31,640
edits
No edit summary |
(+1) |
||
| Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સમગ્ર કવિતા’નું પ્રથમ સંપાદન નર્મદનું. તેણે ૧૮૬૬–૬૭માં દશ વર્ષમાં લખાયેલી પોતાની બધી કાવ્યરચનાઓનું એકસાથે પ્રકાશન કર્યું. આ અગાઉ છૂટક દશ અંકોમાં કે ત્રણ પુસ્તકોમાં પ્રકાશિત સંપાદનોમાં તેણે ટિપ્પણો લખ્યાં ન હતાં. પરંતુ પોતાની કવિતા વિશે લોકોમાં જિજ્ઞાસા વધવાથી આ સંપાદનમાં તે આપવાનું તેને ઇષ્ટ લાગ્યું. તેના નિધન પછી નવલરામ દ્વારા ૧૮૮૭માં સંપાદિત અને ૧૮૮૮માં પ્રકાશિત ‘નર્મકવિતા’ ભા. ૧, ૨ માં આ ટિપ્પણ યથાવત્ રાખવામાં આવ્યું છે. | ‘સમગ્ર કવિતા’નું પ્રથમ સંપાદન નર્મદનું. તેણે ૧૮૬૬–૬૭માં દશ વર્ષમાં લખાયેલી પોતાની બધી કાવ્યરચનાઓનું એકસાથે પ્રકાશન કર્યું. આ અગાઉ છૂટક દશ અંકોમાં કે ત્રણ પુસ્તકોમાં પ્રકાશિત સંપાદનોમાં તેણે ટિપ્પણો લખ્યાં ન હતાં. પરંતુ પોતાની કવિતા વિશે લોકોમાં જિજ્ઞાસા વધવાથી આ સંપાદનમાં તે આપવાનું તેને ઇષ્ટ લાગ્યું. તેના નિધન પછી નવલરામ દ્વારા ૧૮૮૭માં સંપાદિત અને ૧૮૮૮માં પ્રકાશિત ‘નર્મકવિતા’ ભા. ૧, ૨ માં આ ટિપ્પણ યથાવત્ રાખવામાં આવ્યું છે. | ||
સંસ્કૃત સાહિત્યમાં ટીકાનો ભારે મહિમા હતો. ટીકાકાર પણ કવિ જેટલો જ વિખ્યાત બની શકતો. તેનું ઉજ્જ્વલ ઉદાહરણ મલ્લિનાથનું છે. પરંતુ કોઈ સંસ્કૃત કવિએ પોતે પોતાના કાવ્યની ટીકા લખી હોવાનું નોંધાયું નથી. પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીથી દયારામ સુધી આવતાં આવાં ટીકાટિપ્પણો અનાવશ્યક જણાયાં હતાં કારણ તે રચનાઓનાં વસ્તુ, રીતિ, ભાષા આદિ તત્કાલીન પ્રજાને સુગમ હતાં.૧ નર્મદની કવિતા પરંપરાથી સર્વથા જુદી પડતી હતી. વિચાર અને અભિવ્યક્તિની નવતાને કારણે તે સહૃદય ભાવકો માટેય એટલી પરિચિત ન હતી. એક તરફ ઉત્કટ યશેચ્છાથી અને બીજી તરફ કવિતા દ્વારા સમાજમાં આમૂલ પરિવર્તન લાવવાની તીવ્ર ઝંખનાથી તેની કવિતા પ્રેરાયેલી હતી. પોતાની કવિતા પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચાડવા તે સતત જાગ્રત હતો. તેથી ટિપ્પણો તેને અત્યાવશ્યક જણાયાં હતાં. ટિપ્પણો, જેને તે ‘ટીપ’ તરીકે ઓળખાવે છે, આપવાથી ગ્રંથ મોટો થતાં મોંઘો થાય તો ઓછા લોકો તે ખરીદી વાંચી શકે તે એક ખોટપાસું હતું. પરંતુ કવિતા સમજવાની શક્તિ જ લોકોમાં કેળવાયેલી ન હોય તો તેનું પ્રકાશન જ નિરર્થક નીવડે તે વધારે મોટું ખોટપાસું હતું. તેણે પોતાના સમયની ભાવકશક્તિનું મૂલ્યાંકન આ પ્રમાણે કર્યું છે : | સંસ્કૃત સાહિત્યમાં ટીકાનો ભારે મહિમા હતો. ટીકાકાર પણ કવિ જેટલો જ વિખ્યાત બની શકતો. તેનું ઉજ્જ્વલ ઉદાહરણ મલ્લિનાથનું છે. પરંતુ કોઈ સંસ્કૃત કવિએ પોતે પોતાના કાવ્યની ટીકા લખી હોવાનું નોંધાયું નથી. પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીથી દયારામ સુધી આવતાં આવાં ટીકાટિપ્પણો અનાવશ્યક જણાયાં હતાં કારણ તે રચનાઓનાં વસ્તુ, રીતિ, ભાષા આદિ તત્કાલીન પ્રજાને સુગમ હતાં.૧<ref>૧. દલપતરામે પ્રસંગોપાત્ત શબ્દાર્થ અને સંદર્ભ દર્શાવતી પાદટીપો તેમની કેટલીક રચનાની શિલાછાપ આવૃત્તિઓમાં પણ મૂકી છે. આ ટીપ ‘દલપતકાવ્ય’ મુદ્રિત થતાં કોઈક કોઈક સ્થળે બદલાયેલી પણ છે.</ref> નર્મદની કવિતા પરંપરાથી સર્વથા જુદી પડતી હતી. વિચાર અને અભિવ્યક્તિની નવતાને કારણે તે સહૃદય ભાવકો માટેય એટલી પરિચિત ન હતી. એક તરફ ઉત્કટ યશેચ્છાથી અને બીજી તરફ કવિતા દ્વારા સમાજમાં આમૂલ પરિવર્તન લાવવાની તીવ્ર ઝંખનાથી તેની કવિતા પ્રેરાયેલી હતી. પોતાની કવિતા પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચાડવા તે સતત જાગ્રત હતો. તેથી ટિપ્પણો તેને અત્યાવશ્યક જણાયાં હતાં. ટિપ્પણો, જેને તે ‘ટીપ’ તરીકે ઓળખાવે છે, આપવાથી ગ્રંથ મોટો થતાં મોંઘો થાય તો ઓછા લોકો તે ખરીદી વાંચી શકે તે એક ખોટપાસું હતું. પરંતુ કવિતા સમજવાની શક્તિ જ લોકોમાં કેળવાયેલી ન હોય તો તેનું પ્રકાશન જ નિરર્થક નીવડે તે વધારે મોટું ખોટપાસું હતું. તેણે પોતાના સમયની ભાવકશક્તિનું મૂલ્યાંકન આ પ્રમાણે કર્યું છે : | ||
