31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૧) ઉમાશંકર જોશીનું સંશોધનકાર્ય}} | {{Heading|અભ્યાસ<br>(૧) ઉમાશંકર જોશીનું સંશોધનકાર્ય}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉમાશંકર જોશીનાં સર્જનેતર પ્રકાશનોમાં એમના સંશોધનગ્રંથો સૌથી વહેલા છે—'અખો : એક અધ્યયન' ૧૯૪૧માં અને પુરાણોમાં ગુજરાત’ ૧૯૪૬માં. અલબત્ત, એમના પહેલા વિવેચનસંગ્રહ 'સમસંવેદન' (૧૯૪૮)–માંના લેખો ૧૯૩૭ જેટલા પાછળના છે, ને એમાં 'કાકાસાહેબની કવિતા' (૧૯૩૭) જેવો આસ્વાદ-વિવેચનનો અને ‘સૉનેટ’ (૧૯૩૯) જેવો સ્વરૂપઅભ્યાસનો —એવા બે સુદીર્ઘ લેખો એમણે આરંભે જ આપ્યા હતા. અખા વિશેના અભ્યાસપ્રબંધનો આરંભ મોડામાં મોડો ૧૯૩૯માં થયાનું સમજાય છે.(જુઓ ‘અખો એક અધ્યયન'ની પહેલી આવૃત્તિના પ્રાકથનમાં એમના આ શબ્દો : પૂરાં બેત્રણ વરસ આ સૂકો ગણાતો કવિ મારા મગજનો કબજો લેશે એનો તો મને સ્વપ્નેય ભય ન હતો.' જે સંશોધન ગ્રંથમાળાના ભાગ રૂપે આ પુસ્તક (અને પછી ૧૯૪૬માં ‘પુરાણોમાં ગુજરાત' પણ) પ્રગટ થયું એની સરકારી મદદ પણ ગુજરાત વિદ્યાસભાને ૧૯૩૯ની શરૂઆતમાં મળી હોવાનો ઉલ્લેખ આ ગ્રંથના પ્રકાશકીય નિવેદનમાં થયેલો છે. એટલે એની આસાપાસ ઉમાશંકર જોશીએ આ કામ સ્વીકાર્યું-આરંભ્યું હોય એવી સંભાવના છે.) | ઉમાશંકર જોશીનાં સર્જનેતર પ્રકાશનોમાં એમના સંશોધનગ્રંથો સૌથી વહેલા છે—'અખો : એક અધ્યયન' ૧૯૪૧માં અને પુરાણોમાં ગુજરાત’ ૧૯૪૬માં. અલબત્ત, એમના પહેલા વિવેચનસંગ્રહ 'સમસંવેદન' (૧૯૪૮)–માંના લેખો ૧૯૩૭ જેટલા પાછળના છે, ને એમાં 'કાકાસાહેબની કવિતા' (૧૯૩૭) જેવો આસ્વાદ-વિવેચનનો અને ‘સૉનેટ’ (૧૯૩૯) જેવો સ્વરૂપઅભ્યાસનો —એવા બે સુદીર્ઘ લેખો એમણે આરંભે જ આપ્યા હતા. અખા વિશેના અભ્યાસપ્રબંધનો આરંભ મોડામાં મોડો ૧૯૩૯માં થયાનું સમજાય છે.(જુઓ ‘અખો એક અધ્યયન'ની પહેલી આવૃત્તિના પ્રાકથનમાં એમના આ શબ્દો : પૂરાં બેત્રણ વરસ આ સૂકો ગણાતો કવિ મારા મગજનો કબજો લેશે એનો તો મને સ્વપ્નેય ભય ન હતો.' જે સંશોધન ગ્રંથમાળાના ભાગ રૂપે આ પુસ્તક (અને પછી ૧૯૪૬માં ‘પુરાણોમાં ગુજરાત' પણ) પ્રગટ થયું એની સરકારી મદદ પણ ગુજરાત વિદ્યાસભાને ૧૯૩૯ની શરૂઆતમાં મળી હોવાનો ઉલ્લેખ આ ગ્રંથના પ્રકાશકીય નિવેદનમાં થયેલો છે. એટલે એની આસાપાસ ઉમાશંકર જોશીએ આ કામ સ્વીકાર્યું-આરંભ્યું હોય એવી સંભાવના છે.) | ||