અનુક્રમ/પરંપરા અને પોતીકો અવાજ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 55: Line 55:
‘પવન રૂપેરી’ના કવિ આધુનિક હોવાની સાથે ભારતીય હોવાનું કહેવામાં આવ્યું છે તે એમના આવા વલણને કારણે હશે? ગમે તેમ, કવિ જાત વિષે વિચાર કરવા, માંહેલાની શોધ કરવા પ્રેરાય છે તેની પાછળ તો આ શ્રદ્ધા અને આશા જ કામ કરી રહેલી જણાય છે. જાત પ્રત્યે ઊંડી અને વેધક નજરથી, નિર્મમતાથી એ જુએ છે અને કશાયે આયાસ વિના છતાં અત્યંત માર્મિકતાથી, ક્યારેક તો દેખીતી હળવાશથી પણ જાતના સંકુલ ગહન રહસ્યને કાવ્યબદ્ધ કરે છે. ‘એક ઉંદરડી’ ‘બેસ, બેસ, દેડકી’ ‘ક્યાં છો ચંદ્રકાન્ત’ ‘ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ’ વગેરે કાવ્યો આનાં ઉદાહરણરૂપ છે. ‘ક્યાં છો ચંદ્રકાંત’માં પોતાના બહારી વ્યક્તિત્વની પોકળતાને જે માર્મિક વ્યંગોક્તિઓથી ખુલ્લી કરવામાં આવી છે અને આંતરવ્યક્તિત્વની – પોતામાં રહેલા પરમ તત્ત્વની અભીપ્સા જે તીવ્રતાથી પ્રગટ કરવામાં આવી છે તે તો અસાધારણ લાગે છે. બહારી વ્યક્તિત્વની પોકળતા પ્રત્યે વેધક કટાક્ષો કેવાં કલ્પનો અને કેવી વક્રોક્તિઓથી થયા છે તે જુઓ :
‘પવન રૂપેરી’ના કવિ આધુનિક હોવાની સાથે ભારતીય હોવાનું કહેવામાં આવ્યું છે તે એમના આવા વલણને કારણે હશે? ગમે તેમ, કવિ જાત વિષે વિચાર કરવા, માંહેલાની શોધ કરવા પ્રેરાય છે તેની પાછળ તો આ શ્રદ્ધા અને આશા જ કામ કરી રહેલી જણાય છે. જાત પ્રત્યે ઊંડી અને વેધક નજરથી, નિર્મમતાથી એ જુએ છે અને કશાયે આયાસ વિના છતાં અત્યંત માર્મિકતાથી, ક્યારેક તો દેખીતી હળવાશથી પણ જાતના સંકુલ ગહન રહસ્યને કાવ્યબદ્ધ કરે છે. ‘એક ઉંદરડી’ ‘બેસ, બેસ, દેડકી’ ‘ક્યાં છો ચંદ્રકાન્ત’ ‘ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ’ વગેરે કાવ્યો આનાં ઉદાહરણરૂપ છે. ‘ક્યાં છો ચંદ્રકાંત’માં પોતાના બહારી વ્યક્તિત્વની પોકળતાને જે માર્મિક વ્યંગોક્તિઓથી ખુલ્લી કરવામાં આવી છે અને આંતરવ્યક્તિત્વની – પોતામાં રહેલા પરમ તત્ત્વની અભીપ્સા જે તીવ્રતાથી પ્રગટ કરવામાં આવી છે તે તો અસાધારણ લાગે છે. બહારી વ્યક્તિત્વની પોકળતા પ્રત્યે વેધક કટાક્ષો કેવાં કલ્પનો અને કેવી વક્રોક્તિઓથી થયા છે તે જુઓ :
* તમોને ભુલાવી દેતા તમારા અરીસા  
* તમોને ભુલાવી દેતા તમારા અરીસા  
  – એને તોડીફોડી કેમ નથી દેતા?
– એને તોડીફોડી કેમ નથી દેતા?
* તેજના તમિસ્રમાંથી નીકળો રે બ્હાર.
* તેજના તમિસ્રમાંથી નીકળો રે બ્હાર.
* ચન્દ્રકાંત નામની દીવાલો ઓઢી ઓઢી  
* ચન્દ્રકાંત નામની દીવાલો ઓઢી ઓઢી  
  તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!
તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!
* ચન્દ્રકાંત નામ માટે  
* ચન્દ્રકાંત નામ માટે  
  શબ્દોના મિનારા ચણ્યા,  
શબ્દોના મિનારા ચણ્યા,  
   સંબંધોનાં જાળ વણ્યાં,  
   સંબંધોનાં જાળ વણ્યાં,  
   પરઘેર પાણી ભર્યાં,  
   પરઘેર પાણી ભર્યાં,  
Line 67: Line 67:
આંતરતત્ત્વની આરઝૂ કેવી સાચી, ઊંડી અને ઉત્કટ આલેખાઈ છે? –
આંતરતત્ત્વની આરઝૂ કેવી સાચી, ઊંડી અને ઉત્કટ આલેખાઈ છે? –
*  શ્વાસથી ઉચ્છ્‌વાસના ઝૂલાએ રોજ ઝૂલો,  
*  શ્વાસથી ઉચ્છ્‌વાસના ઝૂલાએ રોજ ઝૂલો,  
  કદી અંતરાલે માંડી ખરી મીટ?
કદી અંતરાલે માંડી ખરી મીટ?
   કોનો લય, કોની ગતિ, કોનું રૂપ
   કોનો લય, કોની ગતિ, કોનું રૂપ
– જેનો આમ નિષ્પદ શો છંદ ઊંડો નસે નસે ચાલે ?
– જેનો આમ નિષ્પદ શો છંદ ઊંડો નસે નસે ચાલે ?
  ફૂલ જેમ હસો છો ને કરો છો કિલ્લોલ !
ફૂલ જેમ હસો છો ને કરો છો કિલ્લોલ !
   તમે જાણો છો ?
   તમે જાણો છો ?
   – અનંતમાં જે અંતે તમે ઝૂલો  
   – અનંતમાં જે અંતે તમે ઝૂલો  
Line 76: Line 76:


* ચારે કોર ચંદ્રકાન્તો  
* ચારે કોર ચંદ્રકાન્તો  
  ખીચોખીચ  
ખીચોખીચ  
   કીડિયારાં રચી રચી જીવે,  
   કીડિયારાં રચી રચી જીવે,  
   એમાં હું જ હોઉં એવો સાચો  
   એમાં હું જ હોઉં એવો સાચો  
Line 87: Line 87:
આથી આગળ વધી કવિ વિશ્વમાં પોતાનું રૂપ નિહાળવા સુધી, વિશ્વમાં પોતાની અનિરુદ્ધ ગતિ અનુભવવા સુધી પણ પહોંચે છે અને એનો આનંદ ખુમારીથી અને છટાથી પ્રગટ કરે છેઃ
આથી આગળ વધી કવિ વિશ્વમાં પોતાનું રૂપ નિહાળવા સુધી, વિશ્વમાં પોતાની અનિરુદ્ધ ગતિ અનુભવવા સુધી પણ પહોંચે છે અને એનો આનંદ ખુમારીથી અને છટાથી પ્રગટ કરે છેઃ
* દશે દિશાઓનું કેન્દ્ર એક જે તે મારા મહીં  
* દશે દિશાઓનું કેન્દ્ર એક જે તે મારા મહીં  
  મારામાંથી ઊડતાં ને ખૂલતાં આકાશ.
મારામાંથી ઊડતાં ને ખૂલતાં આકાશ.
* કેટલાંયે રણ મારી છાયા મહીં આવી,  
* કેટલાંયે રણ મારી છાયા મહીં આવી,  
  લીલાંછમ વન બની જાય.
લીલાંછમ વન બની જાય.
(‘અનંત જે રૂપ મારું...’)
(‘અનંત જે રૂપ મારું...’)
અલબત્ત, આ અનિરુદ્ધ ગતિ દૃષ્ટિનીયે પાર રહેલા એક રૂપમાંથી આવે છે એમ કવિ અંતે તો જણાવે છે. કવિનો આ પોઝ સરસ કવિત્વથી રજૂ થયો હોવા છતાં એટલો સાહજિક લાગતો નથી, આગવાપણાની કોઈ પ્રતીતિ કરાવતો નથી. કેટલીક અભિવ્યક્તિલઢણો નવીન હોવા છતાં જાણે ‘વિશ્વમાનવી’ના ભણકારા સંભળાય છે.