:''‘... મારી કવિતા ઘણા લોકથી સમજાતી નથી એવો ચારે પાસ પોકાર ઉઠી રહેલો તેથી, તે સમજાવવાનું મારું મન ઉશ્કેરાયું. આ ઠેકાણે મારે દલગીરીથી કહેવું પડે છે કે જે રીતની જે સમજે મેં કવિતા લખી છે તે રીતની તે સમજને પહોંચ્યા હોય તેવા મારા પ્રસંગમાં આવેલા સેંકડો જનોમાં (આપણા ગુજરાતીઓમાં) મારા જાણ્યામાં થોડાક જ છે. – કાં તો હજુ લોકમાં કવિતા સમજવાની શક્તિ આવી નથી, કાં તો મારી કવિતા દોષવાળી છે કે કાં તો તે કવિતા જ નથી...’ (૧૮૬૬ની આવૃત્તિની ‘સૂચના’. )'' | :''‘... મારી કવિતા ઘણા લોકથી સમજાતી નથી એવો ચારે પાસ પોકાર ઉઠી રહેલો તેથી, તે સમજાવવાનું મારું મન ઉશ્કેરાયું. આ ઠેકાણે મારે દલગીરીથી કહેવું પડે છે કે જે રીતની જે સમજે મેં કવિતા લખી છે તે રીતની તે સમજને પહોંચ્યા હોય તેવા મારા પ્રસંગમાં આવેલા સેંકડો જનોમાં (આપણા ગુજરાતીઓમાં) મારા જાણ્યામાં થોડાક જ છે. – કાં તો હજુ લોકમાં કવિતા સમજવાની શક્તિ આવી નથી, કાં તો મારી કવિતા દોષવાળી છે કે કાં તો તે કવિતા જ નથી...’ (૧૮૬૬ની આવૃત્તિની ‘સૂચના’. )'' | ||
ટિપ્પણ લખીને કવિ પોતાની કવિતાને સરળ બનાવી, તેને વિશાળ ભાવક વર્ગ સુધી પહોંચાડવા તાકે છે. ટિપ્પણ છતાં જો પોતાની કવિતા લોકોને ન સમજાય તો તેમાં ભાવકનો નહિ પોતાની કવિતાનો દોષ છે તેવી કસોટી પણ સ્વીકારવાની તેની તૈયારી છે. | ટિપ્પણ લખીને કવિ પોતાની કવિતાને સરળ બનાવી, તેને વિશાળ ભાવક વર્ગ સુધી પહોંચાડવા તાકે છે. ટિપ્પણ છતાં જો પોતાની કવિતા લોકોને ન સમજાય તો તેમાં ભાવકનો નહિ પોતાની કવિતાનો દોષ છે તેવી કસોટી પણ સ્વીકારવાની તેની તૈયારી છે. | ||
| Line 15: | Line 15: | ||
આ સમયે દલપતરામ અને મનમોહનદાસ જેવા પ્રૌઢ અને આશુકવિઓની બોલબાલા હતી. ઊગી રહેલા અને કવિયશેચ્છુ નર્મદને તો છંદશાસ્ત્રનું માર્ગદર્શન કે પુસ્તક પણ સુલભ ન હતું. મનમોહનદાસે તો નર્મદના આ વિશેના પત્રનો ઉત્તર વાળવા જેટલો પણ વિવેક દાખવ્યો ન હતો. તેણે પ્રથમ આ બે કવિઓના અનુકરણમાં અને પછી ગ્રંથો મેળવી, કાવ્યસર્જન માટેનાં ઓજાર હસ્તગત કરી લીધાં હતાં. આ દિશામાંના તેના પ્રયત્નોની વિગતો ‘મારી હકીકત’માં કવિએ આપી છે. ‘નર્મકવિતા’નાં પ્રારંભનાં કાવ્યોની પાદટીપમાં પણ આ વિશે વિગતે નોંધો છે. તે ઉપરથી તેની મથામણનો સ્પષ્ટતાથી ખ્યાલ આવે છે. પહેલું કાવ્ય ‘કેફ’ તેણે દોહરામાં રચ્યું ત્યારે દોહરો કેમ કરવો તેનું તેને જ્ઞાન ન હતું તેમ તેની પાદટીપ કહે છે. નાનપણમાં વાંચેલી શામળની કવિતાના સંસ્કાર અને ‘કંઈ દલપતરામનું ને કંઈ મનમોહનદાસનું’ જોઈ તેણે આ દોહરા ચોપાઈ કર્યાં હતાં. ‘શ્રીમંતને પરમાર્થ વિશે શિક્ષા’ કાવ્યની ટીપ કવિની સદા જાગ્રત જિજ્ઞાસા અને નવું ગ્રહણ કરવાની તત્પરતા દર્શાવે છે. ‘દક્ષિણી વામન પંડિતનું કરેલું “ગોપીગીત”’ જોયું અને તેના ઢાળમાં ‘બાર મહિના લખી ગરીબની હાલત બતાવું’ તેવો તેને તુક્કો સૂઝ્યો. આ સંદર્ભમાં કવિ ટીપમાં નેાંધે છે : | આ સમયે દલપતરામ અને મનમોહનદાસ જેવા પ્રૌઢ અને આશુકવિઓની બોલબાલા હતી. ઊગી રહેલા અને કવિયશેચ્છુ નર્મદને તો છંદશાસ્ત્રનું માર્ગદર્શન કે પુસ્તક પણ સુલભ ન હતું. મનમોહનદાસે તો નર્મદના આ વિશેના પત્રનો ઉત્તર વાળવા જેટલો પણ વિવેક દાખવ્યો ન હતો. તેણે પ્રથમ આ બે કવિઓના અનુકરણમાં અને પછી ગ્રંથો મેળવી, કાવ્યસર્જન માટેનાં ઓજાર હસ્તગત કરી લીધાં હતાં. આ દિશામાંના તેના પ્રયત્નોની વિગતો ‘મારી હકીકત’માં કવિએ આપી છે. ‘નર્મકવિતા’નાં પ્રારંભનાં કાવ્યોની પાદટીપમાં પણ આ વિશે વિગતે નોંધો છે. તે ઉપરથી તેની મથામણનો સ્પષ્ટતાથી ખ્યાલ આવે છે. પહેલું કાવ્ય ‘કેફ’ તેણે દોહરામાં રચ્યું ત્યારે દોહરો કેમ કરવો તેનું તેને જ્ઞાન ન હતું તેમ તેની પાદટીપ કહે છે. નાનપણમાં વાંચેલી શામળની કવિતાના સંસ્કાર અને ‘કંઈ દલપતરામનું ને કંઈ મનમોહનદાસનું’ જોઈ તેણે આ દોહરા ચોપાઈ કર્યાં હતાં. ‘શ્રીમંતને પરમાર્થ વિશે શિક્ષા’ કાવ્યની ટીપ કવિની સદા જાગ્રત જિજ્ઞાસા અને નવું ગ્રહણ કરવાની તત્પરતા દર્શાવે છે. ‘દક્ષિણી વામન પંડિતનું કરેલું “ગોપીગીત”’ જોયું અને તેના ઢાળમાં ‘બાર મહિના લખી ગરીબની હાલત બતાવું’ તેવો તેને તુક્કો સૂઝ્યો. આ સંદર્ભમાં કવિ ટીપમાં નેાંધે છે : | ||
