ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીદાસ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવીદાસ-૨'''</span> [ઈ.૧૬૦૪માં હયાત] : આખ્યાનકાર. સો...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવીદાસ-૧
|next =  
|next = દેવીદાસ-૩
}}
}}

Latest revision as of 13:29, 17 August 2022


દેવીદાસ-૨ [ઈ.૧૬૦૪માં હયાત] : આખ્યાનકાર. સોજિત્રાના વતની. જ્ઞાતિએ ગાંધર્વ. એમનું ૩૦ કડવાંનું ‘રુક્મિણીહરણ’(ર.ઈ.૧૬૦૪/સં. ૧૬૬૦, મહા સુદ ૧૩, શુક્રવાર; મુ.) નાયિકા-સૌન્દર્યનાં તથા સૈન્ય, યુદ્ધ, લગ્નોત્સવ આદિનાં રોચક વર્ણનોવાળું, લોકપ્રિય નીવડેલાં લગ્નગીતો ધરાવતું ને વીર, શૃંગાર ને હાસ્યરસનું નિરૂપણ કરતું આ વિષયનું નોંધપાત્ર આખ્યાન છે. માત્ર ‘દેવીદાસ’ નામછાપ ધરાવતી સાખી, શ્લોક, ચાલ અને ઢાળ એવા વિભાગો ધરાવતી ૯૫ કડીની પ્રાસાદિક કૃતિ ‘રાસપંચાધ્યાયી’ (મુ.)ની હસ્તપ્રત સોજિત્રામાંથી મળી હોવાથી આ કવિની રચના હોવાની ઘણી શક્યતા છે. કૃતિ : બૃકાદોહન : ૬ (+સં.), ૮ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [ર.સો.]