ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દ્વારકો-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દ્વારકો-૧'''</span>  [ઈ.૧૭૪૪માં હયાત] : ઘણુંખરું ડા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દ્વારકો
|next =  
|next =  
}}
}}

Latest revision as of 13:39, 17 August 2022


દ્વારકો-૧  [ઈ.૧૭૪૪માં હયાત] : ઘણુંખરું ડાકોરમાં રહેતા પણ ચરોતરમાં ભાલેજના વતની અને જ્ઞાતિએ વણિક તરીકે ઓળખાવાયેલા આ કવિની કૃતિઓ માત્ર ‘દ્વારકો’ નામછાપ ધરાવે છે. આ નામછાપથી મળતાં બોધાત્મક પદો (૧ પદની ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦, કારતક સુદ૧૦; કેટલાંક મુ.), બાળલીલા, વસંત, હોરી, થાળ, ભક્તિશૃંગારની ગરબીઓ વગેરે કૃષ્ણવિષયક રચનાઓ (કેટલીક મુ.), ભક્તિબોધનો ‘કક્કો’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦ માગશર સુદ ૯; મુ.), ‘રાધિકાવિરહના દ્વાદશ માસ’ (મુ.), કૃષ્ણવિરહની ‘તિથિ’ તથા ‘આઠવાર’ આ કવિની જ કૃતિઓ હોવાનું સમજાય છે. કવિની ભાષામાં પ્રાસાદિકતા છે અને કૃષ્ણવિષયક કાવ્યોમાં ભાવ અને અભિવ્યક્તિનું માધુર્ય છે. કૃતિ : ૧. કાદોહન : ૧(+સં.), ૨, ૩; ૨. ર. નકાદોહન; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી ઈ.૧૮૮૫; ૪. બૃકાદોહન :૨;  ૫. પ્રાકાત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૮૯ - ‘રાધિકાવિરહના દ્વાદશ માસ’; ૬. સમાલોચક, ઑક્ટો-ડિસે. ૧૯૦૮ - ‘જૂની ગુજરાતી કવિતા’ અંતર્ગત ‘કવિ દ્વારકાદાસકૃત ગરબીઓ’, સં. છગનલાલ વિ. રાવળ (+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]