સોરઠી સંતવાણી/દાઝેલ દેહનાં દુઃખિયાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દાઝેલ દેહનાં દુઃખિયાં|}} <poem> છયેં રે દુખિયાં, અમે નથી સુખિય...")
 
No edit summary
 
Line 16: Line 16:
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં.
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં.
</poem>
</poem>
<center>'''[મીરા]'''</center>
<br>
{{HeaderNav2
|previous = કોઈ સમજાવો
|next = સફરે જતા સેણને
}}

Latest revision as of 05:46, 29 April 2022


દાઝેલ દેહનાં દુઃખિયાં

છયેં રે દુખિયાં, અમે નથી સુખિયાં
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં
વાને વંટોળે અમે રે આવી ભરાણાં વા’લા!
સામા કાંઠાનાં અમે છયેં પંખિયાં. — મોરી.
છીછરા જળમાં અમે રે જીવી ન શકીએ વા’લા!
ઊંડાં રે જળનાં અમે છયેં મછિયાં. — મોરી.
પરદેશી સાથે અમને પ્રીત બંધાણી વા’લા!
નિરખી નિરખીને મોરી ફૂટી અંખિયાં. — મોરી.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા!
ચરણુંમાં રાખો તો અમે થાયેં સુખિયાં
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં.

[મીરા]