સોરઠી સંતવાણી/ચાર અવતાર

From Ekatra Wiki
Revision as of 05:11, 29 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચાર અવતાર

ઓતમ છે હો ગુરુનાં માતમ છે,
મારા ગુરુજીનાં દર્શન અરજણ ઓતમ છે.
પે’લો પે’લો અવતાર અરજણ કાગ કેરો ધરિયો
સુખડને લાકડે બેઠો ચાંચ ઘસે. — મારા ગુરુજીનાં.

બીજો બીજો અવતાર અરજણ, બગ કેરો ધરિયો,
માન રે સરોવર બેઠો મછીઆં ચુને. — મારા ગુરુજીનાં.

ત્રીજો ત્રીજો અવતાર અરજણ, હંસ કેરો ધરિયો,
માન રે સરોવર બેઠો મોતીડાં ચરે. — મારા ગુરુજીનાં.

ચોથો ચોથો અવતાર અરજણ, સાધુ કેરો ધરિયો,
ભરી રે સભામાં બેઠો જ્ઞાન કરે. — મારા ગુરુજીનાં.

ગુરુને પ્રતાપે નારદમુનિ બોલિયા,
તારીને ઉતારો ભવપાર તરે. — મારા ગુરુજીનાં.