પરકીયા/સ્વગતોક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સ્વગતોક્તિ| સુરેશ જોષી}} <poem> ધૈર્ય ધર હે વિષાદ મમ, જરા થાને સ...")
 
No edit summary
 
Line 21: Line 21:
સુણ પ્રિયે, એમ હળુ ઢળી આવે રાત હવે.
સુણ પ્રિયે, એમ હળુ ઢળી આવે રાત હવે.
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પરકીયા/સ્તોત્ર|સ્તોત્ર]]
|next = [[પરકીયા/હેમન્ત|હેમન્ત]]
}}

Latest revision as of 05:21, 17 September 2021


સ્વગતોક્તિ

સુરેશ જોષી

ધૈર્ય ધર હે વિષાદ મમ, જરા થાને સ્વસ્થ
સન્ધ્યાની તુ રાહ જુએ? આવી લાગી એ તો જોને નભે.
ધૂસર કો આચ્છાદન ઢાંકી દિયે નગરીને
કોઈકને દિયે શાન્તિ, કોઈકને કરે ચિન્તાગ્રસ્ત.

લોકડિયાંતણાં ટોળાં હાંકી જાય આમોદપ્રમોદ –
નિષ્ઠુર જલ્લાદ જાણે ચાબુકના ફટકારે!
દાસ સહુ રંજનના, લણે નર્યો પશ્ચાત્તાપ
ઝાલ મારો હાથ હે વિષાદ, ચાલ દૂર અહીં થકી.

જોને પણે સ્વર્ગતણે ઝરુખેથી ઝૂકી રહ્યાં વીત્યાં વર્ષ,
કેવાં જીર્ણ વસ્ત્રો એનાં, ઊપટી ગયો છે રંગ
અનુશોચના જ્યાં ધારી સ્મિત હોઠે જળ થકી ઊંચકે છે શીશ,
મુમૂર્ષુ આ સૂર્ય ઢળી પડે અહીં તોરણની નીચે
ઓઢાડતું હોય જાણે કફન કો પૂર્વાકાશે
સુણ પ્રિયે, એમ હળુ ઢળી આવે રાત હવે.