ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નતર્ષિ-નયર્ષિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નતર્ષિ/નયર્ષિ'''</span> [ઈ.૧૪૩૯/૧૪૪૧ સુધીમાં] : આ કવિની ‘નારાયણ ફાગુ’(લે.ઈ.૧૪૩૯/૧૪૪૧)નામની કૃતિ મળે છે. જેમાં અઢૈયું અને સવૈયાના ચાલની દાવટી ચોપાઈ જેવા રાસક છંદોનો ત...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નગર્ષિ-નગા_ગણિ
|next =  
|next = નથમલ
}}
}}

Latest revision as of 06:42, 27 August 2022


નતર્ષિ/નયર્ષિ [ઈ.૧૪૩૯/૧૪૪૧ સુધીમાં] : આ કવિની ‘નારાયણ ફાગુ’(લે.ઈ.૧૪૩૯/૧૪૪૧)નામની કૃતિ મળે છે. જેમાં અઢૈયું અને સવૈયાના ચાલની દાવટી ચોપાઈ જેવા રાસક છંદોનો તથા ‘આન્દોલા’ એ શીર્ષકથી ચારણી છંદનું સ્મરણ કરાવતી ગીતરચનાનો વિશિષ્ટ પ્રયોગ થયો છે. આ ફાગુકાવ્યમાં કૃષ્ણ અને તેની પટરાણીઓનો વિલાસ વર્ણવાયો છે. અજ્ઞાત કવિના ‘વસંત-વિલાસ’ ફાગુ અને આ ફાગુકાવ્ય વચ્ચે કલ્પનાનું અને શૈલીનું કેટલુંક સામ્ય છે, એટલે બંને કાવ્યોનો કર્તા એક હોવાનું પણ અનુમાન થયું છે. સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારૂપરેખા : ૧; ૫. ગુસાસ્વરૂપો; ૬. નરસિંહયુગના કવિઓ, કનૈયાલાલ મુનશી, ઈ.૧૯૬૨;  ૭. સ્વાધ્યાય, મે ૧૯૬૫-હરિવિલાસ-એક મધ્યકાલીન જૈનેતર ફાગુકાવ્ય’, હરિવલ્લભ ચૂ. ભાયાણી. [કી.જો.]