ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંત'''</span> [ ] : પદબંધ ‘ભાગવત’ના ૧૨ સ્કંધ ઉપલબ્ધ થાય છે, જેમાં ૧થી ૪ તથા ૮, ૯ ને ૧૧ સંપૂર્ણ રૂપમાં અને બીજા સ્કંધ ખંડિત રૂપમાં મળે છે. સંપૂર્ણ રૂપે પ્રાપ્ત થતા સ્કંધ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘સંજાણા-ભગરીઆના_આંતરકલહનું-કાવ્ય’
|next =  
|next = સંતરામ_મહારાજ-સુખસાગર
}}
}}

Latest revision as of 12:06, 21 September 2022


સંત [ ] : પદબંધ ‘ભાગવત’ના ૧૨ સ્કંધ ઉપલબ્ધ થાય છે, જેમાં ૧થી ૪ તથા ૮, ૯ ને ૧૧ સંપૂર્ણ રૂપમાં અને બીજા સ્કંધ ખંડિત રૂપમાં મળે છે. સંપૂર્ણ રૂપે પ્રાપ્ત થતા સ્કંધમાં નામછાપ ‘સંત’ મળે છે. આ નામ કર્તાનું સૂચક છે કે બીજું કંઈ તે સ્પષ્ટપણે કહી શકાય એવું નથી. કોઈ કૃષ્ણપુત્ર વૃંદાવન ભટ્ટની કૃપાથી પોતે આ કાવ્ય રચ્યું છે એમ કવિએ નોંધ્યું છે, પરંતુ એ સિવાય પોતા વિશે બીજી કોઈ આ માહિતી આપી નથી. ‘ભાગવત’નું ભાષાસ્વરૂપ જોતાં આ કવિ સં. ૧૭મી સદી પૂર્વાર્ધ સુધીમાં થયા હોય એવું અનુમાન કરવામાં આવ્યું છે. કવિએ રચેલા ભાગવતના આ સ્કંધમાં ૧૦મો સ્કંધ કંઈક વિસ્તારવાળો છે. બાકીના સ્કંધ બહુ સંક્ષિપ્ત છે. મૂળનો સાર આપીને કવિ અટકી જાય છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી.[ચ.શે.]