અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/રસજયોત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 20: Line 20:
{{Right|(જયા-જયન્ત, નવમી આ. ૧૯૯૬, પૃ. ૧૧૧)}}
{{Right|(જયા-જયન્ત, નવમી આ. ૧૯૯૬, પૃ. ૧૧૧)}}
</poem>
</poem>
<br>
<center>&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/a/a3/Rasjyot-Paramparik.mp3
}}
<br>
ન્હાનાલાલ દ. કવિ • રસજયોત • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: જનાર્દન રાવળ
<br>
<br>
<center>&#9724;
<br>

Revision as of 20:16, 20 August 2021

રસજયોત

ન્હાનાલાલ દ. કવિ

એક જ્વાલા જલે તુજ નેનનમાં,
         રસજ્યોત નિહાળી નમું, હું નમું;
એક વીજ જલે નભમંડળમાં,
         રસજ્યોત નિહાળી નમું. હું નમું.

મધરાતના પહોર અઘોર હતા,
અન્ધકારના દોર જ ઑર હતા,
તુજ નેનમાં મોર ચકોર હતા;
         રસજ્યોત નિહાળી નમું, હું નમું.

અહા! વિશ્વનાં દ્વાર ખૂલ્યાં — ઊછળ્યાં,
અહા! અબધૂતને બ્રહ્મયોગ મળ્યા;
અહા! લોચન લોચન માંહી ઢળ્યાં;
         રસજ્યોત નિહાળી નમું, હું નમું.

દૃગબાણથી પ્રારબ્ધલેખ લખ્યા,
કંઈ પ્રેમીએ પ્રેમપથી પરખ્યા;
અને આત્માએ આત્મન્‌ને ઓળખ્યો;
         રસજ્યોત નિહાળી નમું, હું નમું.

(જયા-જયન્ત, નવમી આ. ૧૯૯૬, પૃ. ૧૧૧)




ન્હાનાલાલ દ. કવિ • રસજયોત • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: જનાર્દન રાવળ