હયાતી/૧૫. ખ્યાલ પણ નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| | }} {{center|<poem> આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી, એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ, તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી. મારું સ્વમાન રક્ષવા જ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|   |  }}
{{Heading| ૧૫. ખ્યાલ પણ નથી  |  }}


{{center|<poem>
{{center|<poem>
Line 18: Line 18:
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.


{{Right |૧૯૬૨ }} <br>
{{Right |૧૯૬૨ }} <br>

Latest revision as of 22:09, 9 April 2025


૧૫. ખ્યાલ પણ નથી

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

૧૯૬૨