કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૨૩. મા ઝળઝળિયાંજીની ગરબી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩. મા ઝળઝળિયાંજીની ગરબી|રમેશ પારેખ}} <poem> ::::તમે કોને મળ્યાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૯૦)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૯૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૨. વૃક્ષસંવનનાર્થીનું ગીત | |||
|next = ૨૪. લાખા સરખી વારતા | |||
}} |
Latest revision as of 09:32, 21 September 2021
૨૩. મા ઝળઝળિયાંજીની ગરબી
રમેશ પારેખ
તમે કોને મળ્યાં ને કોને ફળ્યાં મા ઝળઝળિયા
તમે પાંપણના ચોકથી પાછાં વળ્યાં, મા ઝળઝળિયા
હું તો ઓલ્યા જનમના ડૂમે બળું, મા ઝળઝળિયા
તારી કેડીમાં એમ અજવાળું કરું, મા ઝળઝળિયા
મારે કાગળમાં શાહીનાં જાળાં બંધાય, મા ઝળઝળિયા
સાવ ભોંઠપથી હાથ કાંઈ એવાં ગંધાય, મા ઝળઝળિયા
કોણે હરિયાળી વેલથી તોડી લીધો રે, મા ઝળઝળિયા
મને કાચોપાકો જ ક્યાંક છોડી દીધો રે, મા ઝળઝળિયા
આવ, પાંસળીમાં હીંચકા બાંધી દઉં, મા ઝળઝળિયા
તને હીબકે હીબકે ઝુલાવી લઉં, મા ઝળઝળિયા
૨૧-૮-’૭૧/શનિ
(છ અક્ષરનું નામ, પૃ. ૧૯૦)