે, દુ:ષન્ત ગાંધર્વવિવાહ કરે છે અને પછી હું તને લેવા મોકલીશ કહીને પોતાની રાજધાનીમાં જાય છે. શકુન્તલા ત્રણ વર્ષે બાળકને જન્મ આપે છે અને છ વર્ષની ઉમરે તે બધાં પ્રાણીઓને વશ કરે છે એટલે તેનું નામ પડ્યું સર્વદમન. કણ્વ શકુન્તલાને રાજાને ત્યાં મોકલે છે, રાજા ઓળખતો હોવા છતાં તેને સ્વીકારવાની ના પાડે છે. હવે આ સાંભળીને શકુન્તલાનો પ્રતિભાવ કેવો છે? આ માનિતી, ગર્વીલી સ્ત્રી શું આજીજી કરે છે? વિનંતી કરે છે? ના, તે તો રાજાને ઘણું સંભળાવે છે.
પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તે દુષ્યન્તને નીચ માનવીના જેવો વ્યવહાર કરનારા સાથે, આત્માની હત્યા કરનારા સાથે સરખાવે છે. ‘શું તમે એમ માનો છો કે તમારું પાપ કોઈ જાણતું નથી, શું ભગવાન તમારા હૃદયમાં નથી? હું પતિવ્રતા છું, મારું અપમાન નહીં કરો. આ સભામાં મને તુચ્છ ન માનો. જો તમે મારું નહીં માનો તો તમારું મસ્તક સેંકડો ટુકડામાં ફાટી જશે. ભાર્યાના ગુણ જાણો. સ્ત્રી પુરુષોની પરમ ગતિ છે. ઋષિઓમાં એવી શક્તિ ક્યાં છે તે સ્ત્રી વિના સંતતિ સર્જી શકે? તમે મારો ત્યાગ કરશો તો હું મારા આશ્રમે જતી રહીશ પણ આ બાળકનું શું?
દુ:ષન્ત તો સાવ નામક્કર જાય છે. તેને તો વેશ્યા સાથે સરખાવે છે.
પણ આનો પ્રત્યુત્તર શકુન્તલા વાળે છે, ‘તમારા જન્મ કરતાં મારો જન્મ ચઢિયાતો છે. હું મેરુ છું, તમે સરસવ. હું આકાશમાં ઊડું છું, તમે ધરતી પર. જ્યાં સુધી કુરૂપ આયનામાં પોતાનું મોં નથી જોતો ત્યાં સુધી બધા કરતાં પોતાને વધુ સુંદર માને છે. વિષ્ટા ખાતા સૂવરનું દૃષ્ટાંત આપે છે, તમે દુર્જન અને છતાં સજ્જનને દુર્જન કહો છો. સૌથી શ્રેષ્ઠ તો સત્યનિષ્ઠા, હજાર અશ્વમેધથી ચઢિયાતી. સત્ય જ ધર્મ, અસત્યથી મોટું કોઈ પાપ નથી. તમે જો અસત્યને વરી બેઠા હો તો હું જતી રહીશ. મારે તમારું કામ નથી, તમે ન સ્વીકારો તો પણ મારો પુત્ર આ પૃથ્વી પર શાસન કરશે.’
છેવટે આકાશવાણી રાજાને શકુન્તલાના સ્વીકાર માટે કહે છે. રાજા એનો સ્વીકાર કરે છે, તેમનો પુત્ર ભરત નામે ઓળખાયો.
મહાભારતની આ કથા પરથી કવિ કાલિદાસે અપૂર્વ એવું ‘અભિજ્ઞાન શાકુન્તલ’ રચ્યું, પણ બંને શકુન્તલા જુદી છે. મહાભારતની શકુન્તલા પોતાના અધિકાર માટે રાજાને આક્રોશપૂર્વક ઘણું બધું સંભળાવે છે. કાલિદાસની શકુન્તલા એવું કશું કરતી નથી. આ રીતે જોઈશું તો પુરુષપ્રધાન સંસ્કૃતિમાં મહાભારતકાર સ્ત્રીનો કેવો મોટો મહિમા કરે છે!
