રાતભર વરસાદ/પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 8: Line 8:
[[File:Buddhadeb basu.jpg|frameless|center]]
[[File:Buddhadeb basu.jpg|frameless|center]]


<center>{{Color|Red|બુદ્ધદેવ બસુ}}</center>
કોમિલા, બાંગ્લાદેશમાં જન્મેલા બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪), બંગાળના ૨૦મી સદીના રવીન્દ્રનાથ પછીના અગ્રગણ્ય કવિ છે. યુનિવર્સિટી ઑફ ઢાકામાંથી એમ. . ની ઉપાધિ મેળવ્યા બાદ કલકત્તામાં સ્થાયી થયા. જાદવપુર યુનિવર્સિટીમાં કમ્પેરેટીવ લિટરેચર વિભાગના સ્થાપક અને વર્ષો સુધી તેના અધ્યાપક રહ્યા. ઈ.સ. ૧૯૬૭માં સાહિત્ય અકાદમીના પુરસ્કારથી સન્માનિત બુદ્ધદેવને ભારત સરકારે ઈ.સ. ૧૯૭૦માં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા.
ભોળાભાઈ પટેલ (જ. ૭-૭-૧૯૩૪ – અવ. ૨૦-૫-૨૦૧૨) હિંદી સાહિત્યના અધ્યાપક અને ગુજરાતીના લેખક, વિવેચક અને સંપાદક, પ્રવાસ-નિબંધકાર અને અનુવાદક. એમનામાં વિદ્વાનની જિજ્ઞાસા અને સર્જકનું વિસ્મય એક સાથે વસતાં હતાં. એટલે નિરંજન ભગતે એમને ‘વિદગ્ધ રસિક’ તરીકે ઓળખાવેલા. વિદ્યાજિજ્ઞાસા એટલી કે શિક્ષક, અધ્યાપક ને પછી યુનિવસિર્ટીમાં હિન્દી સાહિયત્યના પ્રોફેસર થયા એ દરમ્યાન ને એ પછી પણ એ ભણતા રહ્યા – અંગ્રેજીમાં પણ એમ.. કર્યું, ભાષાવિજ્ઞાનનો ડિપ્લોમા કર્યો; પહેલાં બંગાળી ને પછી ઓડિયા જેવી ભારતીય ભાષાઓ શીખ્યા, જર્મન પણ શીખ્યા, જૂની લિપિના વર્ગો ભર્યા ને એની પરીક્ષા પણ આપી.


ત્રણ દાયકા સુધી ભણાવ્યું – એક જ શહેરમાં, અમદાવાદમાં. પણ એક જગાએ ધૂણી ધખાવી એમ નહીં, એ જાણે કે પ્રવાસી શિક્ષક રહ્યા. વિદ્યા-સાહિત્ય-નિમિત્તે પ્રવાસો કર્યા, નિજાનંદે પણ કર્યા, સાથી મિત્રો સાથે તેમ જ વિદ્યાર્થીઓ સાથે પણ સાંસ્કૃતિક ને
૧૯ વર્ષની વયે તેમણે ‘પ્રગતિ’ નામના આધુનિક કવિતાના સામયિકનું સંપાદન અને પ્રકાશન સંભાળ્યું હતું જેમાં બંગાળના અગ્રગણ્ય કવિઓની પ્રારંભની રચનાઓ પ્રગટ થતી હતી. ઈ.સ. ૧૯૩૫ના અરસામાં તેમણે ‘કવિતા’ નામનું સામયિક શરૂ કર્યું જે તત્કાલીન બંગાળી કવિતાનું મુખ્ય સામયિક હતું. એમણે પોતે અનેક કાવ્યસંગ્રહો, નવલકથાઓ, વાર્તાસંગ્રહો, નાટકો, નિબંધગ્રંથો ઈત્યાદિ પ્રગટ કર્યા હતા.
::::પ્રકૃતિદર્શનના પ્રવાસો એ કરતા રહ્યા…દેશમાં ને વિદેશમાં.
*
ગુજરાતીના લેખક તરીકે સૌ પહેલાં એ વિવેચક. ‘અધુના’(૧૯૭૩) વગેરે એમનાં ઘણાં મહત્ત્વનાં વિવેચન-પુસ્તકો છે – સમીક્ષાનાં ને તુલનાત્મક અભ્યાસનાં. દરમ્યાન હિંદી, બંગાળી, ઓડિયામાંથી સરસ અનુવાદો કર્યા – ‘વનલતા સેન’ (૧૯૭૬), ‘સ્વર્ગની નીચે મનુષ્ય’(૧૯૭૭) વગેરે અનેક ઉત્તમ અનુવાદ-પુસ્તકો આપ્યાં. સર્જક તરીકે એ સ્મરણીય પ્રવાસપુસ્તકોના લેખક –
::::‘વિદિશા’(૧૯૮૦) વગેરે કેટલાં બધાં પુસ્તકોમાં એમની પેલી વિદગ્ધ રસિકતા અનુભવાય છે!


ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું એમણે લાંબો સમય સુચારુ સંપાદન કર્યું ને સંપાદકીય લેખોનાં બે પુસ્તકો આપ્યાં. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’(૧૯૯૭) અને ‘આવ, ગિરા ગુજરાતી’(૨૦૦૧) એે ઉપરાંત પણ એમણે ‘ગુજરાતી સાહિત્યનો
બંગાળી કવિતામાં નવા અવાજને એમના સતત પ્રોત્સાહનને કારણે ૨૦મી સદીના બંગાળી સાહિત્યકારોમાં એમનું સ્થાન સન્માનીય હતું. એમના આધુનિક કવિતા વિશેના નિબંધો વિશ્લેશણના ઊંડાણ તેમ જ અદ્‌ભુત ગદ્યને કારણે આજે પણ પ્રશંસનીય લાગે છે. ૨૦મી સદીની બંગાળી કવિતાનો એમનો અભ્યાસ અને તારણ અદ્વિતીય કહી શકાય. તેઓ પાશ્ચાત્ય સાહિત્યના ઊંડા અભ્યાસી હતા અને એમની શૈલી પર તેનો પ્રભાવ દેખાઈ આવે છે. એમણે બોદલેર અને રિલ્કેનાં કાવ્યોનો બંગાળી અનુવાદ તેમ જ પોતાની રચનાઓનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. અંગ્રેજી ઉપરનું તેમનું પ્રભુત્વ અસાધારણ કહી શકાય.
:::::::નવમો દાયકો’ વગેરે ઘણાં સંચયો-સંપાદનો કરેલાં.


શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફૅલો (૧૯૮૩-૮૪) રહેલા ભોળાભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ હતા. ભારતીય સાહિત્ય અકાદમીના અવોર્ડ સમેત ઘણાં પારિતોષિકો એમને મળ્યાં હતાં.
બુદ્ધદેવનો જયારે સાહિત્ય જગતમાં પ્રવેશ થયો ત્યારે રવીન્દ્રનાથ બંગાળના સાહિત્ય જગત ઉપર જ નહીં, સમગ્ર જગત ઉપર છવાઈ ગયા હતા એમ કહેવામાં અનૌચિત્ય નથી. વીસમી સદીમાં જન્મેલા અને તત્કાલીન સમયના ઐતિહાસિક ઘટનાક્રમથી અને પરિવર્તનશીલ આદર્શોથી રંગાયેલા લેખકોમાંના અગ્રગણ્ય બુદ્ધદેવ, રવીન્દ્રનાથના સર્વવ્યાપી વ્યક્તિત્વથી પ્રભાવિત તો હતા પણ સાથે સાથે તેમના અતિપ્રબળ પ્રભાવથી મુક્તિ પણ ઈચ્છતા હતા. આ દ્વન્દ્વનું પ્રાથમિક પરિણામ પ્રતિકાર અને અંતે સન્માનીય સમાધાન અને સંપૂર્ણ સ્વીકાર.


*
{{Right |– શૈલેશ પારેખ }} <br>
<center>{{Color|Red|‘વિદિશા’}}</center>
{{Poem2Open}}
વિદિશા – પ્રવાસ-સાહિત્યના ૧૧ નિબંધોનું આ પુસ્તક વર્તમાનકાળની આંગળી ઝાલીને ભૂતકાળમાં પણ વિહાર કરાવે છે. એ વિહાર સૌંદર્ય-વિહાર છે. આજના મધ્યપ્રદેશના વિદિશા શહેરમાં ફરતા ભોળાભાઈ કવિ કાલિદાસના ‘મેઘદૂત’ કાવ્યની રસિક નગરી વિદિશાને આંખ સામે ખડી કરે છે. તો, ‘ખજૂરાહો’ નિબંધમાં, શિલ્પોની મોહક અંગભંગીઓને જીવતી કરે છે ને એ રતિશિલ્પોમાં પ્રફુલ્લ સૌંદર્યનો અનુભવ કરાવે છે. આ નિબંધોની ભાષામાં ને સ્થળો જોવાની લેખકની રસિક દૃષ્ટિમાં એક રોમૅન્ટિક લહર છે – પણ એ મસ્તી છીછરી નથી પણ ઘુંટાયેલી છે એટલે સૌંદર્યનો સાચો બોધ કરાવે છે. એથી, તે જ્યાં જ્યાં જઈ આવ્યા છે ત્યાં જવા માટે આપણા મનને અધીરું કરે છે. તો, જલદી પ્રવેશીએ એમના રસ-વિશ્વમાં –
 
