ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/સંપાદક-પરિચય

From Ekatra Foundation
Revision as of 17:43, 24 May 2026 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સંપાદક-પરિચય
ઉષા ઉપાધ્યાય

ડૉ. ઉષા ઉપાધ્યાય : વરિષ્ઠ કવયિત્રી, વાર્તાકાર અને વિવેચક ડૉ. ઉષા ઉપાધ્યાયે નાટક, નિબંધ, સંશોધન-સંપાદન, અનુવાદ તથા બાળસાહિત્ય ક્ષેત્રે પણ યાદગાર પ્રદાન કર્યું છે. એમના કાવ્યસંગ્રહ ‘અરુંધતીનો તારો’નો અંગ્રેજી, સંસ્કૃત, ઉડિયા અને હિન્દી ભાષામાં અનુવાદ થયો છે.

એમને ભારતભરના અનેક રાજ્યો તેમજ અમેરિકા, થાઈલેન્ડ, નેપાળ, કંબોડિયા તથા કોલંબિયામાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદો તથા કવિસંમેલનોમાં આમંત્રિત કરવામાં આવ્યાં છે. નારીલિખિત ગુજરાતી સાહિત્ય અને ડાયસ્પોરા સાહિત્ય એમના સઘન અધ્યયનના ક્ષેત્રો છે. એમનાં વિવિધ પુસ્તકો ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયાં છે. તેઓ ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન, લખનૌના રાષ્ટ્રીય પુરસ્કાર તથા ફોર્ટ બેન્ડ કાઉન્ટી, કેલિફોર્નિયા, અમેરિકા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયાં છે. એમણે ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે સુદીર્ઘ સેવા આપી છે. તેઓ ભારતીય સ્ત્રી-સાહિત્યકારો અને કલાકારોના સમનિવિત મંચ ‘જૂઈ-મેળો’ના સ્થાપક છે.

ડૉ. અશોક પટેલ

ગુજરાતીના નિવૃત્ત અધ્યાપક