કુંવરબાઈનું મામેરું/કડવું ૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 24: Line 24:


‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન!
‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન!
એ નરસૈંયો મેં દાસ કીધો ઉદ્ધવ-વિદુર<ref> = એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યુ</ref> સમાન.’{{space}} ૬
એ નરસૈંયો મેં દાસ કીધો ઉદ્ધવ-વિદુર<ref>ઉદ્ધવ-વિદુર = એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યુ</ref> સમાન.’{{space}} ૬


મસ્તક  ઉપર  હાથ મૂકી  કહે  શ્રી ગોપાળ :
મસ્તક  ઉપર  હાથ મૂકી  કહે  શ્રી ગોપાળ :
Line 33: Line 33:


રાસમંડળ  તણી  રચના  દેખાડી  તેણી  વાર;
રાસમંડળ  તણી  રચના  દેખાડી  તેણી  વાર;
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર<ref>  = ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર</ref> :{{space}} ૯
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર<ref>ત્રિપુરાર = ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર</ref> :{{space}} ૯


‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ;
‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ;
Line 47: Line 47:
નરસિંહ મહેતો  જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :{{space}} ૧૩
નરસિંહ મહેતો  જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :{{space}} ૧૩


‘તું  ગોરાણી  મેં પ્રમાણી<ref> = તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો</ref>,  જે  કહ્યું  વજ્રવચન,
‘તું  ગોરાણી  મેં પ્રમાણી<ref>તું  ગોરાણી  મેં પ્રમાણી = તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો</ref>,  જે  કહ્યું  વજ્રવચન,
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪
:::::         '''વલણ'''
:::::         '''વલણ'''

Latest revision as of 05:33, 30 October 2021

કડવું ૨

[રાસલીલા જોયાનો નરસિંહનો ઉમંગ વિરાજે જી..., વાજે જી... એમ -જી- વાળા રાગ-લયથી રજૂ થયો છે. દુઃખવેળા સંભારજે... એવું કૃષ્ણવચન હવે પછીની નરસિંહ-કથાનો જાણે પૂર્વ-સંકેત કરે છે. ભક્તનું હવે ફરી ગૃહ-આગમન, અને ઘરસંસાર.]



(રાગ ધન્યાશ્રી)
અદ્‌ભુત લીલા રાસ વિરાજે જી, ગોપિકા ગાયે, વાજાં વાજે જી;
દર્શન કીજે ભવદુખ ભાજે જી, મહાસુખ દીધું શિવ મહારાજે જી. ૧

ઢાળ
મહારાજ શ્રી મહાદેવજીએ ગ્રહ્યો મહેતાનો હાથ;
સદાશિવજીને દેખીને સામા આવ્યા વૈકુંઠનાથ.          ૨

હરિ-હર હરખીને મળ્યા, નમી ગોપી શિવને પાય;
નરસૈંયો નમ્યો નાથને, તવ બોલ્યા ગોકુલરાયઃ          ૩

‘કહો, સદાશિવ! કોણ છે આ, તમો દેખાડો આ ઠામ?’
મહાદેવ કહે, ‘એ દાસ તમારો, વિપ્ર નરસૈયો નામ.          ૪

એ ભક્તિ ઇચ્છે, પ્રભુ! તમારી, કીર્તન કરે, ગુણ ગાય,
કરો કરુણા, કૃષ્ણજી!’ તવ બોલ્યા વૈકુંઠરાય :          ૫

‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન!
એ નરસૈંયો મેં દાસ કીધો ઉદ્ધવ-વિદુર[1] સમાન.’          ૬

મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રી ગોપાળ :
‘દુખવેળા સંભારજે, હું ધાઈ આવીશ તત્કાળ.          ૭

કીર્તન કરજે ભક્તિ માહરી, તરીશ તું સંસાર,
આ જોઈ તેવી લીલા ગાજે કેવલ રસ-શૃંગાર.’          ૮

રાસમંડળ તણી રચના દેખાડી તેણી વાર;
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર[2] :          ૯

‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ;
કૃષ્ણગોપીનો વિહાર ગાજે, જોઈ જેહવી જુક્તિ.’          ૧૦

અંતર્ધાન પામ્યા એહવું કહી ભોળા શંકરરાય;
મુહૂર્તમાત્રમાં મહેતો મૂક્યા જૂનાગઢ તે માંહ્ય.          ૧૧

થઈ નરસૈંયાની નિર્મલ વાણી, કવિશક્તિ ભક્તિ અપાર;
રાધાકૃષ્ણ-શું રંગ લાગ્યો, તૃણવત્‌ ગણે સંસાર.          ૧૨

તાલ વાતા, ગીત ગાતા, પધાર્યાં પુર માંહ્ય;
નરસિંહ મહેતો જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :          ૧૩

‘તું ગોરાણી મેં પ્રમાણી[3], જે કહ્યું વજ્રવચન,
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.          ૧૪
વલણ
પુણ્ય તમારું, માતા માહરી! જે મળ્યા શ્રીપરિબ્રહ્મ રે’
છે સાધ્વી સ્રી મહેતા તણી, મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ રે.          ૧૫



  1. ઉદ્ધવ-વિદુર = એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યુ
  2. ત્રિપુરાર = ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર
  3. તું ગોરાણી મેં પ્રમાણી = તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો