અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નાઝ’ માંગરોળી/લાગે છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 20: Line 20:
છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હૃદય પર લાગે છે.
છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હૃદય પર લાગે છે.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ઘટમાં | ઘટમાં]]  | સાંયાજી, કોઈ ઘટમાં ગહેકે ઘેરું,]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૈફ પાલનપુરી/આંસુનાં પણ નામ હતાં  | આંસુનાં પણ નામ હતાં ]]  | ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં...  ]]
}}

Latest revision as of 11:38, 21 October 2021

લાગે છે

‘નાઝ’ માંગરોળી

મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સમંદર લાગે છે,
નૌકાને ડુબાવી દેવાનો આ સુંદર અવસર લાગે છે.

શંકાનું નિવારણ થઈ જાયે જો ચાંદ પધારે ધરતી પર,
બાકી તો હંમેશાં છેટેથી રળિયામણા ડુંગર લાગે છે.

દિવસે આ પ્રભાકર ચમકે છે ને રાતે શશિ ને તારાઓ,
પણ વિરહી હૃદયને દુનિયામાં અંધકારને નિરંતર લાગે છે.

આશાઓ કુંવરી રહી જાશે, ઓ મોત! જરા તું થોભી જા,
નયનોમાં ખુમારી બાકી છે, દુનિયા હજી સુંદર લાગે છે.

ખરતો હું નિહાળું છું જ્યારે આકાશથી કોઈ તારાને,
ભૂતકાળના સ્વપ્ના જાગે છે એક ચોટ જીગર પર લાગે છે.

દુઃખદર્દ જીવનના ભૂલી જવા હું ‘નાઝ’ મદીરા પીતો નથી,
છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હૃદય પર લાગે છે.