કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૨૩. અમને જળની ઝળહળ માયા...

Revision as of 01:45, 14 September 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૩. અમને જળની ઝળહળ માયા...

અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર
દળવાદળની છાયા.
લીલાં લીલાં વૃક્ષ
     નદીમાં ન્હાય નિરાંતે,
અકળવિકળનું ગીત લઈને
     સદીઓની સંગાથે
ચકળવિકળ આ લોચન નીરખે
પળપળના પડછાયા…
વસંતનું આ ગીત લઈને
     કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને
     મનમોજીલું વલખે
અલકમલકનાં રૂપઅરૂપ કંઈ
પાંપણમાં પથરાયાં…


(વિદેશિની, પૃ. ૩૧૨)