કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૧૮. ઉમા-મહેશ્વર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
({{SetTitle}})
 
Line 1: Line 1:
{{SetTitle}}
<center><big>'''૧૮. ઉમા-મહેશ્વર'''</big><br>
<center><big>'''૧૮. ઉમા-મહેશ્વર'''</big><br>
(શિખરિણી)</center>
(શિખરિણી)</center>

Latest revision as of 02:28, 13 June 2023

૧૮. ઉમા-મહેશ્વર
(શિખરિણી)

`અરે ભોળા સ્વામી! પ્રથમથી જ હું જાણતી હતી,
ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીં.
જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈ :શ્રવસ, ને
વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો;
લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમ સમ લીધો શંખ ધવલ,
અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.
બધાએ ભેગા થૈ અમૃત, તમને છેતરી, પીધું
અને–' `ભૂલે! ભૂલે! અમૃત, ઉદધિનું વસત શી?
રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની!'
`રહો, જાણ્યા એ તો, જગ મહીં બધે છેતરઈને ૧૦
શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં.
બીજું તો જાણે કે ઠીક જ, વિષ પીધું ક્યમ કહો?'
`બન્યું એ તો એવું, કની સખી! તહીં મંથન સમે,
દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,
અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,
મને મારા કંઠે મન થયું બસ્ એ રંગ ધરવા, –
મૂકી જો, આ બાહુ ઘન મહીં ન વિદ્યુત્ સમ દીસે?' ૧૭
તહીં વિશ્વે આખે પ્રણયઘન નિ :સીમ ઊલટ્યો;
અને એ આશ્લેષેે વિષ જગતનું સાર્થક બન્યું! ૧૯

(શેષનાં કાવ્યો, પૃ. ૫૨)