:''‘...એ વખતે કાલિદાસના શ્રુતબોધમાં આવેલા અક્ષરવૃત્તોના નિયમો જે મેં નાશકના દાદાદેવ શાસ્ત્રી પાસેથી સમજી લીધા હતા તેટલા જ જાણતો હતો.... એક શ્રીમાળી બ્રાહ્મણની પાસથી આનાના પૈસા ઉછીતા લઈને ચોપડી લઈ આવ્યો, પછી લઘુ ગુરુ અક્ષરો જોઈ જોઈને સાંજના પાંચ વાગાથી તે દશ વાગા લગીમાં પહેલા બે અને પછી બાર એમ ચૌદ શ્લોક બનાવ્યા.... એ ગોપીગીતના ઢાળને લલિતવૃત્ત એ નામ પછવાડેથી આપ્યું છે તે સુરતમાં થઈ ગયેલા લાલદાસ નામના દાદુપંથી સાધુના બનાવેલા પિંગળ ઉપરથી.... એ લલિતવૃત્ત બિજાં હિંદુસ્તાની પિંગળોમાં આપેલું નથી. દલપતરામ કવિએ પણ મારે મોહડેથી સાંભળ્યા પછી પોતાનાં પિંગળમાં દાખલ કર્યું છે. એ વૃત્ત કરૂણારસ કવિતાને ઘણું જ અનુકૂળ છે.’'' | :''‘...એ વખતે કાલિદાસના શ્રુતબોધમાં આવેલા અક્ષરવૃત્તોના નિયમો જે મેં નાશકના દાદાદેવ શાસ્ત્રી પાસેથી સમજી લીધા હતા તેટલા જ જાણતો હતો.... એક શ્રીમાળી બ્રાહ્મણની પાસથી આનાના પૈસા ઉછીતા લઈને ચોપડી લઈ આવ્યો, પછી લઘુ ગુરુ અક્ષરો જોઈ જોઈને સાંજના પાંચ વાગાથી તે દશ વાગા લગીમાં પહેલા બે અને પછી બાર એમ ચૌદ શ્લોક બનાવ્યા.... એ ગોપીગીતના ઢાળને લલિતવૃત્ત એ નામ પછવાડેથી આપ્યું છે તે સુરતમાં થઈ ગયેલા લાલદાસ નામના દાદુપંથી સાધુના બનાવેલા પિંગળ ઉપરથી.... એ લલિતવૃત્ત બિજાં હિંદુસ્તાની પિંગળોમાં આપેલું નથી. દલપતરામ કવિએ પણ મારે મોહડેથી સાંભળ્યા પછી પોતાનાં પિંગળમાં દાખલ કર્યું છે. એ વૃત્ત કરૂણારસ કવિતાને ઘણું જ અનુકૂળ છે.’'' | ||
કવિના ખંત અને સંશોધનવૃત્તિનો પરિચય આપતી આ ટીપ ‘મારી હકીકત’માં આ વિશેના નિરૂપણની પૂર્તિરૂપ ગણી શકાય. ૧૮૬૫માં પ્રકાશિત ‘જૂનું નર્મગદ્ય’માં ‘નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતના ધર્મ’ એ નિબંધને અંતે મૂકેલી આ રચનાને આરંભે ‘રાગ ગોપી-ગીતનો’ એવો નિર્દેશ છે. આ પછી કેળવણી ખાતા તરફથી પ્રકાશિત ‘નર્મગદ્ય’માં (૧૮૭૪) ‘લલિતવૃત્ત’નો ઉલ્લેખ છે. લાલદાસ રચિત ‘છંદરત્નાવળી’ તેણે આ કડીઓ રચ્યાની સાલમાં જ ઉતારી લીધી હતી. આ છંદનો ઉલ્લેખ ૧૮૬૫માં નહિ અને છેક ૧૮૭૪માં સુધારાયો તેમાં વૃત્તનિશ્ચયનો સંદેહ નહિ, પ્રમાદ પણ નહિ, કવિનો એકીસાથે અનેક ઘોડે સવારી કરવાનો ઉત્સાહ જવાબદાર છે. ૧૮૬૭ના ‘નર્મકવિતા’ના સંપાદનમાં આ સુધારો થઈ ગયો હતેા. ‘લલિતવૃત્ત’ બીજાં હિન્દુસ્તાની પિંગળોમાં આપેલું નથી એ વિધાન અતિવ્યાપ્ત અને ચકાસણીને પાત્ર છે. હિન્દુસ્તાની પિંગળથી કવિ વ્રજભાષાના પિંગળનો ઉલ્લેખ કરતા જણાય છે. તેમણે તેનાં બધાં જ પિંગળો જોયાં હશે તેમ માની શકાતું નથી. તેમ છતાં, નર્મદના આ વિધાનમાં તથ્ય તો છે. સૌરાષ્ટ્ર યુનિ.ના ‘ગુજરાતી ભાષાસાહિત્ય ભવન’ના ચારણી સાહિત્યની હસ્તપ્રતોના સંગ્રહમાંના વ્રજભાષાના બે પિંગળ-ગ્રંથોમાં – કુંવરકુશળકૃત ‘લખપતપિંગળ’ (સં. ૧૮૦૮) અને ચિંતામણિકૃત ‘છંદલતા’ (સં. ૧૯૩૩) – લલિત છંદને માત્રામેળ (પહેલું ચરણ ૧૬ અને બીજું ચરણ ૧૨ માત્રા) ગણાવ્યો છે. તેનાં ઉદાહરણો પણ માત્રામેળ અનુસારનાં છે. મુનિ જિનવિજયજી સંપાદિત ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા’માં પ્રકાશિત (સન ૧૯૬૦) અને ચારણ કિસનાજી આઢા વિરચિત ‘રઘુવરજસપ્રકાસ’માં તો માત્રામેળ તરીકે પણ લલિત છંદનો ઉલ્લેખ નથી. તે નામફેરથી પણ ત્યાં હોવાની શક્યતા નથી કારણ તેના ન્યાસનો પણ એકેય છંદ તેમાં નથી. ભુજની પાઠશાળામાં વ્રજભાષાના પિંગળનું શિક્ષણ પામેલા દલપતરામને આ છંદનો ખ્યાલ ન હતો તે તેમણે જ કવિને કહ્યું હશે અને તે ઉપરથી તેણે આ અનુમાન કર્યું હશે. દલપતરામે તેની પાસેથી સાંભળી આ છંદ તેમના પિંગળમાં ઉમેર્યો તે દાવો, દલપતરામના કે ન્હાનાલાલના પ્રતિવાદની ગેરહાજરીમાં, સ્વીકારી શકાય. ગુજરાતીમાં આ છંદ પુરસ્કારનાર નર્મદ હતો તે હકીકતની નોંધ હવે લેવાવી જેઈએ.૨ | કવિના ખંત અને સંશોધનવૃત્તિનો પરિચય આપતી આ ટીપ ‘મારી હકીકત’માં આ વિશેના નિરૂપણની પૂર્તિરૂપ ગણી શકાય. ૧૮૬૫માં પ્રકાશિત ‘જૂનું નર્મગદ્ય’માં ‘નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતના ધર્મ’ એ નિબંધને અંતે મૂકેલી આ રચનાને આરંભે ‘રાગ ગોપી-ગીતનો’ એવો નિર્દેશ છે. આ પછી કેળવણી ખાતા તરફથી પ્રકાશિત ‘નર્મગદ્ય’માં (૧૮૭૪) ‘લલિતવૃત્ત’નો ઉલ્લેખ છે. લાલદાસ રચિત ‘છંદરત્નાવળી’ તેણે આ કડીઓ રચ્યાની સાલમાં જ ઉતારી લીધી હતી. આ છંદનો ઉલ્લેખ ૧૮૬૫માં નહિ અને છેક ૧૮૭૪માં સુધારાયો તેમાં વૃત્તનિશ્ચયનો સંદેહ નહિ, પ્રમાદ પણ નહિ, કવિનો એકીસાથે અનેક ઘોડે સવારી કરવાનો ઉત્સાહ જવાબદાર છે. ૧૮૬૭ના ‘નર્મકવિતા’ના સંપાદનમાં આ સુધારો થઈ ગયો હતેા. ‘લલિતવૃત્ત’ બીજાં હિન્દુસ્તાની પિંગળોમાં આપેલું નથી એ વિધાન અતિવ્યાપ્ત અને ચકાસણીને પાત્ર છે. હિન્દુસ્તાની પિંગળથી કવિ વ્રજભાષાના પિંગળનો ઉલ્લેખ કરતા જણાય છે. તેમણે તેનાં બધાં જ પિંગળો જોયાં હશે તેમ માની શકાતું નથી. તેમ છતાં, નર્મદના આ વિધાનમાં તથ્ય તો છે. સૌરાષ્ટ્ર યુનિ.ના ‘ગુજરાતી ભાષાસાહિત્ય ભવન’ના ચારણી સાહિત્યની હસ્તપ્રતોના સંગ્રહમાંના વ્રજભાષાના બે પિંગળ-ગ્રંથોમાં – કુંવરકુશળકૃત ‘લખપતપિંગળ’ (સં. ૧૮૦૮) અને ચિંતામણિકૃત ‘છંદલતા’ (સં. ૧૯૩૩) – લલિત છંદને માત્રામેળ (પહેલું ચરણ ૧૬ અને બીજું ચરણ ૧૨ માત્રા) ગણાવ્યો છે. તેનાં ઉદાહરણો પણ માત્રામેળ અનુસારનાં છે. મુનિ જિનવિજયજી સંપાદિત ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા’માં પ્રકાશિત (સન ૧૯૬૦) અને ચારણ કિસનાજી આઢા વિરચિત ‘રઘુવરજસપ્રકાસ’માં તો માત્રામેળ તરીકે પણ લલિત છંદનો ઉલ્લેખ નથી. તે નામફેરથી પણ ત્યાં હોવાની શક્યતા નથી કારણ તેના ન્યાસનો પણ એકેય છંદ તેમાં નથી. ભુજની પાઠશાળામાં વ્રજભાષાના પિંગળનું શિક્ષણ પામેલા દલપતરામને આ છંદનો ખ્યાલ ન હતો તે તેમણે જ કવિને કહ્યું હશે અને તે ઉપરથી તેણે આ અનુમાન કર્યું હશે. દલપતરામે તેની પાસેથી સાંભળી આ છંદ તેમના પિંગળમાં ઉમેર્યો તે દાવો, દલપતરામના કે ન્હાનાલાલના પ્રતિવાદની ગેરહાજરીમાં, સ્વીકારી શકાય. ગુજરાતીમાં આ છંદ પુરસ્કારનાર નર્મદ હતો તે હકીકતની નોંધ હવે લેવાવી જેઈએ.૨<ref>૨. રા. વિ. પા.એ નોંધ્યું છે કે ‘આનું લલિત નામ પાડ્યું નર્મદે’ (બૃહદ્ પિં., પૃ. ૪૫૦). ભાગવતનું ગોપિકાગીત આ જ ન્યાસના છંદમાં છે. સંસ્કૃત કવિઓને આ છંદનો ન્યાસ અપરિચિત નથી. ‘રણપિંગળ’માં આ ન્યાસનાં લલિત, ભાવિની, કનકમંજરી, ભામિની, ઇન્દિરા, શુદ્ધકામદા, વિબુધવંદિતા અને રાજહંસી એવાં આઠ નામ આપવામાં આવ્યાં છે. તેમાં રણછોડભાઈએ નર્મદનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે આપેલાં ‘લલિત’ સિવાયનાં નામો પારંપરિક છંદશાસ્ત્રને આધારે છે એ નિઃશંક છે. વ્રજ-ભાષાના ઉપર ઉલ્લેખેલ પિંગળ-ગ્રંથોમાં આ ન્યાસનો કોઈ છંદ નથી. છતાં ‘છંદરત્નાવળી’માં તે નર્મદને મળ્યો તેથી તે ન્યાસ અને નામ પણ પારંપરિક જ છે.</ref> | ||
છંદો હસ્તગત કર્યા પછી નર્મદ નવાં છંદસંયોજનો તરફ વળે છે. ‘લલિતા’ કાવ્યની ટીપ અનુસાર તેનો હરિગીત જુદા બંધારણનો છે. | છંદો હસ્તગત કર્યા પછી નર્મદ નવાં છંદસંયોજનો તરફ વળે છે. ‘લલિતા’ કાવ્યની ટીપ અનુસાર તેનો હરિગીત જુદા બંધારણનો છે. | ||
“મારા હરીગીતમાં ૧૪ અને ૧૨ એમ ૨૬મી માત્રાને અંતે રગણ હોય છે વળી ૧ લી, ૮ મી, ૧૫મી અને ૨૨–૨૩મી ઉપર તાલ આવે છે.’ | “મારા હરીગીતમાં ૧૪ અને ૧૨ એમ ૨૬મી માત્રાને અંતે રગણ હોય છે વળી ૧ લી, ૮ મી, ૧૫મી અને ૨૨–૨૩મી ઉપર તાલ આવે છે.’ | ||
| Line 57: | Line 57: | ||
