35,046
edits
(+1) |
(+1) |
||
| Line 6: | Line 6: | ||
શેક્સ્પિયરની પ્રતિભા, એમનાં નાટકોમાં જે અખિલાઈનું દર્શન છે, એમાં પ્રગટ થાય છે. શેક્સ્પિયરની પ્રતિભાનો પાર તો કોણ પામી શક્યું છે? એનું સંપૂર્ણ આલેખન તો અશક્ય છે, પણ આ ગ્રંથમાં સંતપ્રસાદે એનો આલેખ તો અવશ્ય પ્રસ્તુત કર્યો છે. શેક્સ્પિયરનું જીવન અને સાહિત્ય સતત સાદ્યંત પરસ્પર સમાંતર રહ્યું છે, એનું તાણા અને વાણાની જેમ સુશ્લિષ્ટ ગ્રથન થયું છે. શેક્સ્પિયરનાં આત્મલક્ષી સ્વાનુભવો અને એમનાં નાટકોનાં પાત્રોના પરલક્ષી પરાનુભવો વચ્ચે સૂક્ષ્મ સંબંધ છે. એથી આ ગ્રંથમાં સન્તપ્રસાદની એક નજર શેક્સ્પિયરના જીવન પર અને બીજી નજર શેક્સ્પિયરનાં નાટકો પર એક સાથે સતત કેન્દ્રિત રહી છે. ‘શેક્સ્પિયર’ ગુજરાતી ભાષાનો એક અપૂર્વ અને અદ્વિતીય ગ્રંથ છે એ તો ગ્રંથકારની ગદ્યશૈલીની મૌલિકતા અને અભિવ્યક્તિની માર્મિકતાને કારણે. આ ગદ્યશૈલી અને અભિવ્યક્તિનું રહસ્ય છે એમનું ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી એમ ત્રણે ભાષા પરનું એકસમાન પ્રભુત્વ. એમણે જીવનભર આ ત્રણે ભાષાઓની આત્મીયતાથી સઘન સાધના-ઉપાસના કરી છે. એમની કલાત્મક કથનશક્તિ, ચિત્રાત્મક વર્ણનશક્તિ અને આદર્શ અનુવાદશક્તિ – આ ત્રિવિધ શક્તિઓના સામંજસ્યથી આ પ્રભુત્વ એમણે સિદ્ધ કર્યું છે, એમાં એમની વાગ્છટા અને એમનો વાગ્વૈભવ પ્રગટ થાય છે. એથી આ ગ્રંથમાં વિદ્વત્તા અને રસિકતાનો સંપૂર્ણ સુમેળ થયો છે. ‘શેક્સ્પિયર’ એ સંતપ્રસાદનો એક માત્ર ગ્રંથ છે, ગુજરાતી ભાષામાં શેક્સ્પિયરનાં જીવન અને સાહિત્ય પરનો પણ એક માત્ર ગ્રંથ છે. આ એક જ ગ્રંથને કારણે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં બહુશ્રુત વિદ્વાન વિવેચક અને વિશિષ્ટ વિરલ ગદ્યકાર તરીકેનું સંતપ્રસાદ ભટ્ટનું હંમેશનું સ્થાન છે. | શેક્સ્પિયરની પ્રતિભા, એમનાં નાટકોમાં જે અખિલાઈનું દર્શન છે, એમાં પ્રગટ થાય છે. શેક્સ્પિયરની પ્રતિભાનો પાર તો કોણ પામી શક્યું છે? એનું સંપૂર્ણ આલેખન તો અશક્ય છે, પણ આ ગ્રંથમાં સંતપ્રસાદે એનો આલેખ તો અવશ્ય પ્રસ્તુત કર્યો છે. શેક્સ્પિયરનું જીવન અને સાહિત્ય સતત સાદ્યંત પરસ્પર સમાંતર રહ્યું છે, એનું તાણા અને વાણાની જેમ સુશ્લિષ્ટ ગ્રથન થયું છે. શેક્સ્પિયરનાં આત્મલક્ષી સ્વાનુભવો અને એમનાં નાટકોનાં પાત્રોના પરલક્ષી પરાનુભવો વચ્ચે સૂક્ષ્મ સંબંધ છે. એથી આ ગ્રંથમાં સન્તપ્રસાદની એક નજર શેક્સ્પિયરના જીવન પર અને બીજી નજર શેક્સ્પિયરનાં નાટકો પર એક સાથે સતત કેન્દ્રિત રહી છે. ‘શેક્સ્પિયર’ ગુજરાતી ભાષાનો એક અપૂર્વ અને અદ્વિતીય ગ્રંથ છે એ તો ગ્રંથકારની ગદ્યશૈલીની મૌલિકતા અને અભિવ્યક્તિની માર્મિકતાને કારણે. આ ગદ્યશૈલી અને અભિવ્યક્તિનું રહસ્ય છે એમનું ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી એમ ત્રણે ભાષા પરનું એકસમાન પ્રભુત્વ. એમણે જીવનભર આ ત્રણે ભાષાઓની આત્મીયતાથી સઘન સાધના-ઉપાસના કરી છે. એમની કલાત્મક કથનશક્તિ, ચિત્રાત્મક વર્ણનશક્તિ અને આદર્શ અનુવાદશક્તિ – આ ત્રિવિધ શક્તિઓના સામંજસ્યથી આ પ્રભુત્વ એમણે સિદ્ધ કર્યું છે, એમાં એમની વાગ્છટા અને એમનો વાગ્વૈભવ પ્રગટ થાય છે. એથી આ ગ્રંથમાં વિદ્વત્તા અને રસિકતાનો સંપૂર્ણ સુમેળ થયો છે. ‘શેક્સ્પિયર’ એ સંતપ્રસાદનો એક માત્ર ગ્રંથ છે, ગુજરાતી ભાષામાં શેક્સ્પિયરનાં જીવન અને સાહિત્ય પરનો પણ એક માત્ર ગ્રંથ છે. આ એક જ ગ્રંથને કારણે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં બહુશ્રુત વિદ્વાન વિવેચક અને વિશિષ્ટ વિરલ ગદ્યકાર તરીકેનું સંતપ્રસાદ ભટ્ટનું હંમેશનું સ્થાન છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||