{{Right|{{Color|Red|લેખક અને કૃતિપરિચય : રમણ સોની}}}}
 
{{Poem2Close}}
{{Heading|અનુવાદક પરિચય|}}


{{Poem2Open}}
<center>{{Color|Red|શૈલેશ પારેખ}}</center>
<center>{{Color|Red|અનુવાદક પરિચય}}</center>


[[File:ShaileshParekh.jpg|200px|frameless|center]]
[[File:ShaileshParekh.jpg|200px|frameless|center]]

Revision as of 10:44, 20 February 2022


સર્જક-પરિચય
બુદ્ધદેવ બસુ
Buddhadeb basu.jpg

કોમિલા, બાંગ્લાદેશમાં જન્મેલા બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪), બંગાળના ૨૦મી સદીના રવીન્દ્રનાથ પછીના અગ્રગણ્ય કવિ છે. યુનિવર્સિટી ઑફ ઢાકામાંથી એમ. એ. ની ઉપાધિ મેળવ્યા બાદ કલકત્તામાં સ્થાયી થયા. જાદવપુર યુનિવર્સિટીમાં કમ્પેરેટીવ લિટરેચર વિભાગના સ્થાપક અને વર્ષો સુધી તેના અધ્યાપક રહ્યા. ઈ.સ. ૧૯૬૭માં સાહિત્ય અકાદમીના પુરસ્કારથી સન્માનિત બુદ્ધદેવને ભારત સરકારે ઈ.સ. ૧૯૭૦માં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા.

૧૯ વર્ષની વયે તેમણે ‘પ્રગતિ’ નામના આધુનિક કવિતાના સામયિકનું સંપાદન અને પ્રકાશન સંભાળ્યું હતું જેમાં બંગાળના અગ્રગણ્ય કવિઓની પ્રારંભની રચનાઓ પ્રગટ થતી હતી. ઈ.સ. ૧૯૩૫ના અરસામાં તેમણે ‘કવિતા’ નામનું સામયિક શરૂ કર્યું જે તત્કાલીન બંગાળી કવિતાનું મુખ્ય સામયિક હતું. એમણે પોતે અનેક કાવ્યસંગ્રહો, નવલકથાઓ, વાર્તાસંગ્રહો, નાટકો, નિબંધગ્રંથો ઈત્યાદિ પ્રગટ કર્યા હતા.

બંગાળી કવિતામાં નવા અવાજને એમના સતત પ્રોત્સાહનને કારણે ૨૦મી સદીના બંગાળી સાહિત્યકારોમાં એમનું સ્થાન સન્માનીય હતું. એમના આધુનિક કવિતા વિશેના નિબંધો વિશ્લેશણના ઊંડાણ તેમ જ અદ્‌ભુત ગદ્યને કારણે આજે પણ પ્રશંસનીય લાગે છે. ૨૦મી સદીની બંગાળી કવિતાનો એમનો અભ્યાસ અને તારણ અદ્વિતીય કહી શકાય. તેઓ પાશ્ચાત્ય સાહિત્યના ઊંડા અભ્યાસી હતા અને એમની શૈલી પર તેનો પ્રભાવ દેખાઈ આવે છે. એમણે બોદલેર અને રિલ્કેનાં કાવ્યોનો બંગાળી અનુવાદ તેમ જ પોતાની રચનાઓનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. અંગ્રેજી ઉપરનું તેમનું પ્રભુત્વ અસાધારણ કહી શકાય.

બુદ્ધદેવનો જયારે સાહિત્ય જગતમાં પ્રવેશ થયો ત્યારે રવીન્દ્રનાથ બંગાળના સાહિત્ય જગત ઉપર જ નહીં, સમગ્ર જગત ઉપર છવાઈ ગયા હતા એમ કહેવામાં અનૌચિત્ય નથી. વીસમી સદીમાં જન્મેલા અને તત્કાલીન સમયના ઐતિહાસિક ઘટનાક્રમથી અને પરિવર્તનશીલ આદર્શોથી રંગાયેલા લેખકોમાંના અગ્રગણ્ય બુદ્ધદેવ, રવીન્દ્રનાથના સર્વવ્યાપી વ્યક્તિત્વથી પ્રભાવિત તો હતા પણ સાથે સાથે તેમના અતિપ્રબળ પ્રભાવથી મુક્તિ પણ ઈચ્છતા હતા. આ દ્વન્દ્વનું પ્રાથમિક પરિણામ પ્રતિકાર અને અંતે સન્માનીય સમાધાન અને સંપૂર્ણ સ્વીકાર.

