કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૫. પ્રાણ હરખાતો નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫. પ્રાણ હરખાતો નથી| }} <poem> જ્યાં લગી કાંટો સુમનનો કરમાં ભોંકાતો નથી, બાગનો સાચો પરિચય ત્યાં લગી થાતો નથી. એ જ છે સાચો ઝવેરી સારહીન સંસારમાં, કાચ ને હીરામાં જેને ફેર દેખાતો નથી....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૩૫૬)}} | {{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૩૫૬)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૪. બધા ઓળખે છે | |||
|next = ૩૬. ઉકળતો ચરૂ છે | |||
}} |
Latest revision as of 10:42, 14 November 2022
૩૫. પ્રાણ હરખાતો નથી
જ્યાં લગી કાંટો સુમનનો કરમાં ભોંકાતો નથી,
બાગનો સાચો પરિચય ત્યાં લગી થાતો નથી.
એ જ છે સાચો ઝવેરી સારહીન સંસારમાં,
કાચ ને હીરામાં જેને ફેર દેખાતો નથી.
જેટલા હાતમ છે એ પણ આખરે મહોતાજ છે,
એ જ કારણ હાથ મારો ક્યાંય લંબાતો નથી.
છે અમારે મન તો એ નિર્મળ ઝરણ પણ ઝાંઝવાં,
જેમના કાંઠે તરસતો પ્રાણ હરખાતો નથી.
જાઓ દુનિયાની ખબર તો લો કે એને શું થયું!
કેમ તાજો ઘાવ દિલ પર આજ દેખાતો નથી?
સાહ્યબી તો એ જ ઘરની, હો ભલે અદના કુટિર,
દિલનો દરવાજો કદી જ્યાં શૂન્ય ભીડાતો નથી.
(શૂન્યનો વૈભવ, પૃ. ૩૫૬)