મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૭): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૭) |રમણ સોની}} <poem> ‘જશોદા! તારે કાનુડાને સાદ કરીને વાર રે; આ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૭) |રમણ સોની}}
{{Heading|પદ (૭) |નરસિંહ મહેતા}}
<poem>
<poem>
‘જશોદા! તારે કાનુડાને સાદ કરીને વાર રે;
‘જશોદા! તારે કાનુડાને સાદ કરીને વાર રે;

Latest revision as of 04:47, 14 August 2021


પદ (૭)

નરસિંહ મહેતા

‘જશોદા! તારે કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે?
જશોદા૦
શીંકું તોડ્યું, ગોરસ, ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માખણ ખાધું, વેરી નાખ્યું, સરવે કીધું ખુવાર રે.
જશોદા૦
ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે!
જશોદા૦
વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને કેટલું સહીએ? રહેવું નગર મુઝાર રે.’
જશોદા૦
‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે?
દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે.
જશોદા૦
શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે!
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે.
જશોદા૦