zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/સંપાદક-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સંપાદક-પરિચય  : સંધ્યા ભટ્ટ}}
{{Heading|સંપાદક-પરિચય  : સંધ્યા ભટ્ટ}}
[[File:Sandhya Bhatt writer.jpg|200px|center]]


{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 15:48, 25 February 2025

સંપાદક-પરિચય  : સંધ્યા ભટ્ટ
Sandhya Bhatt writer.jpg

તા. ૩૦મી જૂન, ૧૯૬૪ના રોજ નાસિક (મહારાષ્ટ્ર)માં જન્મેલાં સંધ્યાબેન નારાયણપ્રસાદ ભટ્ટનો ઉછેર શિક્ષિત અને સામ્યવાદી વિચાર ધરાવતા પરિવારમાં થયો. માતા સુરતની હાઈસ્કૂલમાં અંગ્રેજીનાં શિક્ષક; અને પિતા સામ્યવાદી પક્ષના આજીવન સભ્ય – જે મજૂરોના હક માટે વકીલ તરીકે આજીવન લડતા રહ્યા. મુખ્ય અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતકની અને અનુસ્નાતકની પદવી સુરતમાંથી જ મેળવી, સુવર્ણચંદ્રક સાથે બી.એડ. થયેલાં સંધ્યાબેને અધ્યાપક તરીકેની કારકીર્દિનો આરંભ ઈ. સ. ૧૯૮૭માં આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, માંડવી (જિ. સુરત)થી કર્યો. ઈ. સ. ૧૯૯૦માં આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, બારડોલીમાં જોડાઈને અંગ્રેજી વિષયનું અધ્યયન-અધ્યાપન તેઓ આજદિનપર્યંત કરતાં-કરાવતાં રહ્યાં છે.

સંધ્યા ભટ્ટ મુખ્યત્વે કવિ, વિવેચક અને ચરિત્રકાર છે. ‘સ્પર્શ આકાશનો’ (૨૦૦૬), ‘શૂન્યમાં આકાર’ (૨૦૧૭) જેવા કાવ્યસંગ્રહો અને ‘સમય તો થયો’ (૨૦૨૦) જેવા સૉનેટસંગ્રહ આપનાર સંધ્યાબેને ‘નિષ્કર્ષ’ (૨૦૧૩), ‘વિવિધા’ (૨૦૧૫), ‘આસ્વાદન’ (૨૦૧૯) અને ‘અન્વેષણ’ (૨૦૨૪) નામે સમીક્ષાત્મક વિવેચનસંગ્રહો પણ આપ્યા છે. ‘મૂલ્યનિષ્ઠ સર્જક જયભિખ્ખુ’ (૨૦૨૧) જેવું ચરિત્રપુસ્તક ્રaybhikhkhu’ નામે અંગ્રેજીમાં પણ આપનાર આ ચરિત્રલેખકે ‘નોખા માનવી અનોખું જીવન’ (૨૦૧૭) શીર્ષકથી ચરિત્રલેખોનો સંગ્રહ પણ આપ્યો; અને ‘હું હતો ત્યારે’ (૨૦૧૯) પુત્રવિરહની કથા આલેખતી ચરિત્રકથા પણ આપી. સ્વજનોનાં મૃત્યુવિષયક લેખોનો સંગ્રહ ‘તારું ચાલી જવું’ (૨૦૧૦)ની ચાર આવૃત્તિ થઈ, જે વિશેષ લોકચાહના પામી. ચમત્કાર જ લાગે એવા અનુભવોના આલેખોનું સંપાદન ‘અનુભૂતિવિશ્વ’ (૨૦૨૦) ઉપરાંત એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત E-Book ‘વાર્તાકાર પન્ના ત્રિવેદી’નું સંપાદન અને ‘યોગેશ જોષી સાથે સંવાદ’ (૨૦૨૪) આપનાર સંધ્યાબેનની કલમ અંગ્રેજી-ગુજરાતી સાહિત્ય-વિવેચનથી કેળવાયેલી છે. સંયમિત સૂરે ને તાટસ્થ્યભાવે લખતાં આ સર્જકની કવિતામાં પ્રકૃતિ તરફનું આકર્ષણ અને સમકાલીન રંગોનું વર્ચસ વિશેષ જોવા મળે; તો, એમના વિવેચનમાં પક્ષપાતી બન્યા વિનાનો ગુણાનુરાગ કૃતિપરિચય સાથે સર્જનવિશેષો પણ ચીંધી બતાવે. અનેક સામયિકોમાં પ્રકાશિત તેમનાં કાવ્યો, આસ્વાદો, ગ્રંથસમીક્ષા અને અવલોકનોથી એ સમયના વહેતા પ્રવાહ સાથે જોડાયેલાં રહ્યાં છે. એમનું સર્જન-વિવેચન ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, કુમાર ફાઉન્ડેશન અને બીજી નાની-મોટી સંસ્થાઓ દ્વારા સન્માનિત થતું રહ્યું છે. હાલ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદમાં ૨૦૨૩–૨૦૨૬ની મુદત માટે વિકાસમંત્રી તરીકે સક્રિય છે.

– ગુણવંત વ્યાસ