આ પછી કચ-દેવયાની કથા, યયાતિ-શમિર્ષ્ઠા કથા, અંબા-અંબાલિકા દ્વારા ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુરનો જન્મ, ધૃતરાષ્ટ્ર-ગાંધારી દ્વારા કૌરવોનો જન્મ; કુન્તા-માદ્રી પાંડુ દ્વારા પાંચ પાંડવોનો જન્મ, શંતનુ-ગંગા કી કથા, ભીષ્મનો જન્મ....વગેરેની કથાઓ.
આજકાલ સંતાનો દ્વારા માતાપિતાની ઉપેક્ષાની કથાઓ વર્તમાનપત્રોમાં આવ્યા કરે છે. આવી ઘટનાઓ માત્ર આપણા જમાનાની નથી. મહાભારતકાળમાં પણ આવું બનતું હતું, આવી એક કથા જુઓ. બૃહસ્પતિના શાપથી મમતાપુત્ર દીર્ઘતમા જન્માંધ હતા. તેમને ગૌતમ વગેરે ઘણા પુત્રો હતા. આ પુત્રોએ આંધળા પિતાને બાંધીને ગંગામાં વહેવડાવી દીધા અને અને હવે આપણે આ આંધળા અને વૃદ્ધનું ભરણપોષણ કરવું નહીં પડે એવું વિચારતા પુત્રો ઘેર આવ્યા. એ વૃદ્ધ પાણી પર તરતા રહ્યા, કોઈ બલિ નામના રાજાએ તેમને જોયા અને તે પોતાના ઘેર લઈ આવ્યા અને, અંધ વૃદ્ધની કથા સાંભળી, પછી પોતાને પુત્ર જન્મે એવી ઇચ્છાથી રાણી સુદેષ્ણાને તેમની પાસે મોકલી. ઋષિ વૃદ્ધ અને અંધ હોવાથી રાણી પોતે ન ગઈ પણ પોતાના બદલે એક દાસીને મોકલી. અને એ રીતે અગિયાર પુત્રોને જન્મ આપ્યો. એક વખત એ પુત્રો અધ્યયન કરતા હતા ત્યારે રાજાએ કહ્યું, ‘આ પુત્રો મારા છે.’ મહર્ષિ બોલ્યા, ‘ના, આ તમારા પુત્રો નથી, મારા છે. શૂદ્ર સ્ત્રીથી તે જન્મ્યા છે. તમારી મૂર્ખ રાણી સુદેષ્ણાએ મને અંધ અને વૃદ્ધ માનીને શૂદ્ર દાસીને મોકલી હતી.’
આ સાંભળી બલિ રાજાએ ઋષિને પ્રસન્ન કર્યા અને પોતાની રાણી સુદેષ્ણાને મોકલી, ઋષિ દીર્ઘતમાએ રાણીના શરીરને સ્પર્શીને કહ્યું, ‘તમારા પુત્રો સત્યવાદી અને તેજસ્વી થશે.’
સુદેષ્ણાએ અંગ નામના રાજષિર્ને જન્મ આપ્યો.
ધૃતરાષ્ટ્રને ત્યાં સો પુત્રો જન્મ્યા ત્યારે સૌથી મોટા પુત્ર દુર્યોધનના જન્મ ટાણે અપશુકનો થયા, બ્રાહ્મણોએ અને વિદુરે એ પુત્ર ત્યજી દેવાની સલાહ આપતાં કહ્યું,{{Poem2Close}}
 
<poem>
ત્યજેદેકં કુલસ્યાર્થે ગ્રામસ્વાર્થે કુલં ત્યજેત્ |
ગ્રામં જનપદસ્યાર્થે આત્માર્થે પૃથિવીં ત્યજેત્ ||
</poem>
{{Poem2Open}}
કુલની રક્ષા માટે એકને ત્યજો, ગામની રક્ષા માટે કુલને ત્યજો, જનપદની રક્ષા માટે ગામને ત્યજો અને આત્માની રક્ષા માટે પૃથ્વી ત્યજો. જો ધૃતરાષ્ટ્રે આ વાત માની હોત તો મહાભારત ઊભું થાત જ નહીં.