અલબત્ત, આ અનિરુદ્ધ ગતિ દૃષ્ટિનીયે પાર રહેલા એક રૂપમાંથી આવે છે એમ કવિ અંતે તો જણાવે છે. કવિનો આ પોઝ સરસ કવિત્વથી રજૂ થયો હોવા છતાં એટલો સાહજિક લાગતો નથી, આગવાપણાની કોઈ પ્રતીતિ કરાવતો નથી. કેટલીક અભિવ્યક્તિલઢણો નવીન હોવા છતાં જાણે ‘વિશ્વમાનવી’ના ભણકારા સંભળાય છે.
ચૈતન્યહ્રાસની લાગણીની સાથેસાથે કવિની આનંદશક્તિ જીવંત રહી છે અને સમયનો ભલે ચણીબોર જેટલો પણ આસ્વાદ એ કરી શક્યા છે એ ઘટના નોંધપાત્ર લાગે છે. આનંદ-આસ્વાદનાં કાવ્યો મુખ્યત્વે પ્રકૃતિનાં અને કંઈક માનવસૌંદર્ય તથા રતિનાં છે. એમાં કેટલાંક નક્કર ધીંગી રેખાઓવાળાં ચિત્રો કવિની આગવી વિશેષતા તરીકે આપણું ધ્યાન ખેંચે છે. ‘સૂરજ અને હબસી કન્યા’ ‘અંધકારનો પવન રૂપેરી’ ‘બપોર-૨’ અને ‘રાત પડે ને’માં વિશિષ્ટ વાતાવરણ અને ભાવચિત્ર જે સામર્થ્યથી તાદૃશ કરવામાં આવ્યાં છે તે જુઓઃ  
ચૈતન્યહ્રાસની લાગણીની સાથેસાથે કવિની આનંદશક્તિ જીવંત રહી છે અને સમયનો ભલે ચણીબોર જેટલો પણ આસ્વાદ એ કરી શક્યા છે એ ઘટના નોંધપાત્ર લાગે છે. આનંદ-આસ્વાદનાં કાવ્યો મુખ્યત્વે પ્રકૃતિનાં અને કંઈક માનવસૌંદર્ય તથા રતિનાં છે. એમાં કેટલાંક નક્કર ધીંગી રેખાઓવાળાં ચિત્રો કવિની આગવી વિશેષતા તરીકે આપણું ધ્યાન ખેંચે છે. ‘સૂરજ અને હબસી કન્યા’ ‘અંધકારનો પવન રૂપેરી’ ‘બપોર-૨’ અને ‘રાત પડે ને’માં વિશિષ્ટ વાતાવરણ અને ભાવચિત્ર જે સામર્થ્યથી તાદૃશ કરવામાં આવ્યાં છે તે જુઓઃ  
* કાળો વાદળ–કોર્યો એનો કોમળ-લિસ્સો પિંડ,  
* કાળો વાદળ–કોર્યો એનો કોમળ-લિસ્સો પિંડ,  
  આંખ સદાયે વીજ ઝબૂકી, જલની કંઠે મીંડ.
આંખ સદાયે વીજ ઝબૂકી, જલની કંઠે મીંડ.
* પાને પાને એના જાડા હોઠ મહીંનો તાજો અમલ ટપકતો.
* પાને પાને એના જાડા હોઠ મહીંનો તાજો અમલ ટપકતો.
(‘સૂરજ અને હબસી કન્યા’)
(‘સૂરજ અને હબસી કન્યા’)
* ધૂળ મહીંની પગલી ચીખે : ‘દાઝું’ ‘દાઝું’ થાય,  
* ધૂળ મહીંની પગલી ચીખે : ‘દાઝું’ ‘દાઝું’ થાય,  
  કપોતની પાંખોમાં ઊડી ગગન ભરાવા ચ્હાય.
કપોતની પાંખોમાં ઊડી ગગન ભરાવા ચ્હાય.
* પૂંછડે લાગી આગ, બાવરો દોડ્યો જાય સમીર.
* પૂંછડે લાગી આગ, બાવરો દોડ્યો જાય સમીર.
* વડવાનલ ધરતી પર ભમતો મારે મૃગજલછોળ.
* વડવાનલ ધરતી પર ભમતો મારે મૃગજલછોળ.