મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪.જિનપદ્મ સૂરિ-સ્થૂલિભદ્ર ફાગુ

From Ekatra Wiki
Revision as of 05:02, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


૪.જિનપદ્મ સૂરિ-સ્થૂલિભદ્ર ફાગુ

રમણ સોની

જિનપદ્મસૂરિ(૧૪મી સદી પૂર્વાર્ધ) આ જૈન સાધુને સંપ્રદાયમાં સૂરિ પદ મળેલું. દુહા-રોળા છંદોમાં ૨૭ કડી ને ૭ ભાસ વાળું એમનું ‘સ્થૂલિભદ્ર ફાગુ’ વર્ષાઋતુ, કોશા ગણિકાનું સૌંદર્ય અને સ્થૂલિભદ્રનો કામ પરનો વિજય આલેખે છે. ગુજરાતીનું એ સૌથી પ્રાચીન ફાગુ કાવ્ય ગણાયું છે.

‘સ્થૂલિભદ્ર ફાગુ’ (સાધુ સ્થૂલિભદ્ર પોતાના પૂર્વાશ્રમની પ્રેયસી કોશા ગણિકાના દ્વારે, ગુરુ-આજ્ઞાથી, ચાતુર્માસ ગાળવા જાય છે. ઉદ્દીપ્ત કરનારી વર્ષાઋતુ છે, સૌંદર્યવાન કોશા આ પૂર્વપ્રેમીને લોભાવવા યત્ન કરે છે. સાધુ નિર્વિકાર રહે છે. કહે છે: મારુચ મન તો હવે સંયમશ્રીમાં લીન છે. સારાનુવાદ મધ્યકાલીન જૈન કવિતાસંચય,સંપા. અભય દોશી-માંથી)

સિરિ-થૂલિભદ્ર ફાગુ
પણમિય પાસ-જિાણિંદ-પય અનુસરસઈ સમરેવી |
થૂલિભદ્ર-મુણિવઈ ભણિસુ ફાગુ-બંધિ ગુણ કે-વી || ૧ ||
પ્રથમ ભાસ
(અહ) સોહગ-સુંદર રૂવવંતુ ગુણ-મણિ ભંડારો
કંદણ જિમ ઝલકંત-કંતિ સંજમ-સિરિ-હારો |
નયરરાય પાડલિય માહિ પહુતઉ વિહરંતઉ || ૨ ||
વરિસાલઈ ચઉમાસ-માહિ સાહૂ ગહગહિયા
લિયઈ અભિગ્ગહ ગુરુહ પાસિ નિય-ગુણ-મહમહિય |
અજ્જ-વિજયસંભુઈ-સૂરિ ગુરુ-વર મોકલાલઈ
તસુ આઈસિ મુણીસ કોસ-વેસા-ધીર આવઈ || ૩ ||
મંદિર-તોરણિ આવિયઉ મુણિવરુ પિક્ખેવી
ચમકિય ચિત્તિહિ દાસડિય વેગિ જાઈ વધાવી ||
વેસા અતિહિ ઊતાવલિય હરિહિ લહકંતી
આવિય મુણિવર-રાય-પાસિ કરયલ જોડતી || ૪ ||
‘ઘમ્મ-લાભુ’ મુણિવઈ ભણવિ ચિત્રસલી મંગેવી |
રહિયઉ સીહ-કિસોર જિમ ધીરિમ હિયઈ ઘરેવી || ૫ ||

(અનુવાદ પાર્શ્વ જિનેન્દ્રના પદે પ્રણામ કરીને અને સરસ્વતીને સ્મરીને ફાગુ-બંધ રૂપે મુનિપતિ સ્થૂલિભદ્રના કેટલાક ગુણ કહીશ (૧) અથ (એક વાર) સૌભાગ્યસુંદર, રૂપવંત, ગુણ-મણિ-ભંડાર, કાંચન સમાન ઝળકતી કાંતિવાળા, સંયમશ્રીના હારરૂપ, મુનિરાજ સ્થૂલિભદ્ર જ્યારે મહીતલ પર બોધ કરતા (હતા, ત્યારે) વિહરતા (વિરતા તે) નગરરાજ પાટલિ(પુત્ર)માં (આવી) પહોંચ્યા.(૨). નિજગુણે શોભતા સાધુઓ વર્ષાકાલમાં ચાતુર્માસમાં ગદ્ગદિત થઈને ગુરુની પાસે અભિગ્રહ લે છે, (ને) ગુરુવર આર્યસંભૂતિવિજયસૂરિની અનુજ્ઞા લે છે. તેમના આદેશથી મુનીશ (સ્થૂલિભદ્ર) કોશા વેશ્યાને ઘેર આવે છે. (૩) આવાસના તોરણે મુનિવર આવ્યા જોઈને ચિત્તમાં ચમકેલી (અચરજ પામેલી) દાસી વધામણી આપનારી (તરીકે કોશા પાસે) વેગે જાય છે. વેશ્યા હારથી લહેકતી (ઝૂકતી), કરતલ જોડતી અતી ઉતાવળી મુનિવર-રાજ પાસે આવી. ૪). એને ‘ધર્મલાભ’ કહીને પોતાના નિવાસ માટે ચિત્રશાલા માગીને તે મુનિપતિ (મુનિરાજ) સિંહકિશોરની જેમ ધર્મને હૈયે ધરીને રહ્યા. (૫)