મકરન્દ દવેનું સાહિત્યવિશ્વ: Difference between revisions
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 22: | Line 22: | ||
'''કાવ્ય, ભજન''' | '''કાવ્ય, ભજન''' | ||
* [ કોઇ ઘટમા ગેહેકે ઘેરૂ (ભાગ ૧)] | |||
: | * [https://heyzine.com/flip-book/9d81d9b0b8.html કોઇ ઘટમા ગેહેકે ઘેરૂ (ભાગ ૨)] (૨૦૨૦) | ||
* [ કોઇ ઘટમા ગેહેકે ઘેરૂ (ભાગ ૩)] | |||
:*અમેરિકાનો ચિરંતન ચહેરો | :*[ અમેરિકાનો ચિરંતન ચહેરો] | ||
:*ગુલાલ અને ગુંજાર | :* [ ગુલાલ અને ગુંજાર] | ||
:*[[ભજનરસ]] | :*[[ભજનરસ]] | ||
:*સત કેરી વાણી | :*સત કેરી વાણી | ||
| Line 43: | Line 43: | ||
'''પત્રો''' | '''પત્રો''' | ||
: | * [https://heyzine.com/flip-book/a75e756cbd.html સ્વામી અને સાંઇ (હિમાંશી શેલત)] (૨૦૧૨) | ||
:*સેતુબંધ (વિજયશીલ ચન્દ્રસૂરિ) | :*સેતુબંધ (વિજયશીલ ચન્દ્રસૂરિ) | ||
: | * [https://heyzine.com/flip-book/a4686e0f68.html મધ દરીયે મહેફિલ (હિમાંશી શેલત)] (૨૦૧૧) | ||
:*મરમ જાણે મકરન્દા ( નિરંજન રાજ્યગુરુ) | :*મરમ જાણે મકરન્દા ( નિરંજન રાજ્યગુરુ) | ||
:*લિ. તમારો મકરન્દ (મીનુ ભટ્ટ) | :*લિ. તમારો મકરન્દ (મીનુ ભટ્ટ) | ||
| Line 55: | Line 55: | ||
'''મકરન્દ દવે એ કરેલી શિબિર પરથી બનેલાં પુસ્તકો''' | '''મકરન્દ દવે એ કરેલી શિબિર પરથી બનેલાં પુસ્તકો''' | ||
: | * [https://heyzine.com/flip-book/fd9bc8764f.html લઘુસ્તવ (મૂળકૃતિ, સમશ્લોકી અનુવાદ તથા શ્રી બાલાનંદિની ટીકા)] (૨૦૧૮) | ||
: | * [https://heyzine.com/flip-book/05e7c8bb41.html ગરુડપુરાણ (તાત્વિક અર્થઘટન)] (૨૦૨૦) | ||
:*માંડુક્ય ઉપનિષદ (આત્મ તત્વના ઉપનિષદમાં અવગાહન) | :*માંડુક્ય ઉપનિષદ (આત્મ તત્વના ઉપનિષદમાં અવગાહન) | ||
:*દ્ર્ગ્ દ્રશ્ય વિવેક (આત્મ તત્વ વિવેચન) | :*દ્ર્ગ્ દ્રશ્ય વિવેક (આત્મ તત્વ વિવેચન) | ||
| Line 65: | Line 65: | ||
:*યોગી હરનાથના સાનિધ્યમાં | :*યોગી હરનાથના સાનિધ્યમાં | ||
:*નરસિંહના પદોમાં સિદ્ધરસ | :*નરસિંહના પદોમાં સિદ્ધરસ | ||
: | * [https://heyzine.com/flip-book/c13fd35c8b.html સહજને કિનારે] (૨૦૧૮) | ||
:*ચિરંતના (ધર્મનું અનુશીલન અને તત્વનું પરિશીલન) | :*ચિરંતના (ધર્મનું અનુશીલન અને તત્વનું પરિશીલન) | ||
:*ચિદાનંદા | :*ચિદાનંદા | ||
: | * [https://heyzine.com/flip-book/1e9917f26f.html બ્રહ્મવીણા] (૨૦૦૯) | ||
:*તપોવનની વાટે | :*તપોવનની વાટે | ||
:*વિશ્વચેતનાના વણઝારા | :*વિશ્વચેતનાના વણઝારા | ||
| Line 102: | Line 102: | ||
'''ઉપાસના''' | '''ઉપાસના''' | ||
:*સાવિત્રી વિદ્યા | :*સાવિત્રી વિદ્યા | ||
: | * [https://heyzine.com/flip-book/b1609fbda8.html ભાગવતી સાધના] (૨૦૧૨) | ||
:*રામનામ તારકમંત્ર | :*રામનામ તારકમંત્ર | ||
:*યજ્ઞવિદ્યા | :*યજ્ઞવિદ્યા | ||
[[Category:સાહિત્યવિશ્વ]] | [[Category:સાહિત્યવિશ્વ]] | ||
Revision as of 14:39, 21 March 2026
દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી.
‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની કૃતિઓ છપાતી. સાહિત્યિક પત્રકાર તરીકે ‘જયહિંદ’માં લખતા. ‘તરણાં’ (1951); ‘જયભેરી’ (1952); ‘ગોરજ’ (1957); ‘સૂરજમુખી’ (1961); ‘સંજ્ઞા’ (1964); ‘સંગતિ’ (1968) વગેરે એમના કાવ્યસંગ્રહો છે. ‘હવાબારી’ ગઝલસંગ્રહ છે અને ‘ઉજાગરી’ મુક્તકોનો સંગ્રહ છે. તેમની કૃતિઓમાં ભજનરસ અને લોકસાહિત્યના સંસ્કારો વિશેષપણે જોવા મળે છે. તેમાં જૂની પરંપરાનાં પ્રતીકો દ્વારા મસ્તી તથા શ્રદ્ધાનો રણકો સંભળાય છે. સોરઠી વાણીની તળપદી મહેક અને ર્દઢ ઈશ્વરશ્રદ્ધા એમની રચનાઓની ખાસ લાક્ષણિકતા છે. સૉનેટો અને છંદોબદ્ધ રચનાઓ કરતાં ગીતોમાં એમની ખૂબી વિશેષ દેખાય છે. તેમાં શબ્દનાં ઊંડાણ અને અવધૂતની મસ્તી આસ્વાદ્ય છે. રવીન્દ્રનાથ અને મેઘાણીની અસર વર્તાય છે.
એમની અન્ય કૃતિઓમાં બાળકાવ્યસંગ્રહ : ‘ઝબૂક વીજળી ઝબૂક’ (1955); બાળનાટકો : ‘બે ભાઈ’ (1958) અને ‘તાઈકો’ (1968); ગીતનાટિકા : ‘શેણી વિજાણંદ’ (1956); નવલકથા : ‘માટીનો મહેકતો સાદ’ (1981); તથા વ્યક્તિપરિચય : ‘યોગી હરનાથના સાન્નિધ્યમાં’ (ત્રીજી આવૃત્તિ : 1977) વગેરે છે. ઉપરાંત ‘અંતર્વેદી’ (1978), ‘યોગપથ’ (1978), ‘સહજને કિનારે’ (1980); ‘ભાગવતી સાધના’ (1982), ‘ગર્ભદીપ’ (1983), ‘ચિરંતના’ (1983) અને ‘ચિદાનંદા’ એમના અધ્યાત્મચિંતનના ગ્રંથો છે. ‘એક પગલું આગળ’(1982)માં એમનું સામાજિક ચિંતન મળે છે.
‘સત કેરી વાણી’ (1970) એમણે સંપાદિત કરેલ ભજનસંગ્રહ છે. ‘પીડ પરાઈ’(1973)માં પ્રસંગચિત્રોનું આલેખન છે. કાન્તિલાલ કાલાણી સાથે ‘વિષ્ણુસહસ્રનામ : આંતરપ્રવેશ’ (1984) લખ્યું છે. માર્મિક સંવેદન વ્યક્ત કરતું ‘સૂર્યની આમંત્રણપત્રિકા’ અને ભારતીય સંસ્કૃતિની ગોમુખ-યાત્રા વર્ણવતું ‘તપોવનની વાટે’ તેમની સાત્વિક પ્રતિભાના દ્યોતક છે. એમણે બે અનુવાદો પણ આપ્યા છે. ‘ઘટને મારગે’ (1946) અને ‘ટારઝન : જંગલોનો રાજા’ (1947). ‘સ્વામી અને સાંઈ’માં સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચે 1955થી 1975 દરમિયાન લખાયેલા પત્રોનો સંગ્રહ છે. ‘શિવમહિમ્ન: સ્તોત્ર’નો સમશ્લોકી અનુવાદ પણ તેમણે કરેલો છે. 1979માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો.
પ્રાકૃતિક, સરળ અને શાંત જીવન અંગેનો પ્રયોગ તેમણે 1984માં વલસાડ જિલ્લાના વાંકલ ગામે ધરમપુર જવાના રસ્તે નંદિગ્રામ સંસ્થાની સ્થાપનાથી કરેલો છે. જાણીતાં ગુજરાતી નવલકથાકાર કુંદનિકા કાપડિયા એમનાં સહચરી પણ તે સંસ્થામાં ઓતપ્રોત હતાં.
