ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાકુશલ

From Ekatra Wiki
Revision as of 04:25, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિદ્યાકુશલ [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ચારિત્રધર્મની સાથે મળીને તેમણે ‘રામાયણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૫/સં.૧૭૯૧, આસો સુદ ૧૦)ની રચના કરી હતી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]