ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંત [ ] : પદબંધ ‘ભાગવત’ના ૧૨ સ્કંધ ઉપલબ્ધ થાય છે, જેમાં ૧થી ૪ તથા ૮, ૯ ને ૧૧ સંપૂર્ણ રૂપમાં અને બીજા સ્કંધ ખંડિત રૂપમાં મળે છે. સંપૂર્ણ રૂપે પ્રાપ્ત થતા સ્કંધમાં નામછાપ ‘સંત’ મળે છે. આ નામ કર્તાનું સૂચક છે કે બીજું કંઈ તે સ્પષ્ટપણે કહી શકાય એવું નથી. કોઈ કૃષ્ણપુત્ર વૃંદાવન ભટ્ટની કૃપાથી પોતે આ કાવ્ય રચ્યું છે એમ કવિએ નોંધ્યું છે, પરંતુ એ સિવાય પોતા વિશે બીજી કોઈ આ માહિતી આપી નથી. ‘ભાગવત’નું ભાષાસ્વરૂપ જોતાં આ કવિ સં. ૧૭મી સદી પૂર્વાર્ધ સુધીમાં થયા હોય એવું અનુમાન કરવામાં આવ્યું છે. કવિએ રચેલા ભાગવતના આ સ્કંધમાં ૧૦મો સ્કંધ કંઈક વિસ્તારવાળો છે. બાકીના સ્કંધ બહુ સંક્ષિપ્ત છે. મૂળનો સાર આપીને કવિ અટકી જાય છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી.[ચ.શે.]