સાહિત્ય પલ્લવ – ભાગ ૨/આનંદશંકર બાપુભાઈ ધ્રુવ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:
[‘હૃદયનો હક' એ નાનકડી નોંધમાં લેખકે એક બાજુથી મૃત્યુ પામનારાઓને માટે શોક કરવામાં આપણી જ અલ્પતા અને અણસમજ છે એ બતાવી, બીજી બાજુથી આપણને પણ આપણા હૃદયનો હક્ક રજૂ કરવાનો અધિકાર છે એ દર્શાવ્યું છે. બીજું, જે મૃત્યુ પામે તે મહાન હોય, જેના મરણથી આખો સંસાર ખળભળી ઊઠે તેને જ આપણે સ્નેહની અંજલિ આપીએ એમ નહિ. આપણા નાનકડા ઘરના નાનકડા 'ઘરદીવડા ' બુઝાઈ જાય ત્યારે પણ આપણને તો ખોટ પડે જ છે માટે એમને ભૂલી ન જવાય. આપણા સમાજ માટે તો એ જ મોટા. 'ઘરદીવડાં' — શ્રી. ગોવર્ધનરામે નવલરામ ગુજરી જતાં તેમનું જીવન લખતી પ્રસંગે આને પ્રયોગ કર્યો હતો :
[‘હૃદયનો હક' એ નાનકડી નોંધમાં લેખકે એક બાજુથી મૃત્યુ પામનારાઓને માટે શોક કરવામાં આપણી જ અલ્પતા અને અણસમજ છે એ બતાવી, બીજી બાજુથી આપણને પણ આપણા હૃદયનો હક્ક રજૂ કરવાનો અધિકાર છે એ દર્શાવ્યું છે. બીજું, જે મૃત્યુ પામે તે મહાન હોય, જેના મરણથી આખો સંસાર ખળભળી ઊઠે તેને જ આપણે સ્નેહની અંજલિ આપીએ એમ નહિ. આપણા નાનકડા ઘરના નાનકડા 'ઘરદીવડા ' બુઝાઈ જાય ત્યારે પણ આપણને તો ખોટ પડે જ છે માટે એમને ભૂલી ન જવાય. આપણા સમાજ માટે તો એ જ મોટા. 'ઘરદીવડાં' — શ્રી. ગોવર્ધનરામે નવલરામ ગુજરી જતાં તેમનું જીવન લખતી પ્રસંગે આને પ્રયોગ કર્યો હતો :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મોટાં નાનાં વધુ મોટાંમાં તો નાનાં પણ મોટાં,  
{{Block center|'''<poem>મોટાં નાનાં વધુ મોટાંમાં તો નાનાં પણ મોટાં,  
વ્યોમદીપ રવિ નભબિંદુ, તો ઘરદીવડાં શાં ખોટાં?</poem>}}
વ્યોમદીપ રવિ નભબિંદુ, તો ઘરદીવડાં શાં ખોટાં?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જે મોટું છે તે વધુ મોટાંઓમાં તો નાનકડું જ ઠરે છે. આવડો મોટો રવિ, આકાશનો દીવો, તે આખા આકાશની તેજસમૃદ્ધિમાં તો નાના અમથા બિંદુ જેવડો છે, તો પછી આપણે આપણાં ઘરદીવડાંનો તુચ્છકાર શા માટે કરવો? એમને પણ આપણે આપણા માટે તો મહાન જ ગણવાં.
જે મોટું છે તે વધુ મોટાંઓમાં તો નાનકડું જ ઠરે છે. આવડો મોટો રવિ, આકાશનો દીવો, તે આખા આકાશની તેજસમૃદ્ધિમાં તો નાના અમથા બિંદુ જેવડો છે, તો પછી આપણે આપણાં ઘરદીવડાંનો તુચ્છકાર શા માટે કરવો? એમને પણ આપણે આપણા માટે તો મહાન જ ગણવાં.