સોરઠી સંતવાણી/હરિ સાથે એકતાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
</poem>
</poem>


<center>'''પાનબાઈ?]'''</center>
<center>'''[પાનબાઈ?]'''</center>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 11:36, 28 April 2022


હરિ સાથે એકતાર

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને
વાળ્યું પદમાસન્ન રે,
મન વચનને સ્થિર કરી દીધું ને
ચિત્ત જેનું પ્રસન્ન રે —
ભાઈ રે ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું ને
લાગી સમાધિ અખંડ રે
મહાદશ પ્રગટાવી તે ઘડી ને
હરિને જોયા તે પંડ બ્રહ્માંડ રે. — એટલી.
ભાઈ રે બાહુમ રૂપ જેની વરતી બની ગઈ ને
અંતર રહ્યું લગાર રે,
સુરતાએ સુનમાં જઈને વાસ કીધો ને
થયા અરસ પરસ એકતાર રે. — એટલી.
ભાઈ રે નામને રૂપની મટી ગઈ ઉપાધિને
વરતી લાગી ઇંડથી પાર રે,
ગંગાસતીનું શરીર પડી ગયું ને
મળી ગયો હરિમાં તાર રે. — એટલી.

[પાનબાઈ?]