મહાભારતના સમયમાં સ્ત્રીઓ કેવી સ્વચ્છંદી હતી તેની ચર્ચા પાંડુ અને કુંતા વચ્ચે થાય છે. પાંડુ કહે છે તે પ્રમાણે સ્ત્રીઓ પર કોઈ પ્રતિબંધો ન હતા. પતિ પણ પત્નીને રોકી શકતો ન હતો, સ્ત્રીઓ ભોગેચ્છાથી આમતેમ ભમ્યા જ કરતી હતી. કુમારિકાઓ પણ વ્યભિચાર આચરતી હતી કારણ કે તે સમયનો આચાર જ એવો હતો. ત્યારે પાંડુ શ્વેતકેતુ ઋષિની કથા કહી સંભળાવે છે, સ્ત્રી-પુરુષના સ્વચ્છંદીપણાથી ત્રાસીને શ્વેતકેતુએ નિયમ સ્થાપ્યો. ‘હવે પછી જે સ્ત્રી પતિને ત્યજીને બીજા પુરુષ પાસે જશે તેને ભ્રૂણહત્યાનું પાપ. એવી જ રીતે જે પુરુષ પોતાની પત્ની સિવાય કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખશે તેને પણ ભૂ્રણહત્યાનું પાપ.’
કેટલી બધી કથાઓમાં સામૂહિક હિંસાની વાત આવે છે. એકના અપરાધની શિક્ષા અસંખ્ય જીવોને કેમ કરી શકાય? દંડકારણ્યની કથામાં દંડ નામના રાજાએ શુક્રાચાર્યપુત્રી અરજા ઉપર બળાત્કાર કર્યો, એને શિક્ષા થવી જ જોઈએ, પણ શુક્રાચાર્ય શાપ આપે છે અને રાજ્યમાં વસતા તમામ જીવ સાત દિવસમાં બળીને ભસ્મ થઈ જાય છે. મહાભારતમાં રુુરુની વાક્દત્તા પ્રમદ્વરા છે. આ વિવાહિતા સાપ ડસી જવાને કારણે મૃત્યુ પામે છે. રુરુ પોતાનું અડધું આયુષ્ય આપીને એને જીવાડે છે, રુરુનો પ્રમદ્વરા માટેનો પ્રેમ આપણે માથે મૂકીએ પણ સર્પદંશથી તેનું મૃત્યુ થયું એટલે રુરુ જ્યાં જ્યાં સાપ દેખાય તે બધાને મારી નાખે છે એ હાંસીનું શું? છેવટે ડુભ નામનો સાપ તેને સમજાવે છે, અહિંસા પરમો ધર્મનો ઉપદેશ આપે છે અને વેર ત્યજી દેવા સમજાવે છે. પરીક્ષિતને તક્ષક ડસી ગયો એટલે જનમેજય સર્પયજ્ઞ આરંભે છે, અને એમાં અનેક સાપ હોમાય છે, જે તક્ષકનો વાંક હતો તે તો બચી જ જાય છે! અને એકના અપરાધની સજા અનેકને થાય એ ઘટના તો વીસમી-એકવીસમી સદીમાં પણ ક્યાં જોવા નથી મળતી? શૂદ્ર જાતિમાં જન્મ લેવો એ મોટો અપરાધ! આપણે તો એવા સમયમાં જીવીએ છીએ જ્યાં અપરાધ વિના જ શિક્ષા ફરમાવવામાં આવે છે!  
દ્રૌપદી નિમિત્તે સ્વયંવર સભામાં જ યુદ્ધ થાય છે. તેમાં પણ અર્જુન સામે કર્ણે, શલ્યે અને દુુર્યોધને પણ ઝંપલાવ્યું. એક રીતે સ્ત્રીપુરુષના પ્રેમ વિના જન્મેલી બે સ્ત્રીઓ- સીતા અને દ્રૌપદી — આ બંનેને કારણે મહાયુદ્ધો થયાં. સ્વયંવરમાં યુદ્ધ, અજ્ઞાતવાસ પૂરો થતાં થયેલું યુદ્ધ અને છેવટે મહાભારતયુદ્ધ, તેમાં અઢાર અક્ષૌહિણી સેના દ્વારા થયેલું યુદ્ધ. એક રીતે જોઈએ તો રામાયણનું યુદ્ધ કે કૌરવ પાંડવનું યુદ્ધ — બહુ ઓછા દિવસ ચાલેલાં યુદ્ધ છે, તેની સરખામણીમાં ગ્રીક અને ટ્રોય યુદ્ધ કે બીજું વિશ્વયુદ્ધ — વરસોનાં વરસો ચાલ્યાં, અને એટલે જ તેની ભયાનકતા આખા વિશ્વમાં વરતાઈ. સ્વયંવરમાં જીત્યા પછી ઘેર આવેલી દ્રૌપદીના સંદર્ભે કુન્તાથી અજાણતાં બોલાઈ ગયું કે પાંચે જણ ભિક્ષા પામો. મહાભારતકારે અહીં એક બીજી વાસ્તવિકતા પ્રગટાવી છે. એક કથા અનુસાર શંકર ભગવાને વેદવતીને પાંચ પતિનું વરદાન આપ્યું હતું. યુધિષ્ઠિર જોઈ શકે છે કે દ્રૌપદી પ્રત્યે બધા પાંડવો આકર્ષાયા છે અને એટલે જ તે પાંચ પતિને દ્રૌપદી વરે એ વાત સ્વીકારી લે છે. પણ એ સમયે એક પતિ, એક પત્નીનો આદર્શ ન હતો; સમાજ ઘણી બધી રીતે સ્વતંત્રતા ભોગવતો હતો. નિયોગની રૂઢિ સર્વમાન્ય હોવાને કારણે સ્ત્રીઓ પતિ સિવાયના પુરુષ દ્વારા સંતાનપ્રાપ્તિ કરી શકતી હતી, અઢી હજાર વર્ષ પહેલાં ગ્રીક સંસ્કૃતિમાં પણ આ રિવાજ માન્ય હતો. જો કે દ્રુપદ આ માટે તૈયાર નથી. એટલે ત્યાં આવી ચઢેલા વેદવ્યાસનું માર્ગદર્શન ઇચ્છે છે અને વ્યાસ ભગવાન દ્રૌપદી અને પાંડવોના પૂર્વ જન્મની કથા કહે છે.
દ્રૌપદી નિમિત્તે સ્વયંવર સભામાં જ યુદ્ધ થાય છે. તેમાં પણ અર્જુન સામે કર્ણે, શલ્યે અને દુુર્યોધને પણ ઝંપલાવ્યું. એક રીતે સ્ત્રીપુરુષના પ્રેમ વિના જન્મેલી બે સ્ત્રીઓ- સીતા અને દ્રૌપદી — આ બંનેને કારણે મહાયુદ્ધો થયાં. સ્વયંવરમાં યુદ્ધ, અજ્ઞાતવાસ પૂરો થતાં થયેલું યુદ્ધ અને છેવટે મહાભારતયુદ્ધ, તેમાં અઢાર અક્ષૌહિણી સેના દ્વારા થયેલું યુદ્ધ. એક રીતે જોઈએ તો રામાયણનું યુદ્ધ કે કૌરવ પાંડવનું યુદ્ધ — બહુ ઓછા દિવસ ચાલેલાં યુદ્ધ છે, તેની સરખામણીમાં ગ્રીક અને ટ્રોય યુદ્ધ કે બીજું વિશ્વયુદ્ધ — વરસોનાં વરસો ચાલ્યાં, અને એટલે જ તેની ભયાનકતા આખા વિશ્વમાં વરતાઈ. સ્વયંવરમાં જીત્યા પછી ઘેર આવેલી દ્રૌપદીના સંદર્ભે કુન્તાથી અજાણતાં બોલાઈ ગયું કે પાંચે જણ ભિક્ષા પામો. મહાભારતકારે અહીં એક બીજી વાસ્તવિકતા પ્રગટાવી છે. એક કથા અનુસાર શંકર ભગવાને વેદવતીને પાંચ પતિનું વરદાન આપ્યું હતું. યુધિષ્ઠિર જોઈ શકે છે કે દ્રૌપદી પ્રત્યે બધા પાંડવો આકર્ષાયા છે અને એટલે જ તે પાંચ પતિને દ્રૌપદી વરે એ વાત સ્વીકારી લે છે. પણ એ સમયે એક પતિ, એક પત્નીનો આદર્શ ન હતો; સમાજ ઘણી બધી રીતે સ્વતંત્રતા ભોગવતો હતો. નિયોગની રૂઢિ સર્વમાન્ય હોવાને કારણે સ્ત્રીઓ પતિ સિવાયના પુરુષ દ્વારા સંતાનપ્રાપ્તિ કરી શકતી હતી, અઢી હજાર વર્ષ પહેલાં ગ્રીક સંસ્કૃતિમાં પણ આ રિવાજ માન્ય હતો. જો કે દ્રુપદ આ માટે તૈયાર નથી. એટલે ત્યાં આવી ચઢેલા વેદવ્યાસનું માર્ગદર્શન ઇચ્છે છે અને વ્યાસ ભગવાન દ્રૌપદી અને પાંડવોના પૂર્વ જન્મની કથા કહે છે.
