મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મનોહર સ્વામી પદ ૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૭|મનોહર સ્વામી}} <poem> સંતો આવો અમારડા દેશમાં જો; શાને ભટકો...")
 
No edit summary
 
Line 18: Line 18:


એ છે સદા ચૌદ લોકવિષે જાગતો જો;
એ છે સદા ચૌદ લોકવિષે જાગતો જો;
જાણ્યા પછી કદી થાય નહીં અણછતો જો. સંતો.{{space}} ૬
જાણ્યા પછી કદી થાય નહીં અણછતો જો..{{space}} સંતો.
 
મહાવ્રત તપ યજ્ઞ દાન આદરે જો;
મહાવ્રત તપ યજ્ઞ દાન આદરે જો;
તેથી નાથજી કબૂલ કદી નવ કરે જો.{{space}} સંતો. ૭
તેથી નાથજી કબૂલ કદી નવ કરે જો.{{space}} સંતો. ૭

Latest revision as of 10:04, 8 February 2023


પદ ૭

મનોહર સ્વામી

સંતો આવો અમારડા દેશમાં જો;
શાને ભટકોછો ફોગટીયા વેશમાં જો.          સંતો. ૧

જ્યાં શોક રોગ મૃત્યુનો ભય નહીં કદા જો;
બ્રહ્માનંદ સુખ વરતિ રહ્યું સર્વદા જો.          સંતો. ૨

જ્યાં જોઈયે ત્યાં સ્વામી સનમુખ જડેજો.          સંતો. ૩

બાધા વિશ્વમાં વિરાજે નાથ અમતણો જો;
રક્ષા કરવા નિજ જનની ચંચલ કરે જો;          સંતો. ૪

જેની બ્રહ્માદિક દેવતા આશા કરે જો;
કામ ક્રોધ ચોર દૂરથી નાઠા ફરે જો.          સંતો. ૫

એ છે સદા ચૌદ લોકવિષે જાગતો જો;
જાણ્યા પછી કદી થાય નહીં અણછતો જો..          સંતો. ૬

મહાવ્રત તપ યજ્ઞ દાન આદરે જો;
તેથી નાથજી કબૂલ કદી નવ કરે જો.          સંતો. ૭

સત્ય ધ્યાનથી જણાવે નિજરૂપને જો;
વણ ધ્યાન ન જણાવે મોટા ભૂપને જો.           સંતો. ૮

એવા દેશમાં જો આવ્યાની આશા કરો જો;
સદ્ગુરૂજીને શીશ ચરણે ધરો રે જો.          સંતો. ૯

ગુરુ વચનેથી સાધન આદરો જો;
એ તો સદ્ય નિજદેશ પમાડે ખરો જો.          સંતો. ૧૦

સચ્ચિદાનંદ બ્રહ્મ ધ્યાન પામશો જો;
તેથી જનમ મરણ ભય વામશો જો.          સંતો. ૧૧