– શૈલેશ પારેખ


અનુવાદક પરિચય
શૈલેશ પારેખ
ShaileshParekh.jpg
ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)

શૈલેશ પારેખનો પરિચય ગુજરાતી સાહિત્યમાં એક ઉત્તમ અનુવાદક અને આસ્વાદક તરીકે હવે દૃઢ થયો છે. એમનો રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્ય ને જીવન પ્રત્યેનો ઊંડો અનુરાગ-અભ્યાસ તથા અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અને બંગાળી ભાષાનો વિશેષ પરિચય એમ તેમના બે મુખ્ય પાસા છે.

એમની આ સાહિત્યાભિમૂખતાના મૂળમાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચાલતા રવીન્દ્રભવનની પ્રવૃત્તિમાં સક્રિય સામેલગીરી છે. એમની ઉત્તમ સાહિત્યની ખેવના, કવિ શ્રી નિરંજન ભગત અને અનુવાદક, વિવેચક ભોળાભાઈ પટેલ સાથેના સાહિત્ય અનુબંધમાં પરિષ્કૃત થતી ગઈ. સતત પરીશીલનરત રહેવાની એમની વિશેષતા અને અનુવાદ કરવાની કાબેલિયતને પરિણામે એમનો અભ્યાસ અને એમની સાહિત્યપદાર્થ માટેની નિસબત વધુને વધુ સમૃધ્ધ થઈ છે.

શૈલેશ પારેખના અનુવાદો અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં થયેલા છે. અંગ્રેજી અને ગુજરાતીમાં પરસ્પર કરેલા અનુવાદ, ગુજરાતી અને બંગાળીમાંથી અંગ્રેજીમાં તથા બંગાળીમાંથી ગુજરાતી અને અંગ્રેજીમાં અનુવાદોનું વિશદ કાર્ય છે. અંગ્રેજી ગીતાંજલિમાંથી (2002) ગુજરાતીમાં અનૂદિત કાવ્યો ગુજરાતી સાહિત્ય જગતમાં પોંખાયાં છે. આ ઉપરાંત રવીન્દ્રનાથના બીજા કાવ્યસંગ્રહો, નૈવેદ્ય, પ્રાંતિક, શેષ લેખાનો એમણે ગુજરાતીમાં અનુવાદ આપ્યો છે. નિરંજન ભગતના 66 કાવ્યોનો ગુજરાતીમાંથી અંગ્રેજી અનુવાદ, Niranjan Bhagat in English, ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યો છે. બંગાળીમાંથી અંગ્રેજીમાં અનુવાદ એ એમનું બીજુ મહત્વનું અનુવાદ કાર્ય છે. જેમાં Naibedya(2002), Prantik(2004), Shesh Lekha(2004) કાવ્યસંગ્રહ પ્રકાશિત થયાં છે. Who is Rabindranath Tagore ?, Chitrangda and other Dramatic Poems, Tagore in Ahmedabad, Gandhi vs Tagore, Tagore and Poetry, Chicago એમના અંગ્રેજીમાં સ્વતંત્ર પુસ્તકો છે.

એમણે અંગ્રેજીમાં Gandhi Vs. Tagore (2009) નામે નાટક લખેલું છે, જે વિશ્વભારતી,કોલકત્તાએ પ્રગટ કર્યું છે. તેના પર આધારિત The Poet and the Prophet પ્રથમ વાર ૩૦ જાન્યુઆરી, ૨૦૦૯ના દિવસે સાબરમતી આશ્રમમાં ભજવાયું હતું તથા માર્ચ ૨૦૦૯મા પશ્ચિમ બંગાળના તત્કાલીન ગવર્નર શ્રી ગોપાલકૃષ્ણ ગાંધીની ઉપસ્થિતિમાં રવીન્દ્રનાથના જન્મસ્થાન જોડાસાંકોમાં, અને શાંતિનિકેતનમા રવીન્દ્રનાથના નિવાસસ્થાન, શ્યામલીના પ્રાંગણમાં ભજવાયું હતું. એ એક વિશિષ્ટ ઘટના કહી શકાય. ત્યાર પછી આ નાટકના દેશવિદેશમાં સોથી વધુ પ્રયોગ થયા છે.

શૈલેશ પારેખ મૂળે એમ.આઈ.ટી, યુ.એસ.એના અનુસ્નાતક છે, એંજિન્યર છે અને અમદાવાદના એક જાણીતા વ્યવસાય ગૃહનું નેતૃત્વ સંભાળતા હતા. વિજ્ઞાનના વિદ્યાર્થી અને વ્યવસાયમાં રત હોવા છતાં એમના અનુવાદ કાર્ય અને સાહિત્ય અભ્યાસથી સાહિત્યજગત અને સમાજને એક નવી પ્રતિભાનો પરિચય થયો છે.

– રાજેન્દ્ર પટેલ