‘નવ કરશો કોઈ શોક’ કવિનાં અંતિમ કાવ્યોમાંનું એક છે તેવી માન્યતાને તેની ટીપ ખોટી પાડે છે. એક વાર તે ગભરાટમાં પડી જતાં, ‘મોત વહેલું થશે ત્યારે મારાં પ્યારા-પ્યારીઓને બહુ દુઃખ થશે’–એવો વિચાર આવતાં તે લખાયું છે. આ કાવ્ય લખ્યા પછી તો તે બે દાયકા જીવ્યો હતો. આ પદ અથવા ‘આહા યશગીત ગવાયે’ એ પદ ‘મારા મરણ પછી મારી રાખ પર દેવડી બંધાય તો તે પર’ કોતરાવવાની નોંધ બીજા પદની ટીપમાં કવિએ કરી છે. | ‘નવ કરશો કોઈ શોક’ કવિનાં અંતિમ કાવ્યોમાંનું એક છે તેવી માન્યતાને તેની ટીપ ખોટી પાડે છે. એક વાર તે ગભરાટમાં પડી જતાં, ‘મોત વહેલું થશે ત્યારે મારાં પ્યારા-પ્યારીઓને બહુ દુઃખ થશે’–એવો વિચાર આવતાં તે લખાયું છે. આ કાવ્ય લખ્યા પછી તો તે બે દાયકા જીવ્યો હતો. આ પદ અથવા ‘આહા યશગીત ગવાયે’ એ પદ ‘મારા મરણ પછી મારી રાખ પર દેવડી બંધાય તો તે પર’ કોતરાવવાની નોંધ બીજા પદની ટીપમાં કવિએ કરી છે. | ||
નર્મદની સ્વાતંત્ર્યભાવના ક્રાન્તિકારીની હતી. ૧૮૫૭ની ક્રાન્તિને અને તેના વીરોને તે જમાનામાં ગાનાર એકમાત્ર ગુજરાતી કવિ નર્મદ. ક્રાન્તિ તો દબાઈ ગઈ છતાં તેનો આતશ કવિના અંતરમાં તો એટલો જ જલતો હતો તેનું પ્રમાણ ‘સ્વતંત્રતા’ કાવ્ય અને તેની ટીપ છે. ૧૮૫૯માં બેટ દ્વારકામાં અંગ્રેજોએ વાઘેરોને હરાવ્યા તે જાણી તેને ‘એકદમ જોસ્સો’ થઈ આવ્યો. આ કવિતા બે દિવસમાં જ તેણે જોડી કાઢી. તે વખતની તેના મનની સ્થિતિ વિશે ટીપ કહે છે : | નર્મદની સ્વાતંત્ર્યભાવના ક્રાન્તિકારીની હતી. ૧૮૫૭ની ક્રાન્તિને અને તેના વીરોને તે જમાનામાં ગાનાર એકમાત્ર ગુજરાતી કવિ નર્મદ. ક્રાન્તિ તો દબાઈ ગઈ છતાં તેનો આતશ કવિના અંતરમાં તો એટલો જ જલતો હતો તેનું પ્રમાણ ‘સ્વતંત્રતા’ કાવ્ય અને તેની ટીપ છે. ૧૮૫૯માં બેટ દ્વારકામાં અંગ્રેજોએ વાઘેરોને હરાવ્યા તે જાણી તેને ‘એકદમ જોસ્સો’ થઈ આવ્યો. આ કવિતા બે દિવસમાં જ તેણે જોડી કાઢી. તે વખતની તેના મનની સ્થિતિ વિશે ટીપ કહે છે : | ||
‘એ બે દહાડામાં હું જબરા આવેશમાં હતો. ને ઘરમાંથી બાહાર તો ગયો જ નોહોતો, પણ મારી એક ન્હાની ઓરડીમાં ભરાઈ રહ્યો હતો’. | :''‘એ બે દહાડામાં હું જબરા આવેશમાં હતો. ને ઘરમાંથી બાહાર તો ગયો જ નોહોતો, પણ મારી એક ન્હાની ઓરડીમાં ભરાઈ રહ્યો હતો’.'' | ||
કેટલાંક નિમિત્તો ઊભરો જન્માવનારાં હતાં ને તેમાંથી સદ્યઃ પદરચના થઈ જતી. પરંતુ કેટલાંક નિમિત્તો તરંગ કે જોસ્સાથી વિશેષ સ્થાયી પ્રકારનાં હતાં. તેમાંથી કાવ્યના બીજના ફલન માટે સાધના અને તન્નિમિત્તક અભ્યાસની ધૈર્યપૂર્વકની પ્રક્રિયા થતી તે પણ અનેક કાવ્યોની પાદટીપો પ્રતીતિ કરાવે છે. ‘ઋતુવર્ણન’ લખતાં પહેલાં તેણે ‘કાળિદાસનો ઋતુસંહાર’ અને ‘ટામસનના સીઝન્સ’નો અભ્યાસ કર્યો હતો. પરંતુ કવિ તે પણ નોંધે છે કે ‘મેં કોઈ ગ્રંથના વિચારો આ ગ્રંથમાં લીધા નથી.’ ઊલટું તેઓ ઉત્સાહ અને આત્મશ્લાઘાથી નોંધે છે : ‘ઋતુવર્ણન સરખો નાહાનો શાસ્ત્રીય ગ્રંથ અંગ્રેજીમાં ને સંસ્કૃતમાં મારા જોવામાં આવ્યો નથી...’ વસ્તુતઃ આ ઋતુકાવ્ય છે અને મધ્યકાલીન ગુજરાતીમાં તો આ પ્રકારના કાવ્યની એક પરંપરા છે. કવિએ ઋતુવર્ણન અને વિરહવર્ણનની કરેલી યોજના તેને અનુસરે છે. નાયિકા પોતાની વિરહવ્યથા ખીસને કહે તેવો કવિએ યોજેલો ઉપક્રમ પણ જૂની અને મધ્યકાલીન ગુજરાતી રચનાઓને અપરિચિત નથી. ‘નાયિકા પ્રવેશ’ના આ લેખકે પ્રારંભની ટીપમાં આ નાયિકાને પ્રોષિતભર્તૃકા, સુમધ્યમા અને રસિક સુઘડ સુંદરી કહી તેને ‘કાવ્યશાસ્ત્ર, કામશાસ્ત્ર ભણીને સ્નેહશાસ્ત્રમાં પ્રૌઢા થયેલી’ વર્ણવી છે. આ કાવ્યમાં વિરહવ્યથા-નિમિત્તે કેટલુંક નિરૂપણ ‘ઉઘાડું’ આવે છે તેનો પણ ખુલાસો કવિએ કર્યો છે : ‘હું કંઈ અવિવેકી નથી; તો પણ ગ્રંથને અપૂર્ણતાનો દોષ ન આવે તેને માટે સંસ્કૃત ને હિંદુસ્તાની ગ્રંથોની રીત પ્રમાણે કામશાસ્ત્રના રંગો પણ મેં બતાવ્યા છે.’ આમ કહીને કવિ આ રચનાની pornographyનો માત્ર બચાવ કરવાનો જ નહિ, તેનું ઔચિત્ય પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે. તેનાં પ્રીતિસંબંધી પદોમાં પણ આવાં વર્ણનો બિનછોછ આવ્યાં છે અને તેને પણ તેણે ગ્રંથસ્થ કર્યાં છે. ત્યાં અપૂર્ણતાનો દોષ નિવારવાનો પ્રશ્ન જ ક્યાં હતો? સંસ્કૃત સાહિત્યનો દાખલો કવિ આપે છે પરંતુ ત્યાં તો વ્યંજનાનો આશ્રય લઈ ભાવકની કલ્પના પર ઘણું બધું છોડવામાં આવે છે. અહીં તો બધું જ અભિધામાં છે અને તેથીય સંતોષ ન થયો હોય તેમ ટીપમાં પણ અતિ પ્રાકૃત અર્થો તે આપે છે ત્યારે એમ માનવું પડે છે કે આવાં ઉદાહરણોમાં તેનો આવી પ્રાકૃતતાના નિરૂપણનો શોખ આવિષ્કાર પામ્યો છે. | કેટલાંક નિમિત્તો ઊભરો જન્માવનારાં હતાં ને તેમાંથી સદ્યઃ પદરચના થઈ જતી. પરંતુ કેટલાંક નિમિત્તો તરંગ કે જોસ્સાથી વિશેષ સ્થાયી પ્રકારનાં હતાં. તેમાંથી કાવ્યના બીજના ફલન માટે સાધના અને તન્નિમિત્તક અભ્યાસની ધૈર્યપૂર્વકની પ્રક્રિયા થતી તે પણ અનેક કાવ્યોની પાદટીપો પ્રતીતિ કરાવે છે. ‘ઋતુવર્ણન’ લખતાં પહેલાં તેણે ‘કાળિદાસનો ઋતુસંહાર’ અને ‘ટામસનના સીઝન્સ’નો અભ્યાસ કર્યો હતો. પરંતુ કવિ તે પણ નોંધે છે કે ‘મેં કોઈ ગ્રંથના વિચારો આ ગ્રંથમાં લીધા નથી.’ ઊલટું તેઓ ઉત્સાહ અને આત્મશ્લાઘાથી નોંધે છે : ‘ઋતુવર્ણન સરખો નાહાનો શાસ્ત્રીય ગ્રંથ અંગ્રેજીમાં ને સંસ્કૃતમાં મારા જોવામાં આવ્યો નથી...’ વસ્તુતઃ આ ઋતુકાવ્ય છે અને મધ્યકાલીન ગુજરાતીમાં તો આ પ્રકારના કાવ્યની એક પરંપરા છે. કવિએ ઋતુવર્ણન અને વિરહવર્ણનની કરેલી યોજના તેને અનુસરે છે. નાયિકા પોતાની વિરહવ્યથા ખીસને કહે તેવો કવિએ યોજેલો ઉપક્રમ પણ જૂની અને મધ્યકાલીન ગુજરાતી રચનાઓને અપરિચિત નથી. ‘નાયિકા પ્રવેશ’ના આ લેખકે પ્રારંભની ટીપમાં આ નાયિકાને પ્રોષિતભર્તૃકા, સુમધ્યમા અને રસિક સુઘડ સુંદરી કહી તેને ‘કાવ્યશાસ્ત્ર, કામશાસ્ત્ર ભણીને સ્નેહશાસ્ત્રમાં પ્રૌઢા થયેલી’ વર્ણવી છે. આ કાવ્યમાં વિરહવ્યથા-નિમિત્તે કેટલુંક નિરૂપણ ‘ઉઘાડું’ આવે છે તેનો પણ ખુલાસો કવિએ કર્યો છે : ‘હું કંઈ અવિવેકી નથી; તો પણ ગ્રંથને અપૂર્ણતાનો દોષ ન આવે તેને માટે સંસ્કૃત ને હિંદુસ્તાની ગ્રંથોની રીત પ્રમાણે કામશાસ્ત્રના રંગો પણ મેં બતાવ્યા છે.’ આમ કહીને કવિ આ રચનાની pornographyનો માત્ર બચાવ કરવાનો જ નહિ, તેનું ઔચિત્ય પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે. તેનાં પ્રીતિસંબંધી પદોમાં પણ આવાં વર્ણનો બિનછોછ આવ્યાં છે અને તેને પણ તેણે ગ્રંથસ્થ કર્યાં છે. ત્યાં અપૂર્ણતાનો દોષ નિવારવાનો પ્રશ્ન જ ક્યાં હતો? સંસ્કૃત સાહિત્યનો દાખલો કવિ આપે છે પરંતુ ત્યાં તો વ્યંજનાનો આશ્રય લઈ ભાવકની કલ્પના પર ઘણું બધું છોડવામાં આવે છે. અહીં તો બધું જ અભિધામાં છે અને તેથીય સંતોષ ન થયો હોય તેમ ટીપમાં પણ અતિ પ્રાકૃત અર્થો તે આપે છે ત્યારે એમ માનવું પડે છે કે આવાં ઉદાહરણોમાં તેનો આવી પ્રાકૃતતાના નિરૂપણનો શોખ આવિષ્કાર પામ્યો છે. | ||
‘હિંદુઓની પડતી’ની રચના ‘એપિક’ લખવાના, ‘મોટો ગ્રંથ’ લખવાના વિચારમાંથી આવી છે. તે માટે પારંપરિક વિષયને બદલે સુધારાનો વિષય લઈ કાવ્ય લખવાનો જે નકશો તૈયાર કર્યો તે તેણે ટિપ્પણમાં આપ્યો છે. તેને આધારે કાવ્યનો વિષય, તેનો ઉપક્રમ, છંદયોજના, પાત્રવિધાન આદિ માટે તે કેટલો ઝીણો વિચાર કરતો હતો અને કાવ્ય લખતાં જે છેકભૂંસ થઈ હશે તેનો પણ ખ્યાલ આવે છે. ‘રાજ્યરંગ’ના લેખન માટે તો કવિએ ઇતિહાસનો ખૂબ વ્યાપક અને ઊંડો અભ્યાસ કર્યો હતો. પરંતુ તે પહેલાં પણ ઇતિહાસના અભ્યાસની ભૂમિકા તો હતી જ અને તે ઉપયોગી પણ નીવડી હતી તે આ કાવ્યની ટીપને આધારે જણાય છે. | ‘હિંદુઓની પડતી’ની રચના ‘એપિક’ લખવાના, ‘મોટો ગ્રંથ’ લખવાના વિચારમાંથી આવી છે. તે માટે પારંપરિક વિષયને બદલે સુધારાનો વિષય લઈ કાવ્ય લખવાનો જે નકશો તૈયાર કર્યો તે તેણે ટિપ્પણમાં આપ્યો છે. તેને આધારે કાવ્યનો વિષય, તેનો ઉપક્રમ, છંદયોજના, પાત્રવિધાન આદિ માટે તે કેટલો ઝીણો વિચાર કરતો હતો અને કાવ્ય લખતાં જે છેકભૂંસ થઈ હશે તેનો પણ ખ્યાલ આવે છે. ‘રાજ્યરંગ’ના લેખન માટે તો કવિએ ઇતિહાસનો ખૂબ વ્યાપક અને ઊંડો અભ્યાસ કર્યો હતો. પરંતુ તે પહેલાં પણ ઇતિહાસના અભ્યાસની ભૂમિકા તો હતી જ અને તે ઉપયોગી પણ નીવડી હતી તે આ કાવ્યની ટીપને આધારે જણાય છે. | ||
| Line 71: | Line 71: | ||
આ ટીપમાંથી કેટલાય લુપ્તપ્રયોગ શબ્દો અને લુપ્ત અર્થછાયાઓ પણ પકડાય છે. દા. ત. : | આ ટીપમાંથી કેટલાય લુપ્તપ્રયોગ શબ્દો અને લુપ્ત અર્થછાયાઓ પણ પકડાય છે. દા. ત. : | ||
૧. બાળે ગંજી ઘાસની, બાળે કાલાંહાડ | ૧. બાળે ગંજી ઘાસની, બાળે કાલાંહાડ | ||
(વજેસંગ અને ચાંદબા...) | :::(વજેસંગ અને ચાંદબા...) | ||
કાલાંહાડ : કપાસનાં દોડવાં જ્યાંહાં થોડીવાર ભરી રાખે છે તે વાડો. એ શબ્દ પુલિંગે છે. | કાલાંહાડ : કપાસનાં દોડવાં જ્યાંહાં થોડીવાર ભરી રાખે છે તે વાડો. એ શબ્દ પુલિંગે છે. | ||
કવિના સમયમાં જ આ શબ્દ લુપ્ત થવા માંડ્યો હશે તેથી તેની જાતિ પણ આપી. તે શબ્દ ‘પુલિંગ છે’ અથવા ‘પુલિંગમાં છે’ એવા પ્રયોગને બદલે “પુલિંગે છે” એ આજે લુપ્તપ્રાય પ્રયોગ પણ નોંધો. | કવિના સમયમાં જ આ શબ્દ લુપ્ત થવા માંડ્યો હશે તેથી તેની જાતિ પણ આપી. તે શબ્દ ‘પુલિંગ છે’ અથવા ‘પુલિંગમાં છે’ એવા પ્રયોગને બદલે “પુલિંગે છે” એ આજે લુપ્તપ્રાય પ્રયોગ પણ નોંધો. | ||
| Line 81: | Line 81: | ||
આજે તો આ અર્થ લક્ષણાથી પણ થવાની શક્યતા ઓછી છે. | આજે તો આ અર્થ લક્ષણાથી પણ થવાની શક્યતા ઓછી છે. | ||
કવિની અવલોકનશક્તિનો પણ સારો પરિચય આ ટીપોમાંથી મળી રહે છે. સાંસારિક પરિસ્થિતિનું તેનું અવલોકન ખૂબ વિગતે તેમાં છે. આ ટીપો તત્કાલીન સમાજનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. પ્રકૃતિવર્ણનમાં પણ કવિની અવલોકનશક્તિ ખીલી છે. તેની ભૂમિકા અને સંદર્ભ આ ટીપો પૂરાં પાડે છે. તેની અવલોકનશક્તિએ તો કાગડાનેય તાડી પીતા જોયા છે ને તેનો ઉપયોગ પણ તેની વિચક્ષણ પ્રતિભાએ કર્યો છે. આ પંક્તિ જુઓ : | કવિની અવલોકનશક્તિનો પણ સારો પરિચય આ ટીપોમાંથી મળી રહે છે. સાંસારિક પરિસ્થિતિનું તેનું અવલોકન ખૂબ વિગતે તેમાં છે. આ ટીપો તત્કાલીન સમાજનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. પ્રકૃતિવર્ણનમાં પણ કવિની અવલોકનશક્તિ ખીલી છે. તેની ભૂમિકા અને સંદર્ભ આ ટીપો પૂરાં પાડે છે. તેની અવલોકનશક્તિએ તો કાગડાનેય તાડી પીતા જોયા છે ને તેનો ઉપયોગ પણ તેની વિચક્ષણ પ્રતિભાએ કર્યો છે. આ પંક્તિ જુઓ : | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>તાડિ પાઈને કાગડો, બનાવિ જોયે ગેલ. | |||
{{right|(વજેસંગ ને ચાંદબા...)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
આ કંઈ અપરિચિત કવિસમય નથી. કવિએ નોંધ્યું છે : ‘દિવસે કાગડા તાડી પીએ છે ને પછી બુમ મારયા કરે છે. ૪–૫ વાગતે ગામને પાદરે એકાંતમાં કાગડાંને, તાડે બાંધેલાં ઘડુઆં આગળ ડાહ્યો થઈને બેઠેલો અને તેમાં ચાંચ બોળતો જોવો એ આનંદકર છે.’ કોયલ જેવાં પક્ષીને તો સૌ જુએ, આ કવિ તો કાગડામાં પણ રસ દાખવે છે! ‘તૈયારી છે ચૂપ ચૂપ કહે કાગડાઓ નકીબ’ એમ વર્ષાની આગાહી આ જ કવિએ કરી છે! અહીં આ અવલોકનમાં કવિસહજ વિસ્મય છે. તેને યથાસમય અને યથાસ્થાને કાવ્યગત બનાવવાની સૂઝ પણ અહીં વરતાય છે. આ અવલોકન દક્ષિણ ગુજરાતના કવિને વિશેષ સુલભ. ‘વાંદરો ને દારૂ પીધો’ના જેવો ‘કાગડો ને તાડી પીધી’ એવો રૂઢિપ્રયોગ આ સમયે પ્રચલિત હશે! આજે લુપ્તપ્રાય થઈ ગયો છે. | આ કંઈ અપરિચિત કવિસમય નથી. કવિએ નોંધ્યું છે : ‘દિવસે કાગડા તાડી પીએ છે ને પછી બુમ મારયા કરે છે. ૪–૫ વાગતે ગામને પાદરે એકાંતમાં કાગડાંને, તાડે બાંધેલાં ઘડુઆં આગળ ડાહ્યો થઈને બેઠેલો અને તેમાં ચાંચ બોળતો જોવો એ આનંદકર છે.’ કોયલ જેવાં પક્ષીને તો સૌ જુએ, આ કવિ તો કાગડામાં પણ રસ દાખવે છે! ‘તૈયારી છે ચૂપ ચૂપ કહે કાગડાઓ નકીબ’ એમ વર્ષાની આગાહી આ જ કવિએ કરી છે! અહીં આ અવલોકનમાં કવિસહજ વિસ્મય છે. તેને યથાસમય અને યથાસ્થાને કાવ્યગત બનાવવાની સૂઝ પણ અહીં વરતાય છે. આ અવલોકન દક્ષિણ ગુજરાતના કવિને વિશેષ સુલભ. ‘વાંદરો ને દારૂ પીધો’ના જેવો ‘કાગડો ને તાડી પીધી’ એવો રૂઢિપ્રયોગ આ સમયે પ્રચલિત હશે! આજે લુપ્તપ્રાય થઈ ગયો છે. | ||
‘પ્રિન્સ ઑફ વેલ્સની ભરતખંડમાં પધરામણી’ એ શીર્ષક નીચે ત્રણ પદ આપવામાં આવ્યાં છે. આ પદોની ટીપમાં નોંધ્યું છે કે પાટવીકુંવરનું સન્માન કરવા માટેની કમિટી માટે તે રચવામાં આવ્યાં હતાં અને તે માટે કવિને રૂપિયા સો ઇનામમાં મળ્યા હતા. તે પછીનું વાક્ય છે : “નિચેની અંગ્રેજી કવિતા પણ કવિની જ છે.” સ્પષ્ટ છે કે આ ટીપ અને કવિનાં અંગ્રેજી કાવ્યો ૧૮૭૭ પછીનાં છે અને તે પછીની આવૃત્તિમાં સંપાદક દ્વારા ઉમેરાયાં છે. આ ત્રણ અને પછીના ‘જયશ્રી કૈસરે હિંદ વિક્ટોરિયા’ આ પદ નીચે ટીપમાં મૂકેલું એમ કુલ ચાર અંગ્રેજી કાવ્યો મૂળ ગુજરાતીનાં ભાષાંતરો નથી. ભાવ સમાન છતાં સ્વતંત્ર રચનાઓ છે. આ અંગ્રેજી રચનાઓ કવિએ તાજને મોકલી હશે? કે રાજઅતિથિઓ માટે મૂળ અંગ્રેજી રચના કરી તે પછી ગુજરાતી પદો રચ્યાં હશે? આ આનુપૂર્વી ભલે નક્કી ન થાય, એક વસવસો તો રહે જ છે કે કવિએ અન્ય વિષયનાં કાવ્યો પણ અંગ્રેજીમાં કેમ ન કર્યાં? તો કવિનો યશ ગુજરાતની બહાર અને સાગરપાર પણ પ્રસર્યો હોત ને? | ‘પ્રિન્સ ઑફ વેલ્સની ભરતખંડમાં પધરામણી’ એ શીર્ષક નીચે ત્રણ પદ આપવામાં આવ્યાં છે. આ પદોની ટીપમાં નોંધ્યું છે કે પાટવીકુંવરનું સન્માન કરવા માટેની કમિટી માટે તે રચવામાં આવ્યાં હતાં અને તે માટે કવિને રૂપિયા સો ઇનામમાં મળ્યા હતા. તે પછીનું વાક્ય છે : “નિચેની અંગ્રેજી કવિતા પણ કવિની જ છે.” સ્પષ્ટ છે કે આ ટીપ અને કવિનાં અંગ્રેજી કાવ્યો ૧૮૭૭ પછીનાં છે અને તે પછીની આવૃત્તિમાં સંપાદક દ્વારા ઉમેરાયાં છે. આ ત્રણ અને પછીના ‘જયશ્રી કૈસરે હિંદ વિક્ટોરિયા’ આ પદ નીચે ટીપમાં મૂકેલું એમ કુલ ચાર અંગ્રેજી કાવ્યો મૂળ ગુજરાતીનાં ભાષાંતરો નથી. ભાવ સમાન છતાં સ્વતંત્ર રચનાઓ છે. આ અંગ્રેજી રચનાઓ કવિએ તાજને મોકલી હશે? કે રાજઅતિથિઓ માટે મૂળ અંગ્રેજી રચના કરી તે પછી ગુજરાતી પદો રચ્યાં હશે? આ આનુપૂર્વી ભલે નક્કી ન થાય, એક વસવસો તો રહે જ છે કે કવિએ અન્ય વિષયનાં કાવ્યો પણ અંગ્રેજીમાં કેમ ન કર્યાં? તો કવિનો યશ ગુજરાતની બહાર અને સાગરપાર પણ પ્રસર્યો હોત ને? | ||
‘નર્મકવિતા’ની પાદટીપો સમૃદ્ધ છે. તત્કાલીન ભાષાવૈભવ પ્રગટ કરવા સાથે અનુકાલીન ભાષાને પણ સમૃદ્ધ કરવામાં આ કવિતાનો કેટલો ફાળો છે તેનો અભ્યાસ કરવાની તક તેમાંથી મળે છે. કવિની શક્તિની મર્યાદાઓ અને વિશેષતાઓ આ કવિતા તો પ્રગટ કરે જ છે, આ ટીપો તેની પૂર્તિ કરી આપે છે. | ‘નર્મકવિતા’ની પાદટીપો સમૃદ્ધ છે. તત્કાલીન ભાષાવૈભવ પ્રગટ કરવા સાથે અનુકાલીન ભાષાને પણ સમૃદ્ધ કરવામાં આ કવિતાનો કેટલો ફાળો છે તેનો અભ્યાસ કરવાની તક તેમાંથી મળે છે. કવિની શક્તિની મર્યાદાઓ અને વિશેષતાઓ આ કવિતા તો પ્રગટ કરે જ છે, આ ટીપો તેની પૂર્તિ કરી આપે છે. | ||
નર્મદ પોતે તો અનેક શોધનિબંધો ખમી શકે તેટલો માતબર છે, આ પાદટીપો પણ સ્વતંત્ર શોધપ્રબન્ધ માટેનો વિષય બની શકવાની ક્ષમતા ધરાવે છે. આ તો તેનું નમૂનારૂપ સર્વેક્ષણ જ થયું. | નર્મદ પોતે તો અનેક શોધનિબંધો ખમી શકે તેટલો માતબર છે, આ પાદટીપો પણ સ્વતંત્ર શોધપ્રબન્ધ માટેનો વિષય બની શકવાની ક્ષમતા ધરાવે છે. આ તો તેનું નમૂનારૂપ સર્વેક્ષણ જ થયું. | ||
{{Poem2Close}} | |||
<br> | |||
રાજકોટ : ૧૦-૯-૮૩ | રાજકોટ : ૧૦-૯-૮૩ | ||
‘યાહોમ’! ફેબ્રુ. ૧૯૮૪ : નવયુગ આટ્ર્સ કૉલેજ, સુરતની અધ્યાપક-પરિવાર સંસ્થા ‘આવિષ્કાર’ દ્વારા પ્રકાશિત ‘નર્મદ સાર્ધ શતાબ્દી ગ્રંથ’. | ‘યાહોમ’! ફેબ્રુ. ૧૯૮૪ : નવયુગ આટ્ર્સ કૉલેજ, સુરતની અધ્યાપક-પરિવાર સંસ્થા ‘આવિષ્કાર’ દ્વારા પ્રકાશિત ‘નર્મદ સાર્ધ શતાબ્દી ગ્રંથ’. | ||
પાદટીપ : | '''પાદટીપ :''' | ||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નર્મદનું હાસ્ય | ||
|next = | |next = ‘દશમસ્કંધ’નાં સંપાદનો અને નર્મદની પાઠનિર્ણયપદ્ધતિ | ||
}} | }} | ||