— રમણિકભાઈ જાની
(‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર)
શ્રી મકરન્દ દવેનાં પુસ્તકો
કાવ્ય, ભજન
- [ કોઇ ઘટમા ગેહેકે ઘેરૂ (ભાગ ૧)]
- કોઇ ઘટમા ગેહેકે ઘેરૂ (ભાગ ૨) (૨૦૨૦)
- [ કોઇ ઘટમા ગેહેકે ઘેરૂ (ભાગ ૩)]
- [ અમેરિકાનો ચિરંતન ચહેરો]
- [ ગુલાલ અને ગુંજાર]
- ભજનરસ
- સત કેરી વાણી
નવલકથા
- માટીનો મહેકતો સાદ
- સૂર્યની આમંત્રણ પત્રિકા
આધ્યાત્મિક, વાર્તા, ગોષ્ઠિ
- પીડપરાઇ
- આભલાં
- પ્રભાત ગોષ્ઠિ
- પથદીપ
- આચમની
- સંનિહિતા
પત્રો
- સેતુબંધ (વિજયશીલ ચન્દ્રસૂરિ)
- મરમ જાણે મકરન્દા ( નિરંજન રાજ્યગુરુ)
- લિ. તમારો મકરન્દ (મીનુ ભટ્ટ)
- અનહદ પ્રિત્યુની પીછાણ (ડો.અશોક વૈદ્ય અને રમા વૈદ્ય)
- મકરન્દ – મધુ ( પ્રવિણકાંત કેવલરામ ઠાકર)
- સાંઇ - ઇશા અંતરંગ (મીનુ ભટ્ટ અને વિમલ વ. દવે)
- જીવન પાથેય (અશોક વૈદ્ય પરના પત્રોમાંથી)
- મારુ રક્ષાકવચ (નંદિની મહેતા)
મકરન્દ દવે એ કરેલી શિબિર પરથી બનેલાં પુસ્તકો
- લઘુસ્તવ (મૂળકૃતિ, સમશ્લોકી અનુવાદ તથા શ્રી બાલાનંદિની ટીકા) (૨૦૧૮)
- ગરુડપુરાણ (તાત્વિક અર્થઘટન) (૨૦૨૦)
- માંડુક્ય ઉપનિષદ (આત્મ તત્વના ઉપનિષદમાં અવગાહન)
- દ્ર્ગ્ દ્રશ્ય વિવેક (આત્મ તત્વ વિવેચન)
આધ્યાત્મિક પુસ્તકો
- ગર્ભદીપ (પુરાણકથાઓનું આધ્યાત્મિક રહસ્ય)
- અંતર્વેદી (દિવ્ય ચક્ષુનો ઉઘાડ)
- યોગી હરનાથના સાનિધ્યમાં
- નરસિંહના પદોમાં સિદ્ધરસ
- સહજને કિનારે (૨૦૧૮)
- ચિરંતના (ધર્મનું અનુશીલન અને તત્વનું પરિશીલન)
- ચિદાનંદા
- બ્રહ્મવીણા (૨૦૦૯)
- તપોવનની વાટે
- વિશ્વચેતનાના વણઝારા
- જનમ જનમની કૂંચી
- યોગપથ
- શિવમહિમ્ન સ્તોત્ર (મૂળ,સમશ્લોકી અનુવાદ મહિમાદર્શન)
- દામ્પત્ય-યોગ અને નવા લગ્નગીતો
- શ્રી હનુમંત ચરણે
- ધુમ્મસને પેલે પાર (સદા આનંદ વિહાર)
- વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ
- અશ્વમેધ યજ્ઞ
મુલાકાત
- મકરન્દ દવે એક મુલાકાત
- ગોપથના યાત્રી સાથે ગોષ્ઠી (રામરાજ્ય એવું સુરાજ્ય)
અંગ્રેજીમાં પુસ્તકો
- Bhaktamar
- Shiva (The light of lights)
- Mother liberty
- Prometheous
- Yoga Of Marriage
પુસ્તકો હિન્દીમાં
- ગર્ભદીપ
- તપોવન કે પથ પર
- વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ
- સૂર્ય કા આમંત્રણ
મકરન્દદવેના ૧૦૮ કાવ્યોનું રસદર્શન
- સાંઇ કેરી વાણી
ઉપાસના
- સાવિત્રી વિદ્યા
- ભાગવતી સાધના (૨૦૧૨)
- રામનામ તારકમંત્ર
- યજ્ઞવિદ્યા