સોરઠી સંતવાણી/સંદેશો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સંદેશો|}} <poem> કે’જો સંદેશો ઓધા કાનને રે તમે છો માયલા ઓધાર રે...")
 
No edit summary
 
Line 23: Line 23:
હરિવર રે’જો પાસ રે. — કે’જો.
હરિવર રે’જો પાસ રે. — કે’જો.
</poem>
</poem>
<center>'''[દેવીદાસ]'''</center>
<br>
{{HeaderNav2
|previous = હજી કેમ ના’વ્યા
|next = મ જાવ મથુરાની વાટે
}}

Latest revision as of 05:42, 29 April 2022


સંદેશો

કે’જો સંદેશો ઓધા કાનને રે
તમે છો માયલા ઓધાર રે. — કે’જો.
રત્યું પાલટીયું વન કોળિયાં રે
બોલે બાપૈયા ઝીણા મોર રે
પિયુ! પિયુ! શબદ સુણાવતાં
હૈયું રિયલ નૈ મારું ઠોર રે. — કે’જો.
આપે કાળા ને વળી કૂબજા રે
જોતાં મળી છે એને જોડ રે
તાળી દૈને તરછોડિયાં રે
તુંને ઘટે નૈ રણછોડ રે. — કે’જો.
આવું જો જાણું તો જાવા દેત નૈ
રાખત ગોકળિયા મોજાર રે,
મુવલને નવ મારીએં રે
મોહન મનથી વિચાર રે. — કે’જો.
એટલી અરજ વ્રજ-નારની
વાંચીને કરજો વિચાર રે,
દરશન દેજો દેજો દેવીદાસને
હરિવર રે’જો પાસ રે. — કે’જો.

[દેવીદાસ]