મહાભારતમાં અવારનવાર કહેવાયું છે કે ધૃતરાષ્ટ્રની સૌથી મોટી નબળાઈ દુર્યોધન. અને એટલે જ તે સંજયને કહે છે કે હું વિદુર આગળ પાંડવોનાં વખાણ કરવા ખાતર જ કરું છું. પાંડવો વધુ બળવાન થાય તે પહેલાં જ તેમના પર આક્રમણ કરવું જોઈએ એવી સલાહ કર્ણ આપે છે. એક રીતે જોઈએ તો કર્ણનું પાત્ર વિવાદાસ્પદ બને છે. કુન્તીપુત્ર, સૂર્યપુત્ર હોવા છતાં તેના સંસ્કાર સાવ જુદા કેમ? દુર્યોધને રાજકુમારોની પરીક્ષા વખતે કર્ણને અંગ દેશનો રાજા બનાવ્યો તેના ઉપકાર હેઠળ કર્ણ સદાય કચડાતો રહ્યો અને એની પરાકાષ્ઠા તો દ્રૌપદી વસ્ત્રહરણ પ્રસંગે આવી, કોઈ પણ રીતે કર્ણની ઉક્તિઓનો બચાવ કરી જ ન શકાય. ધારો કે કર્ણે કૌરવોને સાચી સલાહ આપી હોત તો? અને એ સલાહ કૌરવોએ માની હોત તો? પણ વ્યાસની યુદ્ધકથા તો આરંભથી રચાઈ જ ચૂકી હતી, અને પછી આવનાર વ્યાસશિષ્યોએ એ યુદ્ધકથાને નિમિત્ત બનાવનારી ઘટનાઓ, વ્યક્તિઓના ઉમેરા કર્યે જ રાખ્યા.  
મહાભારતમાં અવારનવાર કહેવાયું છે કે ધૃતરાષ્ટ્રની સૌથી મોટી નબળાઈ દુર્યોધન. અને એટલે જ તે સંજયને કહે છે કે હું વિદુર આગળ પાંડવોનાં વખાણ કરવા ખાતર જ કરું છું. પાંડવો વધુ બળવાન થાય તે પહેલાં જ તેમના પર આક્રમણ કરવું જોઈએ એવી સલાહ કર્ણ આપે છે. એક રીતે જોઈએ તો કર્ણનું પાત્ર વિવાદાસ્પદ બને છે. કુન્તીપુત્ર, સૂર્યપુત્ર હોવા છતાં તેના સંસ્કાર સાવ જુદા કેમ? દુર્યોધને રાજકુમારોની પરીક્ષા વખતે કર્ણને અંગ દેશનો રાજા બનાવ્યો તેના ઉપકાર હેઠળ કર્ણ સદાય કચડાતો રહ્યો અને એની પરાકાષ્ઠા તો દ્રૌપદી વસ્ત્રહરણ પ્રસંગે આવી, કોઈ પણ રીતે કર્ણની ઉક્તિઓનો બચાવ કરી જ ન શકાય. ધારો કે કર્ણે કૌરવોને સાચી સલાહ આપી હોત તો? અને એ સલાહ કૌરવોએ માની હોત તો? પણ વ્યાસની યુદ્ધકથા તો આરંભથી રચાઈ જ ચૂકી હતી, અને પછી આવનાર વ્યાસશિષ્યોએ એ યુદ્ધકથાને નિમિત્ત બનાવનારી ઘટનાઓ, વ્યક્તિઓના ઉમેરા કર્યે જ રાખ્યા.