ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પઉમ પદમ મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પઉમ/પદમ(મુનિ)'''</span> [ઈ.૧૩૦૨ સુધીમાં] : જૈન સાધુ. ૫૭ કડીની ‘દુહામાતૃકા/ધર્મમાતૃકા’ (લે.ઈ.૧૩૦૨; મુ.)માં ઉપદેશાત્મક સુભાષિતો છે અને ૭૧ કડીના ‘સાલિભદ્ર-કક્ક’ (લે.ઈ.૧૩૦૨;...")
 
No edit summary
 
Line 11: Line 11:
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous =  
|next =  
|next = પદ_અખાજી
}}
}}

Latest revision as of 09:24, 31 August 2022


પઉમ/પદમ(મુનિ) [ઈ.૧૩૦૨ સુધીમાં] : જૈન સાધુ. ૫૭ કડીની ‘દુહામાતૃકા/ધર્મમાતૃકા’ (લે.ઈ.૧૩૦૨; મુ.)માં ઉપદેશાત્મક સુભાષિતો છે અને ૭૧ કડીના ‘સાલિભદ્ર-કક્ક’ (લે.ઈ.૧૩૦૨; મુ.)માં શાલિભદ્ર અને તેમની માતા વચ્ચેના સંવાદ રૂપે ત્યાગ અને ધર્મનો મહિમા વર્ણવાયો છે. દોહરાની ૧૪ કડીના ‘નેમિનાથફાગુ’ (મુ.)ની પહેલી ૧૦ કડીઓમાં વસંતવર્ણન છે ને છેલ્લી ૪ કડીઓમાં નેમિનાથનું કથાનક છે. આ ફાગુ તેમાંના વસંતવર્ણન, વસંતઆગમનથી જનજીવનમાં ફેલાયેલા ઉલ્લાસ અને ગુર્જરનારીના રૂપપોશાકના આલેખન તથા મનોરમ આલંકારિક વાણીને લીધે ધ્યાનપાત્ર છે. કૃતિ : ૧. પ્રાગુકાસંગ્રહ : ૧; ૨. પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસાપઅહેવાલ : ૨૧; ૪. ગુસારવસ્વતો; ૫. મરાસસાહિત્ય; ૬. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૯. મુપુગૂહસૂચી.[ર.સો.]