ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/પુરાકલ્પન – પ્રવીણ દરજી, 1944: Difference between revisions

Kamalthobhani (talk | contribs)
No edit summary
Kamalthobhani (talk | contribs)
No edit summary
Line 2: Line 2:
{{Heading| 44. પ્રવીણ દરજી | (23.8.1944)}}
{{Heading| 44. પ્રવીણ દરજી | (23.8.1944)}}
[[File:44. Pravin darji.jpg|thumb|center|150px]]
[[File:44. Pravin darji.jpg|thumb|center|150px]]
<center>  '''પુરાકલ્પન''' </center>
<center>  '''{{larger|પુરાકલ્પન}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
આ ‘મિથ’ (Myth) છે શું? આવો પ્રશ્ન જો એના તદ્દવિદો સમક્ષ કરવામાં આવે તો ભાગ્યે જ એનો એક સરખો ઉત્તર મળે. એવું પણ બને કે એમાંથી કેટલાક ઉત્તર આપવાનું જ ટાળે, અને જે થોડાએકે ઉત્તર આપ્યા હોય તે પણ સંતોષકારક ન હોય. સંભવ છે કે ઉત્તર આપનાર પણ ક્યારેક પોતાના ઉત્તરથી પૂરેપૂરો રાજી ન હોય! ‘મિથ’ વિશે ચર્ચા કરનારાઓ, એમાં ઊંડે સુધી ખૂંપી જનારાઓ કે તે વિશે સતત ખણખોદ કરનારાઓ ઘણી વાર ગૂંચવાઈ જતા જોવાય છે. કોઈક કોઈક વિચારણાના છેક જ અંતિમ બિન્દુએ પહોંચી જતા હોય છે. તો કોઈક એના મર્મને ઉદ્ઘાટિત કરવા તાણીતૂંસીને એને દૂર દૂર સુધી ખેંચી જતા હોય છે. સૅન્ટ ઑગસ્ટાઈને પોતાની મૂંઝવણ વ્યક્ત કરતાં આથી ‘મિથ’ના અર્થઘટનની બાબતે સાચું જ કહ્યું છે: ‘કોઈ મને ‘મિથ’ શું છે? – એમ પૂછે નહિ તો એ વિશે હું સારું જાણું છું,: પણ જો કોઈ એ વિશે પૂછે અને એને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરું તો મુશ્કેલીમાં મુકાઈ જાઉં.’ ‘મિથ’ સંજ્ઞા, એનું અર્થઘટન આમ પોતે જ અભ્યાસીઓ માટે એક રહસ્યમય ‘મિથ’ બની રહે એવી ને એટલી સંકુલતા દાખવે છે!
આ ‘મિથ’ (Myth) છે શું? આવો પ્રશ્ન જો એના તદ્દવિદો સમક્ષ કરવામાં આવે તો ભાગ્યે જ એનો એક સરખો ઉત્તર મળે. એવું પણ બને કે એમાંથી કેટલાક ઉત્તર આપવાનું જ ટાળે, અને જે થોડાએકે ઉત્તર આપ્યા હોય તે પણ સંતોષકારક ન હોય. સંભવ છે કે ઉત્તર આપનાર પણ ક્યારેક પોતાના ઉત્તરથી પૂરેપૂરો રાજી ન હોય! ‘મિથ’ વિશે ચર્ચા કરનારાઓ, એમાં ઊંડે સુધી ખૂંપી જનારાઓ કે તે વિશે સતત ખણખોદ કરનારાઓ ઘણી વાર ગૂંચવાઈ જતા જોવાય છે. કોઈક કોઈક વિચારણાના છેક જ અંતિમ બિન્દુએ પહોંચી જતા હોય છે. તો કોઈક એના મર્મને ઉદ્ઘાટિત કરવા તાણીતૂંસીને એને દૂર દૂર સુધી ખેંચી જતા હોય છે. સૅન્ટ ઑગસ્ટાઈને પોતાની મૂંઝવણ વ્યક્ત કરતાં આથી ‘મિથ’ના અર્થઘટનની બાબતે સાચું જ કહ્યું છે: ‘કોઈ મને ‘મિથ’ શું છે? – એમ પૂછે નહિ તો એ વિશે હું સારું જાણું છું,: પણ જો કોઈ એ વિશે પૂછે અને એને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરું તો મુશ્કેલીમાં મુકાઈ જાઉં.’ ‘મિથ’ સંજ્ઞા, એનું અર્થઘટન આમ પોતે જ અભ્યાસીઓ માટે એક રહસ્યમય ‘મિથ’ બની રહે એવી ને એટલી સંકુલતા